Book Title: Agam Jyot 1979 Varsh 15
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 104
________________ આગમત આત્માને ઉત્કર્ષ કયારે સધાય? શાસ્ત્રકાર મહાત્માઓએ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવ્યું છે કે “દુર્વ મ ” અર્થાત્ સંયમમાં બાધા ન થાય અને અસંયમનું પોષણ ન થાય તેવી રીતે શરીરને દેવાતી બાધા અગર શરીર દ્વારા સહન કસતી બાધા મહાફળને દેવાવાળી એટલે મેક્ષના સાધનભૂત નિર્જરા-ધર્મને કરવાવાળી અને વધારવાવાળી છે. વળી શાસ્ત્રકાર પરિષહ અને ઉપસર્ગોની પીડાને ડગલે પગલે સહન કરવા માટે મેક્ષાર્થીઓને ફરમાન કરે છે. તે પછી દુઃખથી ડરવું એ મોક્ષાર્થીઓને માટે એક અશે પણ પાલવે નહિ, છ ખંડના માલિક ચક્રવર્તી છો અને રાજા-મહારાજાઓ પણ જ્યારે સાધુપણાની દિશામાં દાખલ થાય છે, ત્યારે તેઓને અનુચિત અનાદિકના અને પરિષહ-ઉપસર્ગનાં દુઃખ વેઠવાને પ્રસંગ આવે છે અને તેવા દુખે વેઠવાથી તેઓ પિતાના આત્માને ઉત્કર્ષ સાધી શકે છે. સુખ ઉપર પ્રીતિ અને સુખ ઉપર દ્વેષ કઈ અપેક્ષાએ ? જો કે સંસારના સર્વ જીવોનાં લક્ષણ તરીકે સુખ ઉપર પ્રીતિ અને દુખ ઉપર દ્વેષ એ બે વસ્તુઓ શાસ્ત્રકારે સ્થાને સ્થાને જણાવે છે, પરંતુ તે સુખ ઉપર રાગ અને દુઃખ ઉપરને દ્રવ સાંસારિક સાહજિક અને સર્વદાની પ્રવૃત્તિને ઉદ્દેશીને કહે વામાં આવેલ છે. એટલે પૂર્વભવમાં બાંધેલા ગાઢતર-કર્મોનો ક્ષયને માટે ઉદ્યમવન બનેલા મહાનુભાને માટે દુઃખને દ્વેષ અને સુખને રાગ હંમેશાં વ્યાપક હોય એટલે અસ્તિત્વમાં હોય એમ સમજવાનું નથી. આ હકીકત આત્માના અનુપમ સુખને ગૌણ કરીને આલેખાયેલી છે.

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148