Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૬૮
શ્રી પન્નવણા સૂa: ભાગ-૩
(૫) શ્રુતઅજ્ઞાન અને (૬) વિર્ભાગજ્ઞાન. અનાકાર પશ્યતા- સ્પષ્ટતર પ્રેક્ષણ-દર્શનને અનાકાર પશ્યતા કહે છે, તેના ત્રણ ભેદ છે– (૧) ચક્ષુદર્શન (૨) અવધિદર્શન (૩) કેવળદર્શન. ઉપયોગ અને પશ્યતામાં અંતર :ઉપયોગ
પશ્યતા (૧) સાકાર ઉપયોગ સૈકાલિક અને વર્તમાનકાલીન બને T(૧) સાકાર પશ્યતા સૈકાલિક ભાવોને જાણે છે. પ્રકારના ભાવોને જાણે છે.
(માત્ર વર્તમાનકાલીન બોધ, હોય તો તે પશ્યતા નથી) (૨) અનાકાર ઉપયોગ સ્પષ્ટ–સ્પષ્ટતર બંને પ્રકારના |(૨) અનાકાર પશ્યતા સ્પષ્ટતર ભાવોને જ જાણે છે.
ભાવોને જાણે છે. (૩) ઉપયોગના ૧૨ ભેદ છે –
(૩) પશ્યતાના ૯ ભેદ છે – સાકાર ઉપયોગના -
સાકાર પશ્યતાના – ૬ અનાકાર ઉપયોગના – ૪
અનાકાર પશ્યતાના – ૩ ૧૨ પ્રકારના ઉપયોગ
૯ પ્રકારના પશ્યતા મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન વર્તમાનકાલીન વિષયને જ ગ્રહણ કરે છે. આ બંને ઇન્દ્રિય જન્ય જ્ઞાન છે. ઇન્દ્રિયો વર્તમાન વિષયને જ ગ્રહણ કરી શકે છે. વૃત્તિકારે મતિજ્ઞાનની વ્યાખ્યા કરતા ગાથા રજૂ કરી છે. તેમાં મતિજ્ઞાનને વર્તમાનકાલીન કહ્યું છે. જેમ કે –
जमवग्गहादिरूवं; पच्चुपण्णावत्थुगाहगं लोए।
૦િ મો મિતં, તમવિધ વેંતિ વૃત્તિ. વર્તમાન વસ્તુને ગ્રહણ કરનાર ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થતા અવગ્રહાદિરૂપ બોધને અભિનિબોધિક જ્ઞાન કહે છે..
આ રીતે મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન માત્ર વર્તમાન કાલીન હોવાથી તેની પશ્યતામાં ગણના નથી. શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાન અતીત, અનાગત ભાવોને જાણે છે; અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન અતીત, અનાગત અસંખ્યાત ઉત્સર્પિણી, અવસર્પિણી કાલના રૂપી પદાર્થોને જાણે છે; મન:પર્યવજ્ઞાન પલ્યના અસંખ્યાતમા ભાગના અતીત, અનાગત કાલને જાણી શકે છે અને કેવળજ્ઞાન સર્વકાલના વિષયને જાણે છે. આ રીતે ચાર જ્ઞાન અને બે અજ્ઞાન સૈકાલિક વિષયને ગ્રહણ કરતા હોવાથી તેની પશ્યતા અને ઉપયોગ બંનેમાં ગણના કરવામાં આવે છે.
અચક્ષુ દર્શનમાં સ્પષ્ટતર બોધ થતો નથી, તેથી તેની ગણના પશ્યતામાં નથી. ચક્ષુ, અવધિ અને કેવળદર્શનમાં સ્પષ્ટતર બોધ છે, તેથી તેની ગણના પશ્યતા અને ઉપયોગ બંનેમાં કરવામાં આવે છે. ર૪ દંડકના જીવોમાં પશ્યતા - | ४ रइयाणं भंते ! कइविहा पासणया पण्णत्ता ? गोयमा ! दुविहा पण्णत्ता, त जहा- सागारपासणया य अणागारपासणया य ।। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવનું ! નૈરયિક જીવોને કેટલા પ્રકારના પશ્યતા હોય છે? ઉત્તર- હે ગૌતમ! બે પ્રકારના પશ્યતા હોય છે, જેમ કે – સાકારપશ્યતા અને અનાકારપશ્યતા. | ५ रइयाणं भंते ! सागारपासणया कइविहा पण्णत्ता ?