Book Title: Agam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૬/-/૫૭૩ થી ૫૭૫
મહાહૈમવત, ધૈર્ય, નિષધ, રુચક-ફૂટ. (૫) બૃદ્ધીપના મેરુની ઉત્તરે છ ફૂટો કહ્યા છે - નીલવંતકૂટ, ઉપદર્શનકૂટ, રુકિમકૂટ, મણિકચનકૂટ, શિખરિકૂટ, તિગિચ્છિકૂટ...
(૬) જંબૂદ્વીપમાં છ મહાદ્રહો કહ્યા છે - પદ્મદ્રહ, મહાપદ્મદ્રહ, તિગિછિદ્રહ, કેસરીદ્રહ, મહાŪડકિદ્રહ, પુંડરીકદ્રહ... (૭) ત્યાં છ દેવીઓ મહર્ષિક યાવત્ પલ્યોપમ સ્થિતિક છે. તે આ - શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી... (૮) જંબૂઢીપના મેરુની દક્ષિણે છ મહાનદીઓ કહી છે - ગંગા, સિંધુ, રોહિતા, રોહિતાંશા, હરી, હરીકાંતા... (૯) જંબૂદ્વીપના મેરુની ઉત્તરે છ મહાનદીઓ કહી છે - નકાંતા, નારીકાંતા, સુવર્ણકુલા, રીષ્મકુલા, તા, તવતી...
(૧૦) જંબૂદ્વીપમાં મેરુની પૂર્વે સીતા મહાનદીના બંને કિનારે છ અંતરનદીઓ કહી છે - ગ્રાહવતી, દ્રહવતી, પંકવતી, તપ્તજંલા, મત્તજલા, ઉન્મત્તજલા... (૧૧) જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે સીતોદા મહાનદીના બંને કિનારે છ આંતરનદીઓ કહી છે - ક્ષીરોદા, સિંહશ્રોતા, અંતવાહિની, ઉમ્નિમાલિની, ફૈનમાલિની, ગંભીરમાલિની.
39
[૧૨ થી ૨૨] ધાતકીખંડ દ્વીપના પૂર્તિમાં છ અકર્મભૂમિઓ કહી છે. હૈમવત ઇત્યાદિ જંબૂદ્વીપમાં કહ્યું તેમ અહીં પણ કહેવું. યાવત્ [૨૩ થી ૫૫ પુષ્કરવરદ્વીપાર્ધના પશ્ચિમાઈમાં પણ એમ કહેવું.
[૫૪] ઋતુઓ છ કહી
પ્રાતૃ, વર્ષા, શરદ, હેમંત, વસંત, ગ્રીષ્મ. [૫૫] છ અવમરત્ર [ક્ષયદિન] કહ્યા છે - ત્રીજો, સાતમો, અગિયારમો, પંદરમો અને ઓગણીસમો, તેવીશમો પક્ષ... છ અધિકરાત્રિ [વૃદ્ધિદિન] કહ્યા છે - ચોથો, આઠમો, બારમો, સોળમો, વીસમો, ચોવીશમો પક્ષ.
• વિવેચન-૫૭૩ થી ૫૫ -
[૫૭૩] આ સૂત્રો સુગમ છે. વિશેષ એ - ફૂટ સૂત્રોમાં હિમવતાદિ વર્ષધર પર્વતોમાં દ્વિસ્થાનકમાં કહેલ ક્રમ વડે બે બે કૂટો જાણી લેવા.
[૫૪] ઉક્ત વર્ધિત ક્ષેત્રમાં કાળ હોય છે, માટે કાલવિશેષને કહેવા છ ઋતુના સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - બે માસ પ્રમાણ કાળવિશેષ ઋતુ, અષાઢ અને શ્રાવણ માસ પ્રાવૃત્ છે. એ રીતે ક્રમથી બીજી ઋતુ જાણવી. લૌકિક વ્યવહારમાં શ્રાવણાદિ બે બે માસની વર્ષા, શરદ આદિ ઋતુ છે.
[૫૫] ઓમત્ત - હિના રાત્રિ અર્થાત્ દિન ક્ષય. પદ્મ - અમાસ કે પૂનમ, તેનાથી ઓળખાતો પક્ષ પણ પર્વ છે. લૌકિક ગ્રીષ્મઋતુમાં જે ત્રીજો પક્ષ - અષાઢ કૃષ્ણપક્ષ, સાતમું પર્વ - ભાદરવા કૃષ્ણ પક્ષ, એ રીતે એક માસ વડે અંતતિ માસના કૃષ્ણ પક્ષો સર્વત્ર પર્વો જાણવા. - ૪ -
અતિત્ર - અધિક દિન અર્થાત્ દિન વૃદ્ધિ. ચોથું પર્વ - અષાઢ શુક્લ પક્ષ. એ રીતે અહીં એક માસ વડે અંતરિત શુક્લપક્ષો સર્વત્ર પર્વો છે.
