Book Title: Aptavani 09
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 209
________________ આપ્તવાણી-૯ ૩૬૭ આમાં જાવ.” પણ આ સત્સંગમાં ?! શું ડાહ્યા, દોઢ ડાહ્યા !! ‘ઓવરવાઈઝ' કહેવું પડે અમારે ! આ તો ‘સાયન્ટિફિક' વિજ્ઞાન છે. કેટલાક તો મને કહે છે, “કાયદા કરો, આમ કરો, તેમ કરો.” અલ્યા, કઈ જાતના માણસ છો, તે તમને આવું વિજ્ઞાન મળ્યું તોય તમે ડાહ્યા ના થયા ? કેવું વિજ્ઞાન ! સહેજે ય અથડામણ ના થાય એવું. પ્રશ્નકર્તા: કાયદાઓ કરીને જ અત્યાર સુધી લોકોને ડાહ્યા કરવાનો રસ્તો હતો. દાદાશ્રી : હા, લોકોને માટે બરોબર છે. પણ આપણે તો મોક્ષમાર્ગે જવું છે. લોકોને તો સંસારમાં ભટકવું છે, એમને કાયદો જોઈએ. બાકી, કાયદાથી તો અથડામણ થાય ને અથડામણથી પાછો સંસાર ઊભો થાય. પ્રશ્નકર્તા: મોક્ષમાર્ગે જવામાં ય કાયદા બતાવ્યા છે ? દાદાશ્રી : મોક્ષમાર્ગે જવામાં કાયદો ના હોય. અને અહીં તો કાયદો કે કશુંય નહીં, સહેજા સહેજ ! સહેજ પ્રમાણે જે બને એ ખરું. પ્રશ્નકર્તા : આપે કહ્યુંને, કે “મોક્ષ છે ત્યાં કાયદો નથી, કાયદો છે ત્યાં મોક્ષ નથી, પરમ વિનયથી મોક્ષ છે. તો પરમ વિનયમાં બધું આવી ગયું પાછું ? - દાદાશ્રી : હા, પરમ વિનયમાં બધું આવી ગયું. કાયદો કરવા જશે એટલે પછી, આ તુલસી રોપી એટલે ઊંદરડો તુલસી કાપી ગયો, માટે બિલાડીને રાખે. બિલાડીએ દૂધ બગાડ્યું માટે કૂતરાને રાખો. આનો પાર આવે ખરો ? એટલે આ ‘નો લૉ લૉનો કાયદો છે. અને આ તો ‘વિજ્ઞાન’ મૂકેલું છે. આમાં આઘુંપાછું કરવા જાય, ડખો કરવા જાય, એ જ એનું ગાંડપણ છે. એ તો “ઓવરવાઈઝ'પણું છે ! અમે તો બધું કહી દઈએ, જેમ છે તેમ. પછી જક્કે ચઢે ત્યારે અમે જાણીએ કે બહુ ભયંકર અજ્ઞાનતા છે, એ પોતાનું અહિત જ કરી રહ્યો છે. એટલે બોલીએ નહીં પછી. અમે મૌન રહીએ. જક્કે ચઢે એટલે એને ३६८ આપ્તવાણી-૯ દેખાતી જ નથી ને, મારી વાત ? દેખાય તો જક્કે ચઢે ? એટલે અહીં આગળ તો કેવું છે ? બહુ ડાહ્યા રહેવાનું. પરમ વિનય શબ્દ કહ્યો એનો અર્થ એટલો સમજી જવાનો કે વગર કામનું કશું બોલવા-ચાલવાનું નહીં. કામનું હોય તો બોલવું. પોતાનું ડહાપણ કે પોતાની અક્કલ અહીં ઉઘાડી કરવાની નહીં. તમારી અક્કલો બધી નકલ કરેલી છે, દરઅસલ નથી. એટલે લોકોનું જોઈને શીખ્યા, ચોપડીઓનું શીખ્યા ! અને પાછાં ચડસે ચઢે તે અટકતાં ય નથી. અલ્યા, ચડસે ચઢે ત્યારે તમને ખબર નથી કે આ ચડસે ચઢી રહ્યું છે ? ચડસે ચઢવું એટલે પોતાનું સ્થાન છોડીને નીચે પડવું ! પ્રશ્નકર્તા: પહેલાં તો આપ તરત ટકોર કરો કે એ પડ્યો, પડ્યો, પડ્યો ! દાદાશ્રી : તે તો અત્યારે ય કહું છું ને. પણ તે ય કોને કહેવાય પાછું ? તે અમુક જ માણસને ‘પડ્યો, પડ્યો” કહેવાય. બીજાને તો આપણે ચલાવી લેવું પડે. હજુ એનામાં શક્તિ જ આવી નથી, કશું કહે તો બિચારો જતો રહે પાછો. જેણે મારું ‘હિત-અહિત’ છે એવું જાણી લીધું હોય, એને એવું કહીએ. એટલે મજબૂત થયા પછી કહીએ. બધાને એવું ના કહેવાય. નહીં તો તરત જતાં રહે એ તો !! “આ હેંડ્યા. અમારે ઘેર વહુ છે, બા છે, બધાય છે. કંઈ કુંવારા છીએ ?” એમ કહેશે. ‘ના ભાઈ, તું પૈણેલો છે, તે બધી રીતે બરાબર છે. પણ આ અહીંથી ભટક્યો તો આ સ્ટેશન ફરી નહીં મળે, લાખો અવતાર જતાં ય.” એટલે બાળકની પેઠે સમજાવીને બેસાડવા પડે. પાછાં ગોળીઓ આપી આપીને. મેં બધાને કહ્યું છેને, કે કોણે આ સમજીને જ્ઞાન લીધું છે ? આ બધા પટાવી પટાવીને ‘આવ, આવ, આ તો આમ છે, તેમ છે !” પટાવી પટાવીને જ્ઞાન આપ્યું છે. એની પકડ તા હોય ! હવે બહાર બીજો કોઈ વાત કરતો હોય, તો “આપણું સાચું છે, આ અમે પકડ્યું છે સાચું છે એટલું માણસમાં રહે. આ ‘જ્ઞાન’ મળ્યા પછી યે એવું રહે તો એને ભગવાને અહંકાર કહ્યો. આ અહંકાર કાઢવો પડશે.

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253