Book Title: Papni Saja Bhare Part 06
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/001491/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અદUાદા6 પગ્રહ કધ અપાવાદ પ્રાણપત HIST માયા લોભ રાણ SCIE અભ્યાખ્યાન | \sી તરી TE પરસ્પરિંવાદ મિથ્યાત્વ શક્ય © પ્રવચનકાર છે પૂ.અ7. શ્રી સુબોટલ્સle.મ. GYZ વિજેટ દૂ. ૫૨Z68 977 અ321વિજય. મ. માયામુપાવાદ પર રિ Furu A3181 CUI નગર દેવગત II HS]ષ્યગતિ Sષ્ટગીત Akilllllllll તિરાગ ચારીથી કેમ અને કેવી રીતે બચશો ? વિ. સં. ૨૦૪૫ - તા. ૨૦-૮-૮૯ શ્રાવણ વદ ૪ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૬ કું ત્રીજું પાપસ્થાનક “અદત્તાદાન” ચેરીથી કેમ અને કેવી રીતે બચશે? પરમ પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય પરમપિતા પરમાત્મા ચરમ તીથપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણકમળમાં નમક.૨પૂર્વક કથન કરૂં . दूरे परस्य सर्वस्वमपहर्तुमुपक्रमः । उपाददीत नादत्तं तृणमात्रमपि क्वचित् ॥ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યશ્રીએ ચગશાસ્ત્રમાં પ્રકાર્યું છે. કે અન્ય કેઈની ધન-સંપત્તિ આદિ સર્વસ્વનું અપહરણ કરવું તે તે ઠીક પણ માલિકને પૂછયા વગર એક ઘાસનું નાનું તણખલું પણ લેવું જોઈએ નહિ. તે પ્રયન કે સુદ્ધાં વિચાર પણ કરવું જોઈએ નહિ. સંસારમાં આદાન પ્રદાનનો વ્યવહાર – જીવ-અજીવથી ભરપૂર આ સમસ્ત સૃષ્ટિમાં જીવ અનંત છે અને પુદ્ગલજન્ય – પગલિક – ભૌતિક પદાર્થો પણ અનંત છે. મનુષ્યને સામાજિક પ્રાણી કહેવામાં આવે છે. તે પગલિક – જડ – ભૌતિક પદાર્થોને ભક્તા – ઉપલેક્તા છે. જડ પદાર્થોમાં જ્ઞાન દશનાદિ ગુણે. નથી. સુખ કે દુઃખની અનુભૂતિ પણ નથી કે કઈ સ્વયં પ્રવૃત્તિ નથી, જીવ માત્ર સુખદુઃખનો અનુભવ કરે છે. તેમાં સુખની પ્રાપ્તિ અને દુખથી નિવૃત્તિ માટે તે સદા પ્રયત્નશીલ હોય છે. માનવને વિશિષ્ટ વિચાર શક્તિ સહિત વાચા હેવાથી તે વિશેષ પ્રયત્ન કરે છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ઈષ્ટ – પ્રિય પદાર્થોની પ્રાપ્તિ સુખરૂપ માનીને અને અનિષ્ટ – અપ્રિય પદાર્થોને દુઃખરૂપ માનીને તે પ્રવૃત્તિ કે નિવૃત્તિ માટે સતત પ્રયત્નશીલ હોય છે. જો કે શુભા-શુભ, ઈષ્ટ–અનિષ્ટ, પ્રિય-અપ્રિય પદાર્થોની પ્રાપ્તિ કે નિવૃત્તિ પૂર્વના શુભા-શુભ. પુણ્ય–પાપરૂપ કર્મોને આધીન છે. છતાં દરેકની તીવ્ર ઈચ્છા – તૃષ્ણા પિતાને આધીન છે. ઈચ્છા કરવામાં કઈ કઈને રોકી શકતું નથી. તે માટે કેઈના ઉપર નિયંત્રણ થઈ શકતું નથી. તે જીવ સ્વયે પિતાને સ્વાધીન છે. બાહ્ય સુખની પ્રિયતાને કારણે મનુષ્ય પદાર્થોને ભક્તા બને છે. ભક્તાને પદાર્થ પ્રત્યે તીવ્ર રાગ હોય છે. એ તીવ્ર રાગ પદાર્થની પ્રાપ્તિ માટે ભક્તા પાસે ભારે પરિશ્રમ કરાવે છે. કારણ કે મનુષ્યની એ નબળાઈ છે. તે પોતામાં ઉત્પન્ન થયેલા રાગને શમાવી શકતું નથી. ઈચ્છાને નિરોધ કરી શકતા નથી. અથવા તે તીવ્ર રાગને વૈરાગ્યમાં પરિવર્તન કરી શકતું નથી. માટે રાગાધીન, ઈચ્છાગ્રસ્ત માનવી ઈષ્ટ પદાર્થને પ્રાપ્ત કરવા માટે ઉત્તેજિત બને છે. પછી તે તેનું મન તે પદાર્થો પાછળ વિવશ બને છે. અને તે વસ્તુ પ્રાપ્ત કરવા જીર પિતાના સર્વ ચક્રને–પ્રક્રિયાને ગતિમાન કરે છે. ગૃહસ્થ-સંસારીને વ્યવહાર નિર્વાહમાં કઈ વસ્તુની આવશ્યકતા નથી હોતી? દરેકને દુનિયાભરના પદાર્થો પ્રાપ્ત કરવાની, સોયથી માંડીને તલવાર સુધીની સઘળી વસ્તુઓ પ્રાપ્ત કરવાની આકાંક્ષા હોય છે. તેથી તો તેને ગૃહસ્થ – ઘરમાં રહેવાવાળે કહેવાય છે. ઘરને અર્થ છે ખાવા – પીવા, સૂવા-બેસવા માટે અનેક પ્રકારની સુવિધાઓનું સંગ્રહસ્થાન ઘર માટે સંસ્કૃતમાં “ગૃહ શબ્દ પ્રયુક્ત છે. સંસારમાં દરેક ગૃહસ્થને દુનિયાભરની સઘળી વસ્તુઓની આવશ્યકતા – આકાંક્ષા હેય પણ તે સવની પ્રાપ્તિ કેવી રીતે સંભવ બને? વળી આવશ્યકતા પ્રમાણે પણ સર્વ વસ્તુ દરેકને મળે તે પણ સંભવ નથી. આવી સામાજિક પરિસ્થિતિને કારણે ગૃહસ્થના જીવન વ્યવહારમાં વસ્તુમાં આદાન પ્રદાનની પ્રક્રિયા થઈ. એક કાળે ધન-નાણાંને વ્યવહાર નહતા ત્યારે વસ્તુના આદાન પ્રદાનથી આવશ્યક વસ્તુઓની પ્રાપ્તિ સહેલાઈથી થતી હતી. જેમકે અનાજના બદલામાં ફળ લેવા, ફળના બદલામાં કપડા લેવા, સેના જેવા પદાર્થના બદલામાં આવશ્યકત વસ્તુઓ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ મેળવી લેવામાં આવતી ત્યારે માનવ જીવનમાં આજના જેવી આધિ, વ્યાધિ કે ઉપાધિ ન હતી. સમાજ સુખી અને સંતુષ્ટ હતો. સમાજ વ્યવસ્થા હતી. પરંતુ માનવ જેમ જેમ આવશ્યક્તાઓ વધારતે ગયો તેમ તેની સાથે લોભ વૃત્તિ પણ વૃદ્ધિ પામતી ગઈ. આને કારણે આદાન-પ્રદાનના વ્યવહારમાં અન્યાય, અનીતિ, અસમાનતા વધતી ગઈ, તેને પરિણામે વરતુથી વસ્તુનું આદાન-પ્રદાન થતું તેને બદલે નગદ નાણાંના વ્યવહારને પ્રારંભ થયો. પછી તો અનાજ કપડાં સર્વ વસ્તુમાં રૂપિયા આદિનું ચલણ વિકાસ પામ્યું આથી વસ્તુને સંગ્રહ કરવાને બદલે લેકે રોકડ રકમને સંગ્રહ કરવા લાગ્યા અને તેમાં વધુ સુરક્ષિતતા અને સ્વાધીનતા માનવામાં આવી તેની સાથે માનવમાં ધનની લોલુપતા મમત્વ પણ વધતા ગયા. વિચારો ! જ્યારે માનવ વસ્તુથી વસ્તુનું આદાન પ્રદાન કરતે હતું ત્યારે તેની વૃત્તિઓ સમતા યુકત અને સીમિત હતી. તે સમજાતે હિતે કે વધુ અનાજ સંગ્રહ કરવાથી શું ફાયદો છે? વળી તે સડી જવાની ભીતિ હતી અને તે વસ્તુ જોઈએ ત્યારે મળી રહેશે તેમ નિશ્ચિત હતા. આથી જે કંઈ વસ્તુની જરૂર પડે તે વસ્તુના વ્યવહારથી નભી જતું હતું. તેના ફળ સ્વરૂપે તે સમયને સદ્દઉપયોગ કરી ધર્મ ધ્યાન, પ્રભુભક્તિમાં પ્રવૃત્ત થઈ પવિત્ર જીવન ગાળવા ઉત્સુક હતે. પરંતુ ધનના સામ્રાજ્ય માનવ મનને એવું પ્રભાવિત કર્યું કે હવે તે તેની ભક્તિ કરવા લાગી ગયે. આવશ્યક વસ્તુઓના સંગ્રહને બદલે વ્યથ વસ્તુના સંગ્રહમાં રાચવા લાગે. સાર્થક વસ્તુ તે ઠીક પણ નિરર્થક સંગ્રહમાં મેટાઈ માનવા લાગ્યો અને તેને સંગ્રહ અમર્યાદિત થતે ગયે. જાણે કે તેને અંત જ નહિ હોય? માનવની ઈચ્છાને અંત છે? નહિ તે પછી સંગ્રહ તે વધતો જશે. વળી સમાજમાં અન્યોન્ય સ્પર્ધાત્મક જીવન એવું બનાવ્યું છે કે પ્રત્યેક માનવે પોતાને અન્ય કરતાં વધુ શ્રીમંતાઈવાળે ગણાવામાં સ્પર્ધાની હેડમાં દોડ મૂકી છે. જો કે તે સર્વે કંઈ એક ગતિથી દોડી શકવાના નથી. છતાં સમસ્ત વિશ્વમાં માનવે ઘડિયાળની ગતિ કરતાં પણ વધુ તેજ ગતિથી દોડની સ્પર્ધા લગાવી છે. અરે! દોડવાની વાત જવા દે ઉડવા માંડયું છે. જરા ઊભા Page #5 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ રહો, વિચારો! આખરે શા માટે દેડી રહ્યા છે? કેના માટે દેડી– ઉડી રહ્યા છે ? અને તેનું આખરી પરિણામ શું છે? એક બાજુ માનવે આવશ્યક્તાએ વધારી, ખર્ચ વધાર્યું અને બીજી બાજુ એટલી આવક વધી નહિ તે તે મર્યાદિત રહી, ઘટતી ગઈ કે તૂટતી ગઈ. આવું રાજકીય કે પારિવારિક અર્થતંત્ર કેવી રીતે ચાલશે ? કયાં સુધી ચાલશે? આ પ્રકારે કરજ વધ્યા કરે તે સમાજ કે દેશ ડૂબી જશે અને આખરે લોકમાનસ ચિારીને માર્ગ લેશે. દત્તાદાન અને અદત્તાદાન અ ન્ય લેવું-દેવું આદાન પ્રદાનને વ્યવહાર માનવને ધર્મ હતા. સંસ્કૃતમાં “ર” (જી) ધાતુ દેવા આપવા અર્થમાં છે તેનાથી દાન શબ્દ થયે દાન દેવું ‘જાદુ' અને “” ઉપસર્ગથી “આદાન” “પ્રદાન” શબ્દો બન્યા છે. અ ન્ય આદાન-પ્રદાન એવા વ્યવહાર હતે. હવે શું લેવું ને શું આપવું? દત્ત અર્થાત્ આપેલું લેવું. જે ધન. અનાજ, કપડા વગેરે પદાર્થો આપ્યા હોય તો તેના બદલામાં આદત્તાદાનને વ્યવહાર ધર્મ હતો. કાનું આપેલું લેવું? તેને જવાબ સ્પષ્ટ છે કે કોણ આપે છે? કેઈ શું આપે છે? કેણ અને કેઈશબ્દ આપવાની ક્રિયાના કતાં રૂપે માલિક કે સ્વામી શબ્દનો સૂચક છે. હવે દાતા” દાનની ક્રિયા કરવાવાળા કોણ? સ્વામી, માલિક (દાતા) જે વસ્તુ તે આપે છે તેને તે માલિક છે, સ્વામી છે. તેથી તે વસ્તુ આપી શકે છે. અન્યથા જે વસ્તુ પર મારુ સ્વામિત્વ નથી તે વસ્તુ હું કેવી રીતે આપી શકું? તમે તમારા જમાઈના ઘરે જઈને તેની માલિકીની વસ્તુ કોઈને આપી શકે છે? તેઓ તમને તેમ કરવા દેશે ! નહિ શા માટે નહિ? તે વસ્તુ તેમની માલિકીની છે. તમારે આપવું છે તે તમે તમારી માલિકીની વસ્તુ આપ દત્તાદાન ધર્મનો અર્થ એ છે સ્વામી અથવા માલિક દ્વારા, આપેલી વસ્તુ તમે લઈ શકે છે એ શિષ્ટાચાર છે, વ્યવરચિત ધર્મ છે. હવે વિચારો તેનાથી વિપરીત શું છે? “દત્ત-આદાન = દત્તદાન તેથી ઉલટું અ+દત્ત+આદાન=અદત્તાદાન “અ” અહીં નિષેધ રૂપ છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ અદત્તાદાનને અર્થ લેવુ નહિ એ નથી. “અ” લગાવવાથી અર્થ વિપરીત થયે. અદત્તાદાનને અર્થ છે આપ્યા વગરનું લેવું. દાન દેવાવાળા સ્વામી દ્વારા ન આપવામાં આવ્યું હોય છતાં લેવું. સ્વામીની આજ્ઞા વગર લેવું, કે તેને પુછડ્યા વગર લેવું તે અદત્તાદાન કહેવાય છે. તે ચેરી શબ્દથી પ્રચલિત છે. અદત્તાદાન અર્થાત્ ચેરી સંરકૃત ભાષામાં શેરી માટે શબ્દ છે “સ્તેયવૃત્તિ ચેરી. બંનેના અર્થ આ પ્રમાણે છે. ૦ દત્તાદાન અન્ય દ્વારા આપેલું લેવું તે ધર્મ. ૦ અદત્તાદાન =આપ્યા વગર લેવું-અધર્મ ચેરી) - અસ્તેયવૃત્તિ ચોરી કરવી નહિ-ધર્મ. તેયવૃત્તિ= ચેરી કરવી-અધર્મ, ૦ પરદ્રવ્ય હરણ વિરતિ=અન્યના દ્રવ્યનું અપહરણ કરવું નહિ તે ધર્મ. o પદ્રવ્યહરણ= અન્યના દ્રવ્યનું અપહરણ કરવું–અધર્મ, શ્રાવક પ્રતિકમણુસૂત્રમાં કહ્યું છે કે તe અનુવચમ્મી, પૂઢ-પવું-- કાચરિચમપલ્થ, રૂથ પમાચ–uસોળ છે. ત્રીજા અણુવ્રતમાં પદ્રવ્ય હરણને ત્યાગ કરવાનું રહ્યું છે. પ્રમાદ વશ કે ક્રોધાદિ અપ્રશરત ભાવના ઉદયથી રસ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતના પાલનમાં કઈ પણ અતિચાર લાગે તે તેને પણ ત્યાગ કરૂં છું. આ પ્રકારે શ્રાવક પ્રતિક્રમણ સૂત્રમાં “અદત્તાદાન”નું બીજુ નામ “પદ્રવ્યહરણ” આ લેકમાં સ્પષ્ટપણે લખ્યું છે અને વિરમણ, વિરતિ આ શબ્દો તેની સાથે જોડવાથી તે જ પાપ, પુણ્યરૂપ થઈ જાય છે. તેમ અધર્મને અર્થ બદલાઈને ધર્મ અણુવ્રતનું