Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અથવા મતિ અજ્ઞાન બે પ્રકારનું છે– (૧) એક ઉદય ભાવી અજ્ઞાન અને (૨) બીજું, ક્ષયોપશમ ભાવી અજ્ઞાન. ઉદયભાવી અજ્ઞાનમાં સાકાર ઉપયોગ સંભવ નથી, પરંતુ ક્ષયોપશમ ભાવી અજ્ઞાન ઉપયોગ રૂપ હોય છે. અહીં જે મતિઅજ્ઞાન લીધું છે, તે ક્ષયોપશમ ભાવી છે તેમ સમજવું. જ્ઞાનરૂપ સાકાર ઉપયોગ છોડી, અનાકાર રૂપ દર્શન ઉપયોગમાં પણ પાણી નું અવગાહન કર્યું છે. ત્યાં પણ અચક્ષુદર્શનને વિઘટિત કર્યુ છે. ચક્ષુદર્શનને ગ્રહણ કર્યું છે. શાસ્ત્રકારના આ ઉત્તરથી એક મોટો ગૂંચવાડો ઊભો થાય છે. મતિજ્ઞાનમાં પણ ચાક્ષુષમતિજ્ઞાન છે અને દર્શનમાં પણ ચાક્ષુષ દર્શન છે. ચાક્ષુષમતિજ્ઞાન કરતાં ચાક્ષુષ દર્શન પૂર્વમાં ઉત્પન્ન થાય છે અને જ્ઞાન કરતાં ઘણું કમજોર છે અને અસ્પષ્ટ પણ છે, છતાં ચાક્ષુષદર્શનને પણ કહ્યું છે. જ્યારે ચાક્ષુષમતિજ્ઞાનને પાસણા ની સીમાથી બહાર રાખ્યું છે. પ્રશ્ન ઘણો ગંભીર છે અને કેવળીગમ્ય છે, છતાં પણ તર્કની દષ્ટિએ વિચાર કરીએ તો બધા અનાકાર ઉપયોગ સાકાર ઉપયોગથી ઉતરતા જ હોય અથવા અસ્પષ્ટ જ હોય તેવું લાગતું નથી. ચાક્ષુષ દર્શનમાં કોઈ પણ આકાર ઉદ્ભવ્યો નથી પરંતુ આભાસ ઉભવ્યો છે. સાકાર ઉપયોગમાં “આકાર” પ્રધાન છે અને અનાકાર ઉપયોગમાં “આભાસ” પ્રધાન છે અને આવો ચાક્ષુષદર્શનનો આભાસ પ્રતિભાસંપન્ન હોવાથી સૈકાલિક હોઈ શકે છે તેથી ચાક્ષુષ દર્શનમાં પાસMયા પ્રવેશી જાય છે. આટલું વિવેચન કર્યા પછી ટૂંકમાં પાસાયા શબ્દનો અર્થ કરીને અને શબ્દ કોશ માન્ય અર્થનો સ્વીકાર કરી આપણે વિરમશું.......
કોષકાર પાસેથી શબ્દનો અર્થ કરે છે. પશ્ચત્ત-પ્રેક્ષતા મતલબ થયો ઉપયોગનો ઉદ્દભવ થયા પછી તે ઉપયોગના આધારે જ્ઞાતા કે માતા વિષયનું અવલોકન કરી, ગંભીર ભાવે વિષયનું નિદર્શન કરે છે અને ભૂતકાળ કે ભવિષ્યકાળની પદાર્થ પ્રત્યેની પરિકલ્પનાને સાકાર કરે છે. જેમ કોઈ જ્યોતિષી ગ્રહદશાઓને જોઈ જાતકની ભૂતકાળ અને ભવિષ્યકાળની અવસ્થાઓની ભવિષ્યવાણી કરે છે અને એ જ રીતે કોઈ સામુદ્રિકવેરા રેખા કે અંગલક્ષણોને જોઈ જાતક ના જીવનનું ઉદ્દઘાટન કરે છે. અહીં લાગે છે કે શાસ્ત્રકાર પસાથ શબ્દથી ફક્ત જ્ઞાનનો જ મહિમા ન બતાવતા જ્ઞાનની અંદર પડેલા શક્તિશાળી બિંદુઓ કે ગૂઢ તત્ત્વો જે જ્ઞાનનું પોતાનું સમૃદ્ધ કેન્દ્ર છે, તે પ્રત્યે ધ્યાન દોરે છે. અચાનક ગૌતમ સ્વામી આમ પ્રશ્ન કરે છે કે અંતે! કેટલા પ્રકારની પાસMય છે? પાંચ જ્ઞાનનું પૂર્ણ વિવેચન થયા પછી આ પ્રશ્નના ઉદ્ભવની જરૂર ન હતી, છતાં પણ એકાએક પ્રશ્ન ઉભવ્યો, તેનો અર્થ એ છે કે- ચાર જ્ઞાનના ઘણી, આવા પ્રબુદ્ધ શ્રત કેવળીને જ્ઞાન પછી પણ જ્ઞાનના ગર્ભમાં પડેલા રત્નો જોવામાં આવ્યા, તેથી તેમણે પુનઃ પાસપથ ની ચર્ચા કરી છે. ધન્ય છે, આવા જૈન શાસ્ત્રના ગંભીર અવગાહનને ! !!