Page #1
--------------------------------------------------------------------------
________________
SCI&A EGYISI
છેર કરી
ધૃતનિધિ શારદાબેન ચિમનભાઇ એજયુકેશનલ રિસર્ચ સેન્ટ૨
‘દર્શન', શાહીબાગ, અમદાવાદ-૪.
Page #2
--------------------------------------------------------------------------
________________
કલાધામ દેલવાડા
પ્રકાશક
મૃતનિધિ શારદાબેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર
‘દર્શન', શાહીબાગ, અમદાવાદ-૪.
Page #3
--------------------------------------------------------------------------
________________
કલાધામ દેલવાડા
પ્રકાશન વર્ષ વિ. સં. ર૦૫૩ : ઈ. સ. ૧૯૯૭
નકલ : ૧૦૦૦
ગ્રંથઆયોજન
શારદાબેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર ‘દર્શન', શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪.
પ્રકાશક
મૃતનિધિ શારદાબેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર
દર્શન', શાહીબાગ, અમદાવાદ-૪.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના શેઠ આણંદજી કલ્યાણજી તરફથી પ્રકાશિત શ્રી જૈન શ્વેતામ્બર તીર્થમંદિરોની પરિચય પુસ્તિકામાળાની પૂર્તિરૂપે કલાધામ દેલવાડા નામક પુસ્તિકા પ્રકાશિત થાય છે. સન ૧૯૬૩માં પ્રા. મધુસૂદન ઢાંકીએ દેલવાડાનાં દેરા' નામક એક સચિત્ર પુસ્તિકા કુમાર કાર્યાલય, અમદાવાદ તરફથી પ્રકાશિત કરવા કુમારના સંપાદક અને તંત્રી (સ્વ) શ્રી બચુભાઈ રાવતના અનુરોધથી તૈયારી કરેલી; પણ તે કેટલાંક અનિવાર્ય કારણોસર પ્રકટ થઈ શકેલી નહીં. અમારી ઉપરકથિત પરિચય પુસ્તકમાળામાં આબૂ-દેલવાડાનાં જિનાલયો વિષેની પણ સચિત્ર પુસ્તિકા એક પળે પ્રકાશિત કરવાની યોજના હતી જ; એટલે પછી તૈયાર જ પડેલી ઉપર્યુકત પુસ્તિકાના મુખ્ય મુસદ્દાને આવરી લઈ, વિશેષ ચિત્રો સાથે, તે અહીં પ્રકટ કરી રહ્યા છીએ. લેખકે એમના અગાઉના લખાણના મૂળ મુસદ્દાને ફરી એક વાર તપાસી, તેમાં થોડાક સુધારા-વધારા કર્યા છે; પરંતુ મૂળ વસ્તુ, વાકયો, અને એથી લેખન-શૈલી પ્રાય: યથાતથ રહેવા દીધાં છે.
આબૂ-દેલવાડાનાં જગવિખ્યાત મંદિરો પર આમ તો કેટલુંક સાહિત્ય અંગ્રેજી એવં ગુજરાતી અને થોડુંક હિન્દીમાં પણ આ પૂર્વે પ્રકટ થઈ ચૂક્યું છે. પરંતુ આ પુસ્તિકાની વિશેષતા એ છે કે, તેમાં દંતકથાઓ અને મહિમાપરક અતિશયોક્તિથી પર રહી, મંદિરો અને તેમના નિર્માતાઓ તથા નિર્માણ સંબંધમાં વિશ્વસ્ત સાહિત્યિક સાધનો, અભિલેખો, તથા શિલ્પ-સ્થાપત્યનાં પ્રમાણોથી પ્રાપ્ત થતા યથાર્થવાદી ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં, તથા તે યુગોની ભૌગોલિક – ઐતિહાસિક - સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિકાને લક્ષમાં લઈને આ લેખન થયું છે. વિશેષમાં ૯૨ જેટલાં ચિત્રોના સંપુટથી સમૃદ્ધ સંદર્ભમાં મંદિરોની કલાનું આકલન તથા તેનાં સમાલોચનપૂર્વક અને સવિસ્તર વિવેચન અને રસદર્શન સમાવી લેવામાં આવ્યાં છે, તેમાં લેખકના પોતાના અગાઉ પ્રકાશિત થઈ ગયેલા લેખો અતિરિકત સ્વ. મુનિ જયન્તવિજયજી, સ્વ. મુનિ કલ્યાણવિજયજી, સ્વ. દા. ઉમાકાન્ત શાહ, આદિ લેખકોની શોધ-ફલશ્રુતિનો પણ ઉપયોગ કર્યો છે
અહીં પ્રકટ કરેલાં મોટા ભાગનાં ચિત્રો વારાણસી સ્થિત American Institute of Indian | Studies ની ચિત્રકાશામાંથી પ્રાપ્ત થયાં છે, જે તેમના સહકાર અને સૌજન્યથી અહીં પ્રકટ થઈ રહ્યાં છે : જ્યારે કુલ ૧૭ ચિત્રો-ક્રમાંક ૧૧, ૧૭, ૩૬, ૪૦, ૪૯, પર, ૬૩, ૬૪, ૬૮, ૭૪, ૭૫, ૭, ૮૦, ૮૩, ૮૭, ૮૯, અને ૦–પ્રા. ઢાંકીના નિજી સંગ્રહમાંથી લેવાયેલાં છે. આમાંનાં કેટલાંક વિષયની દષ્ટિએ અદ્યાવધિ અપ્રકાશિત રહ્યાં હતાં.
મૃતનિધિ
અમદાવાદ ઈ. સ. ૧૯૯૭
Page #5
--------------------------------------------------------------------------
________________
Page #6
--------------------------------------------------------------------------
________________
કલાધામ દેલવાડા
દેલવાડાનાં દેરાં
(૧)
ભૌગોલિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ
દેવાત્મા અર્બુદાચલ પશ્ચિમ ભારતની બે મહાન, સમીપવર્તી, અને સગોત્રી ઉપસભ્યતાઓરાજસ્થાન અને ગુજરાતના મહામિલનનો મૂક સાક્ષી માત્ર નથી : મરુ, મેદપાટ, અને સપાદલક્ષ, આનર્ત, સૌરાષ્ટ્ર, અને કચ્છના સંસ્કારપ્રવાહોના સંગમસ્થાનનો એ કેવળ સેતુ કે સીમાસ્તંભ પણ નથી : વર્ણાશા અને સરસ્વતીના નિર્મલ વારિ સમી સુભગા, ભદ્રા, ઐશ્વર્યમયી મરુગૂર્જર સંસ્કૃતિનું ગરવો અર્બુદગિરિ પોતે જ પ્રભવસ્થાન અને પયદાતા પણ છે. મરુગૂર્જરીના એ અડીખમ સંત્રીના મૂર્ત સંસ્કારપ્રદાન રૂપે એના અંકમાં મણિમેખલા શી માતબર, એક અલંકારશીલ વાસ્તુપ્રથા મધ્યયુગમાં પાંગરી હતી. એ રત્નમેખલાના અવશિષ્ટ રહેલાં તેજસ્વી બહુમૂલ્ય મોતીઓ તો છે દેલવાડાનાં જગનામી જિનમંદિરો.
પુરાણોક્તિમાં હિમાચલના પુત્ર—એક શૃંગ નંદિવર્ધનરૂપે મનાતા પણ ભૂસ્તરશાસ્ત્ર અનુસાર તો હિમાલયથીયે અબજો વર્ષ પુરાણા અર્બુદાદ્રિએ એક સમયે એ નગાધિરાજ જેટલી જ ઉત્તુંગતા ધારણ કરેલી. એની સૃજનજૂની આવરદાના ઇતિવૃત્ત એના અડાબીડ ખડકશગમાં અંકિત થયેલાં છે. રોમે રોમે વનસ્પતિનો ફાલ પ્રગટાવનાર, વનદેવી અને વસંતના વરદત્ત એ સલિલસંપન્ન પર્વતરાજનો મહિમા આઠમા શતકના ઉત્તરાર્ધમાં થયેલા કાશ્મીરી કવિ દામોદરગુપ્ત અને ગાંધી-અરવિંદ યુગના ગુજરાતી કવિ પૂજાલાલે ગાયો છે. એનાં તીર્થધામોનાં માહાત્મ્યો પ્રગટ કરવા સ્કંદપુરાણમાં એક સ્વતંત્ર વિભાગ——અર્બુદખંડ—ની રચના થયેલી છે. તો ઈ. સ ૧૨૩૨ના અરસામાં પાલ્હણપુત્રે અપભ્રંશમાં આબુરાસની રચના કરી છે. અને ૧૪મા શતકના
Page #7
--------------------------------------------------------------------------
________________
૨
પ્રારંભકાળે વિવિધતીર્થકલ્પકાર જિનપ્રભસૂરિએ એની આખ્યાયિકાઓનો ‘અર્બુદગિરિકલ્પ’’ અંતર્ગત સંગ્રહ કર્યો છે. તે પછી તપાગચ્છીય યુગપ્રધાન આચાર્ય સોમસુંદરસૂરિએ ૧૫મા શતકના પ્રથમ ચરણમાં અર્બુદગિરિકલ્પની પદ્યબન્ધમાં રચના કરેલી છે. આબૂતીર્થના અધિનાયકોનો મહિમા ગાતા પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં ભુવનસુન્દરસૂરિ આદિનાં કેટલાંક સ્તોત્રો અને યાત્રિક મુનિઓ દ્વારા થોડીક ચૈત્યપરિવાટીઓની પણ રચના ૧૪-૧૫મા સૈકામાં થયેલી છે. અર્બુદની એ પુણ્યભૂમિની પરિક્રમા તો સંતોએ ને ભકતોએ કરી છે. આચાર્યો અને મુનિઓ, મહાન્ નૃપતિઓ, મંત્રીઓ, દંડનાયકો, અને ધર્મનિષ્ઠ શ્રેષ્ઠીઓ, તેમ જ અગણિત શ્રદ્ધાળુઓએ એને વંદના દીધી છે. અહીં જ નગરાજ અર્બુદ, ભગવતી અર્બુદા, અચલેશ્વર વિભુ, કુમારીમાતા શ્રીમાતા, અને જિનેશ્વર દેવોનાં આસનો મંડાયાં છે. એની ભૂગોળના અવિચલ ઘાટ પર ઇતિહાસનાં પરિબળો અફળાયાં છે ને વિરમી ગયાં છે. પ્રતીહાર અને પરમાર, ચાહમાન અને ચૌલુકયોની એ સમરભૂમિ, કર્મક્ષેત્ર : પુરાણકાર એ ચારેય રાજવંશોનો ઉદ્ભવ પણ અહીં જ, મહામુનિ વશિષ્ઠના યજ્ઞકુંડમાંથી બતાવે છે. પશ્ચિમ ભારતના મેરુદંડ સમા આ નગશ્રેષ્ઠ આબૂની પરિધિમાં ગુપ્તોત્તરકાલ અને મધ્યયુગમાં મહારાજ્યો સ્થપાયાં અને વિલોપાયાં : મહાન્ નગરીઓ સર્જાઈ અને ધરાશાયી બની : આરસની શિલાઓમાંથી અનેક દેવાલયો પ્રગટ થયાં અને ખંડેર બન્યાં.
દેલવાડાનાં દેરાં
એ શૈલરાજની વાયવ્યે અને નૈઋત્યે કુત્સપુર (કુસમા), બ્રહ્માણપુર (વરમાણ) અને થારાપદ્ર (થરાદ), પશ્ચિમે સત્યપુર (સાંચોર) અને ભિલ્લમાલ (ભિનમાલ), અને થોડા વિશેષ અંતરે વાયવ્યે જાબાલિપુર(જાલોર)નાં પુરાતન નગરો વસેલાં. વરમાણમાં બ્રહ્માણસ્વામી સૂર્ય અને જિન મહાવીરનાં અલંકૃત મંદિરો નવમા શતકના ઉત્તરાર્ધમાં બંધાયેલાં. જૈનોના એક પ્રસિદ્ધ ગચ્છ—બ્રહ્માણગચ્છનું ઉદ્ભવસ્થાન પણ આ વરમાણ. ચંદ્રકુળના વટેશ્વરસૂરિએ આઠમા શતકના પ્રારંભે થરાદમાં ચૈત્યવાસી થારાપદ્રીયગચ્છનું પ્રવર્તન કર્યું. લગભગ એ સમયમાં ભગવાન ઋષભદેવનું ત્યાં મંદિર બંધાયેલું. ગૂર્જરેશ્વર કુમારપાલે ત્યાં કુમારવિહાર બંધાવેલો. વસ્તુપાલના લઘુબંધુ તેજપાલે પણ ત્યાં એક જિનચૈત્ય કરાવેલું. પ્રાચીન સાંચોર—સત્યપુર—પણ જૈનોનું એક મહાન્ તીર્થ હતું. પ્રતીહાર યુગના પ્રારંભે સ્થપાયેલા સત્યપુરમંડન મહાવીરનો મહિમા મધ્યયુગમાં બહુ મોટો હતો. અવંતિપતિ ભોજના કવિ ધનપાલે એ ‘સચ્ચઉરી વીર’ની પ્રતિમાના પ્રશાંત સૌંદર્યની ખૂબ પ્રશંસા કરી છે. સત્યપુરાવતાર-વીરનાં મહિમાસ્વરૂપ મંદિરો મંત્રીશ્વર વસ્તુપાલે સ્તંભતીર્થ, શત્રુંજય, અને ગિરનાર પર બંધાવેલાં. તો ભિન્નમાલ—શ્રીમાલ—તો હતું ગૂર્જરત્રાનું સંસ્કારકેન્દ્ર. સાતમા સૈકામાં અહીં ચાપવંશી રાજાઓનું શાસન હતું. મહાકવિ માઘ અને ખગોળવેત્તા બ્રહ્મગુપ્તની એ જન્મભૂમિ. ગૂર્જરપ્રતીહારોની આરંભકાળની કારકિર્દીનું એ એક
Page #8
--------------------------------------------------------------------------
________________
દેલવાડાનાં દેરાં
મહત્ત્વનું મધ્યબિંદુ. મહાકવિ વાચક હરિગુપ્તના પ્રશિષ્ય શિવચન્દ્ર મહત્તરે અહીં સાતમી શતીમાં સ્થિરવાસ કરેલો. નિવૃતિકુલના મહાન વિદ્વાન સિદ્ધર્ષિની એ સારસ્વત ભૂમિ. ગુજરાતને સમૃદ્ધ બનાવનાર, એને મહત્તાની ટોચ પર મૂકનાર, મહાપુરુષાથ શ્રીમાળી વણિકોની એ ગંગોત્રી. શ્રીમાલી બ્રાહ્મણો પણ અહીંના જ. શ્રીદેવતા અને જગસ્વામીનાં અહીં મહિમ્ન મંદિરો હતાં. તો ભગવાન મહાવીર અને અહંતુ પાર્શ્વનાથનાં પણ અહીં પ્રાચીન, પ્રસિદ્ધ જિનમંદિરો પણ હતાં. મધ્યયુગમાં રચાયેલ શ્રીમાલપુરાણ એ સંસ્કારનગરની ભાતીગળ કથાઓ કહી જાય છે. પ્રતીહારો પછી પરમાર, અને ત્યારબાદ ચાહમાનોના હાથમાં જનાર એ નગર મુસ્લિમ સહિત અનેક આક્રમણોને ભોગ બનેલું ને જાલોરનું તો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસમાં આગવું સ્થાન રહ્યું છે. એ જાબાલિપુરના કાંચનગિરિગઢ પર પ્રતીહાર રાજા નાગભટ્ટ પ્રથમના સમયમાં ‘યક્ષવસતી' નામથી પરિચિત મહાવીરનું દેવાલય ઈસ્વી ૭૫૦ના અરસામાં બંધાયેલું. ઉદ્યોતનસૂરિએ પોતાના ગુરુ વીરાચાર્ય અહીં નિર્માણ કરાવેલ આદીશ્વરના અષ્ટાપદ પ્રાસાદમાં પ્રસિદ્ધ પ્રાકૃત ગ્રંથ “કુવલયમાલા'ની સં. ૮૩૫ | ઈ. સ. ૭૭૯માં સમાપ્તિ કરેલી. પરમાર રાજા ચંદનરાજે અહીં દશમા શતકના અંતે ચંદનવિહાર' નામક જિનાલયનું નિર્માણ કરાવેલું. ચૌલુકયાધિપ કુમારપાલે ઈસ. ૧૧૬૫માં અહીં કાંચનગિરિ પર પાર્શ્વનાથચૈત્ય–કુમાર વિહાર–ની માંગણી કરાવેલી. અહીં પણ ભિલ્લમાલ જેવી જ સત્તા-બદલીઓની ઐતિહાસિક ઘટનાઓ બની છે. આ સારોયે પ્રદેશ મરુમંડલ (મારવાડ) સાથે સંકળાયેલો છે. (એનો અંતર્ભાવ કેટલીક વાર મારવાડમાં કરી લેવામાં આવે છે.) શુદ્ધ ભરૂમંડલની પ્રાચીન નગરીઓ–ઉકેશ (ઓસિઆં), માંડવ્યપુર (મંડોર), મેદાન્તક (મેડતા), નાગપુર (નાગોર), કિર્કિંધ (કેન્કિંદ), ખેટક (ખેડ), કિરાતકૂપ (કિરાડુ) ને ચોટણ સાથે અબ્દનો પ્રગાઢ સાંસ્કૃતિક સંબંધ.
અબ્દની ઉત્તરે દિયવર (દિયાણા), નંદિગ્રામ (નાદિયા), અને ઈશાનમાં નાણક (નાણા)માં ભગવાન જીવંતસ્વામી મહાવીરનાં પુરાતન મંદિરો આજ પણ થોડાં થોડાં પરિવર્તનો સાથે ઊભાં છે. નંદીયક ચૈત્યની સાતમા શતકના અંત ભાગની મૂલનાયકની પ્રતિમા તો મહાગૂર્જર કલાના શ્રેષ્ઠ નમૂનાઓમાંની એક ગણાય છે ને નાણા તો હતુંનાણકીય કે નાણાવાલ ગચ્છનું પ્રભવસ્થાન. નાણાથીયે દૂર ઈશાનમાં શાકંભરીના ચાહમાનોની એક શાખાએ દશમી સદીના મધ્ય ભાગે નવીન રાજ્ય સ્થાપી, નડડૂલ (નાડોલ) અને નડડૂલગિકા(નાડલાઈ)ની દેવાલયમંડિત તેમ જ વાપીઓથી વિભૂષિત ભવ્યનગરીઓનાં સર્જન કરેલાં. સપાદલક્ષ પ્રદેશનો ત્રિભેટો પણ અહીંથી જ શરૂ થાય છે.
આબૂની પૂર્વ દિશામાં પણ એક અગત્યનું નગર વસ્યું હતું. ભિલ્લમાલ જ્યારે ચાપયુગમાં ઉન્નતિને શિખરે હતું ત્યારે અહીં તેના સહોદર સમું વટપુર કે વટસ્થાનકર (વસંતગઢ) પણ સમૃદ્ધિ
Page #9
--------------------------------------------------------------------------
________________
૪
અને સંસ્કારિતાની સૌરભ મહેકાવી રહ્યું હતું. અહીં દક્ષિણાદી ટેકરી પર દેવી ક્ષેમાર્યાનું મંદિર ઈ. સ. ૬૨૪માં બંધાયેલું; જ્યારે નીચે, પછીથી આદિત્ય અને બ્રહ્માના પ્રાચીન પ્રાસાદો અને પરમાર રાજપુત્રી લાહિની દેવીએ ઈ સ૦ ૧૦૪રમા સમુદ્ધારેલ વાપીના ભગ્નાવશેષો એની વહી ગયેલી જાહોજલાલીના પ્રતીક શા હજુયે જોવા મળે છે. અહીંના પ્રાચીન જિનાલયના ભૂમિગૃહમાંથી મળેલા અને હાલ પિંડરવાટક(પિંડવાડા)ના જૈનમંદિરમાં સંરક્ષાયેલ અમૂલ્ય ધાતુપ્રતિમા-સંગ્રહમાં શિલ્પી શિવનાગે સં૰ ૭૪૪ / ઈ સ૰ ૬૮૮માં ઢાળેલી પ્રસિદ્ધ જિનકાયોત્સર્ગ પ્રતિમાની જોડી પણ હતી.
દેલવાડાનાં દેરાં
આબૂની સમીપ પૂર્વમાં કાશદ (કાશીન્દ્રા, કાયન્દ્રા) ગામ પણ પુરાણાં શિવ અને જિનમંદિરોના અવશેષો ધરાવી રહ્યું છે. નિર્પ્રન્થોની વિદ્યાધરી શાખામાંથી કાશદ્દદગચ્છની ઉત્પત્તિ પણ અહીંથી જ થયેલી. આબૂની તળેટીમાં સ્થિર થયેલાં ઋષિકેશ અને કાલિકાદેવીનાં મંદિરો પણ આ જ સંસ્કારતંતુનાં સંતાનો.