સ્વરૂપ બને છે. જેમકે અદત્તાદાન અર્થાત્ ચેરીનું કામ કરવામાં આવે એ અધર્મ થયે. અદત્તાદાન વિરમણ લખવામાં આવે છે તે પરદ્રવ્ય હરણને ત્યાગ એટલે ધર્મ છે, પુણ્ય છે. “યુગપરદબ્રહરણવિરઈઓ સ્થૂલ–પરદ્રવ્ય-હરણ-વિરતિ (વિરમણ) અર્થાત્ સ્કૂલરૂપથી અન્યના દ્રવ્યનું હરણ કરવું તે ચોરી છે માટે તેને ત્યાગ કરું છું. અર્થાત તે ચોરી કરવારૂપ પાપ છે તેથી તેને ત્યાગ કરું છું. આ ધર્મનું સ્વરૂપ છે. ચોરીને ત્યાગ ન કરે તે પાપરૂપ હોવાથી અધર્મ છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ અદત્તાદાન–(ચેર)-તેના મુખ્ય ચાર પ્રકાર: तदाद्यं स्वामीनाऽदत, जीवादतं तथाऽपरम् । तृतीयं जिनादत्त, गुर्वदत्तं तुरीयकम् ।। બૃહદ્ અતિચારની અંદર આ ચાર ભેદ આ પ્રકારે છે. सामीजीवादत्तं, तित्थयरअदत्तं तहेवय गुरुहि । एवमदत्तं चउहा, पण्णत्तं बीयराएहि અદત્તાદાનના ચાર પ્રકાર સ્વામીઅદત્ત જીવ અદત્ત તીર્થકર અદત્ત ગુરુઅદત્ત આ ચાર પ્રકારના અદત્ત પરમાત્માએ દર્શાવ્યા છે. તેને સૂક્ષ્મ અને સ્થૂલ પ્રકારે સમજવા. સ્વામી અદત્ત-સ્વામી–માલિક વસ્તુ જેની છે તે તેનો સ્વામી છે, તે સ્વામીદત્ત=માલિકના દ્વારા આપેલું તે ઉચિત વ્યવહાર છે. જેમકે શેઠજીએ પ્રસન્ન થઈને નોકરને રૂ ૧૦૦ની રકમ આપી. માતાએ પુત્રને વસ્તુ કે નાણાં આપ્યા. કદાચ કેઈ તે પુત્રને ધમકાવીને પૂછે તે તે સ્પષ્ટપણે જણાવશે કે તે મને મારી માએ આપ્યા છે. આ રીતે મેળવેલી વસ્તુ તે ઉચિત વ્યવહાર છે. પરંતુ માલિકના આપ્યા વગર વસ્તુ લેવી તે સ્વામી અદત્ત છે, ચેરી છે, સેના, ચાંદી આભૂષણ, હીરા, મોતી, ઝવેરાત કે નાની મોટી કોઈ ચીજ સ્વામીના આપ્યા વગર લેવી તે ચોરી છે. સર્વથા તુચ્છ વસ્તુઓ જેવી કે દાંતમાં ભરાયેલા રાઈ જીરા જેવા દાણાને કાઢવાની ટાંકણ, કે ઘાસનું તણખલું, કે સળી, પગમાં ઘૂસેલે કાંટો કાઢવા માટે સેઈ પણ સ્વામીની આજ્ઞા વગર લેવી જોઈએ નહિ. તેવી તુચ્છ વસ્તુ પણ સ્વામીની આજ્ઞાથી લેવી જરૂરી છે. તે અસ્તેય. વૃત્તિને ધર્મ છે. વગર પૂછયે લેવું. આપ્યા વગર લેવું તે સ્વામી અદત્તરૂપ ચેરી છે. આ પ્રકાર સૂફમ સ્વામી અદત્ત કહેવાય છે. ભગવાન મહાવીરે શ્રમણ સાધુઓને ઉપદેશ આપતા કહ્યું છે કે दन्तसेाहणमाइस्स, अदत्तस्स विवजजण । अणवज्जेसाणिज्जतस्स, गिण्हाणा अवि दुक्कारं ।। Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૧માં અધ્યાયની ૨૭મી ગાથામાં કહ્યું છે કે દાંતમાંથી કચરો કાઢવા માટે ઘાસના તૃણની, સાવરણની સળી જેવી વસ્તુ પણ સ્વામીને પૂછયા વગર કે આપ્યા વગર લેવી નહિ. એ પ્રકારે અદત્તને ત્યાગ કરવું જોઈએ. આવી તુચ્છ વસ્તુમાં જે ભગવાને આવી કડક આજ્ઞા આપી હોય તે પછી સ્કૂલ-મેટી વસ્તુઓના વિષયમાં તે સમજી લેવું. અર્થાત્ સંયમી સાધુઓએ નિર્દોષ વસ્તુઓ શેાધીને પ્રાપ્ત કરવી જોઈએ. આ પ્રકારે સંયમી સાધુને સૂકમ અને સ્કૂલ બંને પ્રકારે અદત્તાદાનને ત્યાગ હે જરૂરી છે. કારણ કે સાધુ મહાવ્રતી છે. સ્થૂલ અદત્તાદાનના ત્યાગી શ્રાવકોનું – શ્રાવકનું ગૃહસ્થ જીવન સંસારી છે. સગા નેહીઓમાં જવું આવવું, હળવું, મળવું, તે તેના સામાન્ય વ્યવહાર છે. તે નાની-તુચ્છ વસ્તુના આદાન પ્રદાનમાં કેવી રીતે ઉપગ રાખે? કઈ સાસરે, કે મિત્રના ઘેર જાય ત્યાં તે ઘરમાં પડેલી દંત શેાધન સળી, ટાંકણી, પીન જેવી નાની નાની વસ્તુઓને વગર પૂછયે ઉપયોગ કરે છે અને કોઈ વ્યક્તિ તો ટેવને કારણે ટાંકણ જેવી વસ્તુ પૂછયા વગર લઈને ટોપીમાં બેસીને ઘરે લઈ જાય છે, તેમાં ચોરી કરવાને ઈરાદે નથી. કોઈવાર ના કાગળ લખવા માટે લેવો. આવી વસ્તુઓ પૂછયા વગર લેવામાં કઈ દુરાશય નથી અને તેથી સાસરાવાળા કે મિત્રે પણ તે વાતમાં દયાન આપતા નથી. આ એક સહજ વ્યવહાર છે. કોઈને ત્યાં મહેમાન બનીને ગયા. યજમાન ઘરમાં કંઈ કામ માટે અન્ય ઓરડામાં જાય. તે વખતે સંભવ છે કે તમે ટેવ મુજબ સામે પડેલા પાત્રમાંથી સેપારી કે કંઈ મુખવાસ ઍમા મૂકે છે. કારણ તમને એ પ્રકારે મોમાં કંઈને કંઈ નાખવાની ટેવ છે. તેથી પદાર્થ ખાઈ લીધે, વાત તે નાની છે, પણ તમે માલિકને પૂછયું છે? નહિ, અરે ! તેમાં પૂછવાનું શું? આ તે નાની સરખી ચીજ છે. તેમાં કંઈ ચેરી ડી છે? આવી ઘણી દલીલ તમે કરશો. આ એક વ્યવહાર બની ગયેલ છે. જો કે બંને પક્ષ આમાં કંઈ ખોટું માનતા નથી. વળી શાસ્ત્રકારોએ અપેક્ષાએ શ્રાવકને માટે આવા સૂક્ષ્મ અદત્તા Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ દાનના ત્યાગનું નિરૂપણ કર્યું નથી. જો કે શ્રાવકે ઉપગ રાખવે જરૂરી ખરો કે પૂછયા વગર વસ્તુ લેવી નહિ. જેથી સમાજમાં એક શિષ્ટતાની છાપ પડે છે, કે આ વ્યક્તિ શિષ્ટાચારનું ઉત્તમ પાલન કરે છે. સૂક્ષ્મ અદત્તાદાનને ત્યાગ કરે તે ઉત્તમ આદર્શ છે. વળી લોકમાં આદર સન્માન વધે છે. અર્થાત્ શુદ્ધ ઉપગ પૂર્વક સૂક્ષ્મ વસ્તુઓની ચોરીથી બચવાનો પ્રયત્ન કરે. ત્રીજા અદત્તાદાનના અણુવ્રતમાં શ્રાવક જીવનની મર્યાદા પૂલ અદત્તાદાનના ત્યાગની છે. સ્થૂલ અદત્તાદાનને ત્યાગી અને સૂમની યાતનાવાળો શ્રાવક અણુવ્રતધારી કહેવાય છે. સ્થૂલ વસ્તુઓમાં પણ જગતના અનંત પદાર્થોને સમાવેશ થાય છે. સેનું, ચાંદી, આભૂષણ, હીરા, મોતી ઝવેરાત વસ્ત્રપાત્ર વગેરે સેંકડે લાખે વસ્તુઓ સ્થૂલ પ્રકારની છે. તે વસ્તુઓના માલિકને પૂછયા વગર કે ઈચ્છા વિરુદ્ધ તે વસ્તુઓ લેવી જોઈએ નહિ. જે લે તે તે સ્થૂલ સ્વામી અદત્તને પાપને ભાગીદાર અવશ્ય બને છે. ગૃહસ્થ આવી વસ્તુઓને સારી રીતે ત્યાગ કરી શકે છે. મેટી ચેરીથી બચી શકે છે. એની પ્રતિજ્ઞા તે જરૂર કરી શકે છે. તેથી ગૃહસ્થની મર્યાદાને અનુરૂપ સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતનું નિરૂપણ કર્યું છે. સર્વજ્ઞ પરમાત્માએ શ્રાવકને ચેાગ્ય દેશ વિરતિ ધર્મને ઉપદેશ આપ્યો છેસ્થૂલ રૂપે મોટી ચારીને ગૃહસ્થ ત્યાગ ન કરે તે તે ચાર કહેવાશે અને મેટી ચોરી તેને ભારે કર્મ બંધાવશે. સામાયિકમાં વિક્ષેપરૂપ પરાઈ વસ્તુઃ લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાંની આ કથા છે. રૂ ની પૂણી કાંતીને પોતાને જીવન નિર્વાહ કરનારા પુણીયા શ્રાવક સંતેષી હતા એટલે સુખી હતા. રોજના બે આનામાં નિર્વાહ કરવાને નિયમ હોવાથી તે પતિ પત્ની બેમાંથી એકને જ ઉપવાસ થતો અને એક સ્વધર્મી બંધુને ભોજન કરાવતા. ફકત બંને માટે બે આના કમાણી કરવાને વ્યાપાર કરીને બાકીનો સમય તેઓ સામાયિકની સાધનામાં ગાળતા. એક દિવસની વાત છે. પણ શ્રાવક સામયિક કરે છે પણ મનની સ્થિરતા ટકતી નથી ચિંતન ધારામાં કંઈ વિક્ષેપ પડતો હતો. પુનઃ પુનઃ સામાયિક કરીને મનને સ્થિરતામાં લાવવાનો પ્રયત્ન કર્યો Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ પણ મન સ્થિરતા ન પામ્યું. અંતે તેમણે પિતાની ધર્મ પત્નીને પૂછયું. “આજે શું વાત છે ? આપણા નિવાસમાં કેઈનું પરધન તે ગ્રહણ થયું નથી ને?” મારી સામાયિકમાં આ વિક્ષેપ કેમ થાય છે?” ધર્મપત્ની પણ સુશ્રાવિકા હતી. તેણે પોતાની દિનચર્યાને તપાસી જોઈ અને સ્મરણ થયું કે પડોશીની સાથે બેસીને છાણું એકઠા કર્યા હતા ત્યારે તેનું એક છાણું પિતાના છાણામાં આવી ગયું હતું. તે પડોશીને પાછું આપ્યું ન હતું. પતિદેવને તેણે આ વાત જણાવી. પુણીયાજીએ કહ્યું કે, “તે એક છાણા સાથે બીજા ચાર છાણાં પડોશીને આપી આવો.છાણ પાછા પહોંચાડ્યા પછી પુનઃ પુણીયા શ્રાવક સામાયિકમાં બેઠા ત્યારે તેમની સામાયિક શુદ્ધ થઈ. વિચાર ! વાત તે નાની છે પણ તેમાં કેટલું ગૂઢ રહસ્ય રહેલું છે. એક તુછ છાણું પડોશણને પૂછ્યા વગર આવી ગયું તે સાધનામાં વિક્ષેપ થયું. તે પછી ચોરી કર્યા જ કરે છે તેનું જીવન પૂરૂં વિક્ષેપમય - ભયગ્રસ્ત કેમ ન હોય? પુણુયાજીને આવી સૂક્ષ્મ ચોરી પણ આંખમાં કણની જેમ ખૂંચી રહી હતી. પણ આજે તે સાધના જ કયાં છે કે ચોરી ખૂચે? ચોરી અજાણતા થયેલી ચોરી જાણીને કરેલી ચોરી સૂક્ષ્મ સ્વામી અદત્તની ચોરી હસી મજાકમાં કે વાતચીતમાં થઈ જાય છે. પડોશીને ત્યાં ભેજન માટે ગયા પછી વાતચીતમાં ઉપયોગ ન રહેવાથી નેપકીન જેવી વસ્તુ તમારી પાસે રહી ગઈ તે અજાણતા થયેલી ચોરી છે. જો કે ગૌણ છે. કારણ કે તમારે આશય ચોરીને નથી વળી જે ખ્યાલ આવ્યું કે તરત તમે વસ્તુ પાછી આપી દે છે અને પિતાના દોષ માટે ક્ષમા માંગીને આત્માને દેષ મુકત કરે છે પણ જે જાણીને ચોરી કરે છે તે તે ક્ષમ્ય ગણાતી નથી. પ્રતિકમણમાં કરેલી ચેરીનું પરિણામ - દષ્ટાંત એક ઉપાશ્રયમાં એક શેઠ પ્રતિક્રમણ કરવા સૌની પાછળ બેસી ગયા. વસ્ત્ર બદલ્યા. પછી ગળામાં રહેલી સેનાની કંઠી ઉતારીને Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ વજ્રમાં ગેાઠવીને મૂકી રાખી. તેવામાં એક અન્ય શ્રાવક પ્રતિક્રમણ કરવા આવ્યા અને તેણે આ કડી જોઇ લીધી. તેના મનમાં એ ક'ડી ઉપાડી લેવાની વૃત્તિ થઈ. પ્રતિક્રમણ પૂરું થયુ* કે તરત જ તેણે તે કડી ચોરી લીધી અને ત્યાંથી ભાગી ગયા. તે શ્રાવકની દશા ઘણી નાજુક હતી. વ્યાપાર ચાલતા ન હતા. જીવન નિર્વાહનુ કોઈ સાધન ન હતુ, ઘરમાં પત્ની બિમાર હતી. ખાળકોના ભાજનની પણ વ્યવસ્થા ન હતી. આવી પરિસ્થિતિમાં તેણે વિવશ થઈ કડી ચોરી લીધી, મનુષ્ય પાપ કરવા ઈચ્છતા ન હતા. છતાં તેને પરિસ્થિતિએ ચોરી કરવા પ્રેર્યાં. આથી ભગવાન મહાવીરે કહ્યુ' છુ' કે પાપીને પાપી, ચોરને ચોર, આંધળાને આંધળા, કાણાને કાણેાન કહેા. पाप से घृणा करे। पापी से नहीं, चोरी से घृणा करो चार से नहीं । ચોરી કરવી જરૂર ખરાબ છે. તેની ઘૃણા થઈ જાય. પણ ચોરી કરવાવાળી વ્યક્તિની ઘૃણા ન કર. કેઈવાર વ્યકિત સયાગને વિવશ થાય છે. કેવી પરિસ્થિતિમાં તે ચોરી કરવા પ્રેરાય છે? એના વિચાર કરા. વળી એક વાતની સંભાવના છે કે ચારી કરવાની ટેવ સુધરી શકે છે. સદ્ભાગ્યે તેના મનનુ' પરિવત ન થઈ શકે છે. એવા દૃષ્ટાંતા આપણે જાણીએ છીએ. લૂટારા વાલ્મીકિ સાધુ થયા : - વાલ્મીકિ જેવા લૂંટારા પણ એક દિવસ નાની સરખી વાતને મેધ પામી જીવનનું પરિવર્તન કરી શકચેા લૂંટના વ્યવસાય છેડી તેણે સાધુતા સ્વીકારી આજે પણ આપણે માટે તેનુ નામ અમર બન્યું છે. રામાયણ જેવા મહાગ્રંથનુ' તેમણે સર્જન કર્યુ`' છે. એક