________________
૮૦/૧૫૯
છે સમવાય-૮૦
— * — * —
• સૂત્ર-૧૫૯ :
અરિહંત શ્રેયાંસ ૮૦ ધનુષુ ઉંચા હતા.. ૭ ત્રિપૃષ્ઠ વાસુદેવ ૮૦-ધનુષ ઉંચા હતા.. • અચલ બળદેવ ૮૦ ધનુપ ઉંચા હતા.. ૰ ત્રિપૃષ્ઠ વાસુદેવ ૮૦ લાખ વર્ષ મહારાજા રહ્યા.. ॰ બહુલ કાંડ ૮૦,૦૦૦ યોજન બાહલ્સથી છે.. છ દેવેન્દ્ર દેવરાજ ઈશાનને ૮૦,૦૦૦ સામાનિક દેવો છે.. ૦ જંબૂઢીપમાં ૧૮૦ યોજન જતાં ઉત્તરદિશામાં ગયેલો સૂર્ય પ્રથમ ઉદયને કરે છે.
• વિવેચન-૧૫૯ -
૮૦મું સ્થાનક - શ્રેયાંસ, ૧૧માં જિન.. ૭ ત્રિપૃષ્ઠ, શ્રેયાંસજિનના કાળે થયેલ પ્રથમ વાસુદેવ તથા અચલ પ્રથમ બલદેવ હતા.
ત્રિપૃષ્ઠ વાસુદેવનું સર્વાયુ ૮૪ લાખ હતું, તેમાં ચાર લાખ વર્ષ કુમારપણે, બાકીના મહારાજાપણે થયા.. ૦ રત્નપ્રભા પૃથ્વીનું બાહલ્સ ૧,૮૦,૦૦૦ યોજન છે. તેના ત્રણ કાંડ છે, તેમાં પહેલો રત્નકાંડ સોળ પ્રકારના રત્નમય છે, તેનું બાહલ્ય ૧૬,૦૦૦ યોજન છે, બીજો પંકકાંડ-૮૪,૦૦૦ યોજન છે, ત્રીજો અબહુલકાંડ ૮૦,૦૦૦ યોજન છે.. ૦ જંબૂદ્વીપમાં ૧૮૦ યોજન પ્રવેશીને ઉત્તર દિશામાં ગયેલ સૂર્ય સર્વાન્વંતર મંડલમાં ઉગે છે.
સમવાય-૮૦-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૧૩૧
જ સમવાય-૮૧
— * - * —
- સૂત્ર-૧૬૦ -
નવ નવમિકા ભિક્ષુપ્રતિમા ૮૧ સમિદિને, ૪૦૫ ભિક્ષા વડે યથા સૂત્ર યાવત્ આરાધિતા થાય છે. • અરિહંત મુને ૮૧૦૦ મનઃ પવિજ્ઞાની હતા.. ૦ વિવાહપ્રાપ્તિમાં ૮૧-મહાયુગ્મશત છે.
• વિવેચન-૧૬૦ ઃ
૮૧મું સ્થાનક - જેમાં નવ નવક દિન હોય, તે નવનવમિકા કહેવાય. નવ નવકમાં નવ દિનોનું નવક હોય છે. આ ભિક્ષુપ્રતિમામાં ૮૧-રાત્રિદિન હોય છે, કેમકે નવ નવકના ૮૧ દિન થાય. પહેલા નવકમાં હંમેશા એક-એક ભિક્ષા લેવાની છે, એ રીતે એક-એકની વૃદ્ધિથી નવમાં નવકમાં નવ-નવ ભિક્ષા થાય, સર્વે મળીને કુલ ૪૦૫ ભિક્ષા થાય છે. - - ૪ - ભિક્ષા એટલે દત્તિ. યથાસૂત્ર-સૂત્રનું ઉલ્લંઘન ન કરીને અહીં યાવત્ શબ્દ છે, તેથી થાકલ્પ, યથામાર્ગ, યથાતત્ત્વ કાયા વડે સમ્યક્ દૃષ્ટ, પાલિત, શોભિત, તીરિત, કીર્તિત આજ્ઞા વડે આરાધિત થાય છે, તેમ જાણવું.
વ્યાખ્યા પ્રતૃપ્તિમાં ૮૧ મહાયુગ્મ શત કહ્યા. અહીં ‘શત' એટલે અધ્યયન કહેવાય છે. તે કૃતયુગ્માદિ લક્ષણરાશિ વિશેષ વિચારરૂપ છે. તે અહીં અંતર અધ્યયનના સ્વભાવ અને અવગમથી જાણવા.
