Book Title: Agam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदंसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
૧૪-જીવાભિગમ-ઉપાંગણ-3/3
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
લભ-૧૯)
૦ આ ભાગમાં આગમ-૧૪-જીવાજીવાભિગમ સૂઝ, જે બીજુ ઉપાંગ સૂગ છે, તે ચાલુ જ છે. આ આગમનું નામ પ્રાકૃત અને સંસ્કૃત બંને ભાષામાં ખાવા ખીforTE છે. તે વ્યવહારમાં ‘જીવાભિગમ’ એવા નામે પ્રસિદ્ધ છે, સાક્ષી પાઠોમાં પણ જ્યાં
જ્યાં આ સૂત્રની સાક્ષી અપાય છે, ત્યાં-ત્યાં નાવ નવજાને એમ લખે છે, પણ નાવ નવા નવા અને એવું સાક્ષીપાઠમાં લખતા નથી.
આ જીવાખવાભિગમ સૂણ અમે ત્રણ ભાગમાં છૂટું પાડેલ છે. પહેલી ‘ffથયા' પ્રતિપત્તિ, ભાગ-૧૩માં મૂકેલ છે. બીજી ‘ત્રિવિધા'' અને પ્રતિપતિ-3- ચતુષા માં સૂત્ર-૧૮૪ સુધી અમે ભાગ-૧૮-માં મૂકેલ છે. પ્રતિપતિ-3-ના સૂત્ર-૧૮૫થી પ્રતિપતિ૯ તથા જળનવાપરવર સુધીનું બાકીનું ઉપાંગ આ ભાગ-૧માં આપેલ છે.
[o પ્રતિપત્તિ-3- ‘‘સુષિT '' અંતર્ગત “દ્વીપ સમુદ્ર” અધિકાર ચાલુ છે. જેમાં સૂક્ષ્મ ૧૮૪ સુflી ભાગ-૧૮-માં લખ્યા છે. અહીં સુઝ-૧૮૫ - “જંબુદ્વીપ” નામ કેમ છે ? ત્યાંથી આરંભીએ છીએ ને
• સૂત્ર-૧૮૫ :
હે ભગવાન ! જંભૂદ્વીપ, જંબૂદ્વીપ કેમ કહેવાય છે? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે, નીલવંતની દક્ષિણે માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, ગંધમાદન વક્ષાર પર્વતની પૂર્વે ઉત્તરકુરા નામે કુરા ક્ષેત્ર છે. તે પૂર્વપશ્ચિમ લાંબુ અને ઉત્તર-દક્ષિણ પહોળું અદ્ધ ચંદ્ર સંસ્થાન સંસ્થિત, વિદ્ધભથી ૧૧,૮૪-૧૯ યોજન છે. તેની જીવા પૂર્વ-પશ્ચિમ બે વક્ષસ્કાર પર્વતોને સ્પર્શી છે. પૂર્વ દિશાની કોટીથી પૂર્વના તક્ષકાર પર્વતને અને પશ્ચિમની કોટીથી પશ્ચિમના વાકારને સ્પર્શે છે. આ જીવા પs,ooo યોજન લાંબી, તેનું ધનુપૃષ્ઠ દક્ષિણમાં ૬૦,૪૧૮-૧૯ યોજન છે. આ ધનુષ્ઠ પરિધિ રૂપ છે.
ભગવદ્ / ઉત્તરકુરાનો આકારભાવ-પ્રત્યાવતાર કેવો કહો છે ગૌતમ! બહુસમમણીય ભૂમિભાગ કહ્યો છે. જેમ કોઈ આલિંગપુષ્કર યાવતું બધું વનિ એકોક દ્વીપની વકતવ્યતા મુજબ ચાવતું દેવલોકે ઉત્પન્ન થનાર છે મનુષ્યગણા કહેલો છે, હે આયુષ્યમાન શ્રમણ ! માત્ર એટલી વિશેષતા છે કે – ૬ooo ધનુષ ઊંચાઈ, ૫૬ પાંસળીઓ, ત્રણ દિવસ પછી આહારેચ્છા ઉતપન્ન થાય. જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન-દેશોન ત્રણ પલ્યોપમની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ છે. તેઓ ૪૯-દિવસ સંતાનની અનુપાલના કરે છે. બાકી એકોસુકવતુ જાણવું. - ઉત્તરકુરા કુરામાં છ પ્રકારના મનુષ્યો ઉત્પન્ન થાય છે. - પદ્મગંધી, મૃગાંધી. અમમ, સહ, તેયાલીસ, શનૈશારી.
• વિવેચન-૧૮૫ -
કયા કારણે ભદંત ! જંબૂદ્વીપને જંબૂદ્વીપ કહે છે ? ભગવંતે કહ્યું - જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, ગંધમાદન વણાકાર પર્વતની પૂર્વમાં, માલ્યવંત વાકાર પર્વતની પશ્ચિમમાં, આ પ્રદેશમાં ઉત્તરકુર નામે કુરુ કહેલ છે. તે કેવો ? તે કહે છે –
પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, અદ્ધ ચંદ્ર સંસ્થાન સંસ્થિત, ૧૧,૮૪૨+ ૨૧૬ યોજન દક્ષિણ-ઉત્તર વિસ્તારથી છે. તે આ રીતે - મહાવિદેહમાં મેરુની ઉત્તરે
જીવાજીવાભિગમ સત્ર મુખ્યત્વે દ્રવ્યાનુયોગ પ્રધાન છે. તેમાં અધ્યયન સ્વરૂપ નવ પ્રતિપતિ છે અને તે સર્વજીવ પ્રતિપત્તિ છે. જેમાં કોઈકમાં ઉદ્દેશા પણ છે. માળીવ માં નવ પેટા પ્રતિપતિઓ છે. આ ઉપાંગસૂત્રના મૂળ સૂત્રોના સંપૂર્ણ અનુવાદ સાથે અમે “મલયગિરિ" કૃત ટીકાનો અનુવાદ અહીં લીધેલો છે, આ ઉપાંગની ચૂર્ણિનો પણ ઉલ્લેખ જોવા મળે છે, પણ તે મુદ્રિત થયાનું અમારી જાણમાં નથી. જીવાજીવાભિગમ-લઘુવૃત્તિનો ઉલ્લેખ પણ છે.
આ આગમ પછીના ઉપાંગ-૪-પ્રજ્ઞાપના સાથે ઘણું સંકડાયેલ છે. અનેક સ્થાને મૂળમાં તથા મલયગિરિસ્કૃત વૃત્તિમાં પ્રજ્ઞાપના સૂત્રની સાક્ષી જોવા મળે છે. બંને ઉપાંગસૂત્રોને સંકલિત સ્વરૂપે પઠન-પાઠન કરતાં પદાર્થનું વિસ્તૃત સ્વરૂપ જાણી શકાય છે. અનુક્રમે કાન અને સમવાય ના ઉપાંગરૂપ આ બંને ઉપાંગો છે. [19/2]