Book Title: Aptavani 12 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 195
________________ ભોગવવું - વેદવું - જાણવું ૩૧૭ ૩૧૮ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) એટલે સહુ સહુના ગજા પ્રમાણે ધીરજ હોય. જો કે મહાવીર ભગવાન કેવળ જાણતા જ હતા. એ માંકડ એમને કરડે, તેને પોતે જાણે એટલું જ, વેદે નહીં. જેટલો અજ્ઞાન ભાવ છે, એટલું વેદે છે. તમને આ જ્ઞાન તો બધું થઈ ગયેલું છે. પણ આ શ્રદ્ધાએ કરીને શુદ્ધાત્મા થયા છો. હજુ જ્ઞાન કરીને આત્મા થશો ત્યારે જાણવાનું જ રહેશે, ત્યાં સુધી વેચવાનું ખરું. વેદવામાં તો અમે તમને કહીએ છીએને કે જુદા બેસવું. આપણા ‘હોમ ડિપાર્ટમેન્ટ'માં આઘુંપાછું કરવું નહીં. ગમે તેટલી ઘંટડીઓ મારે તો ય હોમ ડિપાર્ટમેન્ટ છોડવું નહીં. છો ને ઘંટડીઓ મારે, બારસો ઘંટડીઓ મારે તો ય આપણે શું કામ છોડવી આપણી ઓફિસ ? પ્રશ્નકર્તા : પણ એમાં વેદના વધારે થાય છે. દાદાશ્રી : વેદના બિલકુલ થાય જ નહીં. વેદના થાય છે, એનું કારણ કે તમે ચંદુભાઈ થઈ જાવ છો. એવું નહીં થવાનું તમારે. ચંદુભાઈને વેદના થાય, તે આપણે જોયા કરો કે વેદના બંધ થઈ જાય. જ નહીં. અશાતા વેદનીયમાં ય સમાધિ રાખે એવું આ જ્ઞાન છે. પણ તમે પહેલાં જ બોલો કે, ‘આવશે તો શું થશે ? આવશે તો શું થશે ?” તો એવું પરિણામ આવે ! નહીં તો કહીએ, ‘આવ'! ઇન્વાઇટ કરો તો કશું નડે નહીં ! પ્રશ્નકર્તા અને પાછો આનંદ ઊભો થાય ! દાદાશ્રી : આનંદ ઊભો થાય. આ તો માથું દુખ્યું, મારે તો બહુ માથું દુખે છે. ‘અલ્યા, પણ તારું દુખે છે કે ચંદુભાઈનું દુખે છે ? તું તો શુદ્ધાત્મા.' તો કહે કે, ‘હા, હું તો શુદ્ધાત્મા. એ તો ચંદુભાઈનું દુખે છે.” હવે ચંદુભાઈનું માથું દુખે, એમાં એનું દુખવા માંડ્યું. ‘મને માથું દુખ્યું” એમ કહે કે મલ્ટીપ્લાય બાય ટુ. ‘મારું દુ:ખ' એમ કહ્યું એટલે મલ્ટીપ્લાય થાય. અને ‘મારું સ્વરૂપ ના હોય’ તો છૂટ્યો. પોતાની તબિયત સારી છે કે નહીં એવું પોતે જાણે. માટે શરીરથી પોતે જુદો છે કે નહીં, એની ખાતરી થાય છે. પહેલાં સારી રહેતી હતી, તેને ય જાણે. સારી રહેતી નથી તેને ય જાણે. હવે સારી છે એને ય જાણે. બધું જ જાણે. દુખે પાડોશીને, “મને' નહીં ! પ્રશ્નકર્તા : જે જે મહાત્માઓ જ્ઞાન લે છે, એમને જ પરિષહ ને ઉપસર્ગો કેમ આવે છે. પહેલાનાં ? દાદાશ્રી : શું થાય છે ? બંધ થઈ જાય ? એમને છે તે વેદના ઓછી થાય. સો મણનો ગોળો વાગવાનો હોય તેને બદલે એક કાંકરો વાગ્યો હોય, પણ અસર તો થયા વગર રહે નહીં. નિમિત્ત છોડે નહીંને ! મહાવીર ભગવાન શું બોલ્યા ? ભગવાનને કહે છે, ‘તમને સાહેબ, દેવલોકોએ પરીક્ષા કરી, તમને અડચણ નહોતી પડી ?” ત્યારે કહે છે કે, ‘જ્ઞાની વેદે ધર્યથી, અજ્ઞાની વેદે રોઈ.” પ્રશ્નકર્તા : જ્ઞાની વેદે ધર્યથી, પણ એ વેદે તો ખરોને ? દાદાશ્રી : વેદના તો જાય જ નહીં. પણ એ વેદે શૈર્યથી. પૈર્યથી પ્રશ્નકર્તા: એ વેદના જોઈએ છીએ એટલે જ થાય છે કે આ ચંદુભાઈને વેદના કેમ થાય છે ? દાદાશ્રી : ચંદુભાઈને વેદના થવી જ જોઈએ. કારણ કે આ વેદનાનાં પોતે કારણો સેવ્યા હતા. માટે આ કારણમાંથી કાર્યફળ આપે છે. એ થવી જ જોઈએ. તમારે એને કહેવું પડે કે ચંદુભાઈને થવી જ જોઈએ. કેમ થાય છે એવું કહે છે, તે એ આપણો કોઈ ઉપરી નથી કે કોઈએ ગોઠવેલું નથી. એટલે કો'કની ડખલ હોય તો આપણે કહીએ કે કેમ થાય છે ? તે આપણે કહેવાનું, ‘ચંદુભાઈ, આ તો તમે આના જ લાયક છો'. એવું છે, ક્રમિક માર્ગમાં વેદકતા એ આત્માને કહી, હવે એ વેદક્તાના આપણે અહીં બે અર્થ થાય છે. વેદકતા ચંદુભાઈને લાગુ થાય અને વેદ એ વેદકતા એટલે જાણવાપણું તમને લાગુ થાય. વેદકતાનો અર્થ જાણવાપણું ય થાય ને વેદવાપણું ય થાય. એ જાણવાપણું તમારું કે આ ચંદુભાઈને આટલી વેદના ઉત્પન્ન થઈ. હવે જો જાતે તમે અહીંથી સ્લીપ

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253