Book Title: Aptavani 12 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 212
________________ પુદ્ગલ સુખ - આત્મસુખ ૩૫૧ ઉપર આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) દાદાશ્રી : ફેર ખરો. આ દુઃખનો અભાવ થયોને એ બહુ નિરાંત જેવું લાગે. અને પેલો સુખનો સદ્ભાવ થવો એ તો વાત જુદી જ છે. સ્વાભાવિક સુખમાં આવ્યો. દુ:ખનો અભાવ થવો એ સ્વાભાવિક સુખ નથી. પ્રશ્નકર્તા : સુખનો સદ્ભાવ જે થવાનો, તે એના પુરુષાર્થ ઉપર રહ્યુંને ? દાદાશ્રી : માલ અંદર ખલાસ થાય તો. પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષનો સહવાસ મળ્યા કરે તો એ બધો માલ ઑટોમેટિકલી ખાલી થયા જ કરે. દાદાશ્રી : તો ખાલી થઈ જાય, એ જ રસ્તો. બીજો કોઈ રસ્તો નથી. એમનો જોગ મળે તો બહુ થઈ ગયું. મોક્ષ, પ્રથમ સ્ટેજતો ! આ જ્ઞાન શું છે ? સંસારમાં મુક્તિ છે. આ મુક્તદશા સંસારમાં. સંસારમાં બેઠા મોક્ષ, વીતરાગતા. રાગ-દ્વેષ નહીં થાય હવે, હવે સંસારમાં મોક્ષ એટલે શું, એનો અર્થ સમજાવું તમને. તમે જે ખોળો છો, તે હમણે ખોળશો નહીં. એ તો એની મેળે આવી ઊભું રહેશે. સંસારમાં મોક્ષ થવો એટલે સંસારના દુઃખોથી મુક્તિ ! આ જગત આખું દુઃખથી જ પીડાઈ રહ્યું છે અને માગણી શું કરે છે, “હે ભગવાન, મને આ દુઃખથી મુક્ત કર.” આ સર્વ દુઃખોનો ક્ષય કરનારો વીતરાગ માર્ગ, એ સર્વ દુઃખોનો ક્ષય થઈ ગયો છે હવે. પણ પેલું ઉત્પાદન ચાલુ થયું નથી. શાથી ? પાછલાં ઓવરડ્રાફટ લઈને આવ્યા છો, તે બેંકમાં ભરવા પડે છે રોજેરોજ. પાંચ-દશ વર્ષમાં પૂરા થઈ જશે. આ ઓવરડ્રાફટ લાવ્યા છે, કોઈ વધારે ઓવરડ્રાફટ લાવ્યો હોય તો દશ-પંદર વર્ષમાં પણ પૂરું થઈ જશે. તે આ દુઃખોથી મુક્તિ, એનું નામ પહેલો મોક્ષ ! સંસારમાં બેઠા મોક્ષ અને પછી સ્થળ દેહથી મુક્તિ એ છેલ્લો મોક્ષ. એટલે એ ખોળશો નહીં, એની મેળે આવીને ઊભું રહેશે. આપણા ઓવરડ્રાફટ ભરાઈ જશે એટલે ! અનુભવ્યો આત્માનો આનંદ ! જ્ઞાન લેતાં પહેલાં જે આનંદ હતોને, તે તો વિનાશી આનંદ હતો. જ્ઞાન પછી હવે સાચો આનંદ ઉત્પન્ન થાય. પહેલાં અમારા સત્સંગથી અને વાતચીતથી આનંદ થાય, પણ એ કાયમ ટકે નહીં. હવે આ પોતાનો સ્વભાવિક આનંદ ઉત્પન્ન થાય. પ્રશ્નકર્તા ઃ આનંદ એટલે સુખ ના કહેવાય ? દાદાશ્રી : ના. આનંદ અને સુખમાં તો બહુ ફેર. સુખ એ જોયેલું હોય, પડછાયો પણ ન્હોય, આ સુખ તો વેદના કહેવાય. જેને સુખ આપણા લોકો કહે છેને, તે વેદના કહેવાય. આ મીઠી વેદના અને કડવી વેદના પણ બેઉ વેદના છે. પ્રશ્નકર્તા : આનંદ આવે છે તે ક્યાંથી આવતો હશે ? દાદાશ્રી : આત્માનો સ્વભાવ જ આનંદ છે. એટલે બહારથી લાવવાનો નથી. જો આત્મરૂપ રહે તો આનંદ જ નિરંતર રહે. બહારથી કંઈ લાવવાનો નથી અને શાંતિ બહારથી લાવવી પડે. જલેબી ખાય ત્યારે એને શાંતિ થાય. પ્રશ્નકર્તા : પછી એ આનંદ કેમ જતો રહે છે ? દાદાશ્રી : જતો જ રહે ! બરોબર પૂરેપૂરું કરી લઈએ નહીં એટલે. નિરંતર આત્મસ્વરૂપ રહેવું, એવું કરી લેવું જોઈએ. એટલે એ પાકું કરી લે એટલે પછી પૂરું, તે કાયમ રહે. નિરંતર આત્મામાં જ રહેવું જોઈએ. રમણતા જ આત્માની હોવી જોઈએ. પ્રશ્નકર્તા : તો પછી વ્યવહારમાં ગોટાળો થઈ જાયને ? દાદાશ્રી : વ્યવહાર જેને ના જરૂર હોય તો જ એ આત્મામાં રહેને ! વ્યવહાર તો પૂરો કરવો પડશેને ! એટલે જ જરા ઓછું સુખ થાયને ? પછી એમ કરતાં કરતાં વ્યવહાર પૂરો થઈ જાય એટલે પછી સુખ આવે. નિરંતર આત્મરમણતા જોઈશે.

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253