Book Title: Acharya Vijaykesharsuri Jivanprabha
Author(s): Devvijay Gani
Publisher: Vijaykamal Keshar Granthmala

View full book text
Previous | Next

Page 149
________________ (13) * 153 મનુષ્યની જેવી ભાવના જેવા રૂપમાં વિસ્તૃત થાય છે તેવા રૂપમાં લય પામે છે. તેવાજ ગુણદોષ પોતાના માટે પ્રગટ કરે છે. જેવું ચિંતવન, જેવું વચન અને જેવું આચરણ તે તેવારૂપે તેને બદલે અવશ્ય આપે છે. 154 જેની દષ્ટિ જગતના દશ્ય પદાર્થોને ભેદી, નિત્ય અને અનિત્ય વસ્તુઓના વિવેકને સમજી, લોકેની નિન્દા કે સ્તુતિની ગણના ન કરતાં માત્ર તત્ત્વને જ વળગી રહે છે, તેજ . જગતને ખરેખર દા છે. 155 ઈચ્છારહીત મનુષ્યજ કાંઈક કરી શકે છે. કેઈના શીર પર દોષ આરોપ ન કરે. 156 સુખ પછી દુઃખ આવે છે. આગળ વધેલાઓને દુઃખ વધારે આવે છે, તે ભાનભુલાવવા આવે છે. આ કસોટી છે. 157 આત્મા સુખ દુઃખ બનેની પાછળ છે, આ અવસ્થાઓ છે. તે ઓલંઘવી જ જોઈએ. આત્મા ઉપર ઉભા રહે. 158 સ્તુતિમાં આનંદ લે તો નિંદાથી ખેદ પણ લેગ, જીવન અને મરણ બંને માયા છે. 159 ઈશ્વરઆધિન, અથવા કર્માધિન જીવન ગુજારે. 160 તેમને કામ આવે એમ નહિ પણ હું તેને કામ આવું, = સામે મને ચાહે એમ નહિ, પણ મારે તેને ચાહવું જોઈએ. . 161 એ મારે ત્યાગ કરી શકે, હું તેને ત્યાગ ન કરી શકું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170