Book Title: Aptavani 09
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 211
________________ ૩૭૨ આપ્તવાણીપ્રશ્નકર્તા : કષાયો કેવી રીતે ફરી વળે છે ? દાદાશ્રી : બેભાન કરી દે. બેભાન કરે માણસને, ભાનમાં જ ના રહે ! પ્રશ્નકર્તા : કષાય જાગૃત થયા છે એ કેવી રીતે ખબર પડે ? કયા લક્ષણથી ? દાદાશ્રી : કેમ ? અહંકાર દુભાય એ ખબર ના પડે ? આ કપટ મૂળ ગુણ એમાં. કપટ એટલે અંધારું ઘોર ! કષાયોમાં થોડું ઘણું અજવાળું હોય. આપ્તવાણી-૯ ૩૭૧ પણ અમે ઉકેલ લાવી નાખીએ. ‘આ ખરો છે અને આ ભૂલ્યા છે' એ કહેવું એ ભૂલ છે આપણી. આપણે તરત જ એમ માનવું કે, ‘ભઈ, એમનું સાચું ને આપણું ખોટું.’ એમ કરીને હેંડવા માંડ્યા એટલે એમને ય ડખલ ના રહીને ! કોઈનો ‘ક્લેઈમ’ રહે નહીં પછી. કોઈનો ‘ક્લેઈમ’ રાખી અને આપણે છૂટીએ, એવું બને નહીં ને ! ભરેલા માલતો પક્ષ ના લઈએ ! જ્યાં અહંકાર હજુ ભરેલો છે મહીં, એટલે ચઢે ખરો ને હજુ. છતાં એ નિકાલી અહંકાર છે. એ સાચો અહંકાર નથી. તો પણ પોતે એનો પક્ષ લે. ખરાખરી કરાવનારા નીકળ્યા ! એ ના હોવું જોઈએ. - જક્કે ચઢે ને, તો આત્માને આવરણ વધારે ચઢે. જો કે આ “જ્ઞાન” પછી આ બધો હવે વ્યવહાર માત્ર રહ્યો છે. નિશ્ચયથી જક પણ ગઈ, ય ગયો, રાગે ય ગયો, ને બધું જ ગયું. હવે વ્યવહાર સચેતન નથી, એ અચેતન છે. અચેતન એટલે આપણે એને ફરી સળી કરીએ તો કામ થાય. નહીં તો આમ ફૂટી ફૂટીને પછી પડી જાય. અવળી હોય તો આમ કુદે ! કોઠી ફૂટે, ને ફૂટીને એનાં લક્ષણ બતાવીને જતું રહે, બીજું કશું નહીં. આપને સમજાયું ને ? એનાં લક્ષણ બતાવે કે એ કોઠી હતી કે શું હતું? ફૂલઝરી હતી કે તારામંડળ હતું એમ આપણને લક્ષણ માલમ પડી જાય બધાં ! શું ફૂટે છે ? કોઠી ફૂટે છે કે હવઈ ફૂટે છે કે ધડાકિયો ?! પણ આપણા અક્રમ જ્ઞાનનાં આધારે મડદાલ અહંકાર છે. એટલે જ્યારે ત્યારે નીકળી જ જવાનો. ક્રમિકમાં તો જીવતો અહંકાર હોય અને અહીં અક્રમમાં મડદાલ અહંકાર, ડ્રામેટિક બધું રહ્યું. ક્રોધ-માન-માયાલોભ બધું ડ્રામેટિક રહ્યું. એ કષાય રહ્યા, એનો હવે નિકાલ લાવવાનો છે. કપટ, ચતુરાઈ બાધક મોક્ષમાર્ગમાં ! કોઈ માણસે ગાળ ભાંડી હોયને, તો એમાં ય એને કષાયો તે ઘડીએ ફરી વળે. પ્રશ્નકર્તા : આ બધું વિસ્તારથી ફોડ પાડો. આ કપટ, કષાય, અહંકાર.... દાદાશ્રી : એ બધા રસ્તામાં રોકનાર છે. પ્રશ્નકર્તા : આમાં કપટ કેવી રીતે મૂંઝવતું હોય છે ? દાદાશ્રી : કપટ બધું મીઠું લગાડે, જ્યાં ને ત્યાં ભટકાવે. પ્રશ્નકર્તા : એમાં કપટ પાછું કેવી રીતે આવ્યું? દાદાશ્રી : ક્રોધ-માન-માયા-લોભ તો ઓછું કરે. કપટ બહુ કરે. કપટ એટલે સંસારી દશા કે નહીં, સંસારીથી હીન દશા ! કપટ વગરનાં માણસો હોય, તે સરળ હોય. કપટવાળી પ્રકૃતિ મહામુશ્કેલી ઊભી કરે. પ્રશ્નકર્તા : એક માણસે ગાળ ભાંડી, એમાં કપટનું ક્યાં આવ્યું ? દાદાશ્રી : એમાં કપટ ના હોય. કપટ તો પોતાનો લાભ ઊઠાવે. ત્યારે ક્રોધ-માન-માયા-લોભ જે છે એમાં માયા એટલે કપટ. એકદમ જથ્થાબંધ થઈ ગયેલું છે કપટ, પણ હિસાબ તો બંધાયો કપટનો. બધી જગ્યાએ કપટ હિસાબ જ બંધાવે. નહીં તો કોઈ નામ ના લે. આ ‘જ્ઞાન આપ્યું છે એટલે કષાયો થાય જ નહીં. આ તો પહેલાંની ટેવ છે ને, ચાખવાની, એટલે એ બાજુ જાય છે. ના કહું તોય

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253