આબૂના અગ્નિકોણમાં અડાવલાના ડુંગરોમાં દેવી અંબાનું ભારતપ્રસિદ્ધ ધર્મમંદિર અને પાસે જ આરસની ખાણોની સ્વામિની આરાસણનગરી (કુંભારિયા), જ્યાં ૧૧માથી લઈ ૧૩મા શતક સુધીના પાંચ અલંકારપૂર્ણ આરસી જિનાલયોનો સમુદાય સ્થિર થયેલો છે. મધ્યકાલીન આરાસણગચ્છ પણ અહીંથી જ નીકળેલો. અર્બુદાચલની આ પ્રદક્ષિણાને અંતે એની દક્ષિણે એક તરફ છે મુદ્ગલેશ્વર, મધુસૂદન, અને જિન વીરનાં પુરાણાં મંદિરો સાચવી બેઠેલું મુંડસ્થલ (મુંગથાલા), અને બીજી બાજુ આવી રહી હતી ભવ્ય નગરી ચંદ્રાવતી. આજે તો એ વૈભવશાલિની આરસની ખંડેર બની સૂતેલી છે. એના દેવતાઓ સ્વર્ગે સંચર્યા છે. અનેક વાર લૂંટાયેલી, પીંખાયેલી, પ્રાકૃત અને અપભ્રંશ ગ્રન્થકર્તાઓની લાડીલી ‘ચડ્ડાવલ્લિ’ કે ‘ચડાવલિ’ના કાટમાળની પણ વિડંબના થયેલી છે. એના થીજેલા ટીંબાઓ પર જંગલે કુચકદમ કરેલી. એના શિલ્પમંડિત આરસ પથ્થરો શિયાળિયાઓના દારુણ રુદનથી દ્રવી રહેલા. ત્યાં થયેલા ખોદકામમાં એનાં મધ્યકાલીન મંદિરોના અવશેષો હવે ખુલ્લા થયા છે; પણ આજની આ કરુણ, ભેંકાર અવસ્થાને પેલે પારનું એનું દશ્ય કંઈ જુદું જ હતું. ચંદ્રાવતી તો દેવનગરી હતી. અહીં રૂપસંપન્ન શિવાલયો અને ભગવાન વિષ્ણુનાં મંદિરો હતાં. ત્રિપુરુષપ્રાસાદ પણ હતો. ટૉડના સમય સુધી, ૧૯મી શતાબ્દી પર્યંત, એ ઊભો હતો. વિમલમંત્રીના પૂર્વજ નિન્નકે અહીં નવમી શતીના અંતિમ ચરણમાં એક જિનભવનનું નિર્માણ કરાવ્યું હતું. મંત્રી કુંકણે અહીં ઈ સ૦ ૯૫૪માં એક જિનમંદિર બંધાવેલું. અહીં મહાચૈત્ય, નવગૃહચૈત્ય, અને ભગવાન ચંદ્રપ્રભનાં મંદિરો સહિત કેટલાંયે જિનાલયો શોભી રહ્યાં હતાં. તેજપાલની પત્ની, ભાગ્યશાલિની અનુપમાદેવીનું એ જન્મસ્થાન.
Page #10
--------------------------------------------------------------------------
________________
દેલવાડાનાં દેરાં
અબ્દની દક્ષિણે હતું ચાપોત્કટો–ચાવડાઓ—એ ઈ. સ. ૮૮૦ના અરસામાં સ્થાપેલ સારસ્વત મંડલ અને તેની ગરવી રાજધાની અણહિલ્લપાટક કે શ્રીપત્તન જ્યાં દશમા શતકના મધ્ય ભાગથી ચૌલુક્યો-સોલંકીઓની આણ વતી. પુરાતન આનર્ત દેશનો એ હતો એક ભૌગોલિક ખંડ. આનંદપુર (વડનગર) એનું પુરાણું વિદ્યાકેન્દ્ર. ચંદ્રાવતીનો આમ એક બાજુ ગુજરાત, ને કાટખૂણે મેદપાટ તેમ જ એથીયે દૂર માલવપ્રદેશ સાથે પણ ગાઢ સંપર્ક. મેવાડ ત્યારે અવંતિના આધિપત્ય નીચે હતું. | દશમા શતકમાં ચંદ્રાવતીમાં પરમાર અરણ્યરાજે અહીં પરમાર શાસનની સ્થાપના કરી. ૧૧મી શતાબ્દીના પ્રથમ ચરણના અંતે ગઝનીના સુલતાન મહમૂદ રાજસ્થાન અને ગુજરાતની ધરતી પર ઝંઝાનિલ સમો ઝપાટો મારી પાછો ફર્યો. એ સમયે અબ્દભંડલના પરમાર ધારા પતિને વશવર્તી રહે કે અણહિલપાટકના સામંતો બની રહે એ વાતની તીવ્ર સાઠમારી ચાલી રહી. અરણ્યરાજથી પાંચમા રાજવી ધંધુકરાજને પાટણનું વર્ચસ્વ ખપતું નહોતું. એનું બંડ શમાવવા ગૂર્જરપતિ મહારાજ ભીમદેવે વિમલ મંત્રીને સૈન્ય સાથે ચંદ્રાવતી મોકલ્યા. ધંધુકરાજ ભોજદેવનો આશ્રય લેવા ચિત્રકૂટ નાસ્યા. મહામના મંત્રીશ વિમલે રાજા ભીમદેવ અને ધંધુકરાજનું સમાધાન કરાવ્યું. ધંધુકરાજ ચંદ્રાવતી પાછા આવ્યા ને વિમલ ત્યાં દંડનાયક બની રહ્યા. લગભગ આ જ વર્ષોમાં, આ ઐતિહાસિક ઘટનાઓ અને સાંસ્કૃતિક પરિમંડલના પશ્ચાદ્ભૂમાં, દેલવાડાનાં મંદિરોના ઇતિહાસનો આરંભ થાય છે.
(૨) જિનાલયો
(૧) વિમલવસહી ઈસ્વીસનના નવમા સૈકાના અંતિમ પ્રહરમાં, શ્રીમાલકુલ અને પ્રાગ્વાટ (પોરવાડ) જ્ઞાતિના મંત્રીશ્વર વિમલના પૂર્વજ નિન્નય (નિન્નક) ભિલ્લમાલથી ગુજરાત આવી વસેલા. રાજા વનરાજ ચાવડાના એ સન્માન્ય પુરુષ. એમનો પુત્ર લહર દંડાધિપ પદે રહ્યો હતો. લહરના પુત્ર વીર મહત્તમ ચૌલુક્યરાજ મૂલરાજના મંત્રીમંડળમાં હતા. એમને હતા નેઢ, વિમલ, અને સંભવત: ચાહિબ્ર નામના ત્રણ પુત્રો. ૧૫મા-૧૬મા શતકમાં રચાયેલા જૈન પ્રબંધો કહે છે કે, રણશૂર વિમલને પૂર્વે કરેલાં યુદ્ધો નિમિત્તે સંચિત થયેલા પાપભારનું નિવારણ કરવા અભીપ્સા જાગી. યુદ્ધવીર વિમલ યુદ્ધખોર નહોતા. અમારિના જન્મજાત સંસ્કાર અંતે વિજયી બન્યા. વિદ્યાધરકુળના અને જાલિહરગચ્છના પ્રસિદ્ધ આચાર્ય સર્વદેવસૂરિના શિષ્ય ધર્મઘોષસૂરિએ પ્રાયશ્ચિત્ત રૂપે, અને વિશેષે. તો મનની સાંત્વના અર્થે વિમલને અબુદગિરિ પર જિનમંદિર નિર્માણ કરવાનો ઉપદેશ દીધો.
Page #11
--------------------------------------------------------------------------
________________
દેવી અંબિકાના મંત્રી વિમલ પરમ ઉપાસક હતા. પ્રબંધકારો-સ્તોત્રકારો કહે છે કે, અંબિકાને પ્રસન્ન કરી વિમલે બે વર માગ્યા : પુત્રપ્રાપ્તિ અને દેવાલય નિર્માણ. દેવીએ એમના પુણ્યભાગમાં બેમાંથી એક હોવાની વાત કરી. સુવિચારશીલા ધર્મપત્ની શ્રીદેવીએ સલાહ આપી કે કીર્તિને કલંક લગાવે એવો કોઈ વંશજ પાકે એના કરતાં નિર્વંશ રહેવું ઇષ્ટ છે. દેવમંદિર નિર્માણના વરની માગણી કરો. આબૂ પર દેલવાડાની સન્નિધિમાં દેવભવન માટે સ્થાન પસંદ કરાયું; પણ ત્યાંની ભૂમિ બ્રાહ્મણોને અધીન હતી. પૂર્વે એ સ્થાને જૈનતીર્થની હસ્તી સિદ્ધ થાય તો જ વિમલને ભૂમિ આપવાની તૈયારી એ બ્રાહ્મણોએ બતાવી. પ્રબંધકારના કથન અનુસાર અંબિકાદેવીની સહાયથી વિમલે ત્યાં ચંપકવૃક્ષ નીચેથી ભૂતલમાં રહેલી આદિનાથની પ્રતિમા કાઢી બતાવી. તે પછી બ્રાહ્મણોએ સુવર્ણ પાથરી ભૂમિ લેવાની સૂચના કરી. સત્તાના જોરે ભૂમિ પડાવી ન લેતાં ઉદારચિત્ત વિમલે એ વાતનો પણ સ્વીકાર કર્યો. પ્રબંધાત્મક સાહિત્યમાં જળવાયેલી આ દન્તકથાઓ પાછળનો સાર એ છે કે, મંત્રીશ્વર વિમલ નિ:સંતાન હતા તેથી તે કાળે માન્યતા હતી; અને દેવભૂમિ મેળવવામાં કેટલીક કઠિનતા નડી હશે, ભારે કિંમત ચૂકવવી પડી હશે. મંદિરનું બાંધકામ ચાલુ થયા બાદ આવેલી એક આધિભૌતિક આપત્તિની વાત પ્રબંધકાર લાવણ્યસમય નોંધે છે : એ છે વ્યંતરદેવ વાલિનાહે (વલભીનાથે) કરેલા અવરોધની અને વિમલમંત્રીએ દઢ મનોબળથી કરેલા તેના સામનાની. (વાસ્તવમાં આ ઉપદ્રવ કોઈ સ્થાનિક શબરે કર્યો હશે.) ૧૨મી શતાબ્દીના પ્રશસ્તિકારના શબ્દોમાં કહીએ તો ‘ભવસિંધુ પરના સેતુસમાન’ એ મંદિર પૂર્ણ થયા પછી, સ્તોત્રકારો કહે છે તેમ, ઈ સ ૧૦૩૨માં નાગેન્દ્ર, ચંદ્ર, વિદ્યાધર, અને નિવૃતિફુલના આચાર્યોની ઉપસ્થિતિમાં એમાં ભગવાન યુગાદિદેવની મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી.
દેલવાડાનાં દેરાં
મધ્યયુગમાં તેમ જ આજે પણ આબૂપર્વત પર ચઢવા માટે બે માર્ગો જાણીતા છે. એક તો એની પશ્ચિમે રહેલા હંડાઉદ્રા (હણાદ્રા કે અણાદરા) પાસેથી શરૂ થાય છે; એનો ઉપયોગ હવે તો એ તરફ્ના વાસીઓ જ કરે છે; પણ પૂર્વ બાજુનો ખરેડી(આબૂરોડ)થી ઉપર જતો ૨૯ કિલોમીટરનો પાકો માર્ગ જ કેટલાક દાયકાઓથી સુલભ અને સર્વસાધારણ થઈ ગયો છે. વાહન દ્વારા આયુય (આબૂ કૅમ્પ, માઉન્ટ આબૂ) પહોંચ્યા બાદ દેલવાડા તરફ જવાના બે માર્ગો ટાય છે. બસ છએક કિલોમીટરના લાંબા (અચલગઢવાળા) રસ્તે થઈને જાય છે. ટૂંકો માર્ગ બે'એક કિલોમીટરનો છે. આ માર્ગે ચાલીને આબૂની નિસર્ગશોભાનું રસદર્શન કરતાં કરતાં, શાંતિદાયી શીતળતા અને ખડકો વચ્ચે વસેલી વનશોભાના મધુગંધિલ વાયુમંડલમાં વિહરવાનો લહાવો લેતાં લેતાં જવાથી મનને જે પરમ આહ્લાદનો અનુભવ થાય છે તે વાહન દ્વારા જવાથી નથી થતો. આ સડકે આગળ જતાં છેલ્લે જબરા ખડકને વટાવી વળાંક લેતાં જ એક શકોરાકાર, લીલુંછમ
Page #12
--------------------------------------------------------------------------
________________
દેલવાડાનાં દેરાં
વિશાળ પટાંગણ અને એને પેલે પાર, ધાર પર સ્થિર થયેલા, દેલવાડા–મધ્યકાલીન દેઉલવાડાગ્રામ–નાં જિનમંદિરોના ઝૂમખાનું દર્શન થાય છે.
દેલવાડા આમ તો સામાન્ય ગામડું છે; પણ અહીંનાં જૈન મંદિરોની કલાએ એને જગન્ના નકશા પર સ્થાન અપાવ્યું છે. ઢાળ ચઢી એ મંદિરની રક્ષપાલિકા, સિરોહીસંઘ સંચાલિત શેઠ કલ્યાણજી પરમાણંદજીની પેઢીને વટાવી સહેજ પશ્ચિમ તરફ જતાં જ દેવભૂમિમાં પ્રવેશી જવાય છે. અહીંથી સૌથી પહેલું આવતું જિન મહાવીરનું સાદું, નાનું, ઉત્તરાભિમુખ મંદિર તો પ્રમાણમાં આધુનિક છે; ઈ. સ. ૧૫૮૩ અને ૧૭૬૫ વચ્ચેના ગાળામાં કયારેક તે બંધાયું હોવાનાં પ્રમાણ છે. એની સામે રહેલા, લગભગ એ જ સમયમાં બંધાયેલા, વલાનક(પ્રવેશમંડપ)માં ઊભી નજર કરીએ તો પશ્ચિમ બાજુએ દેખાય છે વિમલવસહી અને પૂર્વ તરફ છે એની હસ્તિશાળા. (અર્ધખુલ્લો પ્રવેશમંડપ એ બન્ને રચનાઓને સંધાન રૂપે, વર્ષાદિ ઋતુઓમાં યાત્રીઓની રક્ષારૂપે, બંધાયેલો હશે.)
બહારથી તો ન્યાતના વંડા જેવી નીરસતા ધરાવનાર આ વિમલવસહીના એના પ્રવેશદ્વારમાંથી એકાએક થતા ભીતરદર્શનની અદ્ભુતતા માટે તો કોઈ જ તૈયાર નથી હોતું. આ ચાક્ષુષ દર્શનના પ્રાય: અપાર્થિવ સૌંદર્ય પાસે વાંચેલી અને સાંભળેલી સૌ વાતો લઘુતા અનુભવી રહે છે. આરસનાં રૂપ અને નકશી ત્યાં સ્તભો, તોરણો, અને મહાવિતાનયુક્ત એના જાજવલ્યમાન રંગમંડપમાં મીઠો, શીતળ વાયુ સદેવ સંચરે છે : કેસર અને ચંદનનો પૂનિત પરિમલ હવામાં પરગમે છે : શિરને વીંટતું મુખવશ્વબંધન અને પીળાં ચીનાંશુકના ઉત્તરીયથી શોભતા પૂજાથીઓ ગમન-પ્રતિગમન કરતાં નજરે પડે છે : ગૂઢમંડપમાં સ્તવનોના મંજુઘોષ થઈ રહ્યા છે : વચ્ચે વચ્ચે મધુર ઘંટારવ રણકી જાય છે : ને ગર્ભગૃહમાં ઘીની સુવાસયુકત મંગલ દીપિકાઓ નિષ્કપ જલી રહી છે. વાતાવરણની એ દિવ્ય સ્પંદના ખરે જ સૌ કોઈને સ્પર્શી જાય છે.
વિમલવસહી વાસ્તુશાસ્ત્રકારોએ પ્રબોધેલ જૈનમંદિરની રચનાનાં લગભગ તમામ અંગો ધરાવે છે : ગર્ભગૃહયુકત મૂલપ્રાસાદ, તેને જોડેલો ગૂઢમંડપ, તે પછી મુખમંડપ કે ત્રિક (નવચોકી), ત્યારબાદ રંગમંડપ, એ સૌ ફરતી પટ્ટશાલા ઉપરની ભ્રમન્તિકા(ભમતી)યુકત દેવકુલિકાઓ, અને છેલ્લે ઉપર કહ્યાં તે વલાનક તેમ જ હસ્તિશાલા. પુરાણા પૂર્ણાગ જૈનમંદિરની વિશિષ્ટ તલરચનાની ઉત્ક્રાન્તિ સમજવા જેવી છે. મૂલપ્રાસાદ સાથે વેદિકા અને કક્ષાસનવાળો અધખુલ્ફો રંગમંડપ જૈનમંદિરોને જોડવામાં આવતો નથી. એ લક્ષણ વિશેષ કરીને બ્રાહ્મણીય મંદિરોનું છે. જિનાલયોમાં એને બદલે ગૂઢમંડપ પ્રયોજવામાં આવે છે. ગૂઢમંડપ બ્રાહ્મણીય મંદિરોમાં ન થતા તેમ સમજવાનું નથી, પણ જૈનોએ ગૂઢમંડપને વિશેષ પસંદગી આપી છે. પરંતુ એ ગૂઢમંડપને જોડીને કરવામાં
Page #13
--------------------------------------------------------------------------
________________
દેલવાડાના દેરાં
આવતો, પીઠ ઉપરના ખુલ્લા સ્તંભોવાળા છ ચોકી(કે નવચોકી)ને નામે ઓળખાતો, મુખમંડપ તો પ્રધાનતયા જૈનમંદિરોની જ વિશિષ્ટતા છે. મારવાડમાં ઉકેશનગરીના વત્સરાજ પ્રતીહારના સમયમાં, આઠમા શતકને અંતે બંધાયેલા, મહાવીરના મંદિરમાં જોવામાં આવતી ત્રિક એ સમસ્ત પશ્ચિમ ભારતનો આ પ્રકારના આયોજનનો જૂનામાં જૂનો અસ્તિત્વમાન નમૂનો છે. એક બીજું જૂનું દષ્ટાંત–ગોડવાડમાં આવેલા ઘાણરાવના મહાવીરના મંદિર (પ્રાય: ઈ. સ. ૯૫૪)ની ચોકી તો એ પછીનું ગણાય. ઓસિમાં ફરતી ચતુર્વિશતિ જિનાલયની રચના નથી. એ ૨૪ કુલિકાઓ રચવાની પ્રથાનો પ્રારંભ કયારે થયો હશે ? વાગડના રત્નપુરના રાજા યશોભદ્રે મરુમંડલના ડેડુઆનક(ડિંડુઆણા))માં નવમા શતકના ઉત્તરાર્ધમાં “ચઉવીસ જિણાલય' બંધાવ્યાનો સાહિત્યિક ઉલ્લેખ મળે છે. લગભગ એ જ સમયમાં બંધાયેલા વરમાણના મહાવીરાલયમાં ઉત્તર અને ઈશાન તરફની જૂની, બચેલી, ભમતીના રુચક (ચોરસ) તંભ અને દેવકુલિકાઓની રહી ગયેલી નિશાનીઓથી એટલું તો સિદ્ધ થાય છે જ કે કંઈ નહીં તો યે નવમા શતકના ઉત્તરાર્ધથી આ કલ્પનાનો જૈનમંદિરોના તલછંદમાં સમાવેશ થઈ ચૂકેલો. દેવકુલિકાઓના આવિર્ભાવ બાદ એને અને મુખમંડપને તેમ જ પ્રવેશદ્વારને જોડતા વચલા વિશાળ, શોભનસંકુલ રંગમંડપની રચના કરવાની પ્રથા કોઈ કાળે, મોટે ભાગે તો ૧૧મી શતાબ્દીના આરંભકાળથી, અસ્તિત્વમાં આવી હશે. સુવિધા અને શોભા એમ બન્ને હેતુઓ આ રંગમંડપથી સરે છે. ઈ. સ. ૧૦૬રમાં પૂર્ણ થયેલા કુંભારિયાના મહાવીર મંદિરમાં આવા પૂર્ણતમ આયોજનનું, આજે તો પ્રાચીનતમ ગણી શકાય તેવું, ઉદાહરણ જળવાઈ રહ્યું છે. ૧રમી શતાબ્દીમાં સોલંકી શાસનનો સુવર્ણયુગ એની ચરમસીમાએ પહોંચ્યો ત્યાં સુધીમાં તો રાજસ્થાન અને ગુજરાતમાં બહુ મોટી સંખ્યામાં પૂર્ણ વિકસિત આયોજનયુફત જૈન મંદિરો બંધાઈ ચૂકેલાં. શ્રીપાન અને દેવપત્તન, આનંદપુર, ભૃગુપુર, અને સિદ્ધપુર, ચંદ્રાવતી, ભદ્રાવતી અને કર્ણાવતી, સ્તંભતીર્થ અને શંખપુરતીર્થ, ઉજજ્યન્તગિરિ અને શત્રુંજયગિરિ, કેટલાં સ્થાન ગણાવીશું ? ચોવીસ જિનાલય બાદ ક્રમિક વિકાસમાં બાવન જિનાલય અને એથીયે આગળ વધીને બોતેર, ચોરાસી (અને કદાચ એકસો આઠ) દેવકુલિકાઓવાળા ભવ્ય ચતુર્મુખ જિનપ્રાસાદો પણ રચાવા લાગેલા. ૧૫મા શતકમાં રચાયેલા વાસ્તુના વિરલ ગ્રંથ વૃક્ષાર્ણવમાં આવા પ્રકારના પ્રાસાદોનું વિગતે વર્ણન દીધેલું છે. વિમલવસહીની વાત કરીએ તો એ લગભગ બાવન જિનાલય પ્રકારનું મંદિર છે.
