Book Title: Aptavani 09
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 181
________________ આપ્તવાણી-૯ બધા ભેગા થઈ જાય તો ય વાંધો ના આવે. અથવા કોઈ માર માર કરતો અહીં આવ્યો હોય તો મને દેખે એટલે પછી બધું ભૂલી જાય. સ્વભાવ ભૂલાડે ! ૩૧૧ સિદ્ધિ ગારવતા આ સાધુ, સન્યાસીઓ, આચાર્યોને હોય. એમને કોઈ કહે “બાપજી, મારે આ દુ:ખ છે.' તે પેલા સિદ્ધિ વટાવે. પછી ગારવતામાં રહે. “બાપજી, બાપજી' લોક કહે એટલે ખુશ. લોકો ય કંઈ મૂકી જાય લાડવા ને એ બધું, તે ખાય, પીવે ને મજા કરે. આવી બધી ગારવતામાં રહે. સિદ્ધિ આવી હોય તો સિદ્ધિની ગારવતામાં જ રહ્યા કરે, બસ. બીજો કંઈ ‘એડવાન્સ' થવાનો વિચાર ના કરે. પ્રશ્નકર્તા : એટલે ગારવતા ‘એડવાન્સ’ થવાનું રોકી દે ?! દાદાશ્રી : હા, એ ગારવતામાં, લોકો બધા ‘બાપજી, બાપજી’ કર્યા કરે એટલે પેલા ખુશ ખુશ ! એટલે કેટલીક સિદ્ધિ ગારવતા હોય છે, કેટલીક રિદ્વિ ગારવતા હોય છે, કેટલીક રસ ગારવતા હોય. આવી અનેક પ્રકારની ગારવતા હોય છે. આ શાસ્ત્રોનીયે ગારવતા જ છે ખાલી ! પ્રશ્નકર્તા : શાસ્ત્રોની પણ ગારવતા ? દાદાશ્રી : બસ, જ્યાં બેસી રહેવાનું થાય ને ખસવાનું મન ના થાય એ બધી ગારવતા. બાકી, રોજે રોજ પ્રગતિ કરવાની છે. : પ્રશ્નકર્તા : એટલે છેલ્લા સ્ટેશન સુધી જતાં દરમ્યાન ગમે તેવાં આવાં સ્થળો આવે ત્યાં રહેવું નહીં ! દાદાશ્રી : ત્યાં આગળ રોકાઈ જવાનું નહીં, ત્યાં આગળ જે સુખ આવે, તે સુખમાં રોકાઈ જવાનું નહીં. એ તો શાસ્ત્રો વાંચે એટલે સુખ વર્તે. કારણ કે ‘જ્ઞાની પુરુષ'ની વાત છે. તેથી અંદર ઠંડક થાય, શાંતિ થાય. રાજ્ય મળ્યું હોય અને રાજ્યમાં તન્મયાકાર થઈને પડી રહેવું, એ બધી યે ગારવતા કહેવાય. બાકી, ગારવતાને લોક સમજતું જ નથી, ગારવતા શું છે તે ? ૩૧૨ આપ્તવાણી-૯ પ્રશ્નકર્તા : આ તો પેલો ભેંસનો દાખલો આપ્યો ને, એનાથી આમ સ્પષ્ટ સમજાય. દાદાશ્રી : તે આ દાખલો આપેલો ને, એટલે લોકો રસ્તામાં ભેંસને કાદવમાં બેઠેલી દેખે, ખાબડામાં ભેંસો દેખાય કે કહેશે, ‘એ ય પેલી ગારવતા આવી. દાદા, આ જુઓ ગારવતા.’ હું કહું, ‘હા, તને યાદ રહ્યું ખરું !' ગારવતાનો અર્થ જ કોઈએ કર્યો નથી. ગારવતાનો અર્થ કોઈ જગ્યાએ પુસ્તકમાં આપેલો નથી. તેથી મેં આ ગારવતાનો અર્થવિવાદ ફોડવાર કર્યો. ગારવતામાંથી છૂટવું કઈ રીતે ? પ્રશ્નકર્તા : એટલે આ સુખની ભ્રાંતિ, એ આખું ગારવતાનું સ્વરૂપ જ છે ને ? દાદાશ્રી : બધું ગારવતા જ છે. પ્રશ્નકર્તા : એ ગારવતાના સંજોગો જે ભેગા થાય છે અત્યારે, આમ તો એ પહેલેથી હિસાબ લઈને આવેલો છે ? દાદાશ્રી : બધું ‘ડીસાઈડેડ' લઈ કરીને આવેલો છે. પ્રશ્નકર્તા : તો પણ હવે, અત્યારે એને ફરીથી વળગી પડે છે ? દાદાશ્રી : અજ્ઞાની હોય તો વળગી પડે ને ‘જ્ઞાન' ને ‘આજ્ઞા’ પાળતો હોય તો ના વળગે. પ્રશ્નકર્તા : તો ય એમાંથી છૂટી ના શકે ? એને ભોગવવું તો પડે જ ને, એટલું ? દાદાશ્રી : સહી કરેલી ને ! પ્રશ્નકર્તા : અત્યારે એ ગારવતામાં પાછો સ્વાદ લે તો નવી સહી યે પડવાની ?

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253