Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧ : શ્રમણોપાસક આનંદ
૩૫
કરવું જોઈએ નહીં. તે આ પ્રમાણે છે– (૧) ઊર્ધ્વદિક્ પ્રમાણાતિક્રમ (૨) અધોદિક્ પ્રમાણાતિક્રમ (૩) તિર્યદિક્ પ્રમાણાતિક્રમ (૪) ક્ષેત્રવૃદ્ધિ (૫) સ્મૃત્યંતર્ધાન.
વિવેચનઃ
(૧) ઊર્ધ્વદિક્ પ્રમાણાતિક્રમ : ઊર્ધ્વદિશા—ઊંચાઈ તરફ જવાની મર્યાદાનું ઉલ્લંઘન. (૨) અધોદિક્ પ્રમાણાતિક્રમ : નીચે તરફ કૂવા, ખાણ વગેરેમાં જવાની મર્યાદાનું ઉલ્લંઘન. (૩) તિર્યદ્ઘિક્ પ્રમાણાતિક્રમ : તિરછી દિશાઓમાં જવાની મર્યાદાનું ઉલ્લંઘન. (૪) ક્ષેત્ર વૃદ્ધિ : વ્યાપાર, યાત્રા વગેરે માટે કરેલી મર્યાદાનું ઉલ્લંઘન. (૫) સ્મૃત્યંતર્ધાન : પોતાના દ્વારા કરેલી દિશાઓ વગેરેની મર્યાદાને યાદ ન રાખવી, ભૂલી જવું તે આ વ્રતના અતિચાર છે.
ચોથા અતિચારના મૂલપાઠમાં ક્ષેત્રવૃદ્ધિ શબ્દ છે. તેનો અર્થ આ પ્રમાણે પણ થાય છે– જાણી જોઈને કરેલી મર્યાદાને એક દિશામાં ઘટાડી બીજી દિશામાં વૃદ્ધિ કરવી.
વ્રત ગ્રહણના પ્રસંગમાં જો કે દિશાવ્રત અને શિક્ષાવ્રત ગ્રહણ કરવાનો ઉલ્લેખ નથી. તો પણ આ વ્રતોનું ગ્રહણ સમજી લેવું જોઈએ કારણકે પહેલાં આનંદે કહ્યું છે કે ટુવાલકવિ સાવયધમ્મ પકિવન્ગિલ્લામિ બાર પ્રકારનો શ્રાવકધર્મ અંગીકાર કરીશ અને પછી પણ દુવાતસવિદ સાવધિમં ડિવન્તર્ બાર પ્રકારના શ્રાવક ધર્મને અંગીકાર કરે છે. આ પ્રમાણે પાઠ છે. ટીકાકારે સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે સામાયિક વગેરે શિક્ષાવ્રત અલ્પકાલ માટે કરવા યોગ્ય હોવાથી આનંદે તે સમયે તે વ્રતો ગ્રહણ કર્યાં ન હોય અથવા તે વ્રતોના પાઠ વર્તમાને ઉપલબ્ધ ન રહ્યા હોય.
ઉવભોગ પરિભોગ પરિમાણ વ્રતના અતિચાર :
५४ तयाणंतरं च णं उवभोगपरिभोगे दुविहे पण्णत्ते, तं जहा- भोयणओ य कम्मओ य । तत्थ णं भोयणओ समणोवासएणं पंच अइयारा [ पेयाला] जाणियव्वा ન સમાયરિયવ્વા, તું બહા- સચિત્તાહારે, સચિત્ત-પલિબદ્ધાહારે, અપોલહિમવહળવા, दुपक्कोसहि-भक्खणया, तुच्छोसहि-भक्खणया; कम्मओ णं समणोवासएणं पण्णरस कम्मादाणाई जाणियव्वाई, ण समायरियव्वाइं, तं जहा- इंगालकम्मे वणकम्मे, સાડીમ્મે, માડીમ્મુ, જોડીમ્મે, તવાળો, લવવવાોિ, રસવાળિો, વિશવાળિો, સવાળિો, ખંતપીત્તળમ્મુ, પિત્ત્તછળમ્મુ, વાિવાવળયા, સ-૬૪तलाय- सोसणया, असइ - जण - पोसणया ।
શબ્દાર્થ:- જન્માવાખારૂં = વધારે કર્મનું ગ્રહણ જેનાથી થાય તે કર્માદાન સરવહતાયસોલળયા = સરોવર, તળાવ વગેરે સ્થાનોને સુકાવી દેવાં અસ-ગળ-પોલળવા = શોખથી હિંસક પશુઓનું પોષણ કરવું વગેરે.
ભાવાર્થ :ઉવભોગ પરિભોગ બે પ્રકારના કહ્યા છે. ભોજનની અપેક્ષાથી તથા કર્મની અપેક્ષાથી. શ્રાવકે ઉવભોગ પરિભોગ વ્રતના પાંચ [મુખ્ય] અતિચાર જાણવા જોઈએ, તેનું આચરણ કરવું નહીં. તે આ પ્રમાણે છે– (૧) સચિત્ત આહાર (૨) સચિત્ત પ્રતિબદ્ધ આહાર (૩) અપક્વ ઔષધિ ભક્ષણ (૪) દુષ્પધ્વ ઔષધિ ભક્ષણ (૫) તુચ્છ ઔષધિ ભક્ષણ.