Book Title: Aptavani 09
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 212
________________ આપ્તવાણી-૯ ૩૭૩ ખાઈ આવે. આ “જ્ઞાન” જ એવું છે કે કપટ રહે જ નહીં, કોઈ પણ માણસને. પ્રશ્નકર્તા : આ કપટ જાગૃતિ નથી રહેવા દેતું ? દાદાશ્રી : જાગૃતિ તો ક્રોધ-માન-માયા-લોભેય ના રહેવા દે, કપટ તો બેભાન કરી નાખે. પોતાને ય ખબર ના પડે કે શું કપટ થયું છે. પોતાને ખબર ના પડવા દે કે હું કપટ કરી રહ્યો છું !! ક્રોધ-માન-માયાલોભની વખતે તો ભાન આવે ય ખરું. આ કપટ તો બહુ ગૂઢ હોય. એમાં કરનારને ય ખબર ના પડે. પ્રશ્નકર્તા : એમાં કરનારને ખબર ના પડે, તો એ ઓળખે શી રીતે ? કપટ કરનારને પોતાને જ ખબર ના પડે એ દોષ કાઢે કઈ રીતે ? દાદાશ્રી : એને પોતાને નહીં, બધાને ! કપટ થાય તેની ખબર જ ના પડે. પ્રશ્નકર્તા : એ કપટવાળા દોષો કાઢે શી રીતે ? દાદાશ્રી : મુશ્કેલી છે. પ્રશ્નકર્તા : એ કપટનું સ્વરૂપ ઓળખવું કઈ રીતે ? દાદાશ્રી : કપટનું સ્વરૂપ તો સંસારના પોતાના લાભો ઊઠાવવા માટે બીજાઓને પોતાના અભિપ્રાયે ખેંચવા, બીજાને પોતાના અભિપ્રાયમાં લઈ લેવા, વિશ્વાસમાં લેવા ! એ કરનારને ય ખબર ના હોય કે આ હું ખોટું કરી રહ્યો છું. એવી ખબર જ ના હોય. પ્રશ્નકર્તા : સંસારી લાભમાં શું સમાય ? એટલે મુખ્યપણે મોક્ષનો ધ્યેય હોય એ સિવાયનું ગણાયને ? દાદાશ્રી : મોક્ષનો ધ્યેય તો આ “જ્ઞાન” પછી હોય જ. પણ આ લત પડેલી જાય નહીં, આદત પડેલી જાય જ નહીં. પોતાને ખબર જ ના પડે ને ! પોતાને ખબર જ ના હોય. લોભે ય ખબર ના પડે. કોઈ લોભિયાને ‘પોતે લોભી છે” એવી ખબર ના પડે. ફક્ત માન અને ક્રોધ, ૩૭૪ આપ્તવાણી-૯ બે ભોળા એટલે ખબર પડી જાય. માયાની કંઈ ખબર પડે નહીં, લોભની ખબર પડે નહીં. પ્રશ્નકર્તા : એટલે કપટ ઘણું કરીને આ સંસારી લાભ માટે.... દાદાશ્રી : કપટ તો બહુ વસમું. મોટામાં મોટી કડાકૂટ હોય તો આ કપટ. હવે એ એમ ને એમ છૂટે ક્યારે ? કે સંસારી લાભ ઉઠાવવાનો છૂટે, તો ! એને તો તો મોક્ષ જ છે ને ! પ્રશ્નકર્તા : જાગૃતિ એને જ કીધીને ? દાદાશ્રી : જાગૃતિ નહીં, આ ઉપાય બતાવ્યો. પ્રશ્નકર્તા : આ સાંસારિક હિત છે ને આ આત્મિક હિત છે એવું રહે એને જાગૃતિ કીધીને ? - દાદાશ્રી : એ તો જાગૃતિ કહેવાય. પણ જાગૃતિ જ ના રહે, બિલકુલ જાગૃતિ ના રહેને ! જાગૃતિ ના હોય તો જ કપટ ફરી વળે ને ! નહીં તો ય પેલી લત તો છૂટવી જોઈએ ને ! લત ! સાંસારિક સુખો ભોગવવાની જે લત પડી ને ! પ્રશ્નકર્તા : લત આખી ફેરવવી પડેને ? એ લત પાછી ફરે કઈ રીતે ? દાદાશ્રી : લત પડેલી જ છે. અત્યારે નિવેડો લાવવાનો છે. પ્રશ્નકર્તા: કેવી રીતે ? દાદાશ્રી : એ લત તો, આપણે “કંઈ જ જોઈતું નથી, મને સુખ મળે છે' કહ્યું કે તે લત તરત છૂટવા માંડે. કંઈ જ જોઈતું નથી’ નક્કી કરેને, ત્યારથી લત ફરશે. પ્રશ્નકર્તા : સાંસારિક લાભમાં શું શું વસ્તુ સમાય છે ? દાદાશ્રી : બધી વસ્તુઓ ! એ ગાડીમાં બેસતો હોય તો યે ડખો કરે, બસમાં બેઠો હોય ત્યાં ય ડખો, જ્યાં જુઓ ત્યાં ડખો કરે.

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253