Book Title: Agam Jyot 1979 Varsh 15
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 42
________________ આગ મમત ઉપરના શ્રીઆચારાંગ સૂત્રવાળા પાઠને દેખીને ભગવાન તીર્થંકર મહારાજના વસ્ત્ર-આભૂષણ આદિ સત્કારોથી પૂજન માનવાની જ્યારે શાસ્ત્રપ્રમાણ માનનારાઓથી ના પાડી શકાતી. નથી, ત્યારે તેઓ દીક્ષા વખતે પણ તીર્થંકરપણાને અંગે કરાતી પૂજાની સ્થિતિને ધ્યાનમાં ન લેતાં એ લવારે કરવાને તૈયાર થાય છે. ભગવાનની તે વખતની અવસ્થા તે સરાગપણની, ગૃહસ્થ પણની અને છઘસ્થપણાની છે, પરંતુ કેવલી પણામાં આવ્યા પછી ભગવાન તીર્થંકર-મહારાજનું પૂજન આભૂષણ અને વસ્ત્રાદિકથી થઈ શકે નહિ. કેમ કે વીતરાગ-સર્વજ્ઞપણામાં તેઓ સર્વથા ત્યાગી છે. આવું માનનારા દિગમ્બરોએ તે સ્ત્રીઓ ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા કરે અને અડે એવું માનવામાં ભૂલ કરેલી જ ગણાય, કારણ કે સામાન્ય સાધુપણુમાં પણ સ્ત્રીને સંઘો ન હોય તે પછી કેવલીપણામાં તે સ્ત્રીને સંગ્રહ કે તેનું અડવું વિગેરે તે હોય જ શાનું? આશ્ચર્યની વાત છે કે ભગવાન જિનેશ્વરની મૂર્તિને કપડું કે આભૂષણ અડે તે સર્વજ્ઞાપણું અને વિતરાગપણું ચાલ્યું જાય, પરંતુ બાયડીઓના થેકે શેક ભગવાન જિનેશ્વરની મૂર્તિને અડે. સ્નાન કરાવે તે પણ તે દિગમ્બરની વીતરાગ-અવસ્થામાં આ સ્થળે વધે આવતું નથી. ભગવાન જિનેશ્વર મહારાજનું સર્વજ્ઞવીતરાગપણું થયા પછી પણ નિર્વાણ મહોત્સવની વખતે તેમના ખુદ શરીરને અંગે કેવી રીતે વસાદિથી સત્કાર કરવામાં આવે છે? તે જાણવા માટે શ્રી જબૂઢીપપ્રજ્ઞપ્તિ સૂત્રનો નિર્વાણ સંબંધી અધિકારનો પાઠ ખૂબ જ ઉપગી છે. શ્રી જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ એ સૂત્રના પાઠનું રહસ્ય : શ્રી જમૂદ્વીપપ્રજ્ઞપ્તિમાં જણાવેલ ભગવાન જિનેશ્વર મહારાજના નિર્વાણ-કલ્યાણકના અધિકારમાં ઈદ્ર મહારાજે ભગવાન

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148