લૂંટારાનુ કેવુ" મહાન પરિવ`ન થયું તે આ દૃષ્ટાંત સૂચવે છે. માટે પાપને ધિક્કારા, વ્યકિતને નહિ. પાંચના ચારાની દીક્ષા સભવ બની ઃ – એ પાંચ નહિ પણ પાંચસેા ચોરાનું સાધુના રૂપમાં પરિવર્તન થયું' એક કાળે જ બુકુમાર યુવાનવયમાં પોતાની રૂપવાન આઠ પત્ની- Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ એને ચારિત્ર-સંયમ ધર્મને ઉપદેશ આપતા હતા. તે રાત્રિએ પ્રભવ. નામનો ચોર તેના ૫૦૦ સાથીઓ સાથે ચોરી કરવા આવ્યા. જંબુકુમારની આઠ પત્નીએ પિતૃગૃહેથી અઢળક સંપત્તિ લઈને આવી હતી. ચોરોએ ધન ચોરીને તેના પોટલા બાંધ્યા પણ ત્યાં ચોરોના નેતા પ્રભાવના કાન પર જંબુકુમારના ઉપદેશના શબ્દો પડયા. તેણે સાંભળ્યું કે આ યુવાન. આ સર્વ સંપત્તિને ત્યાગ કરીને પ્રાતઃ કાળે દીક્ષા ગ્રહણ કરવાના છે અને પત્નીઓને પણ સંસારની અસારતાને ઉપદેશ આપે છે. પ્રભવના કાને આ ઉપદેશની ઘણી ઊંડી અસર થઈ. તે મંથન કરવા લાગ્યું કે અરે ! આ કુમાર જે સંપત્તિને સવારે ત્યાગ કરવાને છે તેને શું મારે ગ્રહણ કરવી ? અને તે પણ ચોરી કરીને ? ઓહો ! તે કેવા ત્યાગી છે અને હું કે રાગી-ભોગી-ચોર છું ? અરે ! મેં જંદગીભર ચોરી કરીને શું પ્રાપ્ત કર્યું? સમાજમાં નિંદનીય કાર્યને કારણે અપમાનિત થયે. આમ મને મંથનની કરીને તેના મનનું પરિવર્તન થયું. તેણે પોતાના ૫૦૦ સાથીઓને પણ આ વાત સમજાવી પરિણામે પ્રમુખ ચોર પ્રભવ સાથે ૫૦૦ ચોરોએ આત્મ સમર્પણ કરી જે બુકુમાર સાથે સંસાર ત્યાગ કર્યો. પ્રભવ ચોર પ્રભવ સ્વામી નામે યુગપ્રધાન આચાર્ય બન્યા. આથી જ પ્રભુએ ઉપદેશ આપે છે કે કેઈને પણ ૨ કે પાપી ન કહો ચોરને આત્મા દુષ્ટ નથી તે પણ આપણા જે આતમા છે. તે પણ એક દિવસ શેતાન મટી સંત બની શકે છે. તે આત્માને હવા, પાણી, પ્રકાશની જેમ સંત સમાગમરૂપ પ્રકાશાદિની આવશ્યકતા છે. ઈતિહાસના પાના પર કેટલાયે ચેરેનું પરિવર્તન થઈ તેમના. નામ સુવર્ણાક્ષરે લખાયા છે. વ્યક્તિ કેવી પરિસ્થિતિને વશ ચોરી કરે છે તે જાણે. તે ચોરી કરે છે કે તેને સંગ ચેરી કરાવે છે? પરિસ્થિતિ તેને તેમ કરવા પ્રેરે છે. આખરે કારણ શું છે? તેથી પ્રભુએ ઉપદેશમાં જણાવ્યું કે— “પાપથી ધૃણા કરે પાપીથી નહિ, ચારીથી છૂણા કરે, ચારથી નહિ, ત્યાર પછી દુર્ભગ રંક માનવ એ હાર લઈને ઘરે આવ્યો. પતનીને હાર આપીને કહે છે આ હાર અને બાળકનું પાલન પોષણ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ કે ૪ર. પત્ની ધનિષ્ઠ હાવાથી ધર્મ પત્ની કહેવાય છે, તેણે જાણ્યુ હાર ચારી સિવાય કયાંથી લાવે? તેણે પતિને કહ્યું કે તમારુ ભાગ્ય ફૂટી ગયું છે. પ્રતિક્રમણ કરવા જેવા સ્થાનેથી ચારી કરીને આવ્યા તેના કરતા એક પાત્રમાં પાણી લઈ તેમાં નાક ડૂબાડી શ્વાસ રૂંધીને ડૂબી મરવું સારું છે. જાએ, તમારુ મુખ જોવું, પણ પાપ છે. આ હાર માલિકને પાછે આપી આવેા. ચારીનુ અન્ન ખાળકેાને ખવરાવવુ છે ? પરિણામે બાળકાના સંસ્કાર કેવા થશે? જાઆ,ચારીની વસ્તુ કાઈપણ સંજોગેામાં એક ક્ષણ પણ આપણા ઘરમાં ન જોઇ એ. હું ગમે તે પ્રકારે મજુરી કરીશ. બાળકને એકવાર લેાજન મળશે તે ચાલશે. પરંતુ ચારીના માલ તે ન જ રખાય તેને ઉપયાગ ન થાય. ધારાકે આની જગાએ આજની ધનિષ્ઠા રહિત પત્ની હેાય તે શું કરે ? દુ`ગ શ્રાવક હાર લઈને બહાર નીકળ્યા. શેઠજીને ઘરે પહેાંચે. આંખમાં અશ્રુ લાવી પેાતાના દુષ્કૃત્યની માફી માંગી અને હારની પાતે ચારી કરી હતી, તે વાત પ્રગટ કરી. હાર શેઠજીને પાછા આપ્યા. પણ આ શું? શેઠજી કહે હાર મારે નથી હું તેને સ્વીકાર નહીં કરું. દુભ`ગે ઘણા આગ્રહ કર્યા કે હાર તમારા છે. અંતે શેઠજીએ કહ્યું કે તારા નામની ચીઠ્ઠી બનાવીત આ હાર વ્યાજથી રાખું છું, તે તારી સપત્તિ ગણાશે. એમ કહીને શેઠજીએ એક હજાર રૂપિયાની થેલી દુર્લીંગના હાથમાં આપી, જુએ! નાધર્મિક પ્રત્યેની ભાવના ! આજે આવી ઉદારતા છે ? અરે ! વસ્તુ મેળવવા ચાર પર જુલમ કરે અને “મળે ત્યારે રાજી થઈને રાખી લે. બીજા દિવસે શેઠજીએ વ્યાખ્યાનમાં ઊભા થઈ ને ગુરુજી પાસે વાત રજુ કરી અને પાપનું પ્રાયશ્ચિત માંગ્યું કે હું સાધમિ ક ભાઇની જરૂરિ યાતની ખબર રાખતા નથી, તેથી તે અપરાધ મારે છે. શેઠજીની વાવ સાંભળીને દુભ ગ પણ ઉભે થઇ ગયે, તેણે કહ્યુ', 'ગુરુજી ! શેઠજી નિર્દોષ છે અપરાધ તે મારા છે. મે શેઠજીના હાર ચેાર્યાં હતા. પ્રાયશ્ચિત મને આપજો. ગુરુજીએ પણ બધી પરિસ્થિતિ સમજી લીધી. યાગ્ય ન્યાય આપવા માટે ગુરુજીએ સભાની વચમાં શેઠને પ્રાયશ્ચિત આપ્યું, અને કહ્યુ કે તમે કરોડો રૂપિયાને ધન સંચય કરો છે પણ સાધર્મિક બંધુની Page #14 -------------------------------------------------------------------------- ________________ ખબર રાખતા નથી, તેના દુઃખ દરિદ્રતાને વિચાર કર્યો નહિ. તેને શા માટે આવી ચેરી કરવી પડે? તેથી તમને પ્રાયશ્ચિત આપું છું કે, તમે તમારી લક્ષમીને સદુઉપયોગ કરો. દીન દુઃખી ગૃહસ્થાને વ્યાપારાદિમાં સહાય કરે. - ત્યાર પછી દુર્ભગને એકાંતમાં બોલાવીને ચોરીના અપરાધનું પ્રાયશ્ચિત આપ્યું. આ પ્રસંગ આપણને ઘણું શિખવે છે. આ ઘટનાને. સૂક્ષ્મપણે વિચાર કરજો અને તેના મર્મને સમજવા પ્રયત્ન કરજે. ચેરી કરવાનું કેણુ શીખવે છે ? બાળક તે નિર્દોષ કે નાદાન હોય છે. તે કંઈ જાણતો નથી વળી તેને સ્કુલમાં કે અન્યત્ર ચોરી કરવાનું શિખવવામાં આવતું નથી છતાં, એક પ્રશ્ન પૂછું કે આપણામાંથી કોને ચોરી કરતા આવડતી નથી ? હાથ ઉંચા કરો. સભામાંથી એક બે વ્યકિતએ હાથ ઉંચા કર્યા. તેમને. પૂછવામાં આવ્યું કે તમને ચેરી કરતા આવડતી નથી? કે તમે ચેરી, કરતા નથી ? બરાબર જવાબ આપજે. અમે સાધુ પણ હાથ ઉચા નથી કરી શકતા. કારણકે ચેરી કેવી રીતે કરવી તેતે. અમને પણ આવડે છે. નથી આવડતી એમ તે કેવી રીતે કહેવાય ? આવડે. છે પણ કરતા નથી. પંચમહાવ્રતધારી છીએ તેથી સૂકમ કે સ્થૂલ કઈ પ્રકારની ચોરી જીંદગી માં ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ચેરી કરવી તે પાપ છે તે પણ જાણીએ છીએ. પરંતુ ગૃહસ્થ જીવનમાં તે ડગલે ને પગલે ચોરી કરવાની તક મળ્યા કરે છે. તેવી પરિસ્થિતિમાં તમને પ્રતિજ્ઞા બચાવી શકે છે. માતાએ પુત્રને ચેરી કરતા શિખયું - જયારે ચોરી કરવાની કોઈ શાળા નથી તો પછી વ્યક્તિ ચેરી કરવાનું કયાં શીખે છે ? જે કે આજે આતંકવાદ કે ત્રાસવાદ જેવા બળા ચોરી કરવાનું શીખવે છે ખરા, પણ કેઈવાર બાળક ઘરમાં મા-બાપ પાસે અસત્ય ચેરી વગેરે શીખે છે. એક ગરીબ ઘરના નાના બાળકે દસ નયા પિસા ચેરીથી લાવીને માતાને આપ્યા. મા રાજી થઈ ગઈ અને તેના બદલામાં તેણે બાળકને શાબાશી આપી. બીજા દિવસે બાળક એક રૂપિયે લાવે, માએ તેને રાજી થઈને ચેકલેટ આપી Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ બાળક રાજી થઈ ગયો. અને હવે તે ચેરીમાં આગળ વધવા લાગે એક દિવસ સે રૂપિયા ચોરીને લાવ્યો. મા તે ખૂબ રાજી થઈ, અને તેને શિરો કરીને જમાડે. બાળક હવે યુવાન થયા હતા. તેણે એક હજાર રૂપિયાની ચોરી કરી અને તે પકડાઈ ગયે. લોકોએ તેને માર્યો અને ન્યાયાધીશની સામે હાજર કર્યો ન્યાયાધીશે તેને પૂછયું કે અરે ! યુવાન તે આવી ચારી કેમ કરી? યુવાન કહે શું આને ચારી કહેવાય છે? ન્યાયાધીશ-શું તને ખબર નથી તારી માએ તને એટલું પણ શિખવ્યું નથી ! ચોરીના ગુના બદલ તારુ નાક કાપી લેવામાં આવશે. યુવાન–અરે ! જે તમારે મારું નાક કાપવું હોય તે પહેલાં મારી માનું નાક કાપો. ન્યાયાધીશ– શા માટે? ચોરી તેં કરી છે તારી માનું નાક શા માટે કાપવું ? જે પાપ કરે તે સજા ભોગવે. યુવાન- મારી માતાએ મને કયારેય પણ શિખવ્યું નથી કે આને ચેરી કહેવાય. મા તે રૂપિયા લઈને રાજી થતી હતી. આ૫ આને ચેરી કહે છે. ન્યાયાધીશે તેની માને બોલાવી. અને તેને પૂછવામાં આવ્યું કે આ યુવાન શું કહે છે ? મા નતમસ્તક ઉભી રહી અને જવાબ - આપ્યું કે મારે પુત્ર સાચી વાત કહે છે. ન્યાયાધીશ– તે તારા પુત્રને સારા સંસ્કાર આપવાને બદલે ચારી કરવાનું શા માટે શિખવ્યું ? ચોરી કરવી એ મહાપાપ છે તેમ શિખવવું જોઈતું હતું જ્યારે બાળક ચોરી કરીને પ્રથમ દસ પૈસા લાવ્યું ત્યારે તેને એક જોઈતો હતો. તે તે ભવિષ્યમાં ચોરી કરતા નહિ. આખરે સજા માને કરવામાં આવી. અર્થાત્ ચોરીના કાર્યમાં પ્રેત્સાહન આપવું તે મહાપાપ છે. ચેર બનવાના અઢાર પ્રકાર - દીર્ધદષ્ટિ, પ્રતિભા સંપન્ન, વિચક્ષણ જ્ઞાની ભગવંતોએ ચોર પ્રસૂતિ–ચોરને જન્મ આપવાવાળી અઢાર પ્રકારની ભિન્ન ભિન્ન કિયા બતાવી છે. જેના પરિણામે માનવ માનવ મટી ચોર બને છે. તેના પ્રકાર આ પ્રમાણે છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ २४५ મનં સારું સર્જા, ન માડકવન ! अमार्ग दर्शनं शय्या, पर भङगस्तथैव च ॥ विश्राम : पादपतन, वासनं गोपनं तथा । खण्डस्य खादनं चैव, तथाऽन्यमाहाराजिकम् । पद्याग्न्यूदकरज्जूनां, प्रदान ज्ञानपूर्वकम् । एता प्रतयो सुज्ञेया, अष्टादश मनीषिभिः॥ (૧) ભલi– “હું તારી સાથે છું” તેમ કહી ચોરી કરવામાં ચોરને પ્રોત્સાહન આપવું. (૨) કુશલ-ચોરીનું ક્ષેમકુશળ ઈચ્છવું અને તેના સુખદુઃખની પૃચ્છા કરવી. (૩) તજ-આંખે કે હાથે દ્વારા ચોરી માટે ઈશારે કર (૪) રાજભામ-કર ચોરી દ્વારા રાજ્યને કર છૂપાવવે. (૫) અવલેકન-ચોરી કરવાવાળા ચોરના માર્ગમાં ધ્યાન રાખવું કે કોઈ જોતું નથી ને? (૬) અમાર્ગ દર્શન-ચોરને છૂપાવવા અન્યને બટે માર્ગ બતાવે. (૭) શાચરને સુવાની સગવડ આપવી (૮) પદબંગ-ચરના પાદચિહને ભૂંસી નાંખવા (૯) વિશ્રામ-ચોરને વિશ્રાંતિ માટે જગ્યા આપવી. (૧૦) પાદપતન-ચોરને નમસ્કાર વગેરે કરી આદર આપ. (૧૧) આસન-ચોરને બેસવા માટે આસન આપવું. (૧૨) ગોપન-ચોરને છૂપાવી રાખવે. (૧૩) ખંડદાન–ચોરને સારું સારું ખાવાનું આપવું. (૧૪) મહારાજિક–તેને અત્યંત માન આપવું. (૧૫) પદ્ય-તેની સેવા સુશ્રુષા કરવી. (૧૬) અગ્નિ–ચોરને રઈ માટે અગ્નિની વ્યવસ્થા કરવી. (૧૭) ઉદ–તેને નાનાદિક માટે પાણીની સુવિધા આપવી. (૧૮) રજજુ-ચોરીને માલ બાંધવા દેરડું આપવું. