Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 67
________________ આવવામાં વિલંબ થયો. એ સમયે આનંદઘનજીને કોઈએ કહ્યું કે હજી શેઠ પૂજા કરતા હોવાથી વાર થશે, માટે થોડી વાર પછી વ્યાખ્યાનનો પ્રારંભ કરો. પણ આનંદઘનજીએ નિશ્ચિત સમયે પોતાના વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો. શેઠ પા કલાક મોડા આવ્યા. પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો અખંડ સાંભળવાની ઇચ્છા હોવાથી એમના ચિત્તમાં ગ્લાનિ થઈ. વ્યાખ્યાન પૂર્ણ થયા બાદ આનંદઘનને શેઠે કહ્યું, ‘સેવક પર જરા દયા કરીને થોડો સમય વ્યાખ્યાન થોભાવવું હતું ને !' આનંદઘનજીએ કશો ઉત્તર આપ્યો નહીં. શેઠે પુનઃ એ વાત કરતાં કહ્યું, “સાહેબ, હું કપડાં વહોરાવું છું, આહાર વહોરાવું છું, આટઆટલી વૈયાવચ્ચ કરું છું એ તો ધ્યાનમાં રાખવું હતું ને ! થોડું થોભવામાં શું જાય ?" મસ્તયોગી આનંદઘનજીએ કહ્યું, “ભાઈ, આહાર તો ખાઈ ગયા અને લે આ તારાં કપડાં.” એમ કહી કપડાં ઉતારી નાખી જંગલમાં ચાલ્યા ગયા. તે શેઠનો ઉપાશ્રય છોડી દીધો અને ત્યાં આ પદની રચના કરી. પદના પ્રારંભે પારકી આશા એ મોટું દુઃખ છે અને નિસ્પૃહીપણું એ મોટું સુખ છે એમ કવિ કહે છે, ‘આશા ઓઠા કરી ઊમા ને માદા યુવાન ચીજ લો દબાવી, * આમ અડાલન થટેકથીમા, મંદા . અત્યારે ૧ પારકાની આશા કરવાને બદલે જ્ઞાનામૃત રસનું પાન કરવું. આશાવશે શ્વાન લોકોને બારણે બારણે ભટકે છે જ્યારે આત્માનુભવના રસમાં રત જીવોનો કેફ કદી ઊતરતો જ નથી. હકીકતમાં પ્રચલિત કિંવદંતી સાથે આ પદ સંબંધ ધરાવતું નથી. અહીં ભૌતિક સુખ કરતા બ્રહ્માનંદના અક્ષયરસના આચમનનું આલેખન કર્યું છે. આનંદઘનની આત્મમસ્તી તો જુઓ – ‘દાળા ખાવાય ત્યપાલા, ન ાિ જી. દા બ્રાી અગાઈની ૫, નાખે અદત્ર લાતી. ૩૩ શરીરરૂપી ભઠ્ઠીમાં શુદ્ધસ્વરૂપ અગ્નિ પ્રજ્વલિત કરીને અનુભવરસમાં પ્રેમરૂપ મસાલો નાખી તેને મનરૂપ પ્યાલામાં ઉકાળીને તેનું સત્ત્વ પીએ છે ત્યારે અનુભવની લાલી પ્રગટ થાય છે. આવી અનુભવલાલી પ્રગટ થાય ત્યારે આત્મરમણમાં પરાકાષ્ઠા પામતો આનંદ છલકાઈ ઊઠે છે . ચોતરફ આનંદની રેલમછેલનો અનુભવ થાય છે. કર્મમળથી રહિત થયેલી સિદ્ધ આત્મદશા એ આ આનંદની પરાકાષ્ઠા છે. ‘આનંદઘન’ ઉપનામ મહાયોગી આનંદઘન 134 જ એમના જીવનનું સાધ્ય દર્શાવે છે. એવું સાધ્ય સાંપડે ત્યારે કેવો અનુભવ થાય ? કવિ કહે છે, તકાદા બાદ ઘી, ગોદા ખાટા-ઘડા, ભાર નદી ઘડી, LTT IE . HIT ઞદો ઘડા, ના, ના, વાL 101 ગાદો ઘડા, ાન ગાદી દા પાન આ ઘડા, લોન આા થયા. બાબુ મીઠાઘડા, પ્રાણ બાદ યદા, घास आत्या, खाज आहाँ पहा. ૨૪ આનંદઘન સ્તવનોમાં પ્રારંભે જૈન તીર્થંકરોનો નામોલ્લેખ કરે છે, પરંતુ એ પછીનું એમનું નિરૂપણ અધ્યાત્મ-અનુભવની પ્રક્રિયાનો આલેખ બની રહે છે. સાંપ્રદાયિક સીમાઓને ઓળંગીને આનંદઘને જૈન પરંપરામાં આગવી ભાત ઉપસાવી છે અને તેથી જ એમના જૈન ધર્મના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ કે તે પછી જૈન તીર્થંકર વિશે જે પદો મળે છે તેમાં પણ એમની એ જ વ્યાપક દૃષ્ટિ પ્રતીત થાય છે. તેઓ પાર્શ્વનાથની એ મહત્તા આંકે છે કે જેમણે કામદેવને ક્ષણવારમાં જીતી લીધો હતો તેમજ દુનિયા અને દેવોને ગૂંચવી નાખનાર કામદેવ પર વિજય પ્રાપ્ત કરનારી અલૌકિક હિંમત બતાવી હતી.પ કર આનંદઘનની વ્યાપકતાનો માર્મિક અનુભવ તો એમના અત્યંત પ્રખ્યાત ‘રામ કહો, રહેમાન કહો' પદમાં પ્રતીત થાય છે. આ પદમાં કવિની એક વિશિષ્ટ દૃષ્ટિનો પરિચય થાય છે. ઈશ્વરના નામને બદલે એ સહુમાં રહેલા સર્વવ્યાપક તત્ત્વ પર એમની નજર રહેલી છે. વાસણ જુદાં જુદાં હોય, પણ માટી એક હોય છે. કવિ કહે છે, નામ ને માદા ને તો Ansત 11 if બા, 135 ઠા ને બતાવી. લ બ સત્યેન એક આનો અર્થ એ કે આપણે પરમાત્મસ્વરૂપ છીએ, બ્રહ્મસ્વરૂપ છીએ, અનંત ગુણશક્તિ ધરાવનાર છીએ. એ સત્ય આપણને પ્રાપ્ત થાય તો પછી ઈશ્વરના નામની તકરાર કરવાનો કોઈ અર્થ નથી. જે નિજ સ્વરૂપમાં રમણ કરે તે રામ, બીજા પર રહમ કરે તે રહેમાન, કર્મોને ખેંચી કાઢે તે કહાન (શ્રીકૃષ્ણ) અને મહાદેવ એટલે સાક્ષાત નિર્વાણ. આ નિર્વાણ એટલે શુદ્ધ દશાનો સાક્ષાત્કાર. પરભાવ રમણતાનો સર્વથા ત્યાગ અને અનંત આનંદમાં લીનતા. એ જ રીતે જે પોતાના સ્વરૂપને સ્પર્શે આનંદઘનનો પદવૈભવ

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101