Book Title: Agam Dariyo Ratne Bhariyo
Author(s): Vijayjayghoshsuri, Satyakantvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 132
________________ वरं मे अप्पा दंतो, संजमेण तवेण य / मा हु परेहि दमेजा, बंधणेहिं वहेहि य // આ શ્લોકમાં મોક્ષપ્રાપ્તિનો ઉપાય, સંસારમાં પણ સ્વાધીન રહેવાની પ્રક્રિયા, સંસારમાં પરાધીનપણું શાથી આવે અને એની શી સ્થિતિ છે આમ ચાર વાત બતાવી છે. જેમ વાહન જો ચલાવનારના અંકુશમાં ન હોય અને ચલાવનાર જો સ્વસ્થ-સ્વાધીન ન હોય, નિદ્રાવ્યાત-ચિંતાવ્યા કે પીધેલ હોય અથવા શૂન્યમનસ્ક હોય તો વાહન આડુઅવળું જતું રહે અને ગતિ હોવા છતાં તે ગતિ જ અકસ્માતનું કારણ બને. એ રીતે ઘોડા-હાથી વગેરેની સવારીમાં તે સ્વયં શાંતસ્વસ્થ હોય તો સીધા માર્ગે વ્યવસ્થિત ચાલે, પરને પીડા ન કરે અને પોતે પણ પીડા ન પામે. પણ મદોન્મત્ત બને, ગાંડો બને, તોફાની બને કે વિપરીત શિક્ષિત હોય તો તે સ્વ-પર બંનેનો નાશ કરનાર, નુકશાનમાં ઉતારનાર થાય છે, તેવી જ રીતે આપણે જેના આધારે પ્રવર્તીએ તે જો સ્વયં વ્યવસ્થિત હોય અથવા આપણા દ્વારા કાયમ અંકુશમાં હોય તો આપણે અને એ નિર્ભય રહીએ. જો એવું ન હોય તો આપણે તેને સ્વસ્થ બનાવવા પડે અને અંકુશમાં રાખવા પડે. સ્વસ્થ બનાવવા અને અંકુશમાં રાખવા એ બેમાંથી સારૂ અને સહેલું શું એ વિચાર કરીએ તો- જે જાતે શાંત-વિચારક-સ્વસ્થ-અવિપરીત ન હોય એના પર ક્યારેક આપત્તિકાલીન આચાર રૂપે અંકુશ મુકી કામ લઈએ એ વાત જુદી; બાકી એનાથી સ્વ-પર અનેકના જીવન જોખમમાં આવે. તેથી કાર્યને પાર ઉતારવા માટે યોગ્ય વ્યક્તિ-વસ્તુ જોઈએ, સાથે એ ચલાવનારને આધીન જોઇએ. ચલાવનારે લગામ વાળવા-હલાવવા કડક કે ઢીલી મુકવા જેવી ઇશારા પુરતી જ પ્રક્રિયા કરવાની રહે. માટે વાહન-સવારી-આશ્રય આપવા માટે પાત્રતા અને નિયંત્રણ-યોગ્યતા જોવી પડે છે. એ નિયંત્રણ એટલે યોગ્ય માર્ગે યોગ્ય રીતે ચાલવું; યોગ્ય માર્ગે અયોગ્ય રીતે ચાલે તો પણ ન ચાલે અને યોગ્ય રીતે અયોગ્ય માર્ગે ચાલે તે પણ ન ચાલે. બંને ન હોય તે વિશેષ જોખમી છે. યોગ્ય માર્ગ એટલે સંયમ અને યોગ્ય રીત એટલે તપ. સ્વ અને અન્ય અનેકના રક્ષણ માટે આશ્રિત વ્યક્તિ કે સાધનોનું gggggg125 કg gggggg

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162