પણ વિમલવસહીનાં અંગો એક સમયના નથી. સમયાંકનની દષ્ટિએ જોઈએ તો વિમલવસહી વર્ષો સુધી રહસ્યમયી રહેલી. અગાઉ એનાં અંગઉપાંગોના રચનાકાળ વિશે કોઈ શંકા પણ ઊઠી નહોતી. એના કંડારશોભિત આરસી તંભોના ઉપલક સમરૂપત્વ ને એકરંગત્વથી પ્રગટતી
Page #14
--------------------------------------------------------------------------
________________
દેલવાડાનાં દેરાં
મરીચિકાના પ્રભાવ તળે ભલભલા વિદ્વાનો પણ સંભ્રમમાં પડી જાય છે. વસ્તુતયા વિમલવસતિકાની પરમ શોભાની સંમોહિનીથી તો નિષ્ણાતો પણ અલિપ્ત રહી નથી શક્યા. એના સ્થાપત્યનું અત્યંત સૂક્ષ્મ નિરીક્ષણ અને ઉત્કીર્ણ લેખો તેમ જ વાડ્મયિક પ્રમાણોના પરીક્ષણ દ્વારા કેટલાંક આશ્ચર્યકારક સત્યો હવે પ્રકાશમાં આવી ગયાં છે. મંત્રીશ્વર વિમલે કરાવેલ અસલ મંદિરનો ભાગ એમાં કયો અને કેટલો સમજવો એ પ્રશ્નનો ઉત્તર મળી ચૂક્યો છે.
દેલવાડા, વશિષ્ઠાશ્રમ, અને નીચે પશ્ચિમ તળેટીમાં દેવાંગણ અને પાસે જ કરોડીધ્વજમાં મળી છઠ્ઠાથી આઠમા શતક સુધીની ભૂરી, નીલ શ્યામશિલાની કેટલીક માથી લઈ મધ્યકાળના પ્રારંભની બ્રાહ્મણીય દેવપ્રતિમાઓ પ્રાપ્ત થયેલી છે. પણ એ જેમાં સ્થપાયેલી હશે તે પુરાણાં દેવાલયો જોવામાં આવ્યાં નથી. એ સમયનાં મંદિરો ઇંટેરી હોય તો ના ન કહેવાય; પણ મધ્યયુગનાં અહીનાં મંદિરો પાષાણનાં છે. છતાં એ કાળમાંયે આબૂ પર શિલ્પીઓ અને સ્થપતિઓની શ્રેણીઓ સ્થિર થઈ વસી રહી હોવાનો સંભવ ઘણો જ ઓછો છે. સ્થપતિઓને અવિરત આશ્રય ત્યાં તો કયાંથી સાંપડે ? વિમલવસહીની રચના સમયે તક્ષણકારો-શિલ્પીઓ કયાંથી આવ્યા હશે એનો વિચાર કરતાં એક જ સ્થાન હૈયે ચઢે છે : ચંદ્રાવતી. સાચું પૂછો તો એ કાળમાં આબૂની તદ્દન નિકટવર્તી ભૂમિમાં ચંદ્રાવતી એક મહાનું કલાસ્રોત બની ચૂક્યું હતું. અહીંના જ શિલ્પીઓએ આરાસણ અને દેલવાડામાં કામ કર્યું હશે. ચંદ્રાવતીમાં જે કંઈ શિલ્પાવશેષો બચ્યા છે તે, અને મૂળે ત્યાંથી લઈ જઈ અન્યત્ર ખસેડેલ કૃતિઓ જેવા કે મદુઆ(મધુસૂદન)નું તોરણ, ગિરિવર પાસે પાટનારાયણની દ્વારશાખા, અને ઝાડઉલી(ઝાડોલી)ના જૈનમંદિરની શણગાર ચોકીના સ્તંભો અને તોરણોની કલા તેમ જ દેલવાડા અને કુંભારિયાનાં જૈનમંદિરોનાં અલંકૃત સ્તંભોની કલા વચ્ચે એટલી સમતા અને સમીપતા છે કે તે સ્થાનોના શિલ્પીઓના કુળનો ચંદ્રાવતી સાથેનો ઘનિષ્ઠ સંબંધ તદ્દન નિશ્ચિત બની રહે છે. ભૌગોલિક દૃષ્ટિએ પણ આ ત્રણે સ્થાનો એકબીજાની ઠીકઠીક નિકટ રહેલાં છે.
મંત્રીશ્વર વિમલે નિર્માણ કરાવેલી વસતિકા આ પ્રકારની હતી. મૂળ ખડકાળ ભૂમિ પૂર્વ તરફ જરા ઢાળવાળી છે; એટલે જ્યાં જ્યાં ઢાળ નડતો હશે ત્યાં પૂરણી કરી, નીચી થી જગતી જેવું કરી લેવામાં આવ્યું. એ ભૂમિ પર ગર્ભગૃહયુકત મૂલપ્રાસાદ, ગૂઢમંડપ, અને છચોકીની રચના વિમલમંત્રીએ કરાવી. સારુંયે બાંધકામ અત્યંત સાદાઈભર્યું, કાળા પથ્થરનું હતું. જે કંઈ થોડું રૂપકામ હતું તે મોટા ભાગનું આરસમાં કરેલું. આમ કેમ બન્યું હશે ? ધનાઢ્ય મનાતા ને ચંદ્રાવતીશ ગણાતા મંત્રીશ્વરનું સમસ્ત મંદિર આરસનું અને અલંકારપૂર્ણ શા માટે નહીં હોય ? સંભવતયા સંચારવ્યવસ્થાની મુશ્કેલીઓને કારણે બાંધકામ માટેના મોટા કદના આરસના ખંડો નીચેથી ઉપર
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૦
લઈ જવાનું હજી એ કાળે સુલભ નહીં બન્યું હોય; એથી જ તો કદાચ સ્થાનિક કાળા પથ્થરથી ચલાવી લેવું પડ્યું હોય; જ્યારે આરસી રૂપકામના કરેલા નાના ટુકડાઓ ચંદ્રાવતીથી ઉપર લાવી લગાવ્યા હોય, કે પછી આરાસણની ખાણમાંથી નાના આરસના ખંડો ઉપર લઈ જઈ એના ઉપર ચંદ્રાવતીના શિલ્પીઓએ ત્યાં બેસીને રૂપ ઘડ્યાં હોય.
દેલવાડાનાં દેરાં
આજના સમયે વિમલે કરાવેલો કેટલો ભાગ હજુ કાયમ રહ્યો છે તે જોવા જઈએ તો કાળા પથ્થરનો મૂલપ્રાસાદ નિશ્ચયતયા એ કાળનો જ છે તેમ એની શૈલી પરથી જણાઈ આવે છે. એનું તળ તેમ જ ઘાટડાં સાદાં છે; ઉપરના ભાગે શિખર કરવાને બદલે ભૂમિકાયુકત, ઘંટાવિભૂષિત સાદી ફ્રાંસના (તરસટ) કરી છે. નાગર શિખર અહીં ન હોવાના કારણમાં એક અનુમાન એવું રજૂ કરવામાં આવ્યું છે કે, ધરતીકંપથી બચાવવા આમ કર્યું હશે. આ તર્કને અલબત્ત સમર્થન સાંપડી શકતું નથી. આબૂમાં એવા ભૂકંપના આંચકાઓ લાગતા હોય તો અત્યારે આ મંદિરો ઊભાં રહ્યાં ન હોત કે ઘણું નુકસાન પહોંચી ગયું હોત. બીજી બાજુ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં ૧૧મી શતાબ્દીના ખેડબ્રહ્માના અંબિકા અને બ્રહ્માનાં દેવાલયો તેમ જ સિદ્ધપુર પાસેના કામળી ગામના બ્રહ્માણીમાતાના મંદિર અને વાલમના એક મંદિર પર પણ શિખરને બદલે લગભગ આવી જ ફ્રાંસના કરી છે. આ પ્રમાણો લક્ષમાં લેતાં લાગે છે કે, શિખરને બદલે ફ્રાંસના કરવાનો હેતુ કદાચ કરકસરનો હોઈ શકે. બીજી ભ્રમમૂલક માન્યતા એ છે કે, વિમલવસહીનો મૂલપ્રાસાદ પ્રમાણમાં નિરલંકૃત હોઈ એને ૧૪મી શતાબ્દીના જીર્ણોદ્ધાર સમયનો ગણી કાઢવામાં આવ્યો છે. એને માટે એવી દલીલ કરવામાં આવી છે કે, બાકીનો બધો જ આરસનો સુશોભિત ભાગ કરાવનાર વિમલમંત્રી મૂલપ્રાસાદને જ શા માટે સાદું રાખી દે ! પણ આગળ જોઈશું તેમ આરસના તમામ ભાગો પ્રમાણમાં પાછળના યુગના છે; અને મૂલપ્રાસાદ નિરાભરણ હોવા છતાં એની શૈલી ૧૪મી શતાબ્દીની નહીં પણ સ્પષ્ટતયા ૧૧મા સૈકાની જ છે. મુંગથલા, ઝાડોલી, અને નાડલાઈ(પાર્શ્વનાથ)ના સમકાલીન મંદિરોના મૂલગભારા પણ આવા જ, સાદા પ્રકારના કરેલા છે. એટલું જ નહીં પણ અહીં તો ત્રણે ભદ્રના ગોખલાઓની આરસની, વિમલના સમયની અસલી, સુંદર, અને સપરિકર જિનપ્રતિમાઓ હજુ પણ એના મૂલસ્થાને પ્રતિષ્ઠિત છે. એ પરિકરના અત્યંત ઘાટીલાં, લલિતભંગી વાહિકો અને અન્ય વિગતો ૧૧મા શતકના પૂર્વાર્ધનાં તમામ લક્ષણો બતાવતાં હોઈ નિ:શંક એ ઈ સ ૧૦૩૨, એટલે કે મંદિરની પ્રતિષ્ઠાના સમયના જ ગણવા જોઈએ. એટલે મૂલપ્રાસાદ વિમલમંત્રીના સમયનો જ છે એમાં શંકાને સ્થાન નથી. પ્રાસાદની અંદર ગર્ભગૃહની દ્વારશાખા અલબત્ત પ્રાચીન નથી તેમ જ શ્વેત આરસની મૂલનાયકની પ્રતિમા પણ ઈ સ ૧૩૨૨ના જીર્ણોદ્વાર સમયની છે. સદ્ભાગ્યે વિમલમંત્રીએ પ્રતિષ્ઠા કરાવેલી અસલી પ્રતિમા ભમતીના નૈઋત્ય ખૂણે
Page #16
--------------------------------------------------------------------------
________________
દેલવાડાનાં દેરાં
આવેલા ભાંડાગારમાં મોજૂદ છે. એને હાલ મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા ૨૫૦૦વર્ષ પુરાણી માનવામાં આવે છે. વિમલમંત્રીએ ચંપકવૃક્ષ નીચેથી કાઢેલી પ્રતિમા તે આ જ એવી પણ માન્યતા છે : પણ સ્કંધ પરની કેશવલ્તરીને કારણે મુનિસુવ્રતદેવની નહીં પણ આદીશ્વરની એ પ્રતિમા હોવાનું મુનિ જયન્તવિજયજી તથા દા ઉમાકાન્ત શાહ દ્વારા જાહેર થઈ ચૂકયું છે. શ્યામ પથ્થરના આ વિશાળ જિનબિંબની શૈલી ૧૧મી શતાબ્દીનો પૂર્વાર્ધ બતાવતી હોઈ, તેમ જ તેનું માન મૂલ ગર્ભગૃહના માન સાથે બંધબેસતું હોઈ વિમલમંત્રીએ આ વસતિકામાં મૂલનાયક તરીકે અધિવાસિત કરી હશે તે જ આ પ્રતિમા હોવી ઘટે. આ મહાકાય પ્રતિમા જે ચંપકવૃક્ષ નીચેથી પ્રગટ થયેલી હોય તો એ વિશેષ મહિમાવંત ગણાય અને તો પછી એને અહીં ભંડારમાં સ્થાપિત કરવાને બદલે ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત કરવામાં શું હરત હોઈ શકે ? મંત્રીશ્વર વિમલે બંધાવેલું આદિનાથનું મૂળમંદિર કાળા પથ્થરનું હતું; આ પ્રતિમા પણ શ્યામશિલાની અને આદીશ્વરની જ છે, ૧૧મી સદી પૂર્વાર્ધની છે. એ વાત પણ આ મૂર્તિ મૂલનાયકની જ હોવાની હકીકતની પૂર્ણતયા પુષ્ટિ કરી રહે છે. ૧૪મી-૧૫મી સદીના પ્રબંધોમાં ભૂલનાયકની અસલી પ્રતિમા ધાતુની હોવાની વાત કહી છે; પણ પાછલા યુગના એ પ્રબંધકારોની અહીં કશીક ભૂલ થતી લાગે છે. વાસ્તવમાં તો ઈ. સ. ૧૩રરમાં જીર્ણોદ્ધારકોએ, ખંડિત થયેલી નાસિકાને કારણે આ પ્રતિમાને બદલી ભૂલનાયકની નવી મૂર્તિ ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત કરી; અને આ મોટા કદની અસલી પ્રતિમાનું વિસર્જન ન કરી દેતાં અહીં ભાંડાગારમાં સુરક્ષા અર્થે મુકાવી જણાય છે.
વિમલવસહીની સામે પૂર્વમાં એની હસ્તિશાળા આવેલી છે : તેના વિષે હવે વિચારીએ. સાદા સ્તંભો વચ્ચે કાળા પથ્થરની ખંયુક્ત જાળીવાળી દીવાલો ધરાવતી આ લંબચતુરન્સ તલની, નીચા ઘાટની, હસ્તિશાળાને ચાર દ્વારા કરેલાં છે. પાયો નિર્બળ, છીછરો હોવાને કારણે એની દીવાલો કયાંક કયાંક ઝૂકી ગઈ છે. પૂર્વદ્વારે બે મોટા દ્વારપાળો મૂકેલા છે; અને અડીને જ (દ્વાર સમુખ) બે કાળા પથ્થરના સ્તંભોવાળું તોરણ ઊભું કરેલું છે. તેમાં અર્ધચન્દ્રાકાર ઈલ્લિકા ઘાટની વંદનમાલિકા હજુ સાબૂત છે. ઉપર ભારપટ્ટ પરના શ્યામ પાષાણના ઈલ્લિકાવલણમાં બેસાડેલી મૂર્તિઓમાંથી ઘણીખરી નષ્ટ થઈ ચૂકી છે. હસ્તિશાળાની જાળીના ખંડોની ભીંતોમાં બારીકાઈ ન હોવા છતાં કોઈ કોઈ દાખલાઓમાં ભૂમિતિના સાદા પણ સમર્થ નિયોજનને કારણે આકર્ષકતા જરૂર દેખાઈ આવે છે. રૂપકામની વાત કરીએ તો અહીંના તોરણના તંભોની મૂર્તિઓ ટોચાઈ જવાને કારણે હવે કલોપયોગી નથી રહી. સદ્ભાગ્યે એ સ્તંભની ઉપરની તુંડિકા (ટોડલા) પર પાછલી બાજુએ હોવાને કારણે એક ચમરાનાયિકાની મૂર્તિ ભંજકોથી બચી ગયેલી. મૃણાલવલ્લીને સન્નિવેશિત કરી, એના આશ્રયે દ્વિભંગમાં સહસા સંસ્થિર બની, કોમળ દક્ષિણ કરાંગુલીઓ વતી
Page #17
--------------------------------------------------------------------------
________________
દેલવાડાનાં દેરાં
ચામરને લલિતરીત્યા ગ્રહણ કરતી, જંઘા પર મૃદુતાથી સ્પર્શતી કટિસૂત્રની મુક્તાદામો, અને રત્નખચિત કેયૂર, હાર, અને હીણમાલાથી શોભતી, શાંત રૂપમાધુરી રેલાવતાં માર્દવભર્યા વિશાળ મુખને એક બાજુ વક્રભંગ કરી ઊભેલી એ ચામરધારિણી મંત્રીશ્વર વિમલના સમયનું (કે તેમના પછી થોડાં વર્ષો બાદનું) અવશિષ્ટ રહેલું એક ઉત્તમ કલારત્ન છે. (આ સુંદર પ્રતિમાને સુરક્ષા અર્થે અન્યત્ર ખસેડવામાં આવી છે.) તોરણ પાછળના એ જ સમયના દ્વારપાલો (ચિત્ર ૧) પણ સુધાસિંચિત ન હોત તો પોતાની અંગભંગિમાને વધારે સ્પષ્ટ રીતે બતાવી શકયા હોત.
હસ્તિશાળાની અંદર જતાં સામે જ વિમલમંત્રીની લેખ વિનાની અશ્વારૂઢ છત્રધારી મૂર્તિ છે. એ પ્રતિમા વિમલના સમયની નથી જ પણ બહુ મોડેની છે. આ ઉપરાંત અહીં આરસના દશ હાથીઓ ગોઠવેલા છે. એમાંના સાત તો મંત્રી પૃથ્વીપાલે સં૧૨૦૪ | ઈ. સ. ૧૧૪૮માં પોતાના અને છ પૂર્વજો (નીના, લહર, વીર, નેત્ર, ધવલ, અને આણંદ) માટે કરાવેલા છે. બે હાથીઓ એમના પુત્ર ધનપાલે સં૧૨૩૭ / ઈ. સ. ૧૧૮૧માં ઉમેરેલા છે. છેલ્લા નવમા હાથીનો લેખ નષ્ટ થઈ ચૂકયો છે. ગુજારૂઢ મૂર્તિઓમાંની ઘણીખરીનો નાશ થયો છે. હસ્તિશાળાની વચ્ચે મંત્રી ધાધુ, સં. ૧૨૨૨ | ઈસ. ૧૧૬૬માં કરાવેલ આરસનું આદિનાથનું સમવસરણ ગોઠવેલું છે. અહીંની એક નાભિચ્છન્દ પ્રકારની કાળા પથ્થરની છત ચિત્ર રમાં રજૂ કરી છે.
આ હસ્તિશાળાના રચનાકાળનો પણ એક જબરો કોયડો ઉપસ્થિત થયો છે. આચાર્ય હરિભદ્રસૂરિની અગાઉ નિર્દેશિતબકૃતિઓ ઉપરાંત ચંદપ્યહચરિય (ચંદ્રપ્રભચરિત્ર)ની પ્રાકૃતભાષાની પ્રશસ્તિમાં પૃથ્વીપાલે કરાવેલી પૂર્વજ પુરુષો સહિત સાત ગજારૂઢ મૂર્તિઓના ઉલ્લેખ તરફ દા. ઉમાકાંત શાહે ધ્યાન દોરેલું; પણ પ્રસ્તુત પ્રશસ્તિમાં તેના સ્થાન નિર્દેશ હોવા છતાં હસ્તિશાળા કરાવી હોવાનું તદ્દન સ્પષ્ટ કહ્યું નથી. એટલે આ ઈમારત પૃથ્વીપાલે કરાવી નથી જ; પણ સમવસરણના ઈ. સ. ૧૧૬૬ જેટલા જૂના લેખમાં તો એને હસ્તિશાળા કહી જ છે એટલે પૃથ્વીપાલે એના સમયના સાત હાથીઓ અત્યારે છે ત્યાં જ મુકાવ્યા હોવાનો સંભવ છે અને એ કાળથી આ રચના હસ્તિશાળા તરીકે પ્રસિદ્ધિમાં આવી હશે : પરંતુ મૂળે આ સંરચના વિમલવસતિકાના સામેના ભાગમાં યાત્રિકોને વિશ્રામ કરવા માટે “આસ્થાનમંડપ” રૂપે કાં તો વિમલે, કે પછી તેના અનુગામી ચાહિબ્રે, કરાવી હોય.
