Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 299
________________ ૨૯૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ તેઓએ સેકેટીસને વિષને હાલે પી જઈને મૃત્યુને શરણે જવાની સજા ફટકારી દીધી. સેકેટીસને તે આ સજા સાંભળી કંઈજ ન થયું કેમકે તેને કાયાની માયા વળગી જ ન હતી. સેક્રેટીસના એક શિષ્ય પૂછયું કે ગુરુજી આપને મૃત્યુની જરાયે બીક નથી લાગતી? સેકેટીસ કહે મૃત્યુની બીક શું? તે કેઈ અમંગળ ઘટના નથી. એક દિવસ તે આ કાયાને ત્યાગ કરીને જવાનું જ છે. આત્મા તે અમર છે. તે આ ખેળીયું છડી બીજા ખાળીયામાં પ્રવેશ કરશે. પછી મારે મૃત્યુની બીક શેની? અને ખરેખર સેક્રેટીસે વિષનો પ્યાલો પીધે ત્યારે જાણે કાયાની કેઈપણ પ્રકારની મમતા કે માયા ન હોય તેવી શાંતિથી ઝેર ગટગટાવી ગયા. આવા જીવાત્માને માટે GIT વોસિરાનિ ઘણુંજ સહેલું છે. એક વખત આત્માએ કાયા ઉપરને માલિકી ભાવ છેડી દીધે-પછી તેને કેઈપણ પરિષહ કે ઉપસર્ગ ચલાયમાન કરી શક્તા નથી. કાયોત્સર્ગ આવશ્યકમાં સદા ઉદ્યમવંત રહેવા માટે ઠાણેણું (કાય ગુપ્તિ) મેણેણું (વચન ગુપ્તિ) ઝણેણું (મને ગુપ્તિ) ધારણ કરી નિજ સવરૂપે સદા મગનમાં રહેવું. ખરેખર ધન્ય છે ગજસુકુમાલ-મેતારજ મુનિવર–સુકેશલ મુનિ આદિ મહાત્માઓને જેઓ કાયાના મમત્વને છોડી, આતમ ધ્યાને લીન બની કાયોત્સર્ગ આવશ્યકની સાધનાના પથ પર ચાલતા મેક્ષમહેલમાં પ્રવેશી પિતાના શ્રેયને પામનારા બન્યા.

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364