સમવાય-૮૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૧૩૨
સમવાય-૮૨
— x — * -
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
- સૂત્ર-૧૬૧ :
જંબુદ્વીપ દ્વીપમાં ૧૮૨ મંડલ છે, જેમાં સૂર્ય બે વખત સંક્રમીને ગતિ કરે છે, તે આ રીતે – બહાર નીકળતો અને પ્રવેશ કરતો.. • શ્રમણ ભગવંત મહાવીર ૮૨ રાત્રિદિન વીત્યા ત્યારે એક ગર્ભથી બીજા ગર્ભમાં લઈ જવાયા.. • મહાહિમવંત વર્ષધર પર્વતના ઉપરના ચરમાંતથી સૌગંધિક કાંડના નીચેના
ચરમાંત સુધી ૮૨૦૦ યોજન અબાધાએ અંતર છે. એમ રૂકિમનું છે. • વિવેચન-૧૬૧ :
=
૮૨મું સ્થાનક - જંબૂદ્વીપમાં ૧૮૨ મંડલ-સૂર્યનો ગમન માર્ગ છે. તે મંડલ ક્યા ? જે મંડલમાં સૂર્ય બે વખત પ્રવેશીને ગતિ કરે છે. તે આ રીતે – જંબુદ્વીપમાંથી નીકળતા અને જંબુદ્વીપમાં પ્રવેશતા. ભાવાર્થ આ રીતે – સૂર્યના ૧૮૪ મંડલો છે,
તેમાં સત્યંતર અને સર્વબાહ્ય મંડલમાં એક જ વાર પ્રવેશ કરે છે. બાકીના બધાં મંડલોમાં બે વાર પ્રવેશે છે. અહીં ૮૨ની વિવક્ષા જ હોવાથી ૮૨માં સ્થાનકમાં કહ્યું છે, એમ જાણવું. જો કે જંબુદ્વીપમાં ૬૫-જ મંડલો છે, તો પણ જંબુદ્રીપાદિક સૂર્યની ગતિનો વિષય હોવાથી બાકીના મંડલો પણ જંબુદ્વીપ વડે જ વિશેષિત કરાયા છે. અષાઢ સુદ-૬થી ૮૨ રાત્રિદિન ગયા અને ૮૩મો રાત્રિદિને એટલે આસો વદ૧૩. ગર્ભથી-દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીથી, ગર્ભમાં-ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષીમાં દેવેન્દ્રની આજ્ઞાનો અમલ કરનારા હરિણેગમેષી નામના દેવ વડે લઈ જવાયા. આ
સૂત્ર ૮૨ રાત્રિદિનને આશ્રીને ૮૨માં સ્થાનમાં કહેવામાં આવ્યુ છે, ૮૩માં રાત્રિદિનને
આશ્રીને ત્યાં પણ કહેશે.
મહા હિમવંત નામે બીજો વર્ષધર પર્વત ૨૦૦ યોજન ઉંચો છે. તેના ઉપલા ચરમાંતથી સૌગંધિક કાંડનો નીચેનો ચરમાંત ૮૨૦૦ યોજન છે, તે આ રીતે – રત્નપ્રભા પૃથ્વીના ત્રણ કાંડ છે – ખરકાંડ પંકકાંડ, અદ્બહુલકાંડ. તેમાં પહેલો કાંડ ૧૬-પ્રકારે છે – [૧ થી ૪] રત્ન, વજ્ર, વૈર્ય, બોહિતારૂ કાંડ, [૫ થી ૮] મસારગલ્લ, હંસગર્ભ, પુલક, સૌગંધિક કાંડ, [૯ થી ૧૨] જ્યોતીસ, એંજન, અંજનપુલક, રજતકાંડ, [૧૩ થી ૧૬] જાતરૂપ, અંક, સ્ફટિક, રિષ્ઠ કાંડ. આ સર્વે કાંડ પ્રત્યેક ૧૦૦૦ યોજન
પ્રમાણ છે. તેમાં સૌગંધિક કાંડ આઠમો હોવાથી ૮૦૦૦ યોજન થયા. મહાહિમવંત ૨૦૦ યોજન ઉંચો છે, તેથી ૮૨૦૦ યોજન થયા... એ જ પ્રમાણે રુકમી નામક પાંચમો વર્ષધર પર્વત પણ કહેવો. કેમકે તે મહાહિમવંત જેટલો જ ઉંચો છે.
સમવાય-૮૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