Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 435
________________ | છત્રીસમું પદઃ સમુઘાત [ ૩૬૭ ] ચોવીસે દંડકના અનેક જીવોમાં અતીત અને અનાગત ક્રોધાદિ સમુઠ્ઠાત અનંત હોય છે, કારણ કે ચોવીસ દંડકમાં જીવો અનંત ભૂતકાલથી જન્મ-મરણ કરી રહ્યા છે અને તે જીવો ભવિષ્યકાળમાં અનંત જન્મ-મરણ કરવાના છે તેથી ૨૪ દંડકના અનેક જીવોમાં ભૂત અને ભવિષ્યકાલીન ક્રોધાદિ ચારે કષાય સમુધ્ધાતો અનંત થાય છે. ૨૪ દંડકના એક-અનેક જીવોના ર૪ દંડકોમાં કષાય સમુદ્યાત - ५० एगमेगस्स णं भंते ! णेरइयस्स रइयत्ते केवइया कोहसमुग्घाया अतीता? गोयमा ! अणंता, एवं जहा वेयणासमुग्घाओ भणिओ तहा कोहसमुग्घाओ वि भाणियव्वो जिरवसेसं जाव वेमाणियत्ते । माणसमुग्घाओ, मायासमुग्घाओ जहा मारणंतियसमुग्घाओ । लोभसमुग्घाओ जहा कसायसमुग्घाओ । णवरं- असुरादि सव्वजीवा रइएसु लोभकसाएणं एगुत्तरिया णेयव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એક-એક નૈરયિકોના નારકીપણે ભૂતકાલીન ક્રોધ સમુઘાત કેટલા થયા છે? ઉત્તર- હે ગૌતમ! તે અનંત થયા છે. જેવી રીતે વેદના સમુદ્યાતનું કથન કર્યું છે, તેવી જ રીતે ક્રોધ સમુદ્યાતનું પણ સમગ્રરૂપે યાવતુ વૈમાનિક સુધી કથન કરવું જોઈએ. માન-સમુઘાત, માયા સમુદ્યાતના વિષયમાં સંપૂર્ણ કથન મારણાંતિક સમુઘાતની સમાન કહેવું જોઈએ. લોભ સમદુઘાતનું કથન કષાય સમુદ્યાતની સમાન કરવું જોઈએ. વિશેષતા એ છે કે અસુરકુમાર આદિ સર્વ જીવોના નારકીપણે લોભ કષાય સમુઘાતની પ્રરૂપણા ગુત્તરિયં અર્થાત્ એકથી લઈને અનંત સુધી કરવી જોઈએ. ५१ रइयाणं भंते ! णेरइयत्ते केवइया कोहसमुग्घाया अतीता ? गोयमा ! अणंता। केवइया पुरेक्खडा? गोयमा ! अणंता । एवं जाव वेमाणियत्ते । ભાવાર્થ:- ૫શ્ન- હે ભગવન્! અનેક નારકીઓને નારકીપણે ભૂતકાલીન કેટલા ક્રોધ સમુદ્યાત થયા છે? ઉત્તર-હે ગૌતમ! અનંત થયા છે. પ્રશ્ન- હે ભગવન્! અનેક નારકીઓને નારકીપણે ભવિષ્યકાલીન કેટલા ક્રોધ સમુદ્યાત થાય છે? ઉત્તર- હે ગૌતમ! અનંત થાય છે. આ રીતે વૈમાનિક સુધી જાણવું જોઈએ. ५२ एवं सट्ठाण-परट्ठाणेसु सव्वत्थ वि भाणियव्वं सव्वजीवाणं चत्तारि समुग्घाया जाव लोभसमुग्घाओ जाव वेमाणियाणं वेमाणियत्ते । ભાવાર્થ:- આ જ પ્રમાણે સ્વસ્થાન-પરસ્થાનોમાં સર્વત્ર ક્રોધ સમુદ્યાતથી લઈને લોભ સમુદ્યાત સુધી થાવત વૈમાનિકોના વૈમાનિકપણામાં ચાર સમુદ્દાત કહેવા જોઈએ. વિવેચન : - પ્રસ્તુત સુત્રોમાં એક-અનેક ૨૪ દંડકના જીવોમાં થતાં પરસ્પર કષાય સમુઘાતનું નિરૂપણ છે. એકવચનની અપેક્ષાએ- એક નારકીને નારકીપણે ભૂતકાલીન અનંત કષાય સમુદ્યાત થયા છે, કારણ કે ભૂતકાળમાં તે જીવે અનંતવાર નરકગતિમાં જન્મ ધારણ કર્યા છે. ભવિષ્યમાં એક નારકીને નારકીપણે કષાય સમુદ્યાત થાય અથવા ન થાય, જો તે જીવ પોતાના નરક ભવના શેષ અલ્પ આયુષ્યમાં એક પણ કષાય સમુદ્રઘાત કર્યા વિના મૃત્યુ પામે, ત્યાંથી મનુષ્ય જન્મ પામી સિદ્ધ થાય, તો તેને ભવિષ્યમાં નારકીપણે

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486