વલાનકમાં હસ્તિશાળાની પશ્ચિમ ભીંતને અડીને કેટલીક રસપ્રદ પ્રતિમાઓ ગોઠવી છે. તેમાં એક છે ઈ. સ. ૧૧૭૦માં મહામાત્ય કપર્દિએ કરાવેલી પોતાના માતાપિતાની આરાધકમૂર્તિ : કપર્દિ કુમારપાલના મંત્રી હતા : કુમારપાલના અનુગામી રાજા અજયપાલે એમનો ક્રૂરતાપૂર્વક ઘાત કરાવેલો. સલેખ, પણ મિતિ વગરની બીજી પ્રતિમા પહેલીની બાજુમાં સ્તંભને ટેકણ કરીને
Page #18
--------------------------------------------------------------------------
________________
દેલવાડાનાં દેરાં
ગોઠવેલી છે. આ અશ્વારૂઢ, છત્રધર પ્રતિમા સિદ્ધરાજ અને કુમારપાળના સમયમાં ‘કવીન્દ્રબંધુ’ તરીકે વિખ્યાત થયેલા જૈન મહાકવિ શ્રીપાલના સ્વર્ગસ્થ ભાઈ શોભિતની સ્મારકરૂપે હોવાનું એના પરના અભિલેખ પરથી સિદ્ધ છે. પ્રતિમા સિદ્ધરાજના અંતિમ દાયકાની કે કુમારપાળના આદિમ વર્ષોમાં મુકાઈ હશે.
૧૩
વલાનકમાંથી વિમલવસહીના પ્રવેશદ્વારમાં ઉપર જોઈએ તો આરસની ચાર નાયિકાઓથી શોભિત કાળા પથ્થરની એક નાભિચ્છંદ પ્રકારની છત જોવામાં આવે છે. આનું કામ કદાચ વિમલ કે પછી ચાહિદ્ઘના સમયનું હોય. પૃથ્વીપાલના સમયની દેવકુલિકાઓની દીવાલો એને ટેકવે છે એ વાત કાલાતિક્રમ કરતી લાગે; પણ એમ જણાય છે કે, જૂની છતને ફરીને અહીં ઉપયોગમાં લીધી હોય. અંદર લગાવેલી આરસની ચાર પૂતળીઓ અલબત્ત પૃથ્વીપાલના સમયની જણાય છે.
વસહીની અંદર પ્રવેશતાં પહેલાં એક દુ:ખદ ઐતિહાસિક ઘટનાની નોંધ લેવી ઘટે. ઈ. સ ૧૩૧૨નું વર્ષ જાલોરથી માંડી ચંદ્રાવતી સુધીનાં તમામ સ્થળો માટે ખતરનાક નીવડેલું. એ વર્ષમાં મુસ્લિમ આક્રમણ બાદ દેલવાડાનાં મંદિરોનો ભંગ થયો. તે પછી ઈ સ ૧૩૨૨માં મંડોરના વિજડ અને લાલિગ અને એમના બંધુઓએ વિમલવસહીનો પુનરુદ્ધાર કરાવ્યો. અગાઉ જણાવ્યું છે તેમ એમણે મૂલનાયકની નવી પ્રતિમા કરાવી. દેવકુલિકાઓમાં જૂનાં પબાસણો-પરિકરો સાબૂત રાખી તેની ખંડિત પ્રતિમાઓ પણ બદલાવી; ને તે મૂર્તિઓ આજુબાજુ તેઓએ પોતે અને તેમના સગાંસંબંધીઓએ નવી પ્રતિમાઓ પણ મુકાવી. સ્તંભોમાં દ્વારશાખાઓમાં અને અન્યત્ર ખંડિત થયેલ દેવમૂર્તિઓની મુખાકૃતિઓ ટોચાવી સરખી કરાવી. બસ આથી વિશેષ કંઈ જ નહીં. કોઈ નવી સ્થાપત્ય-રચના એમને હાથે થઈ નથી.
વિમલવસહીના અંતરંગનાં સુંદર તત્ત્વોની વિગતવાર પિછાન કરતાં પહેલાં ઉપરનું ઇતિહાસદર્શન એનું કલાચિત્ર સ્પષ્ટ કરવામાં આવશ્યક હતું. કલા પોતે તો સ્વત:સિદ્ધ છે. એનો રસાસ્વાદ લેવામાં ઇતિહાસના અવલંબનની જરૂર નથી; પણ અહીં પૃથક્ પૃથક્ સમયની રચનાઓને કારણે ઉદ્ભવતા કલાસ્તરોની શૈલીગત વિભિન્નતાનો ખુલાસો મેળવવામાં એ સહાયભૂત બની રહે છે. ઊર્મિ અને બુદ્ધિ બન્ને સંતોષાય છે.
અને હવે વસહીમાં પ્રવેશ કરીશું. અંદર જતાં જ પૂર્વ તરફ્ની સ્તંભોની બેવડી હારવાળી પટ્ટશાલા કિંવા ભમતીના નાલરૂપી મધ્ય ભાગમાં આવીએ છીએ. આ સ્થળે મધ્યના આગલા-પાછલા બબ્બે સ્તંભોની જોડીઓ કારીગરીયુકત છે (ચિત્ર ૩, ૭), જ્યારે પટ્ટશાલાના બાકીના ચારે દિશાના તમામ સ્તમ્ભો સાદા મિશ્રક પ્રકારના છે. અહીં મોવાડના બે સ્તમ્ભો
Page #19
--------------------------------------------------------------------------
________________
દેલવાડાનાં દેરાં
પર આંદોલ' પ્રકારનું તોરણ પણ લગાવેલું છે (ચિત્ર ૭).
પટ્ટાલાનાં બે પગથિયાં પરથી નીચે ઊતરતાં રંગમંડપ એવં પઠ્ઠશાલાના પૂર્વના સંધાનભાગમાં આવી ઊભાં રહી જઈએ છીએ. પાછળ પૂર્વ તરફ નજર કરતાં પઠ્ઠશાલાના પ્રવેશદ્વારના મોરાની છાજલી પરના મદલના મુખભાગે કરેલી હાથીઓની મંડપ તરફ મોરો માંડી ઊભેલી, ચક્ષુપ્રિય આકૃતિઓ જોવા મળે છે (ચિત્ર ૩). હાથીઓ વચ્ચે પાટડાઓના દર્શનભાગમાં વિવિધ રૂપકો કોરેલાં છે. અહીં ઉપર છતોવાળા ભાગ તરફ જોઈએ તો તેમાં વચ્ચે લંબચોરસ છતમાં વચ્ચે ચારેક પ્રકારની ઘાટિલી લૂમાઓથી સર્જાતો ત્રિકોણાકૃતિક પદ્મક જાતિનો મધ્યભાગ, તેને ફરતી રૂપકર્મયુક્ત રૂપકપટ્ટી, અને જમણી ડાબી બાજુએ ચક્રી ભરત અને તેમના બંધુ બાહુબલિ વચ્ચેના યુદ્ધના પ્રસંગનો ભાવ કંડારેલો જોવા મળે છે; પણ ખરી શોભા તો આ વચલી છતની આજુબાજુના પ્રાય: એકસરખા ચોરસ વિતાનોમાં ઠાંસવામાં આવી છે. આ કમલોદ્ભવ જાતિની અતિ સુંદર છતો(ચિત્ર ૫, ૬)માં વચ્ચેના મંદારક (લંબન) ભાગને ફરતી અષ્ટ લૂમાઓ રચી, એ સારુંયે તારકાકૃતિનું ઝૂમખું ખૂબ ઊંડાણમાંથી ઊર્ધ્વગતિત કર્યું છે. એની ભાતની લાવણ્યક્ષમતા તેમ જ કંડારનું સામર્થ્ય વિતાન વિધાનમાં ૧રમા શતકની સિદ્ધિની પરાકાષ્ઠા બતાવી રહે છે. આની તોલે આવી શકે એવી છત ભારતના કોઈ મંદિરમાં નથી. મંડપના પ્રવેશમાં જ ગોઠવેલી આ બેનમૂન છતની જોડીમાં કેટલું સ્થાનૌચિત્ય જળવાયું છે ! એકના વિકર્ણ ભાગમાં વેલોના મોટાં ગૂંચળા અંતર્ગત કિન્નરો, પક્ષીઓ આદિના યુગલો કંડાર્યા છે, તો બીજીમાં એ જ સ્થળે નાગપાશની કોરણી કાઢી છે. એ બન્ને વિતાનોના ભારપટ્ટોને તળિયે પ્રભાવશાળી કલ્પવઠ્ઠીઓ કોરી છે (ચિત્ર ૫).
પણ વિમલવસહીની આગાઢ ભવ્યતા તો એના રંગમંડપને કારણે છે એમ સ્પષ્ટપણે જોઈ શકાય છે. એના ૧૨ સ્તબ્બો મોઢેરાના રંગમંડપની જાતિના છે, પરંતુ તેના જેટલા સરસ નથી. જો કે આયોજનકારે અહીં કેટલીક ખૂબીઓ જરૂર દાખલ કરી છે; વિગતો તપાસીએ તો તેમાં કુલ છ પેટા પ્રકારની જેડીઓ કરવામાં આવી હોય તેમ જણાય છે. આ રંગમંડપ “ઈન્દ્રમંડપ' પ્રકારનો જણાય છે, કેમ કે, તેમાં જંઘાઓમાં મુખ્ય મુખ્ય સ્થાને ઇન્દ્રોનાં રૂપો કાઢેલાં છે. અલબત્ત, આખરે એ રંગમંડપ હોવાથી અહીં નૃત્યમગ્ન અને વારિત્રધારી ગંધ પણ ઉચિત રીતે જ સ્થાન લે છે. કોઈ કોઈ સ્તભમાં ઉપરની ભૂમ્બિઓ પર સુરસુંદરીઓ નજરે પડે છે. એક જગ્યાએ નૂપુર ધારણ કરી રહેલી અપ્સરાનું રૂપ કંડારેલું છે : એના નૂપુરનો સિંજારવ હમણાં જ સંભળાશે એવી સજીવ ગતિ શિલ્પીએ એમાં રેડી છે. આ સ્તબ્બો વચ્ચેના ગાળામાં તિલક અને મદલના સંયોજનથી આકારિત કરેલાં તોરણો ગોઠવેલાં છે. જો કે તેનાં ઘાટ અને પ્રમાણ દશમા શતકના અંતભાગે
Page #20
--------------------------------------------------------------------------
________________
દેલવાડાનાં દેરાં
રચાયેલા નાગદાન વિષ્ણુમંદિર જેવા એકદમ ઊંચી કોટિનાં ન કહી શકાય, તો પણ તેમની શોભનક્ષમતા તો અવશ્ય ઊંચા પ્રકારની છે (ચિત્ર ૭, ૮); એને દૂર કરો તો મંડપને ભારે ક્ષતિ પહોંચી જાય.
આ તોરણયુકત સ્તબ્બો પર અઢાંશમાં લગભગ ૨૨/ફીટના વ્યાસનો સભા-પદ્મ-મંદારક જાતિનો મહાવિતાનકવાયેલો છે (ચિત્ર ૯). આવડા મોટા વિતાનને ટેકવનાર સ્તબ્બોની ઊંચાઈ, જે ૧૨/૩ જેટલી છે તેને બદલે ૧૪ ફીટ જેટલી હોવી ઘટે : એમ થયું હોત તો પ્રમાણની સમતુલા જળવાઈ રહે અને વિતાનની ભવ્યતા પૂરેપૂરી પ્રકાશી ઊઠત. વિતાનને ઉપાડનારા ભારોટોના મોવાડ પર નીચેની પટ્ટિકામાં ગૂંચળાઓ ફેંકતી એકવિધ મૃણાલવલ્લી અને ઉપર તંત્રકમાં દેવમૂર્તિઓ કોરેલી છે. ભારોટોના સંધાનભાગે તિલકોમાં દેવદેવીઓની મૂર્તિઓ બેસાડેલી છે. વિતાનનો પ્રારંભ ગજપટ્ટિકાથી થાય છે, જે પ્રથા અન્યત્ર જોવા મળતી નથી. તે પછી કર્ણદદરિકા, તેના પર રૂપકંઠમાં ગોખલીઓમાં યક્ષ-યક્ષિીઓ આદિની મૂર્તિઓ, અને તેના વચ્ચેના ગાળામાં ૧૬ વિદ્યાધરો ક્રમશ: ૧૬ વિદ્યાદેવીઓની મૂર્તિઓને ટેકવી રહ્યા છે. રૂપકંઠ ઉપર ગજતાલુ, તે પછી રૂપધારામાં નૃત્ય કરતા ગન્ધર્વો-અપ્સરાદિની કુડિબંધ ખીચોખીચ ભરેલી પૂતળીઓ, ફરીને ગજતાલુ, તે પછી અશ્વારૂઢ પુરુષોની હારમાળા બતાવતો થર, ત્યારબાદ પ્રત્યેક ખંડમાં વચ્ચે પધકેસર ધરાવતા કોલના બે થર, ફરીને નૃત્યભાવાદિમાં સ્થિર સ્ત્રી-પુરુષોની હારમાળા, ત્યારબાદ હંસપદ્રિકા, તે પછી ફરતી નૃત્યમૂર્તિઓ ધરાવતા પદ્મકેસરવાળી લૂમાઓ, તત્પશ્ચાત્ આરાધકોની મૂર્તિઓવાળો થર, અને છેવટે આવે છે માત્ર બે જ કોલથી બનતી નાની લમ્બનરૂપી પદ્મશિલા (ચિત્ર ૧૦). વિતાન જો કે ભવ્ય છે, પણ તેમાં કેટલીક અન્યત્ર જેવા નહીં મળતાં, વસ્તુતયા અવાંચ્છનીય, લક્ષણોને કારણે તે છીછરો અને અમુકાશે બલહીન જણાય છે. કારણમાં જોઈએ તો ગજતાલુના થરોમાં વચ્ચે વચ્ચે સપાટ રૂપપટ્ટીઓ દાખલ કરી છે તે; એ સિવાય કોલના થરો અહીં ઓછામાં ઓછા ત્રણ તો હોવા જોઈતા હતા, પણ ત્રીજા થરનો સપાટ રૂપપટ્ટીએ ભોગ લઈ લીધો છે. લૂમાઓનાં ઘાટ અને વ્યવસ્થા નિ:શંક સુંદરતમ છે, પણ સાટે વચ્ચેના લમ્બનનું કદ આવડા મોટા વિતાન માટે ઘણું નાનું કહેવાય. આ બધાં તત્ત્વોની ઉપસ્થિતિથી આ મહાન્ વિતાનની પ્રભાવકતા અને ઊર્જસ્વિતા અમુકાંશે ઘટ્યાં છે. અન્યથા લૂમાઓ તેમ જ લમ્બનના આકારોમાં ૧૧મી સદીની પરંપરાનાં લક્ષણો હજુ જળવાઈ રહ્યાં છે.
રંગમંડપમાંથી પશ્ચિમ તરફ વળતાં મંદિરનું સર્વોત્તમ અંગ, એની છચોકીનું ખરક સમેતનું મનોરમ દશ્ય નજરે પડે છે (ચિત્ર ૧૧). જુદા જુદા પ્રહરમાં પ્રકાશ છાયા અને પ્રતિછાયાની છંદલીલા એની પળેપળ બદલાતી શોભાનો સમાહાર બતાવતી રહે છે. પરંતુ તેમાં પ્રવેશતાં પહેલાં રંગમંડપ
Page #21
--------------------------------------------------------------------------
________________
દેલવાડાનાં દેરાં
અને છચોકીના સંધાન ભાગે આવતા ત્રણ વિતાનોની કલાનું દર્શન પણ કરી લઈએ. તેમાં વચ્ચેની મોટી છત સભામંદારક જાતિની છે (ચિત્ર ૧૨). દેવી મૂર્તિઓનો ગોળ પટ્ટ, તેના ઉપર વર્તુળાકારે હંસપટ્ટી, પછી પ્રત્યેક કોલ ખંડમાં નાભિએ નાભિએ ઊગમ પામતા પદ્મકેસર ધરાવતા કોલના બે થરો, અને તે પછી પ્રલમ્બ પદ્મકેસરયુક્ત લમ્બન : આ છતની બાજુની બંને એકસરખી છતો મંદારક પ્રકારની છે. તેમાં ચક્રાકાર ગજપટ્ટી, કર્ણદદરિકા, અશ્વપટ્ટી, નરપટ્ટી, અને વચ્ચે લમ્બન કરેલું છે (ચિત્ર ૧૩). આ ત્રણે છતોના શિલ્પની પરિપાટી રંગમંડપના મહાવિતાન કરનારની જ છે. આ બધાનો આયોજક એક જ શિલ્પી જણાય છે.
છચોકીમાં પ્રવેશતાં જ તેના સ્તબ્બો રંગમંડપના સ્તબ્બો કરતાં વિશેષ ઘાટીલાં અને વિશેષ સપ્રમાણ હોવાનું જણાઈ આવે છે (ચિત્ર ૧૧). એની સુડોળતા, પ્રમાણસરતા, અને કંડારવલયોનું
ઔચિત્ય એને એક ઝાટકે પશ્ચિમ ભારતના મધ્યકાલીન શ્રેષ્ઠ સ્તન્મ-સર્જનોમાં મૂકી દે છે. જે કે તેના ભારોટોના મોરા પર તો સાધારણ પ્રકારની ગૂંચળાવેલ અને ઉપર સાદી મોયલાપટ્ટી કરી છે; પણ ભારોટોના તળિયે વચ્ચે વર્તુળોમાં હલ્લીશક નૃત્યમાં મગ્ન સ્ત્રી-પુરુષો દર્શાવ્યાં છે. એવો હિતવ (motif) નાડલાઈના ૧૧મી સદીના આરંભે બંધાયેલા તપેશ્વર મહાદેવ મંદિર સિવાય અન્યત્ર જોવા મળતો નથી.
આ ચોકીના છએ વિતાનો સારા છે, જેમાંથી ત્રણને વિગતે જોઈશું. વચલા પગથિયાં ચડતાં પદ્મમુકુર શો ભાસતો પદ્મનાભ જાતિનો વિતાન સૌ પહેલાં નજર સામે આવે છે (ચિત્ર ૧૪). કુંભારિયાના મહાવીર જિનાલયની ચોકી(ઈ. સ. ૧૦૬ર)માં આ જ સ્થાને આવો જ પણ આનાથી નાનો વિતાન જોવા મળે છે, જો કે ત્યાં ઊંડાણ અને સૌષ્ઠવ વિશેષ પ્રમાણમાં છે, તો પણ વિમલવસહીનો આ વિતાન તેના પડખાના ભારોટોમાં પણ કરેલી પદ્મનાભક્રિયાના કંડારથી ઓછો શોભાયમાન નથી લાગતો. આની ડાબી બાજુ સમતલ ફલક પર ભાસ્કમાં ઉપસાવેલી કલ્પલતા (ચિત્ર ૧૫) આવી રહી છે. કલામય ગૂંચળાંઓ ફેંકતા કોઈ વિરલ દરિયાઈ વેલાની શોભાસહ ખીલતી આ ઊર્મિવેલ એક અપૂર્વ દર્શનની દ્યોતક બની રહે છે. મગૂર્જર ધરાના આવા પ્રકારના અન્ય ચાર વિતાનો–પાટણના શેખ ફરીદના મકબરાના ચોકીઆળાની (હાલ વડોદરા સંગ્રહાલયમાં પ્રાય: ૧૩મી શતાબ્દી), શત્રુંજયની ખરતરવસહી (પ્રાય: ઈસ્વી ૧૩૨૦), રાણકપુરના ધરણવિહાર (પ્રાય: ઈસ્વી ૧૪૪૯), અને ચાંપાનેરની જુમા મસ્જિદ (ઈ. સ. ૧૫૦૫) અંતર્ગત જોવા મળે છે. પરંતુ એ સૌમાં દેલવાડાનું આ દષ્ટાન્ત પ્રાચીનતમ છે (પ્રાય: ઈ. સ. ૧૧૪૪). જો કે આ શોભનનો પ્રારંભ કર્ણાટકમાં થયો લાગે છે. ત્યાં પટ્ટદકલના આઠમા શતકના પ્રથમ ચરણમાં બંધાયેલા પાપનાથ શિવાલયના મંડપના એક ભારોટને તળિયે એનું
Page #22
--------------------------------------------------------------------------
________________
દેલવાડાનાં દેરાં
અત્યન્ત ઓજસ્વીરૂપ જોવા મળે છે. અહીં પાછલી હરોળમાં ડાબી બાજુના દેવકુલિકા ખત્તક ઉપર એક મંદારક જાતિની છત છે; અને જમણી તરફના ખત્તક ઉપર નાભિછંદ પ્રકારની છત આવી રહી છે. જ્યારે વચ્ચે, ગૂઢમંડપની દ્વારશાખા ઉપરની, ઉક્ષિપ્ત-નાભિ-મંદારક જાતિની છત એ જ સ્થાન પર કુંભારિયાના મહાવીર જિનાલયની ચોકીમાં પણ દેખા દે છે. અહીં વિશેષમાં પદ્મકેસરો લગાવ્યાં છે અને વચ્ચે લમ્બન મૂકયું છે; ને વધુમાં છત પ્રમાણમાં મોટી છે. તેના પડખાનાં ભારોટોની ગોખલીઓમાં દેવીમૂર્તિઓ કોરેલી છે. આ વસતિકાની સરસ છતોમાં આની સહેજે ગણના થઈ શકે તેમ છે.
