Book Title: Aptavani 09
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 225
________________ આપ્તવાણી આપ્તવાણી-૯ ૩૯૯ પ્રશ્નકર્તા : પણ એ જોખમ, જબરજસ્ત જોખમ છે, મોક્ષમાર્ગને માટે, દાદાશ્રી : જોખમ, આત્મઘાતી !! કોઈ એવું કહે ત્યારે કહેવું, ‘ભઈ, મારી વાત તો હું જ જાણું છું, તમને શું ખબર પડે ?’ એટલે પછી એ ટાઢો થઈ જાય. આપણે કંઈ ગુરુ થઈ બેસવું છે ? પ્રશ્નકર્તા : દાદા, છૂટવા જેવું છે. આમાંથી. દાદાશ્રી : બહુ મોટી ફસામણ ! અને છતાંય પેલું ઉદય આવે તો લોકોને “હેલ્પ’ કરવી, એ તો આપણું કામ છે. પણ ઉદય આવેલું હોવું જોઈએ. ગુરુ થઈ બેસવામાં ફાયદો નહીં, ઉદય આવેલું હોવું જોઈએ. એની મેળે જ ઉદય આવે. જે “સીટ’ ના જોઈતી હોય તે ‘સીટ’ પર જ બેસવું પડે, તો વાત જુદી છે. એટલે એને માટે આકાંક્ષા નહીં રાખવી ! પોતાના પેપરમાં પોતે જ માર્ક મૂકે, તો કોઈ નાપાસ થાય ? પ્રશ્નકર્તા : કોઈ ના થાય. દાદાશ્રી : પોતે પેપર તપાસે, પોતે માર્ક મૂકે ને પોતે નાપાસ થાય તો હું જાણું કે ‘જજમેન્ટ' છે. પણ એવું હોય નહીં ને ? પ્રશ્નકર્તા : આ તો પાછો પોતે બહાર નમ્ર દેખાવાની પણ મહેનત કરતો હોય. દાદાશ્રી : તેથી આપઘાત કર્યું ને ! એ આપઘાત લાવે. આપણે તો એટલું જોવાનું કે લોકો આકર્ષાય છે ? ના, નથી આકર્ષાતા. તો ઘણો રોગ છે હજુ. આકર્ષણ એટલે ચોખ્ખું જ ! ચોખ્ખું થવા માંડ્યું કે આકર્ષાય. પ્રશ્નકર્તા નહીં દાદાજી, લોકો તો આકર્ષાય. થોડા વખત માટે તો આકર્ષાય ને ? દાદાશ્રી : ના. એ જરાય નહીં ને ! ઊભું જ ના રહે ને કોઈ ! પહેલે જ દહાડે ઊડી જાય બલ્બ ! એક-બે દહાડા માટે નભાવી લે લોકો, પછી નભાવે નહીં. આ તો ‘જ્ઞાની પુરુષ' છે, તો આપણને દોષની ખબર પડે. નહીં તો એને પોતાને ખબર જ શું પડે ? ચાલી સ્ટીમર કોચીન ભણી ! હોકાયંત્ર બગડી ગયું છે, એટલે કોચીન ચાલી ! દક્ષિણને જ એ હોકાયંત્ર ઉત્તર દેખાડે ! નહીં તો હોકાયંત્ર હંમેશા ઉત્તરમાં જ લઈ જાય, એ એનો સ્વભાવ ! હોકાયંત્ર બગડી જાય પછી ક્યા કરે ? અને પોતાને ધ્રુવના તારા જોતાં આવડતા નથી ! આ બધાં ભય સિગ્નલો જાણવા જ પડશે ને ? એમ ને એમ તે કંઈ ચાલતું હશે ? પ્રશ્નકર્તા : ના, મોટામાં મોટાં જોખમ છે આ તો. દાદાશ્રી : આપઘાતી તત્ત્વ કહેવાય. પ્રશ્નકર્તા : અને પાછું એ આગળ વધવા પણ ના દે, બીજું નવું જ્ઞાન ઉત્પન્ન થવા પણ ના દે. દાદાશ્રી : થવા જ ના દે ને ! બધું આપઘાત કરી નાખે ને ! જે છે ને, તેને પાછું પાડ પાડ કરે. પ્રશ્નકર્તા : ખૂબી એ છે કે આપના શબ્દો જે નીકળે છે, તે એકઝેક્ટ’ ‘એને મહીં અડે છે, એ રોગ ઉખડે છે, દ્રષ્ટિ ફેરવે છે, ને અંદર ‘એક્કેક્ટ’ ક્રિયાકારી થતું દેખાય, બહુ વૈજ્ઞાનિક લાગે બધું ! - દાદાશ્રી : વાત બધી વૈજ્ઞાનિક હોય તો જ લોકોને નિવેડો આવે ને, નહીં તો નિવેડો જ ના આવે ને ! ‘‘મારગ સાચા મિલ ગયા, છૂટ ગયા સંદેહ.” સંદેહ છૂટી ગયા, સાચો માર્ગ તો મળી ગયો. ભૂલા પડ્યા હશે તો ફરી એક માઈલ ચાલવું પડશે. બીજું શું કરવું પડશે ? પણ જેને જવું છે તેને જડી આવશે. ‘દાદા'ને પૂછવું કે ભૂલા પડ્યા છે કે સાચે રસ્તે છે ? એટલું પૂછવું. ‘મારું જ્ઞાન કેવું છે” એવું ના પૂછવું. ‘ભૂલો પડેલો છું કે સાચા રસ્તે છું ?” એટલું જ પૂછવું. દાદા કહે, ‘બરોબર છે રસ્તો” ત્યારે પછી ચાલ્યા જવું.

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253