Book Title: Agam Dariyo Ratne Bhariyo
Author(s): Vijayjayghoshsuri, Satyakantvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 90
________________ મચથી શરણં નાતિ.. S. જાવની સંસારી અવસ્થા દોષોવાળી, કર્મપરાધીનતાવાળી, અજ્ઞાન-મોહથી ઘેરાયેલી, દુઃખથી અને વિષમતાથી વ્યાપ્ત છે અને તેથી જીવ સંસારમાં ભટક્યા કરે છે. તેને ક્યાંય લાંબો સમય સ્વસ્થતા, શાન્તિ, સુખ, પ્રસન્નતા મળતી નથી. આવા જીવની આ દુઃખી અવસ્થા સુધારવાનો જો કોઈ પણ માર્ગ હોય તો પરમાત્મભાવને જાણવા, પૂજવા, ગૌરવ કરવું, બાહ્ય ઉત્તમ વસ્તુઓ ધરવા દ્વારા એ ચીજોના ત્યાગી બનવું, આત્મગુણો મેળવવા યોગ્ય બનવું તે છે. આ જે સંસારી જીવનો પરમાત્મા પ્રત્યેનો તરણતારણહાર, મહારક્ષક વગેરે રૂપે જે સર્વોત્તમપણાનો, પૂજ્યતમપણાનો ભાવ અને એ ભાવપૂર્વક જે એમની પૂજન, સ્તવન, સ્મરણ વગેરે રૂપ ઉપાસના કે હૃદયનો સમર્પણભાવ તે જ સાચી પૂજા છે. - સમર્પણભાવ એટલે શું? અનર્પણ, અર્પણ અને સમર્પણ ત્રણ શબ્દના અર્થો વિચારીએ.... અનર્પણ=ન આપવું; અર્પણ એટલે આપવું અને સમર્પણ એટલે સમ્યક્ રીતે - સર્વ રીતે આપવું. પરમાત્મને સમર્પણ કરવું છે તો શું સમર્પણ કરવું ? 1) શું આપવું? અહોભાવ, પૂજ્યભાવ, સર્વશ્રેષ્ઠ તરીકે ઉપાસ્ય ભાવ. (i) અહોભાવ એટલે જગતમાં વિશિષ્ટ વ્યક્તિ તરીકેનો આદરભાવ ધરાવવો. (ii) પૂજ્યભાવ એટલે જગતમાં વિશિષ્ટ વ્યક્તિ તરીકેનો નમ્રભાવ રાખવો. (i) સર્વશ્રેષ્ઠ ઉપાસ્યભાવ = (A) જગતમાં જે વિશિષ્ટ વસ્તુઓ છે એમાં સર્વશ્રેષ્ઠ માનવા. (B) જગતમાં જે ગુણી વ્યક્તિઓ છે, એમાં સર્વશ્રેષ્ઠ માનવા. (c) જગતમાં જે ઉપકારી છે, એમાં સર્વશ્રેષ્ઠ માનવા. આ ત્રણના કારણે પરમાત્મા સર્વશ્રેષ્ઠ ઉપાસ્ય એટલે ઉપાસના કરવા યોગ્ય છે. આવા પ્રકારનો હૃદયનો જે ભાવ તે પરમાત્મા વિષયક હોવાથી પરમાત્માને અર્પણરૂપ છે. 2) શાનાથી આપવું? - આ સમર્પણભાવ હૃદયગત વસ્તુ હોવા છતાં જે સાધનોથી ઉપાસ્યની ઉપાસના થાય એ સાધનોથી એ ઉપાસના દ્વારા હૃદયમાં જીવજીવજી જી જી 83 | જીવજીવવું

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162