જેમ બહિરંગમાં તેમ અંતરંગમાં ગૂઢમંડપ તેમ જ ગર્ભગૃહમાં કોઈ ખાસ જોવા લાયક વસ્તુ નથી. ભૂલનાયકની પ્રતિમા ૧૪મા શતકની છે. ગૂઢમંડપને ઉત્તર-દક્ષિણ કોરિણીવાળા સ્તબ્બોયુકત ચોકીઆળા છે, જે મન્ત્રી પૃથ્વીપાલના સમયના જણાય છે.
હવે ફરવાની રહી ભમતી. એની પ્રદક્ષિણા બે વાર કરીએ તો ઠીક થઈ પડશે. વિમલવસહીને પ્રવેશની ડાબી બાજુથી શરૂ કરીએ તો દેવકુલિકાઓની દ્વારશાખાઓ તેમ જ અંદર પ્રતિષ્ઠિત કરેલ પ્રતિમાઓને દર્શન-અવલોકન કરતાં કરતાં આગળ વધવું અનુકૂળ પડશે. આ ભમતીની બેવડી ચોકીઓના પાસાદાર સ્તબ્બો પ્રમાણમાં ઓછા કોરેલ પણ ઘાટીલા છે. ભ્રમન્તિકા કિંવા પટ્ટશાલાના પૂર્વ-પશ્ચિમ લાંબા હિસ્સામાં તો એની સીધી હારમાળાઓ ખૂબ જ અસરકારક દશ્ય રચી રહે છે (ચિત્ર ર૬). દેવકુલિકાઓમાં કેટલીકની દ્વારશાખાઓ ઘણી સરસ, રૂપસ્તભ સહિત યોજેલી છે. આ દેવકુલિકાઓના ઉપલક્ષમાં રસપ્રદ કહી શકાય એવી કેટલીક હકીકતોની અહીં નોંધ લઈશું. દેવકુલિકા ક્રમાંક ૧૦ મંત્રી પૃથ્વીપાલના પિત્રાઈ બંધુઓ હેમરથ અને દશરથે ઈ. સ. ૧૧૪૫માં કરાવેલી છે એમ એના પર લગાવેલ પ્રશસ્તિ-લેખ પરથી જાણી શકાય છે. તેમાં એમણે કરાવેલી પ્રતિમાઓમાં એક ફલક પર પોતાની તેમ જ નિન્નકથી માંડી પિતા મહિંદુક પર્વતની છ પૂર્વજ પુરૂષોની પ્રતિમાઓ કંડારેલી છે. દેવકુલિકા ૧૬માં ગણધર પુંડરીકની પ્રતિમા છે. તો દેવકુલિકા ૧૭માં એક સુંદર સમવસરણની રચના કરેલી છે. ત્યાર પછી આવતી ભંડારની ત્રણ ઓરડીઓમાં કેટલીયે પ્રતિમાઓ, પરિકરો ઈત્યાદિ સાચવેલાં છે. અહીં ભમતીના સ્તબ્બો અને વિતાનો હાલમાં નવીન બનાવ્યાં છે.) તે પછી દેવકુલિકા ૨૧માં દેવી અંબિકાની ત્રણ પ્રતિમાઓમાંની બે તો મંત્રીશ્વર વિમલના જ સમયની જણાય છે; જ્યારે બીજી મોટી પ્રતિમા ઈ. સ. ૧૩૩૮માં પોતાને વિમલમંત્રીના વંશજ હોવાનું કહેનાર મંડણે કરાવેલી છે. દેવકુલિકાઓ ક્રમાંક ૨૩ થી ૩૦માં પૃથ્વીપાલના પુત્ર ધનપાલ અને જગદેવ તેમ જ તેમની પત્નીઓએ ઈ. સ. ૧૧૮૯માં પ્રતિષ્ઠિત કરાવેલી પ્રતિમાઓના લેખો છે. દેવકુલિકા ૪૪માં ઈ. સ. ૧૧૮ભાં અધિવાસિત
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૮
દેલવાડાનાં દેરાં
કરેલી પાર્શ્વનાથની પ્રતિમાનું તોરણ દર્શનીય છે. દેવકુલિકા ૪૫ કવીન્દ્રબંધુ મંત્રી યશોવરે ઈ. સ. ૧૧૮૯માં જ કરાવેલી છે. એની અંદર નમિનાથની પ્રતિમાનું તોરણ પણ દર્શનીય છે. દેવકુલિકા ૪૭ અને ૫૪માં પણ પરિકર ફરતાં સરસ તોરણો કરેલાં છે.
ભમતીની બીજી વાર પ્રદક્ષિણા તો સ્તબ્બો ઉપરનાં વિતાનોની રચના અને શોભા નીરખવા માટે કરવી જરૂરી બની રહે છે. એક એકથી ચઢે એવી ચાર ભાતો ધરાવતા આ વિતાનો મધ્યકાલીન કલાના અભ્યાસકોને વૈવિધ્યપૂર્ણ અને રોચક સામગ્રી પૂરી પાડે છે. ધાર્મિક-ઐતિહાસિક દષ્ટિથી અભ્યાસ કરનારને અહીંની છતો અને એના કેટલાક ભારપટ્ટો પર કોરેલાં જિન કલ્યાણકો, રૂપકો, અને અન્ય ભાવદર્શનો રસદાયી નીવડી શકે તેમ છે. પૂર્વ તરફની પટ્ટશાલાની ડાબી પાંખથી શરૂ કરતાં આગલી હરોળનો એક સભામંદારક પ્રકારનો વિતાન ધ્યાન ખેંચે તેવો છે (ચિત્ર ૧૭). અહીંની દાદરી ઉપરના ગજલાલુના જે બે થરો લીધા છે તેમાં નીચેનામાં બે પ્રકારના પુષ્પકોની છેડેના ભાગમાં ગોળાકાર હાર કાઢી છે, જ્યારે બાજુમાં અંતરે અંતરે ગગારાને બદલે મનુષ્યાકૃતિ નાગનાં રૂપ મૂકયાં છે, અને તે સૌના પૃષ્ઠ ભાગના સંયોજનથી ચક્રાકાર પાશ રચી દીધો છે. વચ્ચેના ભાગમાં પ્રભાવશાળી પંચકોલજ લમ્બન કંડારેલું છે, એક બીજી છત(ચિત્ર ૧૮)માં તો રંગમંડપની મુખ્ય છતની જેમ દાદરીની નીચે ગજપીઠ, પછી અશ્વથર, અને ત્યારબાદ નરથર લઈ વચ્ચે ત્રણ કોલવાળું સરસ લમ્બન કર્યું છે, જેમાં પદ્મકેસરને અંતે ચંપકનું કોમળ ફૂલ લગાવ્યું છે. એક ત્રીજી છતમાં ગરતાલમાં અષ્ટનાયિકાઓ કરી, પછીના થરમાં વચ્ચે છૂટાં છૂટાં ચંપક-પુષ્પ વેરી, છેવટે મધ્યભાગમાં આઠ લૂમાઓના પરિવારવાળી કિકોલજ પદ્મશિલા અને કેન્દ્રમાં ચંપકકુસુમથી તેને વિરામિત કર્યું છે (ચિત્ર ૧૯).
હવે દક્ષિણ દિશાની ભમતીમાં પ્રવેશીએ. અહીં બે ચોકી જેટલો ભાગ વટાવતાં રંગમંડપ સાથેના સંધાનભાગની છતો દષ્ટિગોચર થાય છે. તેમાં બે છતો તેના નાભિક્ષેત્રમાં કંડારેલી પ્રતિમાઓને કારણે નોખી ભાત પાડે છે. એકમાં ચામરધારણીઓથી શોભતી, હાથીઓ દ્વારા અભિષિકત, પદ્માસના, ચન્દ્રાનના, મંગલમયી દેવી ઇન્દિરાની પ્રતિમા છે; તો બીજીમાં મૃતદેવતા સરસ્વતીની પ્રતિમા ઉતારેલી છે (ચિત્ર ૨૦). આમાં ધ્યાન ખેંચે તેવી બાબત તો છે શારદાની બે બાજુએ ઊભેલા સૂત્રધાર કેલા અને લોયણની અંજલિબદ્ધ આરાધક મૂર્તિઓ. (સ્વ) દા. ઉમાકાન્ત શાહના તર્ક મુજબ તેઓ વિમલવસહીના પૃથ્વીપાલે કરાવેલ ભાગોના પ્રધાન સૂત્રધારો હશે. (પાંચમી દેવકુલિકામાં પ્રતિષ્ઠિત જિન કુંથુનાથની પ્રતિમાના કારાપકોમાં ચાર શિલ્પીઓમાં આ બે સૂત્રધારોનાં નામો પણ છે.)
દક્ષિણ તરફની ભમતીની કેટલીક સારી છતો હવેલઈએ. તેમાંની એક અખનાયિકા-યુકત
Page #24
--------------------------------------------------------------------------
________________
દેલવાડાનાં દેરાં
છત છે, તદન્તર્ગત ગજતાલુ પછી રૂપધારા, હંસપટ્ટી પછી કોલનો થર, અને તત્પશ્ચાત્ હિમકણની અતિ વિશાળ આકૃતિ સમું લમ્બન કોરેલું છે (ચિત્ર ર૧). તો બીજી એક અવનવા પ્રકારની નાભિચ્છન્દ છતના પડખાના ભારોટોના તળિયે કમલયન્ત્રો, હધ્રુિસકનું દશ્ય વગેરે કોરેલાં છે (ચિત્ર ૨૨). તો ત્રીજી વળી એનાથી પણ નવતર પ્રકાર દર્શાવી રહે છે (ચિત્ર ૨૩). અહીં પડખલાઓમાં ઊર્મિવેલનો શોભનકંડાર ઉપસાવ્યો છે. આ દક્ષિણ પટ્ટશાલાની કેટલીક છતોમાં પંચકલ્યાણક, મેઘરથ રાજાનું કથાનક, નેમિનાથ ચરિત્ર આદિ રૂપકો કોરેલાં છે. (આવી છતોનું કલાદષ્ટિએ મૂલ્ય ભૌમિતિક છતોને મુકાબલે ઓછું રહે છે.)
૧૯
પશ્ચિમ તરફની ભમતીની છતોની વિગતો જોતાં પહેલાં છેડાની દેવકુલિકાની પૂર્વકથિત બે પ્રાચીન અંબિકા મૂર્તિઓનું ધ્યાનપૂર્વક આકલન કરી લેવું જરૂરી છે, કેમ કે, તે બન્ને વિમલયુગની સુંદર કલાકૃતિઓ છે. પ્રથમ પ્રતિમા(ચિત્ર ૨૪)માં દેવી પાછળ રહેલી ચન્દ્રપ્રભાને ફરતી કિરણાવલી સમી ભાસતી પદ્મપટ્ટી દર્શાવી છે. દેવીએ ૧૦મી-૧૧મી શતકમાં દેખા દેતો ધમ્મિલ મુકુટ ધારણ કર્યો છે. એમના દક્ષિણ પાણિમાં ઊર્ધ્વગામી આમ્રલુમ્બિ છે, અને ડાબા અંકમાં પુત્ર શુભંકરને બેસાડ્યો છે. નીચે આસન પાસે બીજો પુત્ર દીપંકર ઊભો છે અને ડાબી બાજુ વાહનરૂપે સિંહ બેઠેલો છે. બીજી પ્રતિમા(ચિત્ર ૨૫)ની વિગતોમાં ફરક છે. અહીં પદ્મપ્રભાવલીમાં દેવીના શિર ઉપર જિન અરિષ્ટનેમિની ધ્યાનસ્થ પ્રતિમા બતાવી છે. ધમ્મિલ મુકુટની આંતરિક વ્યવસ્થા અને પટ્ટબન્ધાદિ પહેલી પ્રતિમામાં છે તેથી જુદી જાતનાં છે. જમણા હાથમાં આમ્રફળોનોનિમ્નગામી ગુચ્છ છે. અહીં શુભંકર-દીપંકરનાં સ્થાનકો તેમ જ મુદ્રાઓમાં થોડો ફરક છે. સિંહ પર દેવીનો વામ પાદ ટેકવેલો છે.
આ પશ્ચિમની પટ્ટશાલા બબ્બે ચોકીઓને બદલે એક એક ચોકીના સંયોજનથી બનેલી હોઈ તેમાં સ્તમ્ભોની તથા છતોની સંખ્યા અર્ધી છે; અને તેમાં પણ નાવીન્ય ઓછું છે. પરંતુ ઉત્તર તરફ્ની ભમતી(ચિત્ર ૨૬)માં તો અનેક ભાતીગળ છતો કોરવામાં આવી છે. અહીં પશ્ચિમ ભમતીના સંધાનભાગે નાગદમન અને આગળ નૃસિંહાવતાર, કૃષ્ણની ગોપજનો સાથેની રંગલીલા, આદિ વૈષ્ણવી દશ્યો બતાવતી છતો છે, તો બીજી બાજુ કેટલીક છતો જૈન દેવતાઓ—શ્રુતદેવી, વૈરોટ્યા, અને મહાવિદ્યા વજ્રશૃંખલા (ચિત્ર ૩૦) સરખી મૂર્તિઓ ધરાવે છે. તો વળી એક છતમાં ચક્રેશ્વરી, રોહિણી, વજ્રશૃંખલા, અને પ્રજ્ઞપ્તિની ચાર પ્રતિમાઓને કર્ણસૂત્રે ગોઠવી, વચ્ચે નીલોત્પલનો આશ્રય કરી, સરસ રૂપવિન્યાસ ઉઠાવ્યો છે (ચિત્ર ર૯). અહીં પણ ભૌમિતિક પ્રકારની અનેક કલ્પનાશીલ છતો જોવા મળે છે. ચિત્ર ૨૭માં નવની સંખ્યામાં ઉત્ક્ષિપ્ત લૂમાઓ કરી પદ્મક જાતિનો વિતાન સર્જી દીધો છે; તો ચિત્ર ર૮ની છત છે તો છીછરી પણ અષ્ટ ભૂમાઓ
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૦
વચ્ચે સરસ અણિયાળાં કોલની પદ્મશિલાથી શોભી ઊંડે છે. ચિત્ર ૩૧માં બતાવેલા વિતાનની વચ્ચેની પટ્ટિકાઓ, લૂમાઓ, અને પદ્મક સાથેનો ભાગ જેટલો ધ્યાન ખેંચે તેવો છે તેટલા જ પડખલાના ભારોટને તળિયે કંડારેલ કુડચલ વેલા, ચિત્ર ૩રમાં છતને ટેકવતા ભારોટની નીચેનું દર્શન ચોરસાઓમાં બેસાડેલાં કમળોથી ઉપાવ્યું છે : જ્યારે અંદર મોટી પણ પ્રમાણમાં છીછરી ત્રણ કોલયુક્ત પદ્મશિલા કરી છે; એના વિકર્ણીમાં કિન્નર યુગલો કંડાર્યા છે. ચિત્ર ૩૩ની છતમાં પણ ભારોટોના તળિયે પતંગાકાર ચોરસામાં કમલો કોર્યાં છે, અને વચલા મુખ્ય ભાગના વિકર્ણોમાં ગવાક્ષાકારોમાં ગન્ધર્વ યુગલો છે : જ્યારે અંદર ગજપીઠ, દાદરી, અશ્વથર, નૃત્યાન્વિત સ્ત્રી-પુરુષોની પટ્ટી, અને વચ્ચે ચંપકપુષ્પયુકત અણિયાળાં ત્રણ કોલવાળી કમનીય પદ્મશિલા બતાવી છે. ચિત્ર ૩૪માં પણ વિકર્ણના ખૂણાઓમાં કિન્નરયુગ્મો વચ્ચે એક કોલ, પછી ચંપકયુકત પાંચ લૂમાઓનું વર્તુલ, અને વચ્ચે નાનકડું લમ્બન કરી આ છતને નાભિ-પદ્મક-મંદારક જાતિની બનાવી છે. તો ચિત્ર ૩૫માં વળી ૧૧મી સદીમાં જોવા મળતી ઉત્ક્ષિપ્ત લૂમાઓના જોડાણથી સર્જાતી છત છે, જેમાં પ્રત્યેક લૂમાઓમાં કેન્દ્રભાગે પુષ્પકનો ઉદય થયો છે. (તીર્થંકરોના જન્મકલ્યાણક સરખા રૂપકો આલેખતી છતોમાંની આયોજનની દષ્ટિએ વિરલ અને શ્રેષ્ઠ કહી શકાય તેવી એક છત પણ આ ભમતીમાં છે. અહીં રૂપમૂર્તિઓને કેન્દ્રાભિસારી ચક્રાકાર વ્યૂહોમાં ગોઠવી, સ્થિતિ અને ગતિની સુરેખ અને સંતુલિત વ્યંજના પ્રગટાવી છે.)
દેલવાડાનાં દેરાં
ઉત્તરની પટ્ટશાલાના રંગમંડપ સાથેના જોડાણ ભાગમાં પણ કેટલીક સરસ છતો છે, જેમાંની એક ચિત્ર ૩૬માં પેશ કરીશું. અહીં પણ ગજથર, પર્ણસ્તર, નરપટ્ટી વગેરેનાં વર્તુળો દોરી વચ્ચે કાગળકટાઈ સરખું પદ્મકેસરયુકત લમ્બન કર્યું છે.
પૂર્વ તરફ્ની પટ્ટશાલાની જમણી તરફ્ની પાંખ તરફ વળતાં તેમાં એક વચ્ચે કોલના ત્રણ થરો અને વચ્ચે કમલવાળી એક ઠસ્સાદાર છત (ચિત્ર ૩૯) તથા ગજતાલુઓમાં પુષ્પકો, નાગપાશ, નરપટ્ટી, અને છેલ્લે વચ્ચે અષ્ટલ્મા અને મંદારકવાળી નાભિ-પદ્મ-મંદારક જાતિની છત (ચિત્ર ૩૭) પણ દર્શનીય છે.
( ૨ ) લૂણવસહી
વિમલવસહીની કલાયાત્રા અહીં પૂરી થાય છે અને હવે હસ્તિશાલાની ઉત્તરે થોડે અંતરે ધાર પર બીજું આરસનું મંદિર આવી રહેલું છે તે તરફ વળીએ. કાલક્રમમાં અહીંનાં મંદિરોમાં વિમલવસહી પછી આવતું આ પશ્ચિમાભિમુખ આરસી મંદિર અહીંના પ્રશસ્તિલેખ અનુસાર તેમ જ સમકાલીન અને પાછલા યુગના લેખકોના કથન મુજબ મહામાત્ય વસ્તુપાલના લઘુબંધુ તેજપાલે
Page #26
--------------------------------------------------------------------------
________________
દેલવાડાનાં દેરાં
બંધાવેલું. ગુજરાતની સ્વાધીનતા અને સંસ્કૃતિના સંરક્ષક, એની અસ્મિતાના અઠંગ આરાધક, દુર્જેય રણવીર છતાંયે ધર્મવીર, સ્વધર્મનિષ્ઠ છતાંયે સર્વધર્મસમદર્શી, કલિકાલકુબેર ને કુર્ચાલસરસ્વતી સચિવેશ્વર વસ્તુપાલ અને ધર્મધુરંધર તેજપાલે રચાવેલી ધર્મલક્ષી અને જનોપયોગી સ્થાપત્યકૃતિઓની સવિસ્તાર નોંધ તો કલ્પના થંભાવી દે તેવી વિસ્તૃત છે. દેલવાડાનું આ બીજું મંદિર એમના સમયનું બચી જવા પામેલું એક વિરલ અને પ્રમુખ સ્થાપત્ય-સર્જન છે.
૨૧
૪
સ્વર્ગીય બંધુ માલદેવ(મહૃદેવ)ના શ્રેયાર્થે વિમલવસહીના ગૂઢમંડપમાં વસ્તુપાલે ઈ સ ૧૨૨૨માં એક ગોખલો કરાવેલો. ત્યારપછી આઠેક વર્ષ બાદ તેજપાલે આ બીજું મંદિર——ભ્રૂણસિંહ વસહિકા—બંધાવવાનો પ્રારંભ કર્યો. લોકવાયકા આ મંદિરને વસ્તુપાલ-તેજપાલનું મંદિર કહે છે, પરંતુ શિલાલેખો અને તમામ ગ્રંથાધારો એ મંદિર તેજપાલે જ નિર્માણ કરાવ્યું હોવાનું સ્પષ્ટ રીતે કહે છે. પ્રબંધચિંતામણિ જેવા ગ્રંથો આ મંદિર વસ્તુપાલ તેજપાલના મોટાભાઈ લૂણિગના કલ્યાણ અર્થે બંધાયું હોવાની વાત કરે છે; પણ સમકાલીન પ્રશસ્તિલેખ તો તે તેજપાલની પહેલી પત્ની અનુપમાદેવીના પુત્ર લૂણસિંહ કે લાવણ્યસિંહના શ્રેયાર્થે બાંધવામાં આવ્યાનું કહે છે. (નામ સામ્યથી આ ગોટાળો પ્રબંધકારે કર્યો લાગે છે.)
