Book Title: Agam Jyot 1979 Varsh 15
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 68
________________ પર આગમજ્યોત. - ઘણી પવિત્રતાના કારણ તરીકે આરતિ મંગળદીવાની ચોગ્યતા જણાવ્યા પછી બીજા હેતુ તરીકે જણાવે છે કે અત્યંત પ્રસિદ્ધ એવા પૂર્વધર વિગેરે મહાપુરુષોએ અવિરુદ્ધપણે આ " મંગલદીપ આદિ દ્રવ્યસ્તવનું આચરણ કરેલું છે માટે તે છે. આ સ્થાને આચાર્ય ભગવંત આચરણની અંદર જે બે વિશેષણે આપે છે તે ખરેખર વિચારવા જેવાં છે. તેઓ એક વિશેષણ તે બહુખ્યાત એમ કહીને આપે છે અને બીજું વિશેષણ અવિરુદ્ધ એમ કહીને આપે છે. અર્થાત્ આચરવા લાયક એ આચરણાનો વિષય તે જ ગણાય કે જે બહુ પ્રસિદ્ધ પુરુષ તરફથી આચરાયેલું હોય, તથા પ્રવર્તે હેય, અને જે વિષયની શાસનના ધુરંધરેએ વિરોધ કરેલ ન હોય. (ક્રમશ:) ' મોક્ષ એ મહેલાત તરીકે છે, અને ધર્મ એ તે એ મહેલાતમાં જવા માટેના વાહન તરીકે છે. એટલા જ માટે તમારે સમજવાનું છે કે, શ્રીમાન તીર્થંકર દેવોને મેઢે, ગુરૂદેવોને મઢે, શાસ્ત્રો દ્વારા ધર્મની જે વાત થાય છે, તે બીજા કશા માટે નહિ, પરંતુ એક મહા મહેલાતમાં પહોંચવા માટે છે. જ્યાં તમે મહેલાતમાં પહોંચી ગયા કે તે પછી તમોને એની જરૂર રહેવા પામતી નથી. તીર્થકર ભગવાનને આપણે નમસ્કાર કરીએ, તેનું કારણ પણ એ જ છે કે, તેઓશ્રી આપણને મોક્ષ માર્ગ બતાવે છે. છે. જે તેને મોક્ષ માર્ગના શોધક, પ્રરૂપક અને પ્રચારક ન હેત તો આપણે તેમને નમત ખરા ? * તેઓ તીર્થકરના પૂર્વ સમયમાં રાજકુમારો હતા, અથવા સમૃદ્ધિશાળી હતા તે માટે કદી નમસકાર ન કરત. તેમને નમસ્કાર કરવાનું કારણ એ છે, કે તેમણે આપણને ધર્મ અને મેક્ષ બતાવ્યું છે. જેમ તીર્થંકર ભગવાને આપણને ધર્મ અને મેક્ષ બતાવે છે તે જ પ્રમાણે ગુરુઓ પણ એજ વસ્તુ બતાવવાવાળા છે. ગુરુઓ જનતાને મોક્ષમાર્ગે પ્રવેશ કરવામાં મદદ કરવાવાળા હોય છે, તેથી [ જ આપણે શ્રીમાન જૈન ગુરુદેવને પણ આરાધવાના છે.

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148