Book Title: $JES 202G Jain Katha Sangraha
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

Previous | Next

Page 100
________________ 100 ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ સાધુઓએ આ જોયું અને કહ્યું, “ઓ અઇમુત્તા, તું ક્યાં જાય છે? એ જગ્યા તો કેવલી મુનિ માટે છે. માટે જ્યાં બીજા સાધુઓ બેઠા છે ત્યાં જઈને બેસો.’’ મહાવીરસ્વામીએ તરત જ કહ્યું, “સાધુઓ, કેવલી મુનિનું તમે અપમાન ન કરો. અઇમુત્તા મુનિ હવે કોઈ સામાન્ય સાધુ નથી. જ્યારે ઇરિયાવહીયા કરતા હતા ત્યારે જ તેમના ઘાતી કર્મોનો નાશ થયો છે અને તેઓ કેવલી બન્યા છે.’’ સાધુઓને તેમની ભૂલ સમજાઈ તેમને વંદન કરવા લાગ્યા. અને વિચાર્યું “કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઉંમરનો કોઈ બાધ નથી હોતો. અંતે બાલમુનિ અઇમુત્તાને ભવોભવના ફેરામાંથી મુક્તિ મળી. જૈન ધર્મ સમજ્જા અને તેના પાલન માટે ઉંમરની કૉઈ માઁદા નથી. પણ તેને માટે સાચી શ્રદ્ધા, સમજ અને જૈનધર્મના સિદ્ધાંતો સમજ્જા અને અમલમાં મૂકવા માટેની ધીરજ મહત્વના છે. આપણે ભૂલો કરીએ છીએ અને ખોટાં કર્મો બાંધીએ છીએ. તે ભૂલો પછી સહેતુક હોય કે અજાણતાં થત હોય. એ શક્ય છે કે કર્માંના લીધે અજાણતાં થયેલી ભૂલોને સાચા અને હૃદયપૂર્વકના પ્રાયશ્ચિતથી સુધારી શકીએ. ગમે તેમ પણ પાછળથી પ્રાયશ્ચિત કરી ભૂલો સુધારીશું તેમ માનીને કૉઈએ જાણી જોઈને સહેતુક ભૂલો ન કરવી જોઈએ. આવું પ્રાયશ્ચિત વ્યર્થ છે. જૈન ક્થા સંગ્રહ

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160