Book Title: Aptavani 12 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 192
________________ મોક્ષનું તપ દ્રષ્ટાનો આનંદ હોય. તપમાં તપે ખરું પાછું પણ આનંદ હોય. આ ચંદુભાઈનું કો’કે એમની ઓફિસમાં આવીને અપમાન કર્યું કે ‘તમને ધંધો કરતાં નથી આવડતું ને તમે અમને હેરાન કરી નાખ્યા.’ આવી રીતે એમ તેમ કંઈક ગમે તે શબ્દ બોલ્યો. એટલે તરત જ્ઞાન ઉપર આપણી દ્રષ્ટિ ૩૧૧ આવે કે આ આપણું જ્ઞાન શું કહે છે ? ત્યારે કહે, ‘આ ફાઈલનો સમભાવે નિકાલ કરો.' એવું થાયને ? હવે પણ પેલો બોલ્યો, તે આ શરીરમાં જે મન ને એ બધું રહ્યું છે તે પકડી લેને તરત, અંતઃકરણ પકડી લે તરત. અને એનો સામો જવાબ આપવા માટે, હિંસક જવાબ આપવા માટે મહીં બધું લાલ લાલ થઈ જાય. પણ તે ઘડીએ આ જવાબ આપે નહીં ને નક્કી જ રાખે કે સમભાવે નિકાલ કરવો છે. એટલે એ “ઓહોહો, અંદર લાલ લાલ લાલ થઈ ગયું છે', એ જુએ તે ઘડીએ આ આત્મા ક્લિયર થઈ ગયો. જે તપને જુએ છે એ ક્લિયર આત્મા. એ લાલ લાલ જુએ પછી એને ટાઢું પડી જાય. હંમેશાં કોઈ પણ સંયોગ જામ્યો તે લાલનો હોય કે ઠંડકનો હોય ત્યારે જ એ વિયોગી સ્વભાવનું હોય છે. એ ઊભરો થોડીવાર પછી બેસી જાય. પણ એક વખત તો બહુ જ તપે. એને પછી એમ આ અભ્યાસથી જોઈએ, ત્યારે આનંદ થઈ જાય છે, પણ તપ તો જતું જ નથી. તપ તો પેલું રહે છે જ. પ્રશ્નકર્તા : આપે કહ્યું કે એનો સમભાવે નિકાલ કરવો અને એક વખત આપે શિખવાડ્યું'તું કે આપણું જ પાછું આવ્યું. દાદાશ્રી : એ સમભાવે નિકાલ કરવાનું કેમ કહ્યું ? કારણ કે એ પાછું આવ્યું. એટલે એનો સમભાવે નિકાલ કરવાનો. એને અનુલક્ષીને હોય છે બધા. એક એક વાક્યને અનુસંધાનમાં હોય છે ! જ્ઞાતીનું તપ ! સ્થૂળમાં તપવાનું તો અમારે કોઈ દા'ડો બને જ નહીં. મહીં તપવાનું હોય જ નહીંને ! તપે જ નહીં કશું. નિરંતર સૂક્ષ્મમાં તપ હોય. પ્રશ્નકર્તા : એટલે ચારિત્રમાં આવી ગયું છે માટે ? દાદાશ્રી : ચારિત્રમાં આવી ગયેલું છે તેથી. એ વાત ચારિત્રની આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) જાણી શકતાં છતાં પણ ચારિત્ર કોઈ કારણથી રહેતું નથી, જેવું જોઈએ એવું. ચારિત્રવાળા બોલે નહીં આ બધું. ૩૧૨ પ્રશ્નકર્તા : શું બોલે નહીં ? દાદાશ્રી : ભગવાન બોલતા’તાને, તે આ હું બોલું છું પણ ભગવાન મહીં ડખલ ન્હોતા કરતા, હું ડખલ કરું છું. એટલે એટલું ચારિત્ર ડખલવાળું કહેવાય. પ્રશ્નકર્તા : તો એ વખતે તપ હોય ? દાદાશ્રી : ના, તપની જરૂર નહીં ! તપ તો કોઈ થયેલું જ નહીં. તપ થાય ત્યારે તો મોઢું બગડી જાય, બળ્યું. તપનું તો ટેન્શન રહે. પ્રશ્નકર્તા : આપ કહો છો ને કે સ્વ અને પર - બે જોઈન્ટ ના કે થાય એવું અમારું તપ વર્ષા કરતું હોય. દાદાશ્રી : એ તો અમારું જ્ઞાન જ વર્ત્યા કરતું હોય. તપ પૂરું થઈ ગયું હોય. એ બે જોઈન્ટ ક્યારેય પણ થાય નહીં. આ પ્રતીતિ ને આ અનુભવ બે ફરે નહીં એવું અમારું ચારિત્ર હોય. અંદર જ તપ તો બિલકુલેય રહ્યું નહીં પછી. છોકરો, આપણો કે તપતાં કારણો ? પ્રશ્નકર્તા : પણ કોઈને એકદમ એવું તપ તપવાનું ના આવતું હોય તો ? જેટલું ભાગે આવે, તેટલું જ ને ! દાદાશ્રી : એ તો આવશે ને પણ. અત્યારે ના આવતું હોય તો પછી આવવાનું. અત્યારે કંઈ એવી વ્યવસ્થા ના આવી તેથી કરીને કંઈ એ વ્યવસ્થા કાયમ ઓછી જતી રહે બધી ! પ્રશ્નકર્તા : એટલે બધાંને એવી વ્યવસ્થા આવે જ ? દાદાશ્રી : આવે જ. હોય તો આવે, ના હોય તો નાય આવે. કાલે સવારે છોકરો સામો થયો તે ઘડીએ ? હવે કોણ સામો નહીં થાય, શું

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253