Book Title: Agam Jyot 1979 Varsh 15
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 30
________________ ૧૪ આગમત ભક્તિથી ધરાયેલાં સાધનથી ત્યાગીને ભેગી ન ગણાય. ભગવાન જિનેશ્વર મહારાજના કેવલીપણામાં અને સામાન્ય બીજા કેવલજ્ઞાનીઓના કેવલજ્ઞાનપણમાં કઈપણ જાતને ફરક નથી, છતાં જો મદિંતાળ એ પદમાં કેવલ તીર્થકર ભગવાને જ જે નમસ્કાર કરવામાં આવે છે તે ખરેખર તેમની અશેકાદિક આઠ પ્રતિહાર્ય રૂપી પૂજાની મહત્તાના કારણે જ છે. હવે જેઓ “ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાને કેવલ વીતરાગપણને લીધે પૂજવા ચાહતા હોય તેઓએ અરિહંત મહારાજને અગ્રપદે તે શું? પણ પૂજ્યપદે પણ લાવવા જોઈએ નહિ. કારણ કે સામાન્ય કેવલી મહારાજાઓ જ્યારે છત્ર, ચામર, ભામંડલ, સિંહાસન વિગેરે રાજ્યાદિક ચિહ્નોના આડંબર વગરના હોવાથી તે ઉન્માર્ગ–ગામિની અપેક્ષાએ પૂરેપૂરા ત્યાગી છે, ત્યારે ભગવાન જિનેશ્વર મહારાજ તે વીતરાગ કેવલી અવસ્થામાં છતાં પણ અશકાદિક પ્રાતિહાર્યોના અને છત્રાદિક રાજ્ય ચિહ્નોના ભેગી હોવાને લીધે તે ઉન્માર્ગગામીઓને કેઈપણ રીતે પૂજ્ય માનવા લાયક કે પૂજ્યના સ્થાને સ્થાપવા લાયક નથી. કદાચ કહેવામાં આવે કે રાજા-મહારાજાઓને પોતાના છત્રા દિક ચિહ્નોમાં મમત્વ ભાવ છે અને તેથી તે રાજા-મહારાજાઓ ત્યાગી ન ગણતાં ભેગી ગણી શકાય, પરંતુ ભગવાન જિનેશ્વર મહારાજ તે અત્ નામકર્મના ઉદયના પ્રભાવે દેવતાઓએ રચેલા છત્ર-ચામરાદિકને ધારણ કરનારા છે, પણ તેમાં અંશ માત્ર પણ મમત્વ ભાવવાળા તેઓ નથી, એટલું જ નહિ પરંતુ તે કરવા ન કરવાના વિચારમાં પણ તેઓ પરેવાયેલા નથી. માટે ભગવાન અરિહંત મહારાજનું છત્ર–ચામરાદિક રાજ્યચિહ્નો છતાં પણ ત્યાગીપણું અવ્યાહતપણે છે. જગતમાં સામાન્ય રીતે સાધુ મહાત્માઓને અનેક રાજામહારાજાઓ વંદનાદિક કરે છે. છતાં તેઓને જે તે વંદનથી કે ઈ

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148