Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ત્રેવીસમું પદઃ ક્રર્મપ્રકૃતિ : ઉદ્દેશક-૨
[ ૧૫૭ ]
અપ્રશસ્ત વિહાયોગતિ નામકર્મની સ્થિતિ પ્રમાણે ઉત્કૃષ્ટ ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે. ९१ अंतराइयस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ; तिण्णि य वाससहस्साई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અંતરાયકર્મની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં આઠ કર્મોની ઉત્તર પ્રવૃતિઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ તથા તેના અબાધાકાળ તથા નિષેકકાળનું કથન છે. કર્મ સ્થિતિ - કર્મોને આત્મા સાથે રહેવાની કાલમર્યાદાને કર્મસ્થિતિ કહે છે. તેની અલ્પતમ કાલમર્યાદાને જઘન્ય સ્થિતિ અને અધિકતમ કાલમર્યાદાને ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે. અબાધાકાલ - કોઈ પણ કર્મબંધ થયા પછી તે કર્મ તુરંત જ પોતાનું ફળ આપતા નથી. તે બંધાયા પછી જેટલા કાલ સુધી આત્માને કોઈ પણ પ્રકારની બાધા-પીડા પહોંચાડે નહીં, પોતાનું ફળ આપે નહીં, તે કાલમર્યાદાને અબાધાકાલ કહે છે. જે કર્મોની જેટલા ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિ હોય, તેટલા સો વર્ષોનો તેનો અબાધાકાલ હોય છે. યથા– જ્ઞાનાવરણીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ ક્રોડાકોડી સાગરોપમની છે, તો તેનો અબાધાકાલ ત્રીસ સો અર્થાત્ ૩૦૦૦ વર્ષનો છે. ઉત્કૃષ્ટ સ્થિતિનું જ્ઞાનાવરણીયકર્મ 3000 વર્ષ સુધી પોતાનું ફળ આપતું નથી. કર્મનિષેકકાલા-કર્મની સ્થિતિમાંથી અબાધાકાલને ન્યૂન કરતાં જેટલી સ્થિતિ શેષ રહે, તે કર્મનો નિષેકકાલ છે અર્થાત્ કર્મ પુદ્ગલોની ગોઠવણીનો કાલ છે તે કર્મોની અનુભવ યોગ્ય સ્થિતિ છે. જ્ઞાનાવરણીય કર્મોનો નિષેકકાલ–કર્મ પુદ્ગલ રચનાકાલ ૩000 વર્ષ જૂન ૩૦ ક્રોડાકોડી સાગરોપમનો છે અર્થાત્ ૩૦ ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું કર્મ 3000 વર્ષ જૂન ૩૦ ક્રોડાકોડી સાગરોપમ સુધી ફળ આપે છે. ૧૪૮ કર્મ પ્રવૃતિઓની બંધ સ્થિતિ:
કમ | કર્મ પ્રકૃતિ નામ | જઘન્ય બંધ સ્થિતિ | ઉત્કૃષ્ટ બંધ સ્થિતિ ૧-૫ | મતિ જ્ઞાનાવરણીય આદિ પાંચ અંતર્મુહૂર્ત
૩૦ ક્રોડાકોડી સાગરોપમ ૯ | ચક્ષુદર્શનાવરણીય આદિ ચાર
અંતર્મુહૂર્ત
૩૦ ક્રોડાક્રોડી સાગરોપમ ૧૦-૧૪. | નિદ્રા આદિ પાંચ 1 શોન ફ્રેં સાગરોપમ ૩૦ ક્રોડાક્રોડી સાગરોપમ 1 ઇર્યાવહિ શાતા વેદનીય 1 બે સમય
- બે સમય સાંપરાયિક શાતા વેદનીય | ૧૨ મુહૂર્ત
૧૫ ક્રોડાકોડી સાગરોપમ અશાતા વેદનીય | દેશોન સાગરોપમાં ૩૦ ક્રોડાક્રોડી સાગરોપમ સમ્યકત્વ મોહનીય
અંતર્મુહૂર્ત
સાધિક છ સાગરોપમ
_|
|
|
|
-
-
-
-
-