Book Title: Aptavani 12 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 190
________________ ૩૦૮ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) મોક્ષનું તપ ૩૦૭ પ્રશ્નકર્તા : પુરુષાર્થ થાય નહીં, તો કંઈ બીજો કંઈક શોર્ટકટ બતાવી આપો. દાદાશ્રી : આ શોર્ટકટ બતાવ્યોને ! શોર્ટકટ જ છે આ. પેલું ડિસ્ચાર્જ છે. આના પછી તપ છે. પુરુષાર્થ તપથી કરવાનો છે. આ દુરુપયોગ કરવાનો શબ્દ નથી. તપ કરો. શું કરીએ તો તપ કહેવાય ? મન મહીં પજવે, ત્યારે તપ કરવાનું. ડિસ્ચાર્જનો અર્થ એ છે કે તપ સહિત ડિસ્ચાર્જ હોય હંમેશાં. એમ ને એમ ડિસ્ચાર્જ કહી દીધું તો ચાલે નહીંને ! આ એવું કરવાથી તો દશા આ થઈ ગઈ, બે-ત્રણ વર્ષ નકામાં ગયેલાં. દાદાશ્રી : એ જ ચારિત્ર. તમને જોયું-જાણ્યું એ જ ચારિત્ર. પ્રશ્નકર્તા : પણ દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ, તપને છેલ્લું કેમ મૂક્યું? દાદાશ્રી : આમાં એવું છે ને, તપ આની જોડે બેસે બિચારું, પણ જ્ઞાન-દર્શન-ચારિત્ર એની જોડે તપની શી કિંમત ? આ એક વચ્ચે જરૂરી છે. આપણું પહેલું દર્શન છે, આ તમને જ્ઞાન આપીએને, તે દર્શન આપ્યું પૂરું થઈ ગયું. તે ઘડીએ અમુક જ્ઞાન તો થયું જ હોય, બીજું જ્ઞાનની પૂર્ણાહુતિ આ વાતોથી થાય. આમ વાતો કરીએ તેથી, સત્સંગથી અને જ્ઞાન-દર્શન બે ભેગું થયું એટલે ચારિત્ર આપોઆપ ઊભું થાય અને તપ તો મહીં થયા જ કરે, જે નથી ગમતું ત્યાં તપ કરવાનું. બીજું કંઈ ભૂખે મરવાનું નથી ! ચાર પાયા જોઈશે, જ્ઞાન-દર્શન-ચારિત્ર અને ત૫. જ્યાં જ્યાં જે જરૂરિયાત છે તે જોઈશે. જે તમને દર્શન-પ્રતીતિ થયેલી છે. જે પ્રતીતિ થયેલી તે અનુભવમાં આવવું, એનું નામ જ્ઞાન થયું કહેવાય. અને જ્ઞાન થયેલું હોય ને પ્રતીતિ થઈ'તી એ બે ભેગા થાય એટલે ચારિત્ર ફળ આપે. પણ વચ્ચે ચારિત્રમાં આવતા રોકે કોણ ? પેલું તપ નથી કરતો તેથી ! તપ કરે એટલે ચારિત્રમાં આવે. ચારિત્રમાં આવતાં રોકે કોણ ? ક્રમિક માર્ગમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ અને આ અક્રમમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર ને તપ. તમારું જ્ઞાન જ ક્યાં હતું ? શાસ્ત્રનું કશું જ્ઞાન ન્હોતું ને કોઈ જાતનું જ્ઞાન જ ન્હોતું અને એકદમ દર્શન થઈ ગયું. એટલે આ દર્શન, પછી જ્ઞાન, પછી ચારિત્ર ને તપ. જ્ઞાન તો લાવ્યા વગર છૂટકો જ નહીં. આ જ્ઞાન બીજાને ઉપદેશી શકો એવું હોય. કારણ કે અનુભવપૂર્વકનું. ને પેલાની અનુભવપૂર્વકની પ્રતીતિ હોય. ક્રમિક માર્ગમાં જ્ઞાન પ્રમાણે, જ્ઞાનના અનુભવથી પ્રતીતિ પ્રાપ્ત થાય. આપણને આ અક્રમ માર્ગમાં પ્રતીતિ પ્રમાણે અનુભવ થાય, એટલું જ્ઞાન પ્રગટ થાય. પ્રશ્નકર્તા : તપ તો ચારિત્રની પહેલાં કરવું પડે છે ને ? દાદાશ્રી : હા. એ તો પહેલાં જ કરવું પડે ને, ત્યારે જ ચારિત્ર ઉદય થાય ને ? આ ત્રણ પાયા ચોખ્ખા, એનું ચારિત્ર ચોખ્ખું. તપ વગર ચારિત્ર ના હોય. તમારે તપ કરવું નહીં પડ્યું હોય ? તેથી છે તે અનુભવ થયો. હવે ફરીથી એવું ના કરવું, એ અનુભવ તને ભૂલાય નહીં એવો હોય. પ્રશ્નકર્તા : તપ આવ્યું ત્યારે ચારિત્ર છે, એ કઈ રીતે ખબર પડે ? દાદાશ્રી : હોય જ ચારિત્ર. પ્રશ્નકર્તા ઃ એટલે તમને જોવું એ ચારિત્રમાં ગણાય ? અક્રમમાં તપ, અંદર ! આ ચાર પાયા જેના પૂરા થયા, એને બધું જ પૂરું થઈ ગયું છે. અહીં બહાર તમે ગમે એવા અત્તરો ઘાલ-ઘાલ કરી મને વાંધો એનો નથી, અંદરનું તપ જોઈએ આપણે. બહારના તપથી સંસાર, ભૌતિક ફળ મળે છે અને આંતરિક તપથી મોક્ષ. તે આંતરિક તપની જરૂર છે, બહાર તપવાનું નથી. આખા જગતે બાહ્ય તપને જ ખોળ ખોળ કયું છે. અક્રમ એટલે અંદર તપ અને ક્રમિક એટલે બાહ્ય તપ. દળેલું હોય તેને ફરી દળવું, એનું નામ બાહ્ય તપ. ગયા અવતારે દળેલું અને અત્યારે કહે છે, હું દળું છું, એ ક્રમિક તપ કહેવાય. એનું ફળ આ સંસાર ફળ

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253