Book Title: Aptavani 02
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 197
________________ યોગેશ્વર શ્રીકૃષ્ણ ૩૫૯ ૩૬૦ આપ્તવાણી-૨ શ્રીકૃષ્ણની આજ્ઞા કૃષ્ણ ભગવાન કહે છે : જીવ તું શીદને શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.” ત્યારે આ વૈષ્ણવો શું કહે છે ? વૈષ્ણવો કહે છે કે, “કૃષ્ણ ભગવાન તો એમ કહે, પણ ચિંતા કર્યા વગર ઓછું આપણું કામ ચાલવાનું છે ? ચિંતા તો કરવી જ પડે ને ?” લે, આ મોટા બહુ ચલાવવાવાળા નીકળી પડ્યા ! આપણી દાનત ચોખ્ખી હોય, કૃષ્ણના સાચા ભક્ત હોઇએ તો પછી ચિંતા શાની થાય ? કૃષ્ણને આપણે ચોખ્ખું ચોખ્ખું કહેવામાં શો વાંધો છે ? સાચી ભાવનાવાળો તો ભગવાનને પણ ગાળો દઇ શકે. ભગવાનને કોણ ગાળ દઇ શકે ? જે સાચો પુરુષ હોય તે જ ભગવાનને ગાળ દઇ શકે ! આમાં ડરવાની ક્યાં વાત છે ? ભગવાનને કહેવાય કે, “અમારે ચિંતા નથી કરવી, અમારી મરજી બિલકુલ તમારી આજ્ઞામાં જ રહેવાની છે, છતાં પણ ચિંતા થઇ જાય છે, તો અમે શું કરીએ ? અમે તો તમારા શરણમાં રહીએ છીએ અને તમને ગાળ પણ આપીશું.' - કૃષ્ણ તો કેટલું કેટલું કહી ગયા કે, “પ્રાપ્તને ભોગવ, અપ્રાપ્તની ચિંતા ના કરીશ.” અત્યારે આ જમવાનો થાળ સામે આવ્યો છે, એ પ્રાપ્ત સંયોગ છે, ત્યારે એને નહીં ભોગવતાં શેઠ ગયા હોય કારખાનામાં ને અહીં માત્ર ધોકડું જ ખાતું હોય ! હવે આને કૃષ્ણ પણ શું કરે ? કૃષ્ણ કહે છે કે, “એક બાજુ મને હિંડોળે બેસાડે છે ને બીજી બાજુ મારી જીભ ઉપર પગ મૂકે છે આ બધા વૈષ્ણવો ! મારો એક શબ્દ પાળતા નથી.” તમને કેમ લાગે છે ? મારી વાત બરોબર છે ને ? તમે જ કહો કે ચિંતા કરો છો કે નથી કરતા ? આવું અમે એક જણને શીખવાડેલું, તે ભઇ તો પાકો નીકળ્યો. આઠ દહાડા આવું રોજ કર્યું ને નવમે દિવસે આવીને કહેવા લાગ્યો કે, ‘દાદા, મારી પર ભગવાન પ્રસન્ન થયા, મને એક પણ ચિંતા થઇ નથી.’ ‘જ્ઞાની પુરુષ’નાં વચનમાં વચનબળ હોય, તે જો પાળે તો તો તેનું કામ જ થઇ જાય. એક બહેન ઔરંગાબાદમાં આવેલાં, તેમણે અમારાં દર્શન કર્યા, બે મિનિટ ‘શ્રીકૃષ્ણ શરણં મમ” બોલ્યાં ને તરત જ તેમને સાક્ષાત્ કૃષ્ણ ભગવાનનાં દર્શન થયાં ! પ્રશ્નકર્તા : ચિંતા તો રાતદહાડો કરીએ છીએ, પણ અમારે ચિંતા નથી કરવી છતાં થઈ જાય છે, તો પછી શો ઉપાય કરવો ? દાદાશ્રી : આમાં કૃષ્ણની આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે, પણ જોડે જોડે એની દવા પણ હોય. તમારે રોજ સવારમાં પાંચ વખત કૃષ્ણ ભગવાનના ફોટા આગળ બે હાથ જોડીને કહેવું કે, “હે ભગવાન, તમે કદાં છે કે એક પણ ચિંતા તું ના કરીશ. કારણ કે કરવું-કરાવવું બધું આપના હાથમાં છે, છતાં મારાથી ચિંતા થઇ જાય છે તો શું કરવું ? મારી તો દ્રઢ ઇચ્છા છે. કે એક પણ ચિંતા ના કરાય. માટે હે ભગવાન, એવી કંઇક કૃપા કરો, એવી શક્તિ આપો કે ચિંતા ફરીથી ના થાય.’ આમ છતાંય જો ફરી ચિંતા થાય તો ફરીથી ભગવાનને આમ વિનંતિ કરજો. આમ ર્યે જ જાવ, પછી કશી જ ચિંતા નહીં થાય, આ આપણે કૃષ્ણને દોરડું બાંધ્યું! અને જાવ, અમને યાદ કરીને, અમારું નામ દઇને કૃષ્ણ ભગવાનને રોજ સવારમાં પાંચ વખત કહેજો, પછી જો ચિંતા થાય તો અમારી પાસે આવજો. જો કૃષ્ણને ગોપીભાવે ભજજો, પણ કેમનો ગોપીભાવ રહે ? કૃષ્ણને ઓળખ્યા વગર ગોપીય શાની થવાય ને ભાવેય શાનો આવે ? કૃષ્ણ ભગવાનનાં બે સ્વરૂપ : એક બાળ સ્વરૂપ અને બીજું યોગેશ્વર સ્વરૂપ. યોગેશ્વર કૃષ્ણને કોઇ ઓળખે જ નહીં, એટલે બાળકૃષ્ણની ભક્તિમાં લોક પડ્યા. તેમાં પરસાદ, રમકડાં. ઘોડિયું-પારણું હોય, પણ તેથી કંઇ વળે? પુષ્ટિધર્મ તે બાળમંદિર કહેવાય, આ તો બાલ કૃષ્ણનો ધર્મ, ખરો ધર્મ તો યોગેશ્વર કૃષ્ણનો છે. બાલકૃષ્ણ ધર્મ એ તો બાળમંદિર છે, એમાં જયાં સુધી સ્લેટની લંબાઇ પહોંચે ત્યાં સુધી એકથી દસ સુધી લખવાનું. ધર્મ તો યોગેશ્વર કૃષ્ણનો જોઇએ. યોગેશ્વર કૃષ્ણનો ધર્મ એ જ્ઞાનમંદિર કહેવાય. મોક્ષ માટે યોગેશ્વરને ભજો ને સંસારમાં રહેવું હોય તો બાળકૃષ્ણને ભજો. કૃષ્ણ તો નરમાંથી નારાયણ થયેલા, જ્ઞાની હતા. એટલે હવે મંદિરમાં ક્યાં ભગવાન રજા છે ? અગાઉ દસ હજાર વર્ષ ઉપર એક પુસ્તકમાં લખાયું છે કે કળિયુગમાં ભગવાન પેદા થશે, તે અનંત જાતની અનંત કળાઓવાળા

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249