Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 339
________________ ૩૩૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ કે કેમ કે જે તિથિ આરાધનામાં બીજી તિથિ માનવામાં આવે તે. (૧) આજ્ઞાભંગ (૨) અનવસ્થા (૩) મિથ્યાત્વ (૪) વિરાધના આ ચાર બે લાગે છે. હવે પર્વતિથિની આરાધના તે કરવી જ છે. કેમ કે પરભનું ભાથું બાંધવા આયુષ્યને બંધ પડે ત્યારે દુર્ગતિ નક્કી ન થઈ જાય તે માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે. અહીં એક પ્રશ્ન થાય કે વર્તમાન કાલે પંચાંગમાં જ્યારે જ્યારે તિથિની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે શું કરવું ? ઉમાસ્વાતિ મહારાજાએ એક પદ આપ્યું. क्षये पूर्वा तिथि कार्या वृद्धौ कार्या तथोत्तरा • તિથિને ક્ષય આવેલ હોય ત્યારે તેની આરાધના કરવા પૂર્વની તિથેિ કરવી. એટલે કે આઠમના ક્ષયે સાતમને ક્ષય ગણી આઠમની આરાધના કરવી. ચૌદશને લય પંચાંગમાં દેખાય ત્યારે તેરસને ક્ષય માની પાક્ષિક પ્રતિકમણ કરવું. તિથની વૃદ્ધિ આવે ત્યારે ઉત્તર એટલે કે પછીની તિથિની આરાધના કરવી મતલબ કે પંચાંગમાં બે ચૌદશ દેખાડે ત્યારે પૂર્વની તિથિ તેરસ બે ગણુ બીજી ચૌદશની આરાધના કરવી. પર્વતિથિએ પરભવનું ભાથું બાંધવા એટલે કે આયુષ્યના બંધ માટે અને તિથિ આરાધના ન થયાના પ્રાયશ્ચિતથી બચવા માટે પૌષધાદિની આરાધના પૂર્વક પર્વ આરાધે * (નોંધ :- તિથિ વિષયક વિવાદને મહત્વ આપી આ વિષય ન વિચારવાન ચર્ચવા વિનંતી)

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364