આ અતિરાત્રિકાદિ અર્થ જ્ઞાનથી જણાય છે. માટે અધિકૃત અધ્યયનમાં
૩૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩
અવતરનાર જ્ઞાનના કથન માટે સૂત્રદ્વયને કહે છે
• સૂત્ર-૫૭૬ થી ૫૭૮ :
[૫૭૬] આભિનિબોધિક જ્ઞાનનો છ ભેદે અર્થાવગ્રહ કહેલ છે. તે આ - શ્રોપ્રેન્દ્રિય અર્થાવગ્રહ યાવત્ નોઇન્દ્રિય અર્થાવગ્રહ.
[૫૭] અવધિજ્ઞાન છ ભેદે કહ્યું છે, તે આ - આનુગામિક, નાનુગામિક, વર્ધમાનક, હીયમાનક, પ્રતિતી, પતિપાતી.
[૫૭] સાધુ-સાધ્વીને આ છ પ્રકારના અવચન બોલવા ન કર્યો. તે આ - અલિકવાન, હીલિતવચન, િિસતવચન, કઠોરવચન, ગૃહસ્થવાન અને ઉપશાંત કથાય પુનઃ ઉદીરવારૂપ વચન.
• વિવેચન-૫૭૬ થી ૫૭૮ઃ
[૫૬] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - સામાન્યનું - શ્રોત્રેન્દ્રિયાદિ વડે પહેલા વિકલ્પરહિત અને ‘આ શબ્દ છે' એવા વિકલ્પરૂપ ઉત્તર વિશેષ અપેક્ષાએ સામાન્યનું ગ્રહણ કરવું તે અર્થાવગ્રહ. આ વૈશ્વયિક એક સમયપ્રમાણ અને વ્યવહારિક અંતર્મુહૂર્ત
પ્રમાણ છે. અર્થ વિશેષિતત્વથી વ્યંજન અવગ્રહનો નિષેધ છે. કેમકે વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે જ છે.
[૫૭] પાછળ ચાલે તે અનુગામી, તે જ આનુગામિક - દેશાંતર ગયેલ જ્ઞાનીને પણ લોચન માફક સાથે ચાલે... જે તે દેશમાં રહેલા જ્ઞાનીને જ હોય કેમકે દેશનિબંધન ક્ષયોપશમ જ હોય તે અનાનુગામિક. તે સ્થાનમાં રહેલ બદ્ધદીપકવત્, દેશાંતર ગયેલ જ્ઞાનીને નષ્ટ થાય છે.
જે જ્ઞાન ક્ષેત્રથી અંગુલના અસંખ્યાત ભાગ માત્ર વિષયવાળું, કાલથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ, દ્રવ્યથી તેજો-ભાષાદ્રવ્ય અંતરાલવર્તી દ્રવ્ય વિષયક, ભાવથી દ્રવ્યગત સંધ્યેય પર્યાયના વિષયવાળું જઘન્યથી ઉત્પન્ન થઈને પુનઃ વૃદ્ધિ પામતું ઉત્કર્ષથી અલોકમાં લોક પ્રમાણ અસંખ્યાત ખંડોને, અસંખ્યાતી ઉત્સર્પિણી -
અવસર્પિણીને, સમસ્તરૂપી દ્રવ્યોને અને દરેક દ્રવ્યમાં રહેલ અસંખ્યેય પર્યાયોને વિષયી કરે તે વર્ધમાન.
કહ્યું છે કે - પ્રતિસમય અસંખ્યભાગ અધિક, કોઈ સંખ્ય ભાગ અધિક, કોઈ સંખ્યાતગુણ, કોઈ અસંખ્યાતગુણ ક્ષેત્રને વધતુ જુએ તે વર્ધમાન. એ રીતે કાળને પણ જાણવો - તથા - કોઈ ઉત્કર્ષથી અવધિ વડે લોકપર્યન્ત જોઈને સંક્લેશવશથી ઓછું જુએ તો કોઈ અસંખ્યભાગહીનાદિ જુએ તે વિષય સંકોચરૂપ - હાનિને હીયમાન અવધિજ્ઞાન જાણવું.
પડવાના સ્વભાવવાળું તે પ્રતિપાતી, ઉત્કૃષ્ટથી લોકવિષયવાળું થઈને પણ
પડે... ન પડે તે અપતિપાતી. જેનાથી અલોકનો એક પ્રદેશ પણ જોવાય તે અપતિપાતિ. આ કથનનો પાઠ પણ વૃત્તિમાં છે.
સૂત્ર સુગમ
[૫૮] આવા જ્ઞાનીને જે વચન બોલવા ન કરે તેને કહે છે - ન છે. વિશેષ એ કે - કુત્સિત વચન તે અવયન. ઝીવ - જેમકે - તું દિવસે કેમ