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ચોરને પ્રાત્સાહન આપવા આ અઢાર પ્રકારની ક્રિયા કરવાથી ચોર તૈયાર થાય છે. આ ચોર પ્રસૂતિના ભેદ કહેવાય છે. આવા. દોષમાં ન પડાય તે માટે સાધકે આ જાવું જરૂરી છે અને જાણીને તેનાથી દૂર રહેવા પ્રયત્ન કરવા જેથી આપણા નિમિત્તથી કેાઈ ચોર ચોરી કરવા પ્રેરાય નહિ કે નવા ચોરના જન્મ ન થાય આપણા સહ કાર કે સહુયેગથી કેાઈ ચોરી કરવા ન પ્રેરાય તેનું ખૂબ ધ્યાન રાખવુ જોઈએ. ચોરના સહભાગી થવું તે પણ મહા પાપ છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી એ અપરાધી બ્રાહ્મણની આંખા તેા કઢાવી નાંખી પણ તેને સાથ આપવાવાળા તેના સમસ્ત પરિવારની આંખે પણ્ કઢાવી અને તે સર્વને ફાંસી આપી નાશ કર્યાં. શ્રી હેમચંદ્રાચાય જી એ યેગશાસ્ત્રમાં પ્રકાશ્યું છે કે सम्बन्दपि निगृहयेत चौर्यान्मण्डिकवन्नृपैः । ગૌડદેશના પાટલિ પુત્રના રાજા મૂળદેવે પ્રસિદ્ધ એવા મહાચોર મડિકને પકડયેા તેને પકડવા તે એક સમસ્યા હતી. ધૂતની સાથે ધૃતતા કરી પકડયા તેની સાથે તેના પરિવારને પડી તે સને એક સાથે એક સખી સજા કરી અર્થાત્ કોઈ કુટુબમાં જો એક ચોર પાકે છે તેા તેની સાથે તેના સંપૂર્ણ પરિવારને કલંક લાગે છે અને તેમને પણ સજા ભાગવવી પડે છે. તેના પરિવાર સામે સૌ આંગળી ચીધે છે અને તેની નિંદા કરે છે. પુત્ર પુત્રી પૌત્રને પણ ભવિષ્યમાં સમાજ દ્વારા અપમાનિત થવું પડે છે. આમ સાથી, સંબંધી સૌ દુઃખી થાય છે. મિત્ર સ ંબંધી પર પણ ઘણું માટુ' સકટ આવે છે. સૌને ઘણું સહન કરવુ પડે છે. એક ચોર ચોરી કરે પણ તેનો સાથે કેટલા સગા સ્વજનાને સહન કરવુ પડે છે ? અભગ્નસેન ચારને વધસ્ત`ભની પર સજા ૪૫ આગમામાં ૧૧ અંગ સૂત્રેામાં ૧૧મા અંગ શ્રી વિપાક સૂત્રમાં દુઃખ વિપાકના ત્રીજા અધ્યયનમાં અભશ્નસેન ચોરનું અય્યન છે. ભારત દેશના પુરિમતાલ નગરના રાજા મહાબલ હતા. નગરની બહાર અમેાધદન નામનું ઉદ્યાન હતું. એકવાર ભગવાન શ્રી મહાવીર પ્રભુ પેાતાના શિષ્ય ગૌતમ સ્વામી આદિ વિશાળ પરિવારની Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ સાથે પુરિમતાલ નગરમાં પધાર્યા. ભગવાનને નિવાસ ઉદ્યાનમાં હતા. દેવતાઓએ સમવસરણની રચના કરી. પ્રભુએ દેશના આપી. નગરવાસી દેશનાનું શ્રવણ કરીને વિદ્યાય થયા. ઈન્દ્રભૂતિ ગૌતમ પ્રભુની આજ્ઞા લઈ ગેચરી માટે ગયા. તે પુરિમતાલ નગરના રાજમાર્ગો પરથી જતા હતા. ત્યાં તેમણે એક પ્રસંગ જોયે. અનેક હાથી-ઘોડા ઊભા હતા. બખ્તર ધારણ કરેલા રાજરૌનિકે ઉભા હતા. એ સર્વની વચમાં એક માણસને શિર્ષાસનની દિશામાં રાખીને વધસ્તંભની સાથે બાંધીને રાખ્યા હતા. વળી તેના કાન-નાક પણ કાપી લેવામાં આવ્યા હતા, અને નગરના ચૌટામાં નિશ્ચિત સ્થાન પર બેસાડવામાં આવ્યો હતો. વળી તેની આજુબાજુ રહેલા પહેલવાને ચાબૂકથી મારતા હતા. તે પછી તેના આઠ કાકાઓને મારવામાં આવ્યા, તે પછી તેની આઠ કાકીઓને, ત્યાર પછી તેના પુત્ર, પુત્રવધુઓ, પુત્રીઓ, જમાઈ, પૌત્ર-પૌત્રી, પત્નીને પણ મારવામાં આવી. તે ઉપરાંત માસા, માસી, મિત્રો, સ્નેહીઓ, સગાં-સંબંધો સર્વને રાજનૈતિક સૈનિકે ખૂબ મારતા રહ્યા, જેથી આ જોઈને તે માણસને દુઃખ થાય. એનાથી પણ કરૂણાજનક સ્થિતિ તો એ હતી કે તે માણસને વધસ્તંભ પર લટકાવી શસ્ત્રો દ્વારા તેના શરીરને ભાલા દ્વારા વિધવામાં આવ્યું અને તેમાંથી નીકળતા માંસને તેને જ ખવરાવવામાં આવ્યું અને તેનું લોહી પણ તેને જ પીવરાવવામાં આવ્યું. આવી ક્રૂર સજા અને કરૂણતાથી ભરેલે પ્રસંગ રાજમાર્ગ પર પસાર થતા ગણધર ગૌતમ સ્વામીએ જોયે, તેમના મુખમાંથી ઉગાર નીકળી પડયા. અરેરે! સાક્ષાત્ નરકનું દશ્ય ખડું થયું છે. તેમનું મન દુઃખથી ભરાઈ ગયું. તે સમવસરણમાં બિરાજમાન પ્રભુ પાસે પહોંચ્યા, અને પ્રભુ પાસે જોયેલા દશ્યનું વર્ણન કર્યું અને પૂછ્યું. “હે કરૂણવંત ! એ માણસ કોણ છે. તેને દેષ શું છે? તેનું આ પાપ આ જન્મનું છે કે ગત જન્મનું છે?” ભગવાન મહાવીરે કહ્યું, “હે ગૌતમ! આ પરિમતાલ નગરની બહાર બહુ મોટી ચેરપલ્લી છે. પહાડની વચમાં તે આવેલી છે. તેમાં ગુફાઓ પણ છે. એ ચેરપલીમાં મહાભયંકર પ્રસિદ્ધ વિજય નામે ચેર રહેતું હતું. તેના હાથ નીચે પાંચસે ચોર હતા. સૌને સેનાપતિ વિજય હતું. તે મહાક્રૂર અને હિંસક હતા. પ્રબલ પ્રહારી તથા શુરવીર હતે. પરસ્ત્રીલંપટ અને સર્વ પાપ કરવામાં Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ નિપૂણ હતા. અન્યને પણ ચોરી લૂટ-ફાટ કરવાનું શિખવતા હતા. મુસાફરાને લૂટવા, ગામ-નગરને લૂટવા અને ખૂન કરવા, વગેરે પાપથી પરિપૂર્ણ વ્યવસાય કરતા હતા. તેમાં જ જીવન વ્યતીત કરતા હતા. તેની સ્કંદશ્રી નામની પત્નીથી તેને એક પુત્ર ઉત્પન્ન થયા હતા. તેનું નામ અલગ્નસેન હતુ, તે પૂર્વ જન્મમાં ઈંડાના વ્યાપારી હતા. નિન્હેવ નામના તે વ્યાપારીએ નગરમાં ઈંડાના વ્યાપાર ખૂબ જમાવ્યે હતા. કેટલાયે પક્ષીઓના હજારા ઈંડા તે વેચતા હતા. તે પેાતે ખાતે હતા અને ખવરાવતા હતા. આ કાર્યમાં તેને સહાયકર્તા પાંચસા માણસા હતા. જંગલમાં જઈને તે પક્ષીઓના ઇંડા લઈ આવતા હતા. રસોઇમાં પકાવતા હતા, વેચતા હતા. એમ વિવિધ રીતે પાપ વ્યાપાર કરતા હતા. આમ અનેક પ્રકારનું મહાભયંકર પાપ આચરીને તે નિન્હેવ – અ'ડવણિક એક હજાર વર્ષનું આયુષ્ય પૂરુ' કરીને ત્રીજી નરકમાં ઉત્પન્ન થયા. સાત સાગરેાપમ અર્થાત્ અસંખ્યાતા વર્ષે તે નરકમાં પરમાધામીએ દ્વારા તથા અન્યાન્ય દ્વારા મહા દુઃખ અને ચાતના ભગવી નરકનું આયુષ્ય પૂર્ણ થતાં તે આ ચોરપલ્લીમાં વિજયચોરને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયે. તેનું નામ અભગ્નસેન છે. પૂર્વ જન્મના સંસ્કારને કારણે તે આ જન્મ મનુષ્યના પામ્યા પણ પાપના મહાચોર થયે.. અને પુનઃ પાપ વ્યાપાર કરવા લાગ્યા. તેણે યુવાવસ્થામાં પ્રવેશ કર્યાં. તે સમયે તેના પિતા મૃત્યુ પામ્યા. પરિણામે તેને પાંચસેા ચોરા સહિત તેની ગાદી પર એસાડવામાં આવ્યેા. હવે તે તે ચોરસેનાધિપતિ બન્યા. પિતાથી પુત્ર ચોરપણામાં સવાચા નીકળ્યા. મહાપરાક્રમી ચોરી કરવા લાગ્યા. પુરિમતાલ નગરના રાજા અને મંત્રીએ પણ ચિંતાગ્રસ્ત થઈ ગયા. પ્રજાજને પણ ત્રાસી ઉઠયા તેમણે મહાખલ રાજાને રક્ષણ આપવા વિનતિ કરી, લૂંટફાટ, માર-કાટ, ચોરી-હિંસા વગેરે સર્વ પ્રકારના મહાલય'કર પાપા કરવાવાળા તે અભગ્નસેનને અનેક યુક્તિ પ્રયુક્તિ દ્વારા પકડવામાં આવ્યેા. તેને આજે ફાંસી આપવા માટે હાજર કરવામાં આવ્યે છે. હે ગૌતમ ! તમે હમણાં જે પ્રસંગ જોયા તેની આ કહાણી છે, તે આ જ અલગ્નસેન છે જેને વધસ્તભ પર લટકાવવામાં આવ્યા છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ તીર ભાલા દ્વારા તેના શરીરને વીધીને તેમાંથી નિકળતું માંસ તેને જ ખવરાવવામાં આવે છે. તેનું જ લેહી તેને ખવરાવવામાં આવે છે. એ ભાયંકર વેદના જોગવી રહ્યો છે. તેના તીવ્ર પાપનું ફળ આજે તેને મળી રહ્યું છે. હે ગૌતમ! આ સજા કે યાતના કંઈજ નથી. આ નગરમાં કરેલા ચોરીના કૃત્યને કારણે તેને પકડી લેવામાં આવ્યું છે. પરંતુ આ ઉપરાંત આજ દિવસ સુધી તેણે અનેક ચોરીએ, અને લૂંટફાટ કરી છે. અનેક જીવોની હિંસા કરી છે. દારૂ જુગાર માંસહાર કર્યા છે. ગત જન્મમાં કરેલા ઈડાના પાપ વ્યાપારનું કર્મ પણ હજી શેષ રહ્યું છે. તેની સજા તે ઘણી ભયંકર છે. સાડત્રીસ વર્ષની યુવાવસ્થામાં ફાંસી દ્વારા મૃત્યુ પામીને તે રત્નપ્રભા નામની પહેલી નરકમાં ઊત્પન્ન થશે. ત્યાં એક સાગરોપમનું આયુષ્ય મહાદુઃખમાં પસાર કરશે. અહીંની અપેક્ષાએ તે મહાભયંકર સજા અને વેદના પરમાધામીઓ દ્વારા સહન કરશે. ત્યાંથી નીકળીને તિર્યંચાદિ ગતિમાં મહાદખ પામી સાતમી નરક સુધીની તીવ્ર યાતના ભેગવશે. કરેલા કમ કયાં છૂટશે? એક અપેક્ષાએ હિંસા કરતા પણ ચેરી મહાપાપ છે - ऐकस्सैकं क्षणं दुःख, मार्यमाणस्य जायते । सपुत्र-पौत्रस्य पुनर्यावज्जीवहते धने ॥ હિંસા ભયંકર પાપ છે તેમાં કંઈ શંકાને સ્થાન નથી છતાં પણ એક અપેક્ષાએ હિંસા દ્વારા થતા મરણની વેદના અમુક ક્ષણની હોય છે. પરંતુ જે કંઈની ધનસંપત્તિ છીનવી લેવાથી તે વ્યક્તિ જીવનભર દુઃખી થાય છે. તે હંમેશા આર્તધ્યાન કરી રડતી રહે છે. કેઈ તે ગાંડા પણ થઈ જાય છે તે ઉપરાંત પરિસ્થિતિવશ તેના પુત્ર પૌત્રો ને પણ એ કારણથી દુઃખ ભોગવવું પડે છે. આમ ધન હરણનું દુઃખ વ્યકિત જીદગીભર ભેગવે છે. કારણકે ધન પણ માનવીના જીવનની અતિ આવશ્યક વસ્તુ છે. તેથી તેને પણ પ્રાણ તરીકે કહેવામાં આવે છે. વ્યવહારમાં ધન એ અગ્યામાં પ્રાણ છે : શાસ્ત્રોમાં જીવના વ્યવહાર દ્રવ્યપ્રાણ દસ બતાવ્યા છે પાંચ ઈદ્રિ, ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય, આ દસ પ્રાણુ છે, તે પ્રાણેમાંથી કેઈપણ પ્રાણુની હિંસા કરવી તે મહાપાપ છે. લેક Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ વ્યવહારમાં ધન–પૈસાને પણ અગ્યારમાં પ્રાણ માનવામાં આવ્યા છે. કારણ કે મનુષ્યને ધન જીવનથી પણ પ્યારું લાગે છે તેથી ધનની ચોરી પ્રાણેની હિંસા કરતાં પણ વિશેષ પાપ ગણવામાં આવે છે. કહેવાય છે કે ધનની ચોરી પાછળ જાણે કે એના પ્રાણની ચોરી થાય છે. બાહ્ય પ્રાણું નૃણામર્થો હરતા તે હતા હિ તે” કોઈવાર ધન ચેરાવાથી વ્યકિત મૃતપ્રાયઃ બની જાય છે એવા સમાચાર મળે છે કે ધનહરણ થવાથી વ્યક્તિ આઘાત પામીને મૃત્યુને શરણ થઈ. સાંભળવામાં આવ્યું હતું કે મુંબઈના એક શ્રીમંતને ત્યાં લાખ રૂપિયાની ચોરી થઈ પૂરી જીદગી મહેનત કરીને શેઠ કમાયા હતા તે સઘળું ધન ચોરાઈ ગયું. તે સાંભળીને શેઠના પ્રાણ નીકળી ગયા, અને સુશિક્ષિત પુત્ર પાગલ થઈ ગાયે. આથી કહેવાય છે કે ચોર ધન તે ચોરે છે કે સાથે સાથે પ્રાણ પણ ચોરે છે. ચાર સાત પ્રકારના બતાવ્યા છે चौर १ चौरापको २ मन्त्री ३ मेदज्ञ ४ काणकक्रयी ५। अन्नद : ६ स्थानद ७ श्चेति चार : सप्तविधः स्मृत : ॥ નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે (૧) એક સ્વયં પોતે જ ચોર હોય છે. (૨) ચોરને સર્વ પ્રકારની સામગ્રી પૂરી પાડનાર તથા મદદ કરનાર ચીરાપક, (૩) ચોરને ચોરી કરવા માટે સલાહ આપનાર મંત્રી, (૪) ચેરો. દ્વારા ચોરીની યોજનાને ભેદ જાણવાવાળે. (૫) ચોરીને માલ લેવા. વાળો, (૬) ચોરને ભેજન આદિ સામગ્રી આપનાર (૭) ચોરોને આશ્રય આપવાવાળા. આ પ્રમાણે સાત પ્રકારના ચેર બતાવ્યા છે. પૂર્વ જન્મની ચોરીના સરકાર કેટલીકવાર પૂર્વ જન્મનાકે જન્મ જન્માંતરના સંસ્કારે મૃત્યુ બાદ બીજા જન્મમાં સાથે આવે છે અને તે પિતાને પ્રભાવ દેખાડે છે. એક દસબાર વર્ષના બાળકે દિક્ષા ગ્રહણ કરી સાધુ થયો. તે બાળસાધુ સમુદાયમાં પ્રિય હતું. તે વિનેદી સ્વભાવવાળે હેવાથી તેને રમુજ કરવાની ટેવ હતી. કેઈની વહુ આગળ પાછળ મૂકી દેવાની તેને ટેવ પડી હતી. કેઈવાર કઈ સાધુને દાંડો છુપાવીને મૂકી દે કેઈનું પાત્ર વસ્ત્ર છૂપાવી દેતા હતા. અને જ્યારે સાધુ તે વસ્તુ શોધે ત્યારે તેને મજા આવતી હતી. આ રજને એક કમ બની ગયે હતે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ એકવાર સાધુઓ વિહાર કરીને અન્ય ગામ ગયા ત્યારે એક જ્ઞાની ગીતાર્થ આચાર્યને પૂછયું કે, “ગુરુજી ! આ બાળ સાધુ આવી રમુજ કેમ કરે છે?” આચાર્યજીએ જ્ઞાનાગ દ્વારા જેઈને કહ્યું કે આ બાળ સાધુ ગયા જન્મમાં ચેર હતે. ચોરી કરવાને તેને વ્યવસાય હતે. આજે તે સંસ્કાર તેના ઉદયમાં આવ્યા છે. પરંતુ દીક્ષા લીધી હોવાથી તે ચોરી કરતા નથી જે સંસારમાં હેત તે ચોરી કરીને મોટો ચોર થઈ જાત આજે બાળક હોવાથી રમુજમાં તમારી વસ્તુઓ છુપાવી દે છે પણ ભવિષ્યમાં મહાવ્રત લીધેલા હોવાથી તે સમજી જશે. આમ જન્મજન્માંતરના સંસ્કાર પણ એક જન્મથી બીજા જન્મમાં જાય છે. એ સંસ્કાર પશુ પક્ષીઓમાં પણ આવે છે. ઉંદર વાંદરા જેવા પશુઓ પણ ચેરી કરે છે. મુંબઈમાં એ પ્રસંગ બન્યો હતો કે એક વાંદરો ચોરી કરતા પકડાઈ ગયે. તે કઈ કઈ ઘરોમાંથી રૂપિયા નાણાંના સિકકા ચોરી જ. કેટલાય દિવસ આ ક્રમ ચાલ્યો જનતા હેરાન થઈ ગઈ એક વાંદરાને મદારીએ કેઈના ખીસ્સામાંથી ચોરી કરવાનું શિખવ્યું હતું. તે વાંદરો ઝાડ પરથી ઉતરીને કેઈના ખીસામાંથી જે વસ્તુ મળે તે લઈને ભાગી જતો હતે. એક બીજે વાંદરો ઝાડની નીચેની ડાળ પર બેસો અને રસ્તે જતા યાત્રીકના ખીસ્સામાંથી પૈસા ખેંચી લઈને પાછો અડની ટોચ પર ચઢી જતો હતું અને પછી ઘરની છત કૂદીને પિતાના માલિકને વસ્તુઓ આપી દેતા હતા. આખરે વાંદરાને માલિક પકડાઈ ગયે અને બંનેને સજા કરવામાં આવી. જમીન ખેદીને નાણું ત્યાં દાટી દેતા હતા એક ઉંદર આ સેનુંનાણું વગેરે જમીન ખેડીને કાઢીને ચરી જાતે પોતાના મોંમા નાણું રાખીને બીજા વૃક્ષ પાસે જઈ ત્યાં દર કરી ધન એકઠું કરતે આ પ્રકારે તે ઉંદર અંદગી સુધી ચોરી કરતે હતે. પાક્ષિક સૂત્રમાં ચેરી વિષે કહ્યું છે કે "अहावरे तच्चे भंते । महन्वए-अदिन्नादाणाओवेरमण सब्वभते । अदिन्नादाण पच्चक्खामि ! से गामे वा, नगरे वा, अरण्णे वा, अप्पं चा, बहु वा, अणु वा थूलं वा चित्तमंत्तं वा" अचित्तमंत वा । Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ સાધુ દીક્ષા પ્રસંગે મહાવ્રતની પ્રતિજ્ઞા કરે છે. તે કહે છે કે હે ભગવંત! હું ત્રીજા અદત્તદાન ન લેવાની પ્રતિજ્ઞા કરૂ છું. ચોરીને સર્વથા. ત્યાગ કરું છું. તેવી ચોરી ગામમાં, નગરમાં કે અરણ્યમાં તે નાની કે મેટી હોય સ્થૂલ કે સૂક્ષ્મફેય સચિત્ત કે અચિત્ત હેય, તે પણ હું કરીશ નહિ અન્યની પાસે કરાવીશ નહિ અને કરવાવાળાની અનુમોદના નહિ કરું આ પ્રમાણે મન, વચન અને કાયાથી ચોરી કરવી નહિ, કરાવવી નહિ કે કરવાવાળાને અનુજ્ઞા નહિ આપું. તેવી પ્રતિજ્ઞા મહાવ્રતી સાધુ સ્વીકારે છે. से अदिन्नादाणे चउण्विहे पन्नते । तं जहा-दवओ, खित्तओ, कालओ, भावओ । व्यओ ण अदिन्नादाणे गहण-धारणिज्जेसुदच्वेसु, खितओण अदिन्नादाण गामे वा, नगरे वा, अरण्णे वा, कालओ ण अदिन्नादाणे दिआ वा, राओ वा, भावनाओ ण अदिन्ना. વાળે તાળ વ ાળ વા !................. આ ચેારી ચાર પ્રકારની બતાવવામાં આવી છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચાર ભેદ છે. દ્રવ્યથી કેઈપણુ પ્રકારના પદાર્થને ગ્રહણ કરવું, ક્ષેત્રથી ગામ-નગર કે જંગલમાં ચેરી કરવી. કાળથી દિવસે કે રાત્રે ચોરી કરવી, ભાવથી રાગ કે દ્વેષથી ચોરી કરવી, હે ભગવંત! હું આ ચારે પ્રકારની ચોરીનો ત્યાગ કરૂં છું. ચોરીને ત્યાગ કરે તે મહાનધર્મ છે, ચોરી મહાન અધર્મ–પાપ છે. ચેરી ત્યાગ કરનારનું કલ્યાણ થવાનો સંભવ છે – કદાચ જિંદગી સુધી ચોરી કરી હોય, પરંતુ પછી સત્સંગાદિ નિમિત્તેથી ચોર ચોરીને ત્યાગ કરે અને પ્રતિજ્ઞા લે કે હવે મરણતે પણ ચોરી નહિ કરું તો તેનું કલ્યાણ થઈ જાય છે. એ કઈ નિયમ નથી કે આ જન્મના ચાર જન્મ જન્માંતરો કે આગામી જન્મમાં ચોર જ રહે, ચોરી કરવાને ત્યાગ કર્યા પછી તે ચોર ભવિષ્યમાં મહાન બની શકે છે. વાલિમકી લૂંટફાટને ત્યાગ કરીને મહાન ઋષિ થઈ ગયા અને રામાયણ લખીને નામ પણ અમર કર્યું. દઢપ્રહારી એક મહાન ચોર હતો. પિતાના સાથીઓની સાથે ચોરી કરતો. સંચાગવશ ચોરી કરવા એક ગરીબ બ્રાહ્મણ કુટુંબને ઘેર ગયે. રસોઈ કરવા માટે ઘરમાં ધન ધાન્ય કંઈ જ ન હતું. બાળકો માટે Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ તેમની માં એ કેઈની પાસેથી માંગીને ચોખા વગેરે ભેગા કર્યા હતા. તેની ખીર બનાવી હતી. ચોરે ઘરમાં ઘૂસીને ખીર ખાવા લાગ્યા. ત્યારે બ્રાહ્મણ તે ચોરોને મારવા દેડ. આ જોઈને દઢ પ્રહારી પણ પિતાના સાથીઓને સહાય કરવા દોડ અને એક પ્રહાર કરીને બ્રાહ્મણને મૃત્યુને શરણ કરી દીધું. વચમાં ગાય આવી તેને કાપીને યમલોક પહોંચાડી દીધી. બ્રાહ્મણની સગર્ભા પત્ની વચમાં આવી તે તેના પેટ પર તલવાર ઘા કરી તેને કાપી નાંખી, પેટમાંથી ગર્ભ બહાર પડી તરફડવા લાગ્યા. ચાર–ચાર હત્યા એક સાથે કરનાર દઢ પ્રહારી તરફજતા ગર્ભને જોઈને ચેકી ઉઠશે. તેનું મન મુંઝાવા લાગ્યું. પોતાના મનમાં કરેલા દુષ્કૃત્ય પર પશ્ચાતાપ કરવા લાગ્યું. તે ત્યાંથી નગર બહાર નીકળી ગયો. ત્યાર પછી દીક્ષા ગ્રહણ કરીને ઘેર તપશ્ચર્યા દ્વારા સર્વ પાપકર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન પામી એ જ જન્મમાં મેક્ષ પામ્યા. મહાપાપી પણ વીતરાગના શાસનમાં ઘેર પરિષહ સહન કરી, તપશ્ચિયાદિ દ્વારા કર્મક્ષય કરીને તરી ગયે. રોહિણીયા ચેરેએ પણ દીક્ષા લીધી – મૃત્યુ થયા પર પોઢેલા પિતાએ અંત સમયે પુત્રને પોતાની પાસે બેસાડીને હિત શિક્ષા આપી. જે તારે સારી રીતે જીવન નિર્વાહ કર હોય, સુખી રહેવું હોય તે ભગવાન મહાવીરની દેશના કદાપિ સાંભળ નહિ. આટલી વાત કરીને તેને પિતા મરણ પામ્યા. હિ૭– ચાએ પિતાને મૃત્યુ સમયે વિશ્વાસ આપે કે તે તેમનું વચન પાળશે. અંતિમ ક્રિયાથી નિવૃત્ત થઈ તે એક દિવસ ચોરી માટે નીકળ્યો. તે મગધ સમ્રાટ શ્રેણિકના રાજમહેલમાં ચોરી કરવા જઈ રહ્યો હતે. ત્યાં માર્ગમાં તેણે જાણ્યું કે ભગવાન મહાવીર સમવસરણુમાં બેસીને ઉપદેશ આપી રહ્યા છે. રિહિયાને પિતાની શિખામણ યાદ આવી. પોતે આપેલું વચન યાદ આવ્યું. તેથી બંને કાનમાં આંગળીઓ દબાવીને ચાલવા લાગ્યું કે એક પણ શબ્દ કાને પડે નહિ. પરંતુ તેના ભાવિમાં કંઈ જુદું જ રહસ્ય નિર્માણ થયું હતું. તેના પગમાં એક કાંટો ઘૂસી ગયો. થોડીવાર તે તે ચાલતો રહ્યો. જે કાનમાંથી આંગળી કાઢી લે તે ભગવાન મહાવીરના શબ્દનું શ્રવણ થઈ જાય અને જે કાંટો કાઢે નહિ તે ચાલવું અસંભવ હતું. તે Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ભારે શંકામાં આવી પડયો. કાંટે કાઢયા વગર હવે છૂટકો જ ન હતે. કાનમાંથી આંગળી કાઢી નીચે નમી બંને કાન ઘૂંટણની વચમાં દબાવી દીધા અને કાંટે જલદી ખેંચી કાઢો. પરંતુ તેના કાનમાં ભગવાનના ઉપદેશના બે ચાર વાકયે તેની અનિચ્છા છતાં ઘૂસી ગયા. તે વાક હતા – सअनिमि नयणा मणकज्जसाहैणा पुप्फदाम अभिलाणा । चउरंगुलेण भूमि न च्छुवति सुरा जिण या बिति ॥ ભાવાર્થ—અનિમિષ આંખેવાળ, ઈરછાનુસાર કાર્ય સિદ્ધિ કરવાવાળા, જેમના કઠે ધારણ કરેલી પુષ્પમાળા એવી છે કે જે કરમાતી નથી, કે સૂકાતી નથી, વળી સદી ધરતીથી ચાર આગળ ઉપરે ચાલવાવાળા દેવતા હોય છે. હિણેય રાજમહેલમાં ચોરી કરવા ગયે, પરંતુ ત્યાં કંઈ માલ હાથ લાગ્યો નહિ દિવાલ કૂદીને નાસવા જતાં દ્વારપાળે તેને પકડી લીધો. પ્રાતઃ સમયે રાજ સમક્ષ હાજર કરવામાં આવ્યો. પરંતુ ચોરીનું કોઈ પ્રમાણ ન મળવાથી ન્યાયનીતિ અનુસાર તે એ સમયે સજાને પાત્ર ન થયે. આથી તેની વિશેષ કસેટી કરવા બુદ્ધિ નિધાન અભય મંત્રીને સોંપવામાં આવ્યો. રોહિણેય ચોર અત્યંત ચતુર હતું. આથી અભયકુમારે યુક્તિપૂર્વક પરીક્ષા કરવાની યોજના કરી. તેને સ્વર્ગ સમા ભવ્ય રાજમહેલના એક ખંડમાં રાખવામાં આવ્યું. દેવાંગના સમી દાસીઓ દ્વારા એને ખૂબ મદિરા પીવડાવી, પછી તેને પૂછયું, હે સ્વામીનાથ! ઊઠો, આ સ્વર્ગ છે. તમે અહીં આ કેવી રીતે આવ્યા? તમે શું શુભકાર્ય કર્યું હતું ? સ્વર્ગીય સુખ ભોગવતા પહેલા અહીં દરેકે પોતાના શુભાશુભ કાર્યોનું નિવેદન કરવું જરૂરી છે. તેમણે માન્યું હતું કે નશામાં ચકચૂર આ ચોર સત્ય વાત જણાવી દેશે. પણ ચોરી અને અસત્યને ભારે મૈત્રી હોય છે. પછી ચોર સત્ય કેવી રીતે બેલે? આ સમયે ચોગાનુગ પ્રભુની દિવ્યવાણીનું રહિણેયને સ્મરણ થયું. તે વાકય અનુસાર તેણે વિચાર્યું કે જે સ્વર્ગ હોય તે દેવાંગનાઓની આંખે અનિમેષ હોય, તે અધર ચાલતી હોય. પણ તેવું તે જણાતું નથી તેથી સમજી ગયે કે આ સ્વર્ગ નથી પણ ષડયંત્ર છે. આથી તેણે કંઈ WWW.jainelibrary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ જવાબ ન આપ્યો આમ કંઈ પણ પ્રમાણ ન મળતા અભયકુમારે તેને છેડી મૂકો. હિણેયના મનમાં એક ચમત્કાર સ . તેણે વિચાર્યું કે ભગવાનના અનિચ્છાએ સાંભળેલા બેચાર વાકાએ મારું જીવન બચાવ્યું. જે પૂરી દેશના સાંભળું તો મને કેટલો લાભ થાય ? આમ વિચારી તે રાજમહેલથી નીકળીને ભાગ્યે સીધો ભગવાનના સમવસરણમાં પહોંચી ગયે. ભગવાનના ઉપદેશથી તેની દૃષ્ટિ ખુલી ગઈ. તેને આમા જાગૃત થઈ ગયો. તેણે ઉભા થઈ વિનયપૂર્વક ભગવાનને વિનંતિ કરી હે કૃપાનિધાન ! મને આપના ચરણમાં સ્થાન આપે. હું મહાપાપી, ભયંકર લેહખુરને પુત્ર રોહિણેય ચોર છું મારા સર્વ અપરાધ ક્ષમા કરે. મારું કલ્યાણ કરો. એ દરમ્યાન રાજા શ્રેણિક તથા અભયકુમાર પણ આવી પહોંચ્યા. તેમણે આશ્ચર્ય સાથે આ દૃશ્ય જોયું ત્યાં તો રોહિણેય ચારે તેમની સમક્ષ હાજર થઈ ક્ષમા માંગી