મંદિરના બાંધકામનાં નિયોજન અને નિર્દેશન સૂત્રધાર શોભદેવને સોંપાયેલાં. સામાન્ય દેખરેખ અનુપમાદેવી અને તેના ભાઈ ઉદલ રાખતા. દિવસ અને રાત શિલ્પીઓનાં ટાંકણાં ચાલતાં જ રહેલાં. માનવતાનો દીવો જલતો રાખનારી એ ધર્મનિષ્ઠ અને વ્યવહારદક્ષ સ્રીએ તત્ક્ષણકારો વિના ત્રાસે, છૂટે હાથે, કંડાર કરી શકે એ માટે એમને કેટલીયે સુવિધાઓ આપેલી. પ્રશસ્તિકાર કવિ સોમેશ્વરના શબ્દોમાં કહીએ તો ‘“છંદુ અને કુંદ સમાન શંખોજ્જ્વલ શિલાઓ’’ના ભગવાન નેમિનાથના આ મંદિરનો મોટો ભાગ પૂર્ણ થતાં ઈ સ૰ ૧૨૩૨માં, પિતૃપક્ષના ગુરુ, નાગેન્દ્રગચ્છના હરિભદ્રસૂરિના શિષ્ય વિજયસેન સૂરિએ, પ્રતિષ્ઠા કરી. પ્રતિમાલેખોના આધારે બાકીનું બાંધકામ તો છેક ૧૨૪૦-૪૨ સુધી ચાલતું રહ્યું જણાય છે. પ્રતિષ્ઠા પછી ચંદ્રાવતીના પરમારરાજ સોમસિંહદેવે દેવાલયના નિભાવ અર્થે ‘“આચંદ્રાર્કયાવત્’” ડબાણી ગામ અર્પણ કર્યું, અને વિમલવસહી તેમ જ આ મંદિરને કરમુકત જાહેર કર્યાં. નેમિનાથની પૂજા-અર્ચના, કલ્યાણક ઉત્સવો, અષ્ટાહ્નિકા મહોત્સવ ઇત્યાદિ પ્રસંગોની વ્યવસ્થા આજુબાજુનાં ગામોના જૈન શ્રાવકો તરફ્થી કરવાની અને તમામ લોકો, એ ધર્માજ્ઞાનું પાલન કરે તેવી પ્રતિજ્ઞા ઉપસ્થિત બહુજનસમાજની સાક્ષીએ આ દેવાલયના રંગમંડપમાં લેવાયેલી એ હકીકત કહેતો એક બીજો મોટો પ્રશસ્તિલેખ પણ અહીં જળવાયો છે.
તલ-આયોજનની દૃષ્ટિએ આ મંદિર અને વિમલવસહીમાં થોડો ફરક છે. પશ્ચિમ બાજુએ
Page #27
--------------------------------------------------------------------------
________________
દેલવાડાનાં દેરાં
પ્રવેશની મુખચતુષી ઉપરાંત દક્ષિણે વાયવ્ય ખૂણા સમીપ નાલમંડપ (વલાનક) પણ કરેલો; હાલ તેને બંધ કરવામાં આવ્યો છે. પૂર્વ તરફની ભમતી ન કરતાં તે સ્થાને હસ્તિશાલા નિયોજી. વિમલવસહીને મુકાબલે અહીં છચોકી અને રંગમંડપ થોડાં નાનાં છે. ઉત્તર-દક્ષિણ ભમતીની બેવડી હરોળ તેમ જ તે બાજુના રંગમંડપને જોડતાં અલિન્દો પણ પ્રમાણમાં સંકીર્ણ કહેવાય. ગૂઢમંડપના ચોકીઆળાંની બરોબર સામે આવતા ભમતીની પટ્ટશાલાના ભાગની આગલી હરોળનાં પદોનો (અને એથી સ્તભોની જોડીઓનો) છેદ કરવામાં આવ્યો છે તેની પણ નોંધ લઈએ. આ સિવાયનું સામાન્ય આયોજન વિમલવસહીના જેવું જ કહી શકાય. કેટલાક વિદ્વાનો માને છે તેમ એનો અર્થ એવો નથી કે વિમલવસહીના આયોજનની અહીં નકલ કરવામાં આવી છે. વાસ્તવમાં તો જૈન મંદિરોના આયોજનનું આવું સ્વરૂપ ૧રમી શતાબ્દીથી તો પૂર્ણપણે નિશ્ચિત થઈ ગયેલું અને એનો એ સમયમાં ગુજરાત તેમ જ રાજસ્થાનમાં સાર્વત્રિક પ્રચાર હતો.
સ્થાપત્યની વાત કરીએ તો વિમલવસહી અને આ મંદિર વચ્ચે રહેલો તફાવત તદ્દન સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. પ્રભાપરિષ્કૃત વિમલવસહીનું ગાંભીર્ય, તેની ભાતોની બલિષ્ઠતા, ભાતીગળતા, તેમ જ પૂરા સમૂહની વિશેષ વિશાળતા અહીંનથી. રાજા ભીમદેવ બીજાના સમયથી પશ્ચિમ ભારતની વાસ્તુકલાનો ઝોક કોરણીનું આધિકય, અપરિમેય બારીકાઈ, અને લાવણ્યલક્ષી ચાંચલ્ય તરફ વળવા લાગેલો. વાઘેલા સમયમાં આ વલણ તીવ્રતર બન્યું. તેજપાલનું આબૂ પરનું આ મંદિર એ આ બારૉક યુગનો પરિપાક છે; શ્રેષ્ઠ ફલપ્રદાન છે એટલું ઉમેરીએ તો યોગ્ય ગણાશે.
આ મંદિરનો પણ વિમલવસહીની સાથે જ ભંગ થયેલો. વ્યવહારી સંઘપતિ પેથડે એનો ઈ. સ. ૧૭રરમાં પુનરુદ્ધાર કરાવેલો. આ ઉદ્ધાર દરમિયાન નવી પ્રતિમાઓ મૂકવા સિવાય બીજું કંઈ ખાસ કરવામાં આવ્યું હોય તેમ લાગતું નથી.
લૂણવસહીનો મૂલપ્રાસાદ વિમલવસહીની જેમ ફાંસનાયુકત છે. એના ગૂઢમંડપના ચોકીઆળાના સ્તબ્બાની કોરણી કર્ણાટના સ્તબ્લોનું સ્મરણ જગાવી જાય છે (ચિત્ર પ૧), પણ વિશેષ અભ્યાસ તો માગી લે છે એની નવચોકી. એની પીઠ મત્તવારણમંડિત કરવામાં આવી છે. જો કે આ કઠોડાને કારણે પ્રકાશનો થોડો અવરોધ થાય છે.
વિમલવસહીની તુલનામાં લૂણવસહીમાં પ્રમાણભારનું ઔચિત્ય ચોગરદમ વિશેષરૂપે નજરે પડે છે. પશ્ચિમ દ્વારેથી નાલમાં પ્રવેશ કરતાં જ લાગલા પટ્ટશાલામાં પ્રવેશી જવાય છે. અહીં પણ વિમલવસહીમાં કર્યું છે તેમ મોરાના ચાર સ્તબ્બો વિશેષ કારીગરીયુકત કર્યા છે (ચિત્ર ૩૯).
Page #28
--------------------------------------------------------------------------
________________
દેલવાડાનાં દેરાં
એકમાં જંઘામાં આઠ લતાંકુર બતાવ્યાં છે, તો તેની આગળના સ્તમ્ભોમાં ઊભી સળીઓવાળાં આડાં વલયો કર્યાં છે, મોરાના ભાગમાં, રંગમંડપની સંધાન-ચોકીઓ તરફ, સ્તમ્ભશીર્ષો (શરાં) પર ટેકવેલા મદલો (ઘોડા) કાઢ્યા છે, અને ત્યાં છાજલીઓ ઉપરના મહાપટ્ટોમાં બન્ને બાજુ સંગીતકારિણી મંડળીઓ વચ્ચે દેવી અંબિકાની મૂર્તિઓ કોરેલી છે. આમ મોરાનો ભાગ મોભાદાર બન્યો છે. રંગમંડપની આગલી હરોળના સંધાન ભાગની છતોમાં મુખ્યત્વે હારબંધ વર્તુળોમાં પોયણાઓની એકવિધ સમૂહમાલા જોવા મળે છે (ચિત્ર ૩૯). ત્યાં એક તરફ પદ્મક જાતિનો સુરમ્ય વિતાન પણ જોવા મળે છે (ચિત્ર ૪૧). એટલા ક્ષેત્રમાં પૂર્વ તરફ રંગમંડપને અડીને આવેલો એક વિતાન (ચિત્ર ૪૦) એની અનોખી રૂપરંજનાને કારણે વિખ્યાત થઈ ચૂકયો છે. એમાં પૂર્ણ વિકસિત પણ સપાટ ફેલાવના પુંડરીકની પત્તીઓનો બેવડો વ્યૂહ રચી, તેની પાંખડીઓ પર સુરસુંદરીઓની અભિનવ નર્તનલીલા પ્રગટ કરી છે. તે પછી એક કર્ણદરિકાની મેખલા રચી, તેના આશ્રયે લગભગ પૂર્ણભાસ્કર્યમાં ૩૨ અપ્સરાઓનાં નૃત્યાન્વિત સ્વરૂપો સરસ રીતે છૂટાં છૂટાં ગોઠવ્યાં છે. સમતલ વિતાનોમાં માંત્રિક-તાંત્રિક કમલયન્ત્રની પાંખડીઓ પર દેવમૂર્તિઓ આયોજવાની પ્રથા તો ૧૦મી-૧૧મી સદીથી જ, નાગદા આદિ સ્થાનોનાં મંદિરોમાં, પ્રચારમાં આવી ગયેલી : પરંતુ અહીં ૩૨ દેવાંગનાઓના નર્તન-આવર્તનને જે ખૂબીથી બહિર-વલયમાં ચેતનમય વાચા આપી છે તે જ આ વિતાનને વિશિષ્ટતા અર્પી રહે છે.
૨૩
વિમલવસહીની જેમ આ દેવાલયનો પણ અગ્રિમ મહત્ત્વનો ભાગ તો તેનો રંગમંડપ જ છે. એ પૂર્ણરૂપેણ સપ્રમાણ અને સંતુલિત છે. એનાં તોરણોની વૈવિધ્યપૂર્ણ આકૃતિઓ, અને પ્રમાણસરતાથી એ વિશેષ સંમોહક પણ દેખાય છે. અહીંના ૧૨ સ્તમ્ભોમાં મુખ્ય ત્રણ પ્રકારોનો પ્રયોગ કરેલો છે. પહેલો પ્રકાર ચતુર્દિશાના વચલા ભદ્રના સ્તમ્ભોની જોડી દ્વારા વ્યકત થાય છે : અને આ ચારે દિશાઓની જોડીઓમાં વિગતની દૃષ્ટિએ થોડો થોડો તફાવત પણ છે. માલવાની અસર તળે આવા વજ્રક જાતિના સ્તમ્ભોનો ઉપયોગ સૌ પહેલાં સિદ્ધપુરના રૂદ્રમહાલય(ઈ. સ૰ ૧૧૪૨)માં થયેલો. ત્યારબાદ પ્રભાસપાટણમાં સોમનાથના ઈ સ ૧૧૬૯માં કુમારપાલે બંધાવેલા મંદિરના પ્રદક્ષિણા માર્ગના ભિત્તિસ્તમ્ભમાં એ પ્રકાર થોડા ફરક સાથે જોવા મળે છે. આ સિવાય અજારાના હાલ નષ્ટ થયેલા કોઈ પુરાણા મંદિરમાં પણ આવા સ્તમ્ભો હતા અને ત્યારબાદ અહીં મંત્રી તેજપાલના આ મંદિરમાં એ ફરીને દૃષ્ટિગોચર થાય છે. અહીં રંગમંડપના દક્ષિણ ભદ્રમાં કરેલા આ સ્તમ્ભો પૂર્વ, પશ્ચિમ, કે ઉત્તર બાજુ કરેલા સ્તમ્ભો કરતાં સવિશેષ અલંકારી છે, સંપૂર્ણ વિગતો ધરાવે છે એમ કહીએ તો ચાલે. સારાયે રંગમંડપના થાંભલાઓમાં આ એક જ પ્રકારનો ઉપયોગ કર્યો હોત તો રંગમંડપની શોભા અપ્રતિમ બની જાત. મંડપના ઈશાન અને
Page #29
--------------------------------------------------------------------------
________________
૨+
દેલવાડાનાં દેરાં
અગ્નિકોણના સ્તબ્બો મોઢેરા પ્રકારના છે, પણ કંડારકક્ષા એ જાતની અંતિમ, અવનતિની દશા બતાવી રહે છે. જ્યારે નૈઋત્ય અને વાયવ્ય દિશાઓના ઝીણી ઝીણી હાંસોવાળા સ્તભોનું કંડાર-દારિદ્રય અહીંના અલંકાર-સંમેલનમાં વિરોધાભાસી લાગે છે. રંગમંડપનું દક્ષિણ ભદ્રમાંથી દેખાતું દશ્ય ચિત્ર ૪૪માં રજૂ કર્યું છે.
મંડપમાં સ્તબ્બો વચ્ચે લગાવેલાં તોરણોમાં ત્રણ પ્રકાર નજરે પડે છે. દક્ષિણ દિશાના ભદ્રસ્તમ્ભોમાં ઉચ્ચાલકો વચ્ચે ગોઠવેલું ઈક્ષિકાતોરણ (ચિત્ર૪૪) તો મોઢેરા, અસોડાના શિવમંદિર, અને રુદ્રમહાલયની વંદનમાલિકાઓના સીધા પણ અવનતિ પામેલા વારસ જેવું છે. તિલક-મદલના સંયોજનથી કરેલાં તોરણો એનાં સંતુલિત પ્રમાણોને કારણે વિશેષ રમણીય દેખાય છે (ચિત્ર ૪૩). ત્રીજા, સર્પગતિએ ગૂંચળાં લેતાં તોરણનો ભંગ, એનું પ્રમાણ-સૌષ્ઠવ, અને રચનાનો વિન્યાસ તો અભૂતપૂર્વ કહેવાનું મન થાય (ચિત્ર ૪૨). આ પ્રકારના તોરણનો પ્રભાવ તો છેક ૧૭મી સદી સુધીનાં મંદિરો સુધી પડતો રહેલો. (આ જાતનું તોરણ મૂળ ઇલોરાના નવમી સદીના રાષ્ટ્રકૂટ લયનમંદિરોના, અને એ યુગની જૈન ધાતુમૂર્તિઓના તોરણ પ્રકારમાંથી વિકસ્યું છે.) પણ આ બધાં કરતાંયે જેવા જેવી રચના તો છે મંડપના વિશાળ કોટકની. કેવળ ભારતના જ નહીં, વિશ્વ સમસ્તના મહત્વના અલંકારશીલ વાસ્તુવિધાનમાં મોખરે રહેલા આ સભાપઘમંદારક જાતિના વિતાનની વચલી અઠાંશ અહીં ભૂમિતિની ચોકકસાઈ સહિત કરેલી છે. લગભગ ૧૨ ફીટ ઊંચાસ્તમ્ભો અને પ્રાય: ૧૯/ર ફીટ જેટલા વિસ્તારવાળો અને ઊંડાણભર્યા વિતાન વિમલવસહીનાં મહાવિતાનની તુલનામાં ઘણો જ સપ્રમાણ લાગે છે. એનાં ઉપાંગોના તમામ પારસ્પરિક માન-પ્રમાણ બરોબર જળવાયાં છે; અને એ રીતે વિમલવસહીના રંગમંડપની એ ક્ષતિ અહીં દૂર થઈ છે. વિતાનના સ્તરો પણ કંડારની ઝીણવટ બતાવવાની સાથે માનૌચિત્ય પણ સાચવી રહે છે (ચિત્ર ૪૫). સૌ પહેલાં અંતરપટ્ટમાં પ્રવચનમગ્ન જૈન મુનિઓની છૂટી છૂટી પ્રતિમાઓ બતાવી, તે પર ઝીણી પાંદડીવાળો કર્ણદદરિકાનો થર લીધો છે. એના ઉપર રૂપકંઠમાં વાજિંત્રો વગાડી રહેલા, આકાશચારી ગતિમાં ગૂંથાયેલા, ૧૬ વિદ્યાધરો પીઠ પરનાં આસનો પર અનુક્રમે ૧૬ વિદ્યાદેવીઓને ટેકવી રહ્યા છે. આ મહાવિદ્યાઓનો વિસ્તાર ઉપરાઉપરી ત્રણ ગજલાલુના થરો વચ્ચે વસેલો છે. તે પછી સમુદ્રતરંગ સમો, સૂક્ષ્મ કંડારણાયુકત, નવખંડ કોલનો થર લીધેલો છે. ત્યારબાદ નક્ષત્રમંડલની જેમ શોભતો ૨૪ લૂમાઓનો સમૂહ, ફરીને કોલ, અને છેલ્લે રત્નરાશિ શી ચમકતી, સપ્તકલજ લમ્બનરૂપી પધ્ધશિલા આવી રહેલાં છે (ચિત્ર ૪૫). બ્રહ્મપિંડનો સંકેત કરી રહેલી, જાણે કે સારાયે બ્રહ્માંડની ગતિનો લય એના પ્રલંબ પદ્ધકેસરના અંતિમ બિંદુમાં સમાવી લેતી હોય એવી આ પદ્ઘશિલાનું અપ્રતિમ રચનાકૌશલ કદાચ સૂત્રધાર શોભનદેવની
Page #30
--------------------------------------------------------------------------
________________
દેલવાડાનાં દેરાં
જ મહાનું પ્રતિભાની અભિવ્યંજના હશે ! ગમે તે કોણથી જુઓ, એનું દર્શન અપૂર્વ બની રહે છે. રંગમંડપની વચ્ચે છો સરસાં સૂઈને જોવાથી દેખાતું એની કોલનાં વલયોને કેન્દ્રમાં સમેટી લેતી પ્રભાવશાળી રચનાનું દશ્ય મન પર ચિરંજીવ અસર મૂકી જાય છે (ચિત્ર ૪૬).
રંગમંડપમાં ઊભા રહીને પૂર્વ તરફ જોતાં તેની અપ્રતિમ છચોકી નજરે પડે છે (ચિત્ર ૪૭, ૪૯). એક તરફથી એ તેની સ્તબ્બાવલી (અને એમાંયે તેના વચ્ચેના ચાર સ્તબ્બોથી અને અહીં આગળ જોઈશું તેમ તેની અપૂર્વ છતોથી) સોહી ઊઠે છે. તો બીજી બાજુ તેમાં દ્વારની અડખે-પડખે ભીંત સમાણા લગાવેલા દેવકુલિકા-ખકો–કહેવાતા દેરાણી જેઠાણીના ગોખલાઓ–કંઠની માળામાં પરોવેલા પદક જેવાં શોભનશીલ બની, મનોરમતામાં વૃદ્ધિ કરે છે. ગૂઢમંડપના અલંકૃત દ્વાર અને તેની સમોવરના, પાછળ કહ્યા તે, ચાર સ્તંભોનું મનોહર દશ્ય(ચિત્ર ૪૮)માં રજૂ થાય છે. આ સ્તબ્બો વિમલવસહીની કચોકીના વર્ગ-જાતિના હોવા છતાં તેનાં માન-પ્રમાણ અને મેખલાઓની વિગતોમાં કેટલોક ફરક દેખાઈ આવે છે. ખાસ કરીને એનો પૂર્ણ બંધ વિશેષ પગતો, ઊંચેરો, અને મરોડદાર છે. આ સ્તંભોની આજુબાજુના વેદિકા સાથે સંલગ્ન સ્તબ્બો ઓછી કરણીવાળા છે અને ઘાટવિધાન અને ઉપસ્થિત વિગતોની દષ્ટિએ એટલા રસપ્રદ નથી; પણ બન્ને એકસરખા મોટા ગોખલાઓની વાત જુદી છે. સાંઠિકાના છોલેલા મલોખામાંથી ઊભા કર્યા હોય તેમ પડખાઓમાં અને મથાળે સામરણમાં ઝીણી ઝીણી થાંભલીઓવાળી અંડપિકાઓ ઉપરાઉપર ચડાવી તેના સારાયે સંસ્થાનનો ભારે અલંકારી, સઘન, અને સુકંપિત ઉઠાવ ઉપસાવ્યો છે (ચિત્ર ૫૦). (આ બન્ને ગોખલાઓ મંત્રી તેજપાલનાં પત્ની અનુપમાદેવીના કલ્યાણ અર્થે કરાવ્યા હોવાનું બન્નેના અભિલેખોથી સિદ્ધ છે.) આ છચોકી જે સંરચના પર મંડાયેલી છે તે પીઠના પડખલાં પણ ઘાટમંડિત છે (ચિત્ર ૫૧). તેના વેદીબંધના કળશ પરનો રત્નોનો કંડાર ધ્યાન ખેંચે તેવો છે (ચિત્ર ૬૬).
