Book Title: Aptavani 02
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 195
________________ આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન ૩૫૫ ૩૫૬ આપ્તવાણી-૨ સોરી એટલે પ્રતિક્રમણ ? પ્રશ્નકર્તા: “થેન્ક યુ’ અને સોરી’ શબ્દ, એ પ્રતિક્રમણ જેવા છે દાદાશ્રી : ના, આ ભેંસ ખુશ થઇને માથું હલાવે એ જેવું ગણાય. એ વાત એમની માટે, ફોરેનર્સ માટે બરોબર છે. પણ આ પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન માટે કોઇ જોટો મળે એવા શબ્દો નથી. છતાંય સોરી એમ બોલીએ છીએ, એ વ્યવહારમાં બોલીએ છીએ. જેનો નિશદિન ઉપયોગ આત્મામાં જ હોય તે સત્પુરુષ; પણ આ તો કોઇનો તપમાં ઉપયોગ, કોઇની પ્રતિક્રમણમાં ઉપયોગ હોય. ભગવાને શું કહેલું કે, “પ્રતિક્રમણ તો પોતાની ભાષામાં કરજે,એ તને આગળનો માર્ગ બતાવશે.’ આ તો પ્રતિક્રમણનો અર્થ કેવો કરે છે ? આ સાંતાક્રુઝનું બોર્ડ મારેલું હોય, અને એ રસ્તે જવાનું હોય; પણ આ તો ત્યાં દાદરમાં જ બેસી ને ‘વે ટુ સાંતાક્રઝ, વે ટૂ સાન્તાક્રુઝ’ એમ ગાયા કરે છે; તો સાંતાક્રુઝ જવાનું તો બાજુએ રડાં, પણ પોતે ‘સાંતાક્રુઝ જવાનો પ્રયત્ન કરે છે.' એનો કેફ પાછો ચઢે છે ! અનંત અવતારથી જીવ પ્રતિક્રમણને સમજ્યો જ નથી, પાછળ વળીને જોયું જ નથી અને મહાવીર ભગવાનનાં પ્રતિક્રમણો સમજ્યા વગર ગા ગા કરે છે, રૂઢિ પડી ગઇ છે ! પ્રતિક્રમણ એટલે ડાધ કાઢવો તે. જેને ડાઘ પડતો નથી તેને પ્રતિક્રમણની જરૂર નથી, ‘જ્ઞાની પુરુષ'ને પ્રતિક્રમણની જરૂર નથી. આ બધાં ચાનો ડાઘ પડે કે તરત જ ધોઇ આવે, ત્યાં જરાય કાચો ના પડે; ત્યાં આગળ જ્ઞાની જરા કાચા પડી જાય, પણ ત્યારે જ્ઞાની મહીંના ડાઘ સામે કાચા ના હોય ! ‘જ્ઞાની પુરુષ'ને ડાઘ જ ના પડે, કારણ કે પોતે ગાઇને ગવડાવે; જ્યારે બીજા તો ગવડાવે, પણ પોતે ગાય નહીં, તેનો ડાધ પડી જાય ! આ ચાનો ડાઘ પડે ને જો જાણે નહીં કે શેનાથી ધોવાય, તો શું થાય ? દુધમાં બોળે તો દૂધનો ડાઘ પડે ને ફરી તેલમાં બોળીને કાઢવા જાય તો તે ડાધ પાકો થઇ જાય ! બહારનાં બધાં લોક અત્યારે પ્રતિક્રમણ કેવું કરે છે ? દ્રવ્ય આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરે છે; ભાવ આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન તો કોઇ કરતું જ નથી ! હા, ચાનો ડાઘ પડે છે ત્યાં ભાવ પ્રતિક્રમણ કરે છે ખરાં! પ્રતિક્રમણ તો ડાધ પડે કે તરત જ પોતે ધોઇ નાખે, ત્યારે કર્યું કહેવાય! આ તો મહીંનો ડાઘ ત્યારે ના કાઢે; એ ડાઘને પાકો થવા દે. પછી ધોવા જાય ત્યારે ડાઘ શું તમારી રાહ જોઇને બેસી રહે ? ના, એ તો ડાઘ પડી જ જાય ! કોઇને ઊંચે સાદે બોલ્યા ને એનાથી સામાવાળાને દુઃખ થાય તો મહીં પ્રતિક્રમણ કરી લેવું પડે, કારણ કે આ અતિક્રમણ થયું, તે અતિક્રમણનું પ્રતિક્રમણ કરવું પડે. પ્રતિક્રમણની યથાર્થ વિધિ પ્રશ્નકર્તા : પ્રતિક્રમણમાં શું કરવાનું ? દાદાશ્રી : મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, ચંદુલાલ તથા ચંદુલાલના નામની સર્વ માયાથી નોખા એવા ‘શુદ્ધાત્મા’ને સંભારીને કહેવું કે, “હે શુદ્ધાત્મા ભગવાન ! મારાથી ઊંચે સાદે બોલાયું તે ભૂલ થઇ, માટે તેની માફી માગું છું, અને તે ભૂલ હવે ફરી નહીં કરું એ નિત્ય કરું છું. તે ભૂલ ફરી નહીં કરવાની શક્તિ આપો.’ ‘શુદ્ધાત્મા’ને સંભાર્યા અથવા ‘દાદા'ને સંભાર્યા ને કદાં કે, “આ ભૂલ થઇ ગઇ'; એટલે અતિક્રમણતાં ડાઘ, કાઢે પ્રતિક્રમણ દાદાશ્રી : આ ચાનો ડાઘ તમારાં કપડાં ઉપર પડે તો તમે શું કરો છો ? પ્રશ્નકર્તા: તરત જ ધોઇ નાખું છું. દાદાશ્રી : ત્યાં તમે કેવા ચોક્કસ રહો છો ? કારણ કે તમને થાય છે કે ડાઘ રહી જશે, માટે તરત જ ત્યાં રોકડું ધોઇ નાખો છો; પણ “મહીં? ડાઘ પડે છે તેની ખબર જ નથી ! અતિક્રમણ એટલે ડાધ પડવો તે અને

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249