અને જણાવ્યું કે તેઓ રાજસૈનિકોને ચેરની પલીમાં મેકલે અને ત્યાં રહેલું સર્વ ધન મેળવી લે અને તેમના માલિકને સેંપી દે. હવે રોહિણેય ચાર માટી ભારે પશ્ચાતાપ કરી પ્રભુને સેવક બન્યો. તેણે પ્રભુની પાસે દીક્ષા આપવાની વિનંતિ કરી. રાજા શ્રેણિક તેને રાજમહેલમાં લઈ ગયા. રથયાત્રા સાથે વરસીદાન અપાવી ખૂબ સન્માનપૂર્વક તેને સમવસરણમાં લાવવામાં આવ્યું. હિયે પ્રભુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. પિતાના દુકૃત્યના પ્રાયશ્ચિત માટે તેણે ઘોર તપશ્ચર્યા કરી, કઠેર સાધના કરી. આયુષ્ય પૂર્ણ થતાં તે સ્વર્ગલોકમાં ઉત્પન્ન થયે. અનુક્રમે તે મોક્ષ પામશે. ચેરીની અનેક રીત હોય છે - ચેરી કંઈ એક પ્રકારની નથી. તેના સેંકડે પ્રકાર હોય છે. જે સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો જગતમાં જેટલી વસ્તુઓ છે તેટલી ચેરીના પ્રકાર છે અને ચોરીની પદ્ધતિ અને ભેદો પણ અમર્યાદિત છે. કઈ ખીસ્સા કાપે છે. કોઈ શસ્ત્ર બતાવીને લુંટીલે છે રસ્તામાં જતી ગાડી બસને રોકીને લૂંટવામાં આવે છે. કેઈ વ્યાપાર ધંધામાં માપતોલની અત્પાધિકતા કરીને ચેરી કરે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સુંદર વસ્તુ ખતાવીને હલકી વસ્તુ−કે મિશ્રણ કરીને વેચે છે. જેમકે દૂધમાં પાણી, સીમેન્ટમાં રેતી વગેરેનું મિશ્રણ કરે છે. કાઇ તા ચારની સાથે જ વ્યાપાર કરી દેશ વિદેશમાં માલ માકલે છે. કેઈ ઘરમાંથી ચારી કરી વસ્તુઓને ચમકદાર બનાવી, બહાર વેચી નાણું ઉત્પન્ન કરે છે. કાઈ નકલી નાણું-નાટા વગેરે છાપી મહાચારી કરે છે. રાજ્યે નક્કી કરેલા કર ન ભરવા, આદેશ ભરવા જૂઠા ચાપડા લખવા એમ લાખાની કરચોરી કરે છે. અરે ! પ્રસૂતિગૃહમાંથી બાળકાની ચારી થાય છે. પ્રસૂતા પાસે મૃત બાળક મૂકી તેનું જીવતું બાળક ચારી લેવામાં આવે છે. આપરેશન દ્વારા સ્વસ્થ મનુષ્યેાના અંગ કાઢીને તેના વ્યાપાર કરવામાં આવે છે. અથવા દદીને વિષ આપીને મારવામાં આવે છે. કારખાનામાંથી સારા મશીના ચારીને તેને ઓછી કિ’મતે વેચી દેવામાં આવે છે. માયા, છળ, કપટ, પ્રપંચની માયાજાળ માં કાઇને ફસાવીને ઠંગ લેાકેા લૂટે છે. મધુર વાતા કરી વિશ્વાસમાં લઈને તમારી આંખા સમક્ષ જ ધાળે દહાડે તેએ તમને લૂંટી લે છે. સ્ત્રીએ પણ કપટવૃત્તિને આધીન થઈ ચોરી કરે છે. પેટ ભરવા ખાતર બિચારા ગરીબ દીન દુ:ખી સેંકડો વસ્તુએની ચોરી કરે છે. અને હલકા ધંધા આચરે છે. કાઈ રાત્રે ઘરફેાડી કે દુકાનતાડી ચોરી કરે છે. આજ તા વળી હડતાલે! અને તાફાન દ્વારા આંતકવાદીએ દુકાના લૂટે છે. અસામાજિક તત્ત્વા તેમાં અગ્રેસર હાય છે. રાજકીય ચોરીએ, શસ્ત્રાશસ્ત્રની ચોરી, અગત્યની ફાઇલે, કિંમતી ગુપ્ત દસ્તાવેજો વગેરેની ચોરી જગ પ્રસિદ્ધ છે. નાદાન—નિર્દોષ બાળકોની પાસે ભીખ માંગવાને બહાને લેાકેાના ઘરમાં ચોરી કરાવે છે. એવા બાળકોની પાસે ચોરી કરાવવાના વ્યવસાય. ચાલતા હાય છે. ખાલ અપરાધની સંખ્યા વધતી જાય છે. કારણકે ખળકાને ચોરી કરતાં શિખવવાની પણ ટોળીએ હાય છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ રસ્તા પર કાઈ પડેલી વસ્તુ લઇ લેવી તે પણ ચોરી છે. કાઈએ સાચવવા આપેલી અમાનત-થાપણ પચાવી લેવી તે પણ ચોરી છે. તેમાં માલિકને ખાટા ઠરાવી કાઢી મૂકવામાં આવે છે. તે મહાપાપ છે. ચોપડામાં નાણું વધુ ઉધારવુ' અને આપવું આછું. તે એક પ્રકારની ચોરી છે ટપાલમાં આવેલા પત્ર પર જે છાપ પડી ન હૈાય તે તેની ટિકીટ ઉખાડી લેવી તે ચોરી છે. મનુષ્યના વાળની ચોરી પશુપક્ષીના અંગાની ચોરી વસ્તુમાં મિશ્રણ, વગેરે હજારા પ્રકારની ચોરી સ’સારમાં વિકાસ પામી છે. અને તેમાં નવી પદ્ધતિઓ વિકસતી જાય છે. આવું વિષચક્ર કેણુ જાણે કયારે અટકશે ? કઈ ગરીએ કે અભણુ ચોરી કરે છે તેવું નથી પણ શ્રીમંતા (શક્ષિતા પણ આવા કાર્યમાં સામેલ છે, માટા મેાટી ચોરી કરે છે, નાના નાની ચોરી કરે છે. મેાટા અધિકારી, મત્રી જેવા મેાટી રકમની લાંચ રૂશ્વત લેતા હાય છે. જેમ કેઈ વૃક્ષ મૂળથી ડાળી પાંદડા સુધી સડેલુ હાય છે, વળી જેમ કુષ્ઠ રાગી માણસને પગથી માંડી શિર સુધી શ્વેત કૃષ્ણ રેગ લાગુ પડચે! હાય છે. તેમ મેટા મેાટા અધિકારી મંત્રી પ્રધાનથી માંડીને નાનામાં નાના ઝાડુવાળા, પટાવાળા એક પ્રકારે કે અન્ય પ્રકારે આવા સડામાં સામેલ હોય છે. સમયસર કામ ન કરીને, કામ ચોરી પણ કરતા હાય છે. સરકારી ઓફિસમાં આ પ્રકાર સવિશેષ જોવામાં આવે છે. એટલુ જ નહિ પણ આજે તા માનવની મનેવૃત્તિ એવી હલક થઈ ગઈ છે કે ધમ સ્થાનામાં પણ વસ્તુએની ચોરી થવા લાગી છે. મદિરામાંથી મુગટ કે પ્રતિમાની ચોરી થાય છે. કોઈને જાણે પાપને ભય જ નથી ! વિદેશી પ્રજાએ તા પ્રાચીન પ્રાચીન કરીને ગરીમાને કે નીચેના માણસને રકમ આપીને પ્રાચીન વસ્તુઓની ચોરી કરતા શિખવ્યુ છે. ફૂટનીતિજ્ઞ વિદેશી ગારી પ્રજાએ ભારતદેશમાંથી મેાટા પાયે નીતિ પૂરાણી વસ્તુઓ લઈ જવાના વ્યાપાર કર્યાં છે જેમાં મહદ્અંશે ચોરી હાય છે. આ દેશનું કમભાગ્ય છે કે આ દેશ વિશ્વના પૂછપતિ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ દેશની સામે કમજોર છે. તેની તુલનામાં ગરીબ છે. આ દેશની અધિકાંશ પ્રજા ગરીબ છે. મુશ્કેલીથી બે ટંક ભેજન મેળવી શકે છે. બીજી બાજુ મોંઘવારીના રાક્ષસે કેટલાય માનવેને પાયમાલ કર્યા છે. જેને કારણે પાપી પેટ ભરવા માટે કેટલાયે સજજન, સનારીઓએ નીચ ધંધા આદર્યા છે. મનુષ્યના ૨ક્તને ધંધે પણ ચાલે છે. સિનેમા દ્વારા ચેરીને પ્રચાર-પ્રસાર એક પ્રસંગ છે કે મહારાષ્ટ્રની એક હોટલમાં નવયુવાનેએ જના બનાવી અને બીજે દિવસે ભારતના એક વિદ્વાનના ઘરમાં ઘુસ્યા ઘરના માલિક પત્ની તથા નેકરોને મારીને ધન લૂંટી ગયા. આ વાત બીજે દિવસે છાપામાં પ્રસિદ્ધ થઈ પોલિસ અધિકારીઓએ તપાસ માટે દોડા દોડ કરી પણ ચોરોએ એવી હોશિયારીથી કાર્ય કરેલું કે ચોરીને કઈ પૂરા કે ખૂન કરનારનું કેઈ ચિહ્ન મળતું ન હતું. એ નવજુવાનો એ વળી એક મહિના પછી આ પ્રકારે ફરી ચોરી કરી. આમ ચાર– છ માસ ખૂન અને ચોરી થતી રહી. આખરે પાપ કર્યું અને એ હત્યારાઓ પકડાઈ ગયા. તેમણે ગુન્હો કબૂલ કર્યો. કેટમાં તેમને પૂછવામાં આવ્યું કે તમે આવા સુખી કુટુંબને દીકરાઓ હોવા છતાં આવી હત્યા અને ચોરી શા માટે કરી? જવાનો એ જવાબ આપે અમે ચલચિત્રમાં આવા દૃશ્ય જોયા હતા તેથી શુટીંગ માટે અભ્યાસ કરવા ચોરી કરી હતી. નવી પદ્ધતિઓ અજમાવીને અમારે જેવું હતું કે અમને આમાં કેવી સફળતા મળે છે? અરે ! પણ આટલા જીની હત્યા થઈ તેનું શું? યુવાને એ કહ્યું કે અમારે સીનેમાના જગતમાં કારકિદી મેળવવી હતી તેથી આ પ્રયોગ કર્યો હતે. ન્યાયાધીશે આવા નીચ કૃત્ય બદલ એ નવયુવાનેને આજીવન કારાવાસની સજા ફટકારી. પાંચે નવ યુવાનની જીંદગી સ્વયં પોતાના જ કુકૃત્યથી વેડફાઈ ગઈ. આજ ચલચિત્રોએ અલિલતા અને અસામાજિક તને અમર્યા– દિત પણે ફેલાવો કર્યો છે. સભ્યતા, સંસ્કાર અને શિક્ષણ આપી શકાય તેવા ચલચિત્રો તે નામશેષ થઈ રહ્યા છે. તેમાં પણ દૂરદર્શન દ્વારા તે દરેક ઘર સિનેમાગૃહ બની ગયા છે. તેમાં વળી મેરને માથે કલગીની Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ જેમ વીડિયો દ્વારા તથા અશ્લીલ લ્યુ ફિલમો દ્વારા અસામાજિક ત અને કુસંસ્કારો તીવ્રવેગે વૃદ્ધિ પામતાં જાય છે. વળી તે સાધનની કેસેટેનો પ્રસાર પણ વૃદ્ધિ પામતો જાય છે. અને પરિણામે ચોરી અને ચોરેનું પ્રમાણ અધિક બનતું જાય છે. ચલચિત્રોમાં માર, કાટ, લૂંટફાટ, મારામારી અશ્લીલતા બિભત્સતા પ્રસારિત થતી હોય તે તે જેવા વાળો સામાન્ય માનવીની તે શું પણ સજનની માનસિક દશાએ કેવી બને? તેને કારણે બાળ અપરાધીઓની સંખ્યા પણ વૃદ્ધિ પામતી જાય છે. મહા વિકટ સમસ્યા છે કે ચોરી કેવી રીતે ઘટે કે નાશ પામે? શું તે સંભવ નથી ? કેવી વસ્તુ લેવી નહિં ? पतितं विस्मृतं नष्ट स्थितं स्थापितमाहितम् । अदत्त नाददीत स्वं परकीय क्वचित्सुधी ॥ (૧) પતિત માર્ગમાં ચાલતા કે સવારીમાં જતાં કેઇની પડેલી વસ્તુ લેવી તે. ચોરી ગણાય છે. (૨) વિસ્મત કોઈ વ્યક્તિ પોતાની વસ્તુ ભૂલી ગઈ હોય તો તે લેવી તે ચોરી છે. (૩) નષ્ટ સ્થિતિ કોઈની ખેવાયેલી વસ્તુ માલિકને તેની ખબર ન હોય અથવા અમાનત કે સુરક્ષિત રાખેલી વસ્તુ પચાવી લેવી, પોતાની કરી લેવી તે ચોરી છે. (૪) સ્થાપિત માહિતમ જમીનમાં દાટેલી વસ્તુ માલિકની ઈચછા વગર લેવી તે ચોરી છે. તમને થશે માર્ગમાં પડેલી વસ્તુ અમને મળી છે. તે ચોરી કરીને લીધી નથી. છતાં પણ તમારે કેઈની વસ્તુ લેવી નહિ કારણ તે વસ્તુ તમારી માલિકીની નથી તેથી ચોરી મનાય છે, Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬૦ (૫) અદત્ત માલિકની આજ્ઞા વગર વસ્તુ લેવી તે ચોરી છે, તમને થાય કે ગમે તે રીતે મળેલી વસ્તુનું દાન કરીશું. મંદિરના ભંડારમાં નાખીશું શાસ્ત્રકાર મહર્ષિ કહે છે તે વસ્તુ પ્રથમ જ ચોરીમય ગણાય છે. તેથી તેમ કરવાની આજ્ઞા આપતા નથી. ચોરી કરીને પછી દાન પુણ્ય રૂપ ધમ થઈ શકે? કઈ ધર્મશાસ આવી આજ્ઞા આપે જ નહિ જ્યારે તમે કોઈની વસ્તુ રજા વગર લે છે ત્યારે પ્રથમ મૂળમાં ચોરીને દોષ લાગે છે. ચેરીની વસ્તુ દાનમાં કઈને આપી અને તે વ્યક્તિ તે વસ્તુ સાથે પકડાઈ ગઈ તે શું પરિણામ આવશે ? વળી એ ધન મંદિરના ભંડારમાં નાંખવાથી તે ધન તમારૂં નથી તેથી તેના ત્યાગનું ફળ તમને મળવાનું નથી અને ચેરીને દોષ લાગવાને છે. ચારી લૂંટફાટ દ્વારા મેળવેલા ધનથી મંદિર આદિ બનાવવામાં પણ કેઈ લાભ નથી કારણ કે પ્રભુએ એવી આજ્ઞા આપી નથી કે ચોરી કરી ને પણ પુણ્ય કરે શાસ્ત્રમાં તે કહ્યું છે કે ચોરી કરવી નહિ તે જ સાચો ધર્મ છે. આપની એ માન્યતામાં ભૂલ છે કે મંદિર ઉપાશ્રય ધર્મસ્થાન બંધાવવા, તેના પર તમારું નામ અંકિત કરાવવું, મેટું દાન આપવું આ ધર્મ છે. નહિ એવા કાર્યો કરવા એ માત્ર ધર્મ નથી. ધર્મ તો પાપને ત્યાગ કરવામાં છે. હિંસા, અસત્ય, ચોરી, દુરાચાર વગેરે મહા ભયંકર પાપને ત્યાગ કરે તે મહાનધર્મ છે. જીવનમાં મંદિર બનાવી ન શકો તે તમને કેઈ માટે દેષ કે પાપ નહિ લાગે. પરંતુ ચોરી કરીને ભેગા કરેલા નાણામાંથી મંદિર ધર્મશાળા આદિ બનાવે તે પાપ લાગશે. તે પુણ્યની ગણત્રીમાં નહિ આવી શકે. શાસ્ત્રકારોએ ધર્મમાર્ગમાં માગનુસારપણાના ગુણમાં પ્રથમ ન્યાયસંપન વૈભવને ઉપદેશ આપે છે. કારણ કે સમાજમાં ધર્મના નામ પર, ધર્મ કરવાના બહાને અન્યાય અનીતિનું આચરણ વધી જાય છે. ધર્મશાસ્ત્ર તે ભારપૂર્વક કહે છે કે અન્યાય, અનીતિ ચોરીથી ઉપાર્જિત ધનથી ધર્મ કરે તે ઉચિત નથી પણ તે પાપ છે પરંતુ આજે સરતી કીર્તિ પ્રાપ્ત કરવાવાળા લાલચુ છે તે વાતનું લક્ષ્ય લેતા નથી તેમને ખાસ ચેતવણી આપી છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ अयं लोकः परलोको, घों धैर्य धृतिर्मति । मुष्णता परकीयं स्वंद मुषित सर्वमत्यद : ॥ અન્યના ધનની ચોરી કરવાવાળા તેના ધનની સાથે તેના જન્મ જન્માંતર, લોક-પરલોકનું પણ બગાડે છે. ધર્મહિનતા ધૃતિ, મતિ, કાર્યાકાર્યને વિવેકરૂપ ભાવ ધનનું પણ હરણ કરે છે. કોઈની નાની સરખી વસ્તુ તમને મળી. તમે ઉપાડી કે ચોરી લીધી અને તેને ઉપયોગ કર્યો. પણ થોડો વિચાર કરો તમે કેઈની ચીજને ઉપયેાગ કર્યો છે તે તમને આશીર્વાદ આપશે કે અભિશાપ આપશે ? તેની ભાવના એવી થશે કે મારી વસ્તુ ચોરી જવાવાળાનું પણ ભલું થજે, તે ભલે સુખી થાય. એમ થવું સંભવ નથી. કદાચ કઈ જીવ તેવું કહે તે પણ તેના અંતરમાં તે વાત ખૂંચશે ખરી કે મારી વસ્તુ કેઈએ લઈ લીધી છે. મહદ્અંશે તે જેની વસ્તુ ચોરાય છે તે વ્યક્તિ ચોરને પિતાની વસ્તુના તીવરાગને અભિશાપ આપશે દરેકને પોતાની વસ્તુનું મમત્વ હોય છે. કોઈ ઈરછે નહિ કે પિતાની વસ્તુ ચોરાઈ જાય. ચોર પ્રત્યે સંભાવના રહેતી નથી. તેવી અન્યની વસ્તુ ચોરવાવાળે સુખી થાય તે સંભવ નથી. ચાર કયારેય સુખી થતો નથી - અન્યની વસ્તુ ચોરવાવાળે વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે પણ સુખી થતું નથી. કારણકે ત્યારે પણ પકડાઈ જવાના ભયથી ફફડતે હોય છે. વળી તે કયારે પણ કરોડપતિ કે પંજીપતિ બની શકતો નથી. તે ઉદાર દાનવીર કે દાતા પણ બની શકતું નથી. સુખેથી જેટલી પણ ખાઈ શકતું નથી. એક રાતમાં કદાચ તેની પાસે લાખ રૂપિયા આવી પણ જાય ને તે વ્યકિત અન્ય સામગ્રી પણ એકઠી કરે છતાં નીતિકારોએ લખ્યું છે. अन्यायोपार्जित वित्त, दशवर्षाणि तिष्ठति । प्राप्ते चैकादशे वर्षे, समूलं च विनश्यति ॥ ચોરી, અનીતિ કે અન્યાયથી ઉપાર્જિત કરેલું ધન કદાચ પૂર્વજન્મના પુણયને કારણે આ જન્મમાં તમારી પાસે ટકી જાય તે પણ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ તે ગણત્રીના વર્ષો સુધી, ત્યાર પછી તે તે ચોરીનું ધન તમારા મૂળ ધનને પણ વ્યર્થ બનાવે છે. તમે કોઈ ચોરને દાતા દાનવીર સુખી, સંપન જે છે ? દુરાચાર જેવા માર્ગેથી આવતું ધન માનવીની બુદ્ધિને પણ બગાડે છે, “યથાધન, તથા અન્ન, યથા અન્ન તથા મતિ” જેવું ધન તેવું અન્ન અને જેવું અન્ન તેવું મન. તેથી ધમીએ તે નિર્ણય કરે કે પાપી કે અધર્મની સુખ સાહ્યબી જોઈને ચોરી અન્યાય કે અનીતિના રસ્તે લાખ રૂપિયાની કમાણી થતી હોય તો પણ પિતે તે મા નહિ જાય. પિતાની શુભભાવનાને તેડે નહિ. પિતાના ન્યાયનીતિના માર્ગને છોડે નહિ. - “ધમી ને ઘેર ધાડ અને પાપીને ઘરે લહેર ” " આ કહેવત પ્રમાણે કદાચ ધમીને દુઃખ દરિદ્રતા હોય પાપી સાધન સંપન્ન હોય અને લહેર કરતે હોય, તે પણ ધમને તે વિશ્વાસ છે કે આ પાપી – ચારનું પૂર્વનું પુણ્ય આજે ભોગવી રહ્યો છે. તે સુખ ક્ષણજીવી છે. પરિણામે તે તેને દુઃખ ભેગવવું જ પડશે. સમાજમાં આપણે જોઈએ છીએ કે પૂર્વ પુણ્યદયે પાપીને ત્યાં લીલાલહેર હોય છે, પરંતુ આખરે તે સર્વને વિનાશ થાય છે. છેવટે પાપનું પરિણામ દુખ જ છે, પૂર્વ પુણ્યના સહારે વર્તમાનનું પાપ ઢંકાયેલું રહે તે પણ ધમીએ તે જોઈને પિતાને ધર્મ છેડે નહિ. પિતાને પરિશ્રમની સાચી કમાઈની ભૂખી રોટલી પણ મીઠી માનવી. પરંતુ ચોરીના મેવા-મિઠાઈ ઝેર રૂપ છે. - ભલે, અહ૫ પુણ્યાગ લાંબા સમય માટે હોય તે સારું છે, પાપ કે ચોરીથી ઉપાર્જિત ઘણું ધન થડા દિવસ માટે મળ્યા પછી વ્યક્તિને એવી રીતે પછાડે છે કે, તે ફરીથી ઉભી થઈ શકતી નથી. આબરૂને સર્વનાશ થાય, સમાજમાં શિર ઉંચું પણ થઈ ન શકે. કે સુખ પણ દેખાડી શકાય નહિ તેવી સ્થિતિ થાય છે, માટે નિર્ણય કરે કે કયે માર્ગ સારો કે હિતાવહ છે? ક્ષણિક સુખ, ક્ષણજીવી લક્ષ્મી તમે ઈચ્છે છે તે પછી તમારે માટે ચોરી પાપ કરવું સહેલું છે અને જો તમે દીર્ધકાળનું સુખ ઈચ્છતા હો તે પાપ અન્યાયને ત્યાગ કરીને ધર્મ ન્યાય નીતિના માર્ગ પર ચાલ્યા વગર બીજે કંઈ ઉપાય નથી. Page #34 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલ અદત્તના પાંચ અતિચાર સ્તનાપહત તેને જક તપ્રતિરૂપ, વિરૂદ્ધ ગમન, બેટા માપતેલ ગ્રહણ વચનપ્રયોગ तेनाहड-प्पओगे, तप्पडिहवे विरुद्धगमणे अ ! કૂતતૂઢ મા, પતિ શિવ સદઉં ! (૧) નાપહૃત ગ્રહણ - ચોર દ્વારા અપહરણ કરીને લાવેલી વસ્તુ ગ્રહણ કરવી, રાખવી ચર પાસેથી સસ્તામાં લેવી અને મોંઘામાં વેચવી તે દોષ છે. કારણ કે થોરને પ્રોત્સાહન મળે છે. તે વધુ પ્રમાણમાં ચોરી કરે છે. વળી તે વધુ રકમ મળે છે તે તમારે માટે જ ચોરી કરે છે. આ પ્રમાણે તમે ચોરીમાં નિમિત્ત બને છે માટે આવા દેષથી અવશ્ય બચવું જોઈએ. (૨) સ્વૈનેત્તજક વચન પ્રગ:– - ચોરને ચોરી કરવામાં પ્રેત્સાહન મળે તેવા વચન બોલવા. ચોરને કહેવું કે કેમ આજકાલ બેસી રહ્યા છે. હાલ તે ચોરીની તેજી ચાલે છે. તમને કંઈ સહાય જોઈએ છે? તમારે કંઈ સાધન-સામગ્રી જોઈએ તે તે હું આપીશ. આ પ્રમાણે કહીને ચોરને ચોરી માટે તૈયાર કર. ભલે તેમ સ્વયં ચોરી કરતા નથી પણ આવા નિમિત્તથી તમે ચોરીના અપરાધમાં સામેલ છે. (૩) તાતિરૂ૫ – સારા માલમાં હલકે માલ ભેળવ, અથવા નકલી માલને અસલી માલ કરીને વેચો. ચોકખા ઘીમાં વનસ્પતિ ઘી ભેળવવું. તે ચોરીને પ્રકાર છે. એક સરખા પદાર્થોના વર્ણાદિની સમાનતાને દુરપયોગ કરી સેનાની જગાએ પિત્તલ, હીરાની જગાએ કાચના ટુકડા, આમ નકલી વસ્તુઓને અસલ વસ્તુ છે તેમ બતાવી વિશ્વાસ પેદા કરી વધુ કિંમતમાં વેચવું તે ચોરી છે શિક અસત્યનું સેવન કરવું અને વળી ઠગવિદ્યા કરવી એવી ચોરી કદાપિ કરવી નહિ. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ (૪) વિરૂધ ગમન – રાજ્યના નીતિ નિયમ વિરૂદ્ધ ચાલવું. જે દેશમાં તમે રહો તેના નીતિ નિયમ પ્રમાણે ચાલવું. પરંતુ જે વસ્તુને વ્યાપાર રાજ્યના કાયદાથી વિરૂદ્ધ હોય તેને વ્યાપાર કરે તે ચોરી છે. તેને ત્યાગ કર. નહિ તે વિરુદ્ધ રાજ્યાતિક્રમને દોષ લાગશે. (૫) સ્કૂલ ફંડમાણે (ખોટા માપ તેલ) વ્યાપારના ક્ષેત્રમાં વસ્તુની લેવડ દેવડમાં માપ તેલની પધ્ધતિ હોય છે વસ્તુ ત્રાજવામાં તેલીને આપતી વખતે જે તેમાં ઠગવિદ્યા કરે તે તે ચોરી છે. કપડા વગેરે માપીને આપવામાં આવે છે. કોઈ વસ્તુ ગણત્રીથી આપવામાં આવે છે. તેમાં છેતરપીંડી કરવી તે ચોરી છે. એક તે વ્યાપારી ભાવ તે અધિક લે છે. પછી શા માટે માપ તેલમાં ચોરી કરવી ? ગ્રાહકને તે વાતનું જ્ઞાન નથી. તેની આંખમાં ધૂળ નાંખીને, મધુર વાણથી તેનામાં વિશ્વાસ પેદા કરવો તે ચોરી છે. વ્યાપારની નીતિ: લેકે એવું માને છે કે એવી સચ્ચાઈ રાખીએ તે વ્યાપાર ન થાય. તેમાં કમાણી શું થાય? આ ધારણ બેટી છે. તીર્થંકર પરમાત્માએ ગૃહસ્થને વ્યાપાર કરવાની કયાં મના કરી છે તેઓ જાણે છે કે ગૃહસ્થને આજીવિકા માટે વ્યાપાર કરવો જરૂરી છે. ધર્મશાસ્ત્રોમાં પણ વ્યાપાર ન કરે તેવી વ્યર્થ આજ્ઞા કરી નથી, શાસ્ત્રકારોએ તો એમ કહ્યું છે કે પાપ વ્યાપાર ન કરશે, વ્યાપારમાં ચોરી-કપટ ન કરે અસત્ય ન આચરે. ઉદરપૂર્તિ કરવી આવશ્યક છે. પણ તેને અર્થ એ નથી કે ગમે તેમ કરીને વ્યાપાર કરે. તે પ્રમાણે તો કૂતરા બિલાડા પણ ઉદર પૂતિ કરે છે. પશુ-પક્ષી, વેશ્યા જેવી વ્યકિતઓ પણ પેટ ભરે છે. કસાઈ પશુઓને કાપીને પેટ ભરે છે. ચોર લૂંટારા સર્વ કે ઈ પેટ ભરે છે તે શું તે પદધતિથી પેટ ભરવા જેવું છે? - તમે વિચાર કરો કે તમે ઉચ્ચ કુટુંબમાં જન્મ લીધો છે. ઉચ્ચ કુલમાં તથા ઉત્તમ વંશમાં તમે જન્મ લીધો છે. મારુ ખાવું-પીવું, વૃત્તિ-પ્રવૃત્તિ-વ્યાપાર, વગેરે એવા ન હોવા જોઈએ જે મારા કુળને, જાતિને કે વંશને કલંક લગાડે કેવળ ઉદરપૂતિ માનવ જીવનનું લક્ષ્ય Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ નથી તે તે એક સંચાગ છે, પરંતુ આ શરીરમાં રહેલુ આત્મત્વ જ મને ઉપાદેય છે. પેટ ભરવા માટે કરેલા પાપોને કારણે જ્યારે નરક તિય "ચાદિની ગતિમાં જવું પડશે ત્યારે મહાદુઃખ સહન કરવુ પડશે. ભયંકર સજા ભાગવવી પડશે.ત્યારે જે પેટ કે શરીર માટે પાપો કર્યાં હતા તે પેટ કે શરીર સાથે આવશે નહિ. પરંતુ તેને માટે કે ક્ષણિક સુખને માટે કરેલા પાપના સંસ્કારી દ્વારા આત્માને પરિભ્રમણ કરવુ પડશે. માટે ખૂબ વિચાર કરવા અને વ્યાપાર-વ્યવસાયની સર્વ પ્રવૃત્તિમાં ધર્માની પ્રધાનતા રાખવી ધમશાસ્ત્રાએ દર્શાવેલા નીતિ નિયમાનુ પાલન કરવું. કોઈ વસ્તુ રૂપિયા એ માં ખરીદ્વી ૧૦/૨૦ પૈસા તેના ઉપર ખેંચીને તેમાં અન્ય રકમ કમાણીની ઉમેરીને પછી ચૈાગ્ય ભાવે માલ વેચવે તેમાં દોષ નથી. વ્યાપારી નીતિ એમ કહેતી નથી કે તમારી માલ વગર નફાથી વેચો. ધમ શાસ્ત્રા પણ એમ કહેતા નથી, તમે ચેન્ચ નફે કરી અને સંતેાત્ર માને પર`તુ કેવળ લેાભવશ અત્યંત ફાયદા ન લેવા. વધુ પડતા ફાયદા લેવામાં અસલી માલને બદલે નકલી વેચવા પડે. કેાઈ માલમાં મિશ્રણ કરવુ' પડે. ખાટા માપ તેાલ રાખવા પડે, વગેરે પ્રકારની ચોરી કરવી પડે. એવી અનીતિથી વ્યાપાર કરવા નહિ. તમે સૌએ વ્યાપાર અને ચોરી-અસત્યને એકબીજાના પૂરક અનાવી દીધા છે જાણે એક સિકકાની એ બાજુ ન હેાય ? લેાકેા કહે છે કે ચોરી અસત્ય વગર વ્યાપાર કેવી રીતે ચાલે ? નીતિથી વ્યાપાર કરવા સ’ભવ નથી. પરંતુ ચોરી-અસત્ય વગર વ્યાપાર સંભવ નથી તે વાત તમારી તદ્દન ખાટી છે. તમારે જાણી લેવુ જરૂરી છે કે અસત્ય ખેલવાથી, અન્યાય-અનીતિ કરવાથી તેનુ પરિણામ કેવુ' ભાગવવુ પડશે. હિં સાનુ પરિણામ તે. અગાઉના પ્રવચનમાં જાણ્યું છે અહી ચોરીનું ફળ કેવુ છે તેનું દૃષ્ટાંત પણ જાણી લેા પાપની સજા ભારે હાય છે તેમ ગ્રંથકારાએ અતાવ્યું છે. ચારીનું ફળ લય કર છે ઃ— પાપની સજા ભારે' એ નિયમાનુસાર પ્રત્યેક પાપની, દરેકની સજા પણ ભિન્ન પ્રકારની હાય છે. જો પાપ ભયકર તેા સજા પણ્ ભયંકર હાય છે. ચોરીનુ ફળ આ જન્મ અને જન્માંતરમાં મળ્યા કરે છે. ચેાગશાસ્ત્રમાં શ્રી હેમચંદ્રાચાર્યે કહ્યુ` છે કે Page #37 -------------------------------------------------------------------------- ________________ २६॥ दौर्भाग्यं प्रेष्यतां दास्यमगच्छेदं दरिद्रताम् । अदत्तात्तफलं ज्ञात्वा स्थूलस्तेयं विवर्जयेत् ॥ ચોરી કરવાથી ભાગ્ય-સૌભાગ્ય વિનાશ પામે છે અને દુર્ભાગ્ય પાપીની સબત છોડતું નથી. દરેકના પાપ કર્મને ઉદય થતું રહે છે. અશુભ પાપ કર્મનો ઉદય દુઃખ દુર્ભાગ્ય છે. પૂર્વ પુણ્યદયે ચોરને ચોરીમાં ભલે તત્કાળ ધનાદિનો લાભ મળે પરંતુ તે સમયે ભયનું દુઃખ, અને નવા કર્મબંધનું દુઃખ તે તે ભોગવે છે. વળી ચારીના કાર્યથી જન્માંતરોનું પુણ્ય નષ્ટ થઈ જાય છે. પછી સવળા પડતા બધા જ પાંસા અવળા પડે છે અને ચોર કારાગૃહમાં પહોંચી જાય છે. એમ ન સમજતા કે ચોરી કરતાં પકડાયેલા ચાર જ કેવળ ચોર છે અને બાકીના સર્વ શાહુકાર છે. ચોરને સંભવ છે કે ચોરી કરતા આવડી નહિ હોય અથવા તેને અસત્ય બોલીને ચોરીના બચાવ કરતા આવડે નહિ હોય. તેથી તે કારાગૃહ ભેગો થયે હેય. જે તેણે ચતુરાઈ પૂર્વક ચેરી કરી હેત, અસત્ય આદિમાં તે નિપુણ હેત તે સંભવ છે તે પકડાઈ ગયે ન હેત “છીંડે ચઢે તે ચોર” જેવું છે. બાકીના શાહુકાર થઈને ફરે. વળી કોઈવાર નિર્દોષ માણસ પણ પકડાઈ જાય છે અને દેષીત છૂટી જવા પામે છે. કિંકરતા-ગુલામી એક પ્રકારનું ચોરીનું ફળ છે. ધારોકે તમે કેઈ ઘરમાં ચોરી કરી છે. જન્માંતરે તમારે તેના ઘરે નોકર થઈને મજુરી કરવી પડે અને બદલામાં નાણું ઘણું અલ્પ મળે. એમ ભૂતકાળમાં કરેલી ચોરીની રકમ ચૂકવવી પડે. ગુલામી, દાસત્વ, કરપણું વગેરે ચોરીનું એક પ્રકારનું ફળ છે. ખાસ પ્રકારની ચોરીની સજા શારીરિક પરાધીનતા, જેલની સજા, અંગોપાંગની વિકળતા, છેદન ભેદન છે. ભયંકર ચોરીના કૃત્યનું પરિણામ તે તિર્યંચ અને નરક ગતિની ભયંકર યાતના છે. - ચોરના જીવનમાં દરિદ્રતા કે નિર્ધનતા લખાયેલા હોય છે. કદાચ ચોરીમાં ધન પ્રાપ્તિ થાય તે પણ તે દીર્ઘ કાળ ટકતું નથી. અથવા જે રહે તે આપસ આપસમાં સંઘર્ષ થાય છે. તેઓ અંદર અંદર લડીને મૃત્યુ પામે છે. આ જન્મમાં જેલની સજા ન થાય તે પણ ચોર ઘણું દુઃખ પામે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ चार्य पापमस्येह बध बन्घादिकं फलम् । जायते परलेाके तु फलं नरक वेदना ॥ જેમ જમીનમાં વાવેલા ખી માંથી ઉગેલા વૃક્ષ પર સમય થતાં ફળ બેસે છે, તે પ્રમાણે પાપવૃક્ષ પર વધ, બંધન આદિ ફળ બેસે છે. ચોર ચોરી કરતાં પકડાઈ ગયા કે તેને સૌ મારવા લાગે છે, અને પછી પેલિસ પાસે પકડાવી દે છે. પેાલિસ કર થઈને તેને હટર કે ક્રેડા વડે મારીને દુઃખી કરે છે. વીજળીના શેક આપે છે. જેલમાં ભારે પરિશ્રમ કરાવે છે. હાથ પગ માંધીને કેટલાયે દિવસે તેને પૂરી રાખવામાં આવે છે. અને જરા ભૂલ થાય તે અતિશય માર મારવામાં આવે છે. એકવાર વડેદરાની જેલમાં અમારું પ્રવચન હતું, ગુન્હેગારાએ પ્રભુની વાણી સાંભળીને પેાતાના પાપ બદલ ઘણા પશ્ચાતાપ કર્યાં. કેટલાકે પેાતાના પાપની ક્ષમાયાચના કરી જો કે તેમને તેમની સજા તે પૂરી ભેગવવી પડી, જેલમાં કેદીઓની દશા ઘણી દયાજનક હતી. છતાં આ સજા પૂરી થયે છૂટી ગયાપછી શું ? એવા કેટલાક કુકૃત્ય હશે જે આ જન્મમાં પકડાઈ જવા પામ્યા ન હાય, તેથી ખૂની અપરાધી નિર્દોષ છૂટી ગયા હૈાય, અથવા લાંચ આપીને પણ છૂટી ગયેા હાય. પરંતુ એ સ` પાપાના ફળ સ્વરૂપ અધેગપતિ અજગરની જેમ મુખ ફાડીને બેઠી છે. કોઇ અન્યને ઠંગીને તમે છૂટી જશે પણ તમારી પોતાની કર્માં સત્તાને ભોગવ્યા વગર છૂટી શકશેા નહિ. કમ પ્રમાણે ગતિ મળવાની છે અને નરગતિમાં તે પરમાધામી રાક્ષસ વૃત્તિવાળા તૈયાર જ છે તે મહાકૂર નિ ચીને કઇ તમારી દયા આવવાની નથી. જેમ કસાઇ મકરી, ગાય, આદિને દયારહિત થઈ મારે છે તેમ તે રાક્ષસા તમને રહેંસી નાંખશે. તેલમાં ભજીયાની જેમ તળી નાંખશે. પત્થર પર પટકશે એમ અનેક પ્રકારે મહાવેદના આપશે અને તે તમારા કરેલાં કૃત્યાના પરિણામ સ્વ રૂપે ભાગવવી પડશે. કેાઈ ચોરે સા વાર ચોરી કરી તેમાં તે છેલ્લીવાર પકડાઈ ગયા અને તેને તે પ્રમાણે સજા મળી પણ તે પહેલા નવ્વાણુવાર કરેલ ચોરીની સજા તે આ જન્મમા બાકી રહી તેનુ શું ? ભલે આ જન્મમાં તે Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ . નવ્વાણુવાર પૂરાવાના અભાવે સજા ન પામે. પણ આખરે તેને નરકમાં જઈને સજા ભોગવવી પડશે. તે સમયે એવી મહાયાતના ભેગવવી પડશે કે તે ચોધાર આંસુએ રડશે, તે પણ પરમાધામી દેવ તેની દયા નહિ ખાય. નરક કંઈ એક બે નથી સાત-સાત નરક છે અને ઓછામાં ઓછું આયુષ્ય દસ હજાર વર્ષનું છે. અહીં પાંચ-પચીસ વર્ષ ચોરી કરી હોય અને તે પાપની સજા નરકમાં હજારો લાખો વર્ષ ભેગવવી પડે છે. કર્મસત્તાના સામ્રાજ્યમાં દેર નથી અને અંધેર પણ નથી. ચાર કયારેય પણ શાંતિ પામી શકતા નથી. दिवसे वा रजन्यां वा स्वप्ने वा जागरेऽपि वा । सशल्य इव चौये ण नैति स्वास्थ्य नरः क्वचित् ॥ પગમાં કાંટો વાગ્યા પછી કે હાથની આંગળી કપાઈ ગયા પછી જેમ પ્રતિ સમય વેદનાને અનુભવ થાય છે. ક્ષણ માત્ર તેને શાંતિ મળતી નથી તેમ ચરને દિવસ-રાત સૂતા-જાગતા કેઈપણ ક્ષણે શાંતિ હોતી નથી. માફ કરજે, પૈસા – ધન-સંપત્તિ કે લક્ષમી તમારી પાસે આવ્યા પછી તમને સુખશાંતિ મળે છે તે તમારી ધારણા છેટી છે. ધન અને સુખ શાંતિને કંઈ સંબંધ કે લેવા – દેવા નથી. પરંતુ જેમ જેમ ધન વધે તેમ તેમ અશાંતિ વધે છે, સુખનું કોઈ ઠેકાણું હોતું નથી અને શાંતિનું તે નામ નિશાન રહેતું નથી. શાસ્ત્રકારોએ કહ્યું છે કે : અર્થમનઈ કારણું પરમ”! ધન–અર્થ મહાઅનર્થનું કારણ છે. આપણે જોઈએ છીએ કે કઈ શ્રીમંતની પાસે લાખે કે કરોડોની સંપત્તિ એકઠી થઈ હોય પણ તે રાત્રે નિરાંતે નિદ્રા લઈ શકતા નથી સુખના સેંકડો સાધન બહાર એકઠા કર્યા હોવા છતાં સુખનું તે નામ નહિ, એમ શા માટે?એ લાખે કે કરોડની સંપત્તિ આવી કયાંથી એ ધન કેવા પ્રકારે આપ્યું ? જે તે અસત્ય, અનીતિ, અન્યાયના માર્ગેથી આવ્યું હોય તે તે સુખ શાંતિ કેવી રીતે આપશે ? સંભવ નથી. સ્વાશ્ય પણ નિરોગી કેવી રીતે રહેશે? અંતે ચારે તરફથી પાપ પણ ઉદયમાં આવશે. અંદર બહાર કયાંય સુખ શાંતિ નહિ હોય મન સતત ભયગ્રસ્ત, સતત ચિંતામય રહેશે. એવું ધન જીવનમાં શા કામનું ? Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ मित्र - पुत्र कलत्रादि भ्रातरः पितरोऽपि हि । संसन्ति क्षणमपि न म्लेच्छैरिव तस्करै : ॥ ક્ષુદ્રો-મ્લેચ્છેાની સાથેના એક ક્ષણના પણ સંસગ હિતાવહ નથી તેમ ચોર, અપરાધીની સાથે તેના પુત્ર, મિત્ર, પત્ની, ભાઈ, બહેન માતા, પિતા કઈ સંબંધ રાખતા નથી. તે વિચારે છે કે તેની સાથે સંબંધ રાખવાથી તેમને સહન કરવું પડશે. અમારુ નામ પણ ખરાખ થશે. અમારા કુળની આબરૂ જશે. સગાપણ પરાયા થઇ જાય છે. વિચાર કરી ચોરને સુખ શાંતિ કયાં છે ? તે ધનને શું કરશે ? શું તેનાથી પેટ ભરાશે ? વળી સમાજમાં પણ તે અપમાનિત પાપ છે. તેના માન-પાનપ્રતિષ્ઠા સનાશ થાય છે અને કાઈપણ ભારે સજા ભાગવવી પડે છે. તેનું પાપ પ્રગટ કરવામાં આવે છે, ત્યારે ભારે અપમાન સહન કરવું પડે છે. જીવનનુ સુખ સમાપ્ત થઈ જાય છે. ચોરી કરનારને મંત્રવિદ્યા નુ ફળ મળતું નથી. કેઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. ચોરીની સાથે વ્યસન જેવા દુરાચાર પણ આવે છે. એક પાપ અનેક પાપની પર પરા સર્જે છે. એકવાર નરકની સજાથી પણ પાપ નાશ પામતુ નથી પછીના જન્મામાં પણ શેષ પાપ સાથે આવે છે. અને કેટલાય જન્મોગ્ કરે છે. ચોરીના સસ્કાર એવા જામે છે કે તે જન્માંતરે સાથે આવે છે અને અનેક જન્મા બગાડે છે. આજથી જ આ જન્મમાં ચોરી ત્યાગની પ્રતિજ્ઞા કરીને પછીના જન્માની સુધારણા કરવી. પાપ પાપ જ છે. તે આજે જ શા માટે ન છોડી દેવું ? જીવન નિષ્પાપ; શુદ્ધ પવિત્ર મનાવવા ચોરીને ત્યાગ અત્યંત આવશ્યક છે. હિતાવહ છે. સર્વ જીવા આ પાપથી મચે તેવી શુભેચ્છા.... ** Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ (૨) અદત્તાદાન પાપસ્થાનકની સઝાય. ચારી વ્યસન નિવારીયે, પાપ સ્થાનક હું ત્રીજુ કશું ઘર કે, ઈહિ ભવ પર ભવ દુખઘણા, એહ વ્યસન હે પામે જગ ચોર કે. - ચેરી. (૧) ચાર તે પ્રાયઃ દરિદ્રી યે, ચોરીથી હે ધન ન રહે નેટ કે ચોરને કોઈ ધણી નહીં પ્રાયે ભૂખ્ય હે ચોરનું પેટ કે. ચોરી. (૨) જિમ જલ માંહે નાંખી, તલે આવે છે જલને અય ગેલ કે, ચોર કઠેર કરમ કરી, જાયે નરકે છે. તિમ નિપટ નિટોલ કે, ચોરી. (૩) નાડુ પડયું બલી વિસયું રાખ્યું હે થાપણ કર્યું જેહ કે; તૃણ તુસ માત્ર ન લીજીએ, અણદીધુ હે કિહાં કેઈનું તેલ કે, ચોરી. (૪) દરે અનર્થ સકલ ટળે મિલે વાલહા હે, સઘલે જસ થાય કે, સૂર સુખના હુએ ભેટણ, વૃતત્રીજુ હે આવે જસ દાય કે. ચોરી. (૫) તજી ચોર પણું ચોરતાં, હુએ દેવતા રહીશું. જેમ કે, એહવૃતથી સુખ જસ કહે વલી પ્રાણી વહે પુણ્યર્યું પ્રેમ કે, ચોરી વ્યસન નિવારીયે.... (૬) Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મનાથસ્વામિને નમઃ | પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયસુબોધસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણુવિજયજી મહારાજ ( રાષ્ટ્રભાષા રત્નવર્ધા, સાહિત્યરત્ન-પ્રયાગ, ન્યાય દર્શનાચાર્ય-મુંબઈ) આદિ મુનિ મંડળના વિ.સ. ૨૦૪૫ના જૈન નગરશ્રી સંઘમાં ચાતુર્માસ દરમ્યાન શ્રી ધર્મનાથ પો. હે, જેનનગર .મૂ. જૈન સંઘ-અમદાવાદ - તરફથી યોજાયેલ 16 રવિવારીય - * ચાતુર્માસિક રવિવારીય ધાર્મિક શિક્ષણ શિબિર * ની અંતર્ગત ચાલતી પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજના e “પા.૫હતી. જા. ભારે 7 - વિષયક રવિવારીય સચિત્ર જાહેર પ્રવચન શ્રેણિ –ની પ્રસ્તુત છઠ્ઠી પુસ્તિકા શ્રી લુણસાવાડ - માટીપાળ જન સંધ દરિયાપુર - અમદાવાદ ના ઉદાર સૌજન્યથી પ્રસ્તુત પુસ્તિકા છપાવી પ્રસિદ્ધ કરવામાં આવી છે. મુદ્રક : સાગર પ્રિન્ટસ" Jain Educadonemalona