પણ અનુપમ ઝીણવટથી કંડારેલા તો છે રંગમંડપના ચોકીના સંધાન ભાગ ઉપરના ત્રણ, અને છચોકીના છે, મળી નવચોકીના મનાતા નવેનવ વિતાનો, સંધાનચોકીમાં જમણી તરફના સૂક્ષ્મ કોરણીવાળા નાભિ-કમલોદ્ભવ જાતિના વિતાનમાં ચારે ખૂણાઓમાંથી કર્ણસૂત્ર ત્રાંસમાં યક્ષી નિર્વાણીનાં ચાર અખંડ રૂપો, જાણે કે, કોઈ પણ આધાર વિના અધ્ધર ટેકવ્યાં હોય તેવાં ભાસે છે (ચિત્ર પ૩). જ્યારે વચલી ચોકીમાં પગથિયાં ચડતાં પહેલાં આવતી સભા-પદ્ય-મંદારક પ્રકારની છત(ચિત્ર પર) ના કેન્દ્રના કોલ, લૂમાઓ, અને મંદાકિની સૂક્ષ્મતર કારણીનું તો માપ નીકળી શકે તેમ નથી. એવો જ એક સભા-મંદારક જાતિનો વિતાન તેની કંડારલીલા અને તેમાં ઠેર ઠેર કરેલા ચંપક અને મલ્લિકાના પુષ્પોના યથાસ્થિત-વ્યવસ્થિત છંટકાવથી
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૬
સોહી ઊંડે છે (ચિત્ર ૫૮). તો ડાબી બાજુના ખત્તક પર તેમ જ દ્વાર ઉપરના ભાગની, છીપલીમાંથી સર્જી દીધી હોય તેવી, ઉત્ક્ષિપ્ત લૂમાઓના સંયોજનથી સર્જાતી બે છતો ચંદરવા સમી શોભાયમાન લાગે છે (ચિત્ર ૫૯, ૬૦).
દેલવાડાનાં દેરાં
પણ આયોજનની દૃષ્ટિએ તો અપૂર્વ જ કહેવી પડે તેવી તો છે, છચોકીની વચ્ચેની સોપાનમાલા પર ચડતાં તેની બરોબર ઉપર જ આવી રહેલી કમલોદ્ભવ પ્રકારની લંબચોરસ છત. એક નીચે બીજા એમ કુલ ત્રણ લકબંધો પર લૂમાઓની પંક્તિબંધ વ્યવસ્થાથી નિયોજિત આ વિતાનના ઉદરમાંથી નાભિકમલ શી મૃદુલ ચતુરમ્ર પદ્મશિલા ઊગમ પામી રહી છે (ચિત્ર ૫૫). પ્રભાસપાટણમાં મંત્રી તેજપાલે જ બંધાવેલ આદિનાથના મંદિરની છત (હાલ ત્યાં જુમામસ્જિદની વચલી મહેરાબ ઉપર) અને ત્યાર બાદ ૧૫મા સૈકાના રાણકપુરના ધરણવિહારમાં દેખાતા એક દૃષ્ટાન્તને બાદ કરીએ તો આવા વિરલ સંઘાટની છત આજે તો કયાંયે જોવા મળતી નથી. (ચોરસાસ્કૃતિ લમ્બન કિંવા પદ્મશિલા ભાગ્યે જ જોવા મળે છે.)
છચોકીની બાકી રહેતી ત્રણ છતો વિષે હવે જોઈએ. નરદમ હિમશિલામાંથી કોરી કાઢી હોય તેવી નાભિમંદારક જાતિની છત(ચિત્ર ૫૬)ના કોલના થરોનું પ્રાકટ્ય અને સંઘટનનું કેન્દ્રપ્રસારીપણું વિસ્મત કરી મૂકે તેવું છે. તો ચિત્ર પ૭માં અર્ધપારદર્શક વલિકાઓ સમી પત્તીઓનાં બે ચકકરો વચ્ચે વર્તુલ-વિન્યાસમાં ચકરાવો દેતા પોયણાઓ અને વચ્ચે બરફીલી કંડારક્રિયામાંથી નીપજી હોય તેવી સૂક્ષ્મતમ કંડારવાળી પદ્મશિલા સ્વિંગ કરી મૂકે છે. અને છેલ્લે ચિત્ર પ૮ની છતમાં લકપટ્ટીઓ પર કમલોની હારો, પછી વિકર્ણીમાં કીર્ત્તિમુખો અને વચ્ચે નાભિમંડલમાં બે કમલપત્તીઓના થરો વચ્ચે કમલપુષ્પોનું વર્તુળ, અને પછી કેન્દ્રમાં અર્કપુષ્પ(આકડાનાં ફૂલો)નાં છાંટણાંઓયુકત, કમલની ધારદાર પાંખડીઓના ગુનથી, કોઈ વિરાટ ઘટિકાયંત્રના બાલચક્ર જેવું જાળીદાર, ઊંડું ઊતરતું જતું કામ કેટલા ધૈર્ય અને કૌશલથી કર્યું હશે તે તો ત્યાં જ જોવાથી કલ્પી શકાય.
છચોકીમાંથી ગૂઢમંડપમાં જતાં ત્યાં વાસ્તુકલાની દષ્ટિએ કશું ધ્યાન ખેંચે તેવું નથી. ગર્ભગૃહમાં મૂળનાયક જિન અરિષ્ટનેમિની પ્રતિમા તો છે, પણ મંત્રી તેજપાળે ખંભાતના શિલ્પીઓ પાસે કસોટીના પથ્થરની ઘડાવેલી મૂળ પ્રતિમા હતી તે આ નથી. ગૂઢમંડપને કોરણીયુકત સ્તમ્ભો અને વેદીબંધ-રાજસેન-કક્ષાસનાદિ સોહતાં ઉત્તર-દક્ષિણ ચોકીઆળાં કર્યાં છે (ચિત્ર ૬૫). (વિમલવસહીની જેમ અહીં પણ મૂલપ્રાસાદ અને ગૂઢમંડપ સાદા, ફ્રાંસનાયુકત, અને અસુંદર છે.) ફરીને રંગમંડપમાં આવીને તેના અને દક્ષિણ પટ્ટશાલાના સંધાન ભાગને અવલોકીએ.
Page #32
--------------------------------------------------------------------------
________________
દેલવાડાનાં દેરાં
અહીં પણ પટ્ટશાલાનો મોરો અલંકારમંડિત કર્યો છે. ત્યાં વચ્ચેના બે સ્તમ્ભો પરના છા પર હાથીઓ કે મદલોને બદલે મૃણાલનાલને ચાંચ વતી ગ્રહતા હંસોની આકૃતિઓ કોરી છે (ચિત્ર ૬૧) અને ભારપટ્ટના મોવાડ પર ઇશ્ચિકાવલણમાં દેવી મૂર્તિ સપરિવાર કોરેલી છે. સંધાન ભાગની ધ્યાન ખેંચે તેવી છતોમાં જોઈએ તો એકમાં તો વચ્ચે નાગણ સમા ભાસતાં, મંદારવૃક્ષના હોઇ શકે તેવાં પર્ણો વર્તુલાકારે ગોઠવી, તેમાં ગાળાઓ વચ્ચે વચ્ચે ખીલેલાં ચંપક અને મધ્ય બિંદુએ પણ મોટા કદનું ચંપક કોર્યું છે (ચિત્ર ૬૨). તો બાજુની એક અન્ય ચોરસ છતમાં ચોતરફના ભારપટ્ટીને તળિયે જબરાં અર્કપુષ્પ સમી લૂમાઓની શ્રેણિઓ કાઢી, વચ્ચેના ભાગમાં કૃષ્ણજન્મનો કહેવાતો પ્રસંગ (કદાચ એવો અન્ય કોઈ પ્રસંગ) ચતુર્કારવાળી નગરીના મધ્યભાગમાં, આશ્ચર્યકારક અને કલાત્મક વ્યૂહમાં ગોઠવેલ છે. તેમાં બે કર્ણો પર વૃક્ષો (કલ્પવૃક્ષો ?) અને અન્ય બે પર કર્ણસૂત્રે દેવી લક્ષ્મી અને ચક્રેશ્વરીનાં રૂપો બતાવ્યાં છે (ચિત્ર ૬૩). તો નજીક એક છીછરી છતમાં કાગળકટાઈ જેવા સફાઈબંધ કામથી નિષ્પન્ન થતા ત્રણ કોલની આકર્ષક છત પણ જોવા મળે છે (ચિત્ર ૬૪).
૨૭
અને હવે પટ્ટશાલામાં સૃષ્ટિમાર્ગક્રમેણ વિતાનોની શોભા નીરખવા માટે પશ્ચિમ દ્વારથી ડાબી પાંખથી ભમતી ફરવી શરૂ કરીએ. અહીંની ધ્યાન ખેંચે તેવી છતોમાં એકમાં દેવી અંબાની બે વૃક્ષોની સ્થિત આરાધકોની આકૃતિઓમાં સાથેની પ્રતિમા અને બીજી યક્ષી અપ્રતિચક્રા(ચિત્ર ૬૭)ની મૂર્તિ જોવા મળે છે, તો ત્રીજી એવી છતમાં ભગવતી સરસ્વતીનું અંકન જોવા મળે છે, તો છેવટે ખૂણાની, પત્તીઓના થરોથી સંઘટિત, નાભિચ્છન્દ જાતિની છતમાં વિકર્ણીમાં ક્રીડામગ્ન કિન્નર યુગલો બતાવ્યાં છે (ચિત્ર ૬૯). અહીં ઉત્તરની ભમતીમાં નજીક નજીકમાં રહેલા ચારેક જેટલા સમતલ વિતાનોમાં અનુક્રમે દ્વારિકા નગરી અને નેમિનાથના સમવસરણનું દૃશ્ય, નેમિનાથ વિવાહ, જિનજન્મકલ્યાણક, અને પાર્શ્વનાથચરિત્રના ભાવો આલેખાયેલા છે. પણ ભમતીની ઉત્તરી હરોળ આસપાસની એક છતમાં સમતલ લક પર મૃણાલવઠ્ઠીના ચક્રાકાર ઊલટાસૂલટા ગૂંચળાઓમાં વચ્ચે વચ્ચે કિન્નર યુગ્મો, અને એકમાં ગજક્રીડા આદિ સુશોભનોનો કંડારેલો રસકોશ પોતે અભૂતપૂર્વ ન હોવા છતાં ત્યાં જે ચાતુરીપૂર્વક ગોઠવણી કરી છે તે જોતાં એને ધ્યાન ખેંચે તેવી ભાત કહી શકાય તેમ છે (ચિત્ર ૬૮). (કર્ણાટકમાં ૧૧મી સદીના આખરી ચરણમાં બંધાયેલાં બલિગાંવે આદિ કેટલાંક મંદિરોની જાળીઓમાં આ જ હૈતવનું આલેખન થયેલું છે.) આ સિવાય અહીંની બે ઉત્ક્ષિપ્ત પ્રકારની સરસ છતો ચિત્ર ૭૦ તથા ૭૧માં પ્રદર્શિત થયેલી છે. આ ઉત્તર તરફ્ની ભમતીના છેવાડાની કેટલીક છતો અઢી ત્રણ દાયકા પૂર્વે જૂની ભાતોને આદર્શરૂપે નજર સામે રાખીને કરવામાં આવી છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
દેલવાડાનાં દેરાં
આ પટ્ટશાલાના પૂર્વ તરફ્ના અંત-ભાગે હસ્તિશાલામાં જવાનું પ્રવેશદ્વાર પડે છે. તેમાં આરસના ચકચકિત, અને માથે મોડબંધ તથા ગળામાં સાંકળમાળા, મણકામાળા, ચામરમાળાદિ અલંકારથી વિભૂષિત, દશ હારદોર ગજરાજો ગોઠવેલા છે (ચિત્ર ૭૪). વિમલવસહીની હસ્તિશાલાના હાથીઓ કરતાં આનું કામ વધારે સફાઈદાર છે. વસ્તુપાલ અને તેજપાલ મંત્રી, એમના પૂર્વજો અને પરિવારની મૂર્તિઓ તેના પર એક કાળે આરૂઢ થઈ હશે તેવું હાથીઓની બેસણી નીચે કોરેલ નામયુક્ત લેખોથી જાણી શકાય છે. પહેલા પાંચ હાથીઓ પછી હસ્તિશાલાના કેન્દ્ર ભાગે ત્રણ તબકકાવાળી ‘કલ્યાણત્રય’ની રચના કરી છે (ચિત્ર ૭૪), જેને સાંપ્રતકાલીન વિદ્વાનોએ મેરુગિરિની રચના માની લીધેલી. (મંત્રી તેજપાળે ઉજ્જયન્તગિરિ પર પણ ‘કલ્યાણત્રય’, એટલે કે ત્યાં થયેલા નેમિનાથનાં દીક્ષા, જ્ઞાનપ્રાપ્તિ, અને નિર્વાણનો ભાવ દર્શાવતી પ્રતીક-રચના કરાવ્યાના ૧૩માથી લઈ ૧૫મા સૈકા સુધીના અનેક ઉલ્લેખો પ્રાપ્ત છે.) આ કલ્યાણત્રયની રચના સામે અલંકૃત ખુલ્લું દ્વાર બનાવેલું છે (ચિત્ર ૭૫), જ્યારે હાથીઓની સામે મોરામાં, ભૌમિતિક શોભનોથી ઠાંસેલી ખંડદાર જાળીઓ ભરી દીધી છે (ચિત્ર ૭૨, ૭૩). હાથીઓની પાછળ પૂર્વ દિશાની ભીંતોમાં મોટા ગોખલાઓમાં કુલગુરુ નાગેન્દ્રગચ્છીય વિજયસેનસૂરિ તથા એમના શિષ્ય ઉદયપ્રભસૂરિ, પૂર્વજોની મૂર્તિઓ, તેમ જ વસ્તુપાલ મંત્રી અને એમની બે પત્નીઓ (લલિતાદેવી અને સુહડાદેવી) તેમ જ મંત્રી તેજપાલની પત્ની અનુપમાદેવી સમેતની માલાધર-આરાધક મૂર્તિઓ કરેલી છે. (અલબત્ત આ પ્રતિમાઓને યથાર્થવાદી (પોટ્રેઇટ) માની લેવાની જરૂર નથી.)
૨૮
હસ્તિશાળાના દક્ષિણ છેડાના દ્વારમાંથી દક્ષિણ તરફ્ની પટ્ટશાલા (ચિત્ર ૭૬) પ્રવેશ થઈ શકે છે. આ તરફ ખાસ વિશેષ સુંદર છતોની સંખ્યા કમ છે. છતાં ચોરસાસ્કૃતિ બંધોમાં વચ્ચે કાગળકટાઈ જેવી ક્રિયાથી નિષ્પન્ન બની હોય તેવો ભાસ કરાવતી છત (ચિત્ર ૭૭), અને અન્ય એક છતમાં નવ ખંડમાં એવી જ કટાઈદાર નવ માઓયુકત છત (ચિત્ર ૭૮) ધ્યાન ખેંચે તેવી છે. આ સિવાય જેમ વિમલવસહીમાં ચાર દેવીઓના વ્યૂહની એક છત છે (ચિત્ર ૨૯) તેમ અહીં પણ એક એવી છત છે તો ખરી (ચિત્ર ૭૯) પણ તેના આયોજનમાં ભિન્નતા છે. અહીં વચ્ચે પૂર્ણ વિકસિત ઇન્દિવરના મધ્યસૂત્રે ચતુર્દિશામાં અનુક્રમે ચક્રેશ્વરી, અપ્રતિચક્રા, વજ્રશૃંખલા, અને નિર્વાણીની મૂર્તિઓ કંડારી છે અને પ્રત્યેક કોણમાં શતદલ કમલનો ઉભાર કર્યો છે. આયોજનનું આ નાવીન્ય ચિત્તાકર્ષક બની રહે છે.
અને હવે પશ્ચિમ તરફ્ની પટ્ટશાલામાં દુખ્ખણાદિ પાંખમાં પ્રવેશીએ છીએ. અહીં પણ જે ધ્યાન ખેંચે તેવી છતો છે તેનું આકલન કરીશું. જેમ કે, ચિત્ર ૮૦માં લંબચોરસ ક્ષેત્રફળમાં કિનારીરૂપ દાદરી પાડી, વચ્ચેના ભાગમાં છીપલીઓના સમૂહમાંથી સર્જી દીધી હોય તેવી, આછા
Page #34
--------------------------------------------------------------------------
________________
દેલવાડાનાં દેર
૨૯
રંગો ધરાવતી, સંમોહક છત છે. તો ચિત્ર ૮૧માં લંબચોરસ આકૃતિમાં પદૃબંધો વચ્ચે ઊંડાણમાં પર ખંડો પાડી તેમાં સાબુના લાટા જેવી અનલંકૃત પણ ઘાટદાર, ઘનાકાર, ઊપસતા મથાળાવાળી મંજૂષાઓ સમાન ભાસતી લૂમાઓવાળી સરસ છત છે (ચિત્ર ૮૨). પરંતુ અનન્ય કહી શકાય તેવો એક ક્ષિપ્તોક્લિપ્ત જાતિનો વિતાન પણ અહીં જ છે. સમુદ્રના અતલ ઊંડાણમાંથી ઉપર આવવા મથી રહેલ પરવાળાના ખડકોનું ભાવામૂર્ત (અને ભૌમિતિક નિયમોને અધીન હોય તેવી રચનાનું) દશ્ય જોતા હોઈએ તેવો ભાસ કરાવતી આ છતમાં ટાંકણાથી વિગતો ભરવાની થોડી અધુરાશ એના શિલ્પીએ રાખી દીધી ન હોત તો છત જગવિખ્યાત બની જાત (ચિત્ર ૮૨).
લૂણવસહીની યાત્રા તો અહીં પૂરી થાય છે, પણ ૧૫મી સદીના જૈન ગ્રન્થકારોએ આ વસહીમાં રહેલા વાસ્તુદોષો વિષે એક અનુશ્રુતિ નોંધી છે તેનો નિર્દેશ કરી લઈએ. તપાગચ્છીય જિનહર્ષસૂરિકૃત વસ્તુપાલચરિત્ર (સં. ૧૫૦૫ | ઈ. સ. ૧૪૪૯), ઉપદેશસાર-ટીકા, અને પુરાતન-પ્રબન્ય-સંગ્રહ (૧૫મી સદી મધ્યભાગ) અંતર્ગત થોડી વધતી વિગતોના ફરક સાથે તે નોંધાયેલી છે. આ દોષો મંત્રીશ્વરને એમના મુરબ્બી મિત્ર, જાબાલીપુરીય કવિ યશોવીરે બતાવેલા. તદનુસાર કસોટીના પથ્થરમાં કરેલી દ્વારશાખા, સ્તભો પર વિલાસિની(નાયિકાઓ)ની પૂતળીઓ, સૂત્રધાર શોભનદેવની માતાની મૂર્તિની ઉપસ્થિતિ, (રંગમંડપની છતમાં) મુનિ-મૂર્તિઓ બારે તપોવન, અને હસ્તિશાલાને પ્રાસાદની સન્મુખ રાખવાને બદલે તેનું પાછળના ભાગે સંયોજન ઇત્યાદિ અનૌચિત્યથી થનાર વિશેષ પૂજાનો નાશ, ઈત્યાદિ. આમાં હસ્તિશાલાને પાછળ મૂકવાન અનૌચિત્ય સંબંધના મુદ્દા સાથે તો આપણે પણ સહમત થઈ શકીએ તેમ છીએ.
જગપ્રવાસીઓનું યાત્રાધામ બનેલા દેલવાડાનાં આ બે મંદિરો પર જ કેટલું લખાયું છે ? પુરાન્વેષક કઝિન્સ એનાં સર્વેક્ષણ અને નિરીક્ષણ કર્યા છે. દા. સાંકળિયા સમા પાછલી પેઢીના અગ્રણી પુરાતત્ત્વવિદે એનાં સ્થાપત્યતત્ત્વોની સમીક્ષા કરી છે. વિલ્સન અને કિલ્હોર્ન, જિનવિજયજી, જયંતવિજયજી, અને કલ્યાણવિજયજીએ એના ઉત્કીર્ણ લેખો ઉકેલ્યા છે.
સ્વ. મુનિવર્ય શ્રી જયંતવિજયજીએ તો અથાક પરિશ્રમ લઈ આ મંદિરોમાંનાં કેટલાયે રૂપકો–ભાવદશ્યોનું પહેલી જ વાર અર્થઘટન કરી આરસમાં કંડારેલી જૈન કથાઓને વાચા આપી છે. આ બન્ને મંદિરોના કેટલાક ચુનંદા વિતાનોનું શાસ્ત્રીય વિવરણ શ્રી જયેન્દ્ર નાણાવટી અને સાંપ્રત લેખકે અન્યત્ર કર્યું છે. ૧૯મી સદીના અગ્રચારી શોધક અને ઈતિહાસરસિક ટૉડ આ બે દેવાલયોના આરસી સૌંદર્ય પર વારી ગયો છે. વિકટોરિયન યુગના ગ્યુસન સરખા મહાન કલામીમાંસકે એનું ઊંચું મૂલ્યાંકન કર્યું છે. ઇંગ્લેન્ડની અલંકારસંપન્ન ગૉથિક શૈલીનાં શોભનો કરતાં અહીંના સમદશ આવિષ્કારો એણે ઉચ્ચતર માન્યા છે. કઝિન્સને અહીંની કેટલીક ભાતો સુંદરતાના
Page #35
--------------------------------------------------------------------------
________________
દેલવાડાનાં દેરાં
સ્વપ્નસમી ભાસી છે. તો નોરોથ જેવા આજન્મ કલાપારખુને વિમલવસહીનો પેલો શ્રેષ્ઠ કમલોભવ વિતાન (ચિત્ર ૫) આરસકંડારના જગતભરના નમૂનાઓમાં મોખરે ઊભતો લાગ્યો છે. તત્ત્વવેત્તા હફસલીએ તાજમહલ કરતાં દેલવાડાનાં દેરાંની કોરણીમાં વિશેષ ચેતના અનુભવી છે. વાસ્તુગવેષક ભંડારકરે એના પર મનનીય લેખો લખ્યા છે. પંડિત અંબાલાલ પ્રેમચંદ શાહે એનું ટૂંકું પણ સરસ વર્ણન કર્યું છે. દા. ઉમાકાન્ત શાહે વિમલવસહીના ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો છે. ભારતીય કલા અને સ્થાપત્યના સર્વશ્રેષ્ઠ તજજ્ઞ અને ભાષ્યકાર દા સ્ટેલા કેસરિશે એનાં કેટલાંક ભાસ્કર્ષ શિલ્પોની કલા તરફ વિશ્વ સમસ્તનું ધ્યાન દોર્યું છે; ને ગુજરાતનાં બે ઇતિહાસવેત્તાઓ–રત્નમણિરાવ અને દુર્ગાશંકર શાસ્ત્રી–એ આ દેવાલયોને શ્રેષ્ઠ શબ્દકુસુમોની અંજલિઓ આપી છે.
એક બાજુ આ અહોભાવ અને પ્રશંસા વ્યક્ત થયાં છે તો બીજી બાજુ આ અલંકૃત મંદિરોની કલા પર કેટલીક પ્રામાણિક ટકોર પણ થયેલી છે. સ્થાપત્યવિવેચક પસ બ્રાઉનને અહીંની કોતરણી ભરચક, વિગતપરસ્ત, અને અતિરેકની સીમાએ પહોંચેલી જણાય છે. એની પૂર્ણતાનો સ્વીકાર તો એમણે કર્યો છે, પણ એ પૂર્ણતાને ‘યંત્રવત્ કહી છે. આરસને એમણે કંડારકામની અભિવ્યકિત માટે પ્રતિકૂળ માધ્યમ માન્યું છે. દા. મોતીચન્દ્રના મતે પણ સંગેમરમરમાં રૂપનાં રેખા-પરિમાણ તેમ જ આકારની શુચિતા જળવાનાં નથી. ચીની કલાના વિશ્વમાન્ય વિદ્વાન વિલિયમ વિલેટસે આરસ, નાગદંત, અને પોસલીનને એક કક્ષાના વાહતૂકો ગણી, એ સૌમાં થતી કલાઅભિવ્યંજનાને પ્રાણ અને ઉમા વિનાની માની છે. દેલવાડાનાં આ મંદિરોની આંતરશોભા એમને સ્તબ્ધ કરી દે તેવી, પણ હૃદયસ્પર્શી નથી લાગતી. સારસીકુમાર સરસ્વતીને એનો અખૂટ અલંકારવૈભવ થાક ઉપજાવનાર લાગે છે. કુમારસ્વામી અને સ્ત્રીમર સરખા ભારતીય કલાના અજોડ અને તલાવગાહી વિશ્લેષક એવં લોકોત્તર શબ્દશિલ્પીઓ પણ આ દેવાલયોના તક્ષણકામને કલા કરતાં કારીગરીના વર્ગમાં મૂકવા પ્રેરાતા હોય તેમ લાગે છે. કુમારસ્વામીએ અહીં ‘મબલખતા એ જ સુંદરતા' એ સૂત્ર સિંહાસને બિરાજી રહેલું કહ્યું છે; ને ત્સીમરને તો અહીંના સ્તબ્બો અને ભારપટ્ટોનું સંવિધાન વછૂટી જઈ અંતે અલંકારનો સમૂહ જ શેષ રૂપે રહેતો ભાસ્યો છે. દા. હરિપ્રસાદ દેસાઈ અને અશોકકુમાર મજમુદારને દેલવાડા કરતાં મોઢેરાનું રૂપકામ ચઢિયાતું લાગ્યું છે.
આ ટીકાઓનો સદ્ભાગ્યે ઉત્તર વાળી શકાય તેમ છે. કલા વિષેના ભારતીય અને પશ્ચિમી કે પશ્ચિમ તરફી દષ્ટિબિંદુની વિભિન્નતા તેમ જ અસમાન અને પ્રાચીન સાથે ઉત્તરકાલીન કલાસ્તરોને એક કાટલે જોખવાની પદ્ધતિ પણ પ્રસ્તુત આલોચનાઓ પાછળનું કારણ હોઈ શકે. વિમલવસહીની વાત કરીએ તો એનો અસલી (વિમલમંત્રીના સમયનો) અવશિષ્ટ રહેલો કાળા પથ્થરમાં બાંધેલો
Page #36
--------------------------------------------------------------------------
________________
દેલવાડાનાં દેરાં
ભાગ પ્રમાણમાં સાદો અને બિનઅસરકારક છે. એમાં અલંકારી સ્થાપત્યની ઝાકઝમક નથી. તે પછીથી થયેલા ગૂઢમંડપના આરસનાં ચોકીઆળાં અને વિશેષે છચોકીના સ્તબ્બો અને એનું સમસ્ત આયોજન ખરેખર ધણાં જ સુંદર છે. એ જ વસ્તુ એ રીતે વિમલના સમયમાં અને એ યુગમાં ઉચ્ચ કોટીની શૈલીમાં થતાં પૂરા અલંકાર સમેત બની હોત તો મોઢેરાના સૂર્યમંદિર સમી હજુ વિશેષ સુંદર થઈ શકત. અલબત્ત, ૧૨મી શતાબ્દીના મધ્ય ભાગમાં, મંત્રી પૃથ્વીપાલે, છચોકીની રચના બાદ, સુરતમાં જ બંધાવેલાં રંગમંડપ અને દેવકુલિકાઓ અલંકારપ્રચુર હોવા છતાં છચોકીની તુલનામાં એની કલાકક્ષા કંઈક અંશે ઊતરતી કોટીની છે. ૧રમી સદીમાં પશ્ચિમ ભારતના સ્થાપત્યનું અલંકરણ અવનતિને પંથે પડેલું એ હકીકત હવે સુવિદિત છે. એની પાસેથી ૧૧મી શતાબ્દીના પૂર્વાર્ધ જેવા કલાના આભિજાત્યની આશા રાખી ન શકાય. છતાં ત્યાંની છતોમાં ઘણું વૈવિધ્ય અને અનેક સુંદર સુંદર ભાતોનો વિકાસ જોવા મળે છે જ. બીજી બાજુ લૂણવસહી ૧૩મા શતકના દ્વિતીય ચરણમાં બંધાયેલી છે. ૧૩મા શતકમાં રૂપનિર્માણમાં ૧૨મી શતાબ્દીની અપેક્ષાએ કેટલોક સુધારો થયેલો. વિતાનવિધાનમાં અનવધિ બારીકાઈની સાથે કેટલીક નવીનતા સાથે નવતર પ્રયોગો પણ થયેલા એ વાત સ્મરણમાં રાખવી જોઈએ. નવા પ્રકારનાં સ્તમ્ભો અને તોરણોનો આવિષ્કાર પણ થયેલો. સમસ્ત કામ એક જ સમયનું હોઈ તેમાં એકરૂપતા અને એકવાકયતા જળવાયાં છે અને તેનું અંતરંગ ઘણું સપ્રમાણ છે. ૧૩મી સદીના હિસાબે તો આ મંદિરે ઘણું ઘણું આપ્યું છે. એવું જ, જરા ફરક સાથે, કલિંગ દેશમાં કોણાર્ક (પ્રાય: ઈસ્વી ૧૨૫૦) કે કર્ણાટ દેશમાં સોમનાથપુરમ (ઈસ્વી ૧૨૬૮) સિવાય એ યુગમાં ભારતમાં બીજે કયાં બન્યું છે ? અને ૧૫મા શતકની વાસ્તુપ્રથાના કેટલાયે તત્ત્વોનો પ્રારંભ આ મંદિરમાં જોઈ શકાય છે. - ટીકાકાર વિદ્વાનોનો બીજો વિરોધ છે આરસના ઉપયોગ પ્રતિ. વેળપાષાણમાં થઈ શકતી ઊર્જસ્વી રૂપક્રિયા આરસમાં એની શુભ્રતા અને લીસપને કારણે ન થઈ શકે એ વાતનો સ્વીકાર કરીએ તો પણ આરસ રૂપકામ માટે કલોચિત ઉપાદાન નથી જ એવા અભિપ્રાય સાથે સહમત થવું મુશ્કેલ છે. રૂપકામ ઉત્તમ કે નિકૃષ્ટ થવાનો આધાર માત્ર માધ્યમ પર અવલંબિત નથી; પ્રાદેશિક કલા પરંપરાનું નિજસ્વી સામર્થ્ય, કલાસર્જનનો કાળ, અને કલાકારની નિજી સૂઝ, પશ્યતા, અધ્યાસ, અને આવડત પર પણ રહેલો છે એ વાત ભૂલવી ન જોઈએ. નાંદિયાની મહાવીરની પ્રતિમા પાસે ઊભેલા, આઠમા શતકના પ્રારંભે સર્જાયેલા, ભાવવાહી લલિતભંગી વાહિકો આરસમાં કંડારેલા હોવા છતાં કેટલાં સુરેખ, સત્વશીલ, અને સુંદર છે! એને કલાકૃતિઓ ન હોવાનું કહેવાની ધૃષ્ટતા કોણ કરશે ? દેલવાડાનાં દેરાઓમાં એ પ્રકારનું રૂપકામ નથી તો સાથે સાથે એ મંદિરો
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૨
સાતમી-આઠમી સદીમાં નથી બંધાયેલાં એ પણ લક્ષમાં રાખવું જોઈએ; અને મોઢેરાના મંદિર પરની લાલિત્યમયી, સુંદર મુખાકૃતિયુકત, શાંતિ રસથી દીપ્ત પ્રતિમાઓ અહીં નથી એમ નહીં પણ ઘણી થોડી અને તે વિમલના સમય પૂરતી મર્યાદિત છે. ૧૨મી-૧૩મી શતાબ્દીનું રૂપકામ એટલું સરસ ન થતું એ વાતની કોઈ ના નહીં પાડી શકે : પણ સાચું પૂછો તો દેલવાડામાં, અને એ યુગમાં, મહત્ત્વ રૂપકામનું નથી : એનો ભાગ તો સ્થાપત્યને અનુકૂળ બની એના અંગભૂત ઘટકરૂપે ગોઠવાઈ જવા પૂરતો જ છે. અહીં વિજય રૂપકામના શિલ્પીઓનો નહીં, વાસ્તવિશારદ આયોજનના નિષ્ણાત સ્થપતિનો છે. એની જયગાથા અહીંની સ્તમ્ભાવલી અને બેનમૂન વિતાનોમાં પ્રતિઘોષિત થતી જોઈ શકાય છે. કેવળ સાદા કે ઓછી કોરણીવાળા સ્તમ્ભો અહીં શોભત નહીં. ખજૂરાહો અને કલિંગના સૂત્રધારો જે ભૂલ કરી ગયા તે મારુ-ગુર્જર સ્થપતિઓએ નથી કરી; અને આ સ્તમ્ભોના સુશોભનની ભરચકતા ઊડસૂડ નથી જ. એના ઉદયની રચનામાં થતી કુંભિકા, જંઘા, અને અલંકારમય મેખલાઓના વિન્યાસમાં શિસ્તબદ્ઘ નિયોજન કામ કરી રહ્યું છે. ધ્યાન દઈને જોઈશું તો સ્તમ્ભો સ્તમ્ભો વચ્ચે પણ પ્રમાણભાર અને કોતરણીના સામંજસ્યનું વ્યવસ્થિત કલ્પનાતંત્ર કામ કરી રહેલું દેખાશે. વિતાન વિષે વિચાર કરીએ તો એ વાત સ્પષ્ટ જ છે કે, વિતાનની સમસ્ત લીલાનો આવિર્ભાવ જેટલા કૌશલથી, એની તમામ બારીક ખૂબીઓ સાથે આરસમાં થઈ શકે તેટલો વેળુકાપાષાણમાં ન તો થઈ શકે કે ન તો શોભે. રાજસ્થાન અને ગુજરાતના ધ્વસિત મંદિરોના કાટમાળમાંથી બનેલી મસ્જિદોમાં ઉપયોગમાં લેવાયેલા જૂના વેળુ પથ્થરના સમાન્તર વિતાનો આ હકીકતને ગવાહી દે છે : અને વિતાન-વિધાનનો ચરમ વિકાસ તો છેક ૧૩મી શતાબ્દીમાં થયો હોઈ આ બાબતમાં તો એ ૮મીથી ૧૧મીના ગાળામાં બંધાયેલાં મંદિરો તો શું પણ ગુપ્તકાલીન મંદિરોથી પણ ચઢી જાય એ વાતનો સ્વીકાર કરવો જ રહ્યો : અને અહીં વપરાયેલો આરસ એ કંઈ મકરાણાનો આંખને આંજી દે એવો કે તાજાં અસ્થિ જેવો શ્વેતકાંત નથી; કે નથી એ સોનાણાનો ધોળો કોડા જેવો અને લુખ્ખો સુકકો : એ તો છે આરાસણની ખાણનો, મઝાનો ઝીણા પોગરનો મુલાયમ આરસ, જેની આંતરત્વચામાં વિખેરાઈ જતા ઇન્દ્રધનુ શા આછા નિસર્ગદત્ત રંગો પરગયેલા છે : ને આ મંદિરોની માલિકોર વીતી ગયેલા જમાનાઓએ એને કોઈ ન કરી શકે એવો મધુર, પુરાણા ગજદંત શો, રંગ દીધો છે : તિલરસ જેવો મૃદુ ઓપ એના અંગ પર છવાયો છે. આ વાત પણ લક્ષમાં લઈએ તો આરસનો અહીં થયેલો ઉપયોગ અનુચિત ગણતાં પહેલાં વિચાર કરવો પડશે. વાસ્તવમાં તો નિર્પ્રન્થદર્શનના તત્ત્વજ્ઞાન સાથે અહીંના આરસની સપ્તરંગી ધવલતા, નિશ્ચલતા, અને સૌમ્યતાનો કેટલો સુમેળ છે ! જૈન તીર્થસ્થાનોની કલા માટે આરાસણનો આરસ કેવો અનુકૂળ છે ! નિર્વિકાર,
દેલવાડાનાં દેરાં
Page #38
--------------------------------------------------------------------------
________________
દેલવાડાનાં દેરાં
પ્રશાંતરાગ, સમાધિમગ્ન જિનેશ્વર અને એમનો પ્રશમરસદીપ્ત દેવપરિવાર આરસના આવરણમાં ખરે જ શોભી ઊઠે છે. એનાં મંદિરોનાં સ્તમ્ભો અને મંગલ તોરણો, વિતાનો અને ઉત્તાનપટ્ટ આરસી દેહમાં દીપી રહે છે. વિમલવસહીના રંગમંડપમાં ઊભા રહીને જોતાં એના સમગ્ર આંતરદૃશ્યનો પડતો ઇન્દ્રસભા જેવો પ્રભાવ અને લૂણવસહીના મહાન્ કરોટક અને નવચોકીની કંડારલીલાના દર્શનમાત્રથી થતા આનંદનો પરિતોષ પોતે જ એનો પુરસ્કાર બની રહે છે. એ બન્ને મંદિરોનું નિર્માણ-સાફલ્ય પણ એમાં જ રહેલું છે. એના વિધાયકોએ અને એ યુગની વાસ્તુકલાએ એથી વિશેષ અપેક્ષા પણ કદાચ નહીં રાખી હોય. આઠમાથી દશમા શતક સુધીમાં રૂપકામ અને સુશોભનો વિશેષ સુંદર થતાં; પણ એ કાળે વાસ્તુવિદ્યાનાં આટલા વિકાસ, વિસ્તાર, કે વ્યાપ્તિ નહોતાં. પોતાના યુગોની આ પ્રદેશની આ દેવાલયો શ્રેષ્ઠ કૃતિઓ છે એ વાત સ્મરણમાં રાખીશું તો એ બન્નેને ન્યાય થયો ગણાશે. ભારતના અગ્રિમ એવં ચિરાયુ સ્થાપત્ય-સર્જનોમાં આ બે મંદિરોનું પણ સ્થાન છે એ વાતનો અનાદર કે ઇન્કાર થઈ શકે તેમ નથી.
33
( ૩ ) ભીમસિંહવસહી : પિત્તલહર જિનાલય
વિમલવસહીની હસ્તિશાલાથી પૂર્વમાં થોડે અંતરે, સહેજ ત્રાંસમાં અને લૂણવસહીની જોડાજોડ દક્ષિણે પણ થોડું પાછળ ખેંચાયેલું, આ સમૂહનું ત્રીજું મંદિર બે ધનાઢ્યોના દરિદ્રી સગા સમું ઊભું છે. જો કે ૧૫મા સૈકાના બૃહદ્તપાગચ્છીય જયતિલકસૂરિ એમની અર્બુદ ચૈત્યપરિપાટી અને એમની પરંપરાના ઉદયધર્મસૂરિ એને પેથડ સાહ કારિત જિનાલય કહે છે, પરંતુ શિલાલેખો અને ગ્રંથસ્થ ઉલ્લેખોને આધારે આ મંદિરનું ગર્ભગૃહ ગૂર્જર જ્ઞાતિના શ્રેષ્ઠી ભીમસિંહે ઈ સ ૧૩૨૭-૩૩ વચ્ચે કયારેક બંધાવી, તેમાં આદિનાથની પિત્તળની પ્રતિમા મુકાયેલી. કોઈ કારણસર બાંધકામ અધૂરું રહેલું અને મૂલ પ્રતિમા મેવાડના કુંભલમેરુના ચતુર્મુખ પ્રાસાદમાં પ્રતિષ્ઠિત થઈ. તે પછી છેક ઈ. સ. ૧૪૩૮માં તપાગચ્છ સંઘ તરફ્થી મંદિરનું બાંધકામ આગળ ચલાવવામાં આવ્યું અને ગૂઢમંડપ અને નવચોકી ઉમેરવામાં આવ્યાં. ત્યારબાદ ઈ. સ. ૧૪૬૯માં અમદાવાદના સુલતાન મહમૂદ બીઘરાના મંત્રી સુંદર અને એના પુત્ર ગદાએ હાલ વિદ્યમાન છે તે પિત્તલની પ્રતિમાની પ્રતિષ્ઠા તપાગચ્છીય લક્ષ્મીસાગરસૂરિ પાસે કરાવી. તે પછી ઈ. સ૰ ૧૪૭૫મા માલવાના શ્રાવકોએ નવચોકીના ખત્તકો કરાવ્યા : અને છેલ્લે ઈ સ ૧૪૮૪માં સુવિધિનાથનો ભદ્રપ્રાસાદ અને ૧૪૯૧માં કેટલીક દેવકુલિકાઓની રચના થઈ, જેમાંની એકની દ્વારશાખાનું દશ્ય ચિત્ર ૮૬માં રજૂ કર્યું છે.
બાવન જિનાલય કરવા ધારેલા આ મંદિરમાં નાલમંડપનું કામ ભોંયતળિયા બાદ અપૂર્ણ રહ્યું છે. રંગમંડપ પણ થઈ નથી શકયો અને પૂર્વ તરફ્ની ભમતી સમૂળગી નથી થઈ શકી; જ્યારે ઉત્તર તરફ ત્રણ, અને દક્ષિણ તરફ એક ભદ્રપ્રાસાદ સિવાય નવ દેવકુલિકાઓ જ થઈ
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૪
શકી છે. પશ્ચિમ તરફ્ની ભમતીની તમામ કુલિકાઓ અલબત્ત મોજૂદ છે. આ મંદિરમાં પુરાણી પ્રતિમાઓમાં ઈ. સ. ૧૩૩૮નો લેખ ધરાવતી અનુક્રમે આદિનાથ અને પુંડરીક સ્વામીની પ્રતિમાઓનો નિર્દેશ કરવો જોઈએ. કલાની દષ્ટિએ મંદિરમાં નવચોકીના સ્તમ્ભો (ચિત્ર ૮૫) અને ખત્તકો સિવાય કંઈ ખાસ જેવા જેવું નથી. ખત્તકો વિમલવસહીની નવચોકીના ખત્તકોની નકલ જેવા છે, જ્યારે નવચોકીના પડખલાં લૂણવસહીનું સ્મરણ કરાવે (ચિત્ર ૮૪). સ્તંભોનો પ્રકાર પણ લૂણવસહીની ભમતીના સ્તમ્ભોના પ્રકારને મળતું અલંકