Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૨૧૪ ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૩
गोयमा ! सोइंदियत्ताए जावफासिंदियत्ताए, अणिठ्ठत्ताए अकंतत्ताए अप्पियत्ताए असुभत्ताए अमणुण्णत्ताए अमणामत्ताए अणिच्छियत्ताए अणभिज्झियत्ताए अहत्ताए णो उड्डत्ताए दुक्खत्ताए णो सुहत्ताए, ते तेसिं भुज्जो-भुज्जो परिणमंति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો જે પુદ્ગલોને આહારરૂપે ગ્રહણ કરે છે, તે પુદ્ગલોનું વારંવાર કયા રૂપે પરિણમન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકોને તે પદગલો શ્રોતેઝિયરૂપે યાવત સ્પર્શેઝિયરૂપે. અનિષ્ટપણે અકાંતપણે, અપ્રિયપણે, અશુભપણે, અમનોજ્ઞપણે, અમનોહરપણે, અનિચ્છનીયપણે, અનભિલષિતપણે, ભારેપણે–લઘુપણે નહીં, દુઃખરૂપે–સુખરૂપે નહીં, આ પ્રકારે તે પુલોનું વારંવાર પરિણમન થાય છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં નૈરયિકોના આહાર સંબંધી વર્ણન બીજાથી આઠમા દ્વારના માધ્યમથી કર્યું છે. (૨) માફી - સમસ્ત સંસારી જીવો આહારાર્થી હોય છે. આહારના બે પ્રકાર છે– ૧. હું આહાર ગ્રહણ કરે તેવી ઇચ્છાપૂર્વક, સભાનપણે કરાતો આહાર આભોગનિર્વતિત આહાર છે અને ૨. ઇચ્છા વિના પ્રતિ સમયે ગ્રહણ થતો આહાર અનાભોગ નિર્વતિત આહાર છે. () જેવ- કેટલા કાલે આહાર કરે છે? સમસ્ત સંસારી જીવોનો અનાભોગ નિર્વર્તિત આહાર નિરંતર ચાલ જ હોય છે. આભોગનિવર્તિત આહારનો કાલ ભિન્ન-ભિન્ન હોય છે. નૈરયિકોને અંતર્મુહૂર્ત આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. (૪) શિમરતિ- સમસ્ત સંસારી જીવોના આહાર યોગ્ય પગલોની યોગ્યતા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી આ પ્રમાણે હોય છે– આહાર યોગ્ય પગલો દ્રવ્યથી અનંતપ્રદેશી, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાવગાઢ, કાલથી એકસમયથી અસંખ્યાતસમય સુધીની સ્થિતિવાળા, ભાવથી પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શથી લઈને આઠ સ્પર્શ સુધીના પુગલોને ગ્રહણ કરે છે. ટાઇમ - સ્થાનમાર્ગણા-સમુચ્ચય અપેક્ષાએ એકવર્ણથી પાંચ વર્ણવાળા, એક ગંધ કે બે ગંધવાળા, એકથી પાંચ રસવાળા, ચાર સ્પર્શથી આઠ સ્પર્શવાળા પુલોને ગ્રહણ કરે છે. વિહાણમાં – વિધાન માર્ગણા- વિશેષ અપેક્ષાએ અર્થાત્ ગ્રહણ કરેલા સ્કંધોમાંથી પ્રત્યેક સ્કંધના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની પ્રથકુ-પંથક વિવક્ષા કરવી તે વિધાન માર્ગણા છે. તે સ્કંધ એક ગુણ કાળો, બે ગુણ કાળો યાવતુ અનંતગણ કાળો હોય શકે છે. આ રીતે પ્રત્યેક વર્ણાદિમાં અનંતગુણ સુધીની યોગ્યતા હોય છે.
જીવ આહાર યોગ્ય જે પગલોને ગ્રહણ કરે છે તે અનંતપ્રદેશી ઢંધ જ હોય છે. અનંતપ્રદેશી સ્કંધમાં એક, બે કે ત્રણ સ્પર્શ હોતા નથી તેથી આત્મપ્રદેશો સાથે સ્પષ્ટ ચારસ્પર્શીથી આઠસ્પર્શી સુધીના પુલોને જીવ સર્વાત્મપ્રદેશોથી ગ્રહણ કરે છે.
નૈરયિકો અશુભ કર્મના ઉદયે અશુભ પુદ્ગલોને જ ગ્રહણ કરે છે અને તેનું પરિણમન પણ અશુભ જ થાય છે. તે પ્રાયઃ કાળા અને નીલાવર્ણવાળા,દુરભિગંધવાળા, તીખા અને કડવા રસવાળા તથા કર્કશ,ગુરુ, શીત અને રૂક્ષ સ્પર્શવાળા પુગલોને ગ્રહણ કરે છે. તે ગ્રહણ કરેલા પુદ્ગલોના જે વર્ણ, ગંધ આદિ હોય, તેનો પણ નાશ થઈને અશુભ વર્ણાદિ રૂપે પરિણત થાય છે.
સUM- પ્રાય:, આ શબ્દપ્રયોગ બહુલતા સૂચક છે, તેથી કોઈક નારકી ક્યારેક શુભ મુગલોનો
ન માર્ગણા- વિશેષ અપાત વિધાન માર્ગણા છે. તે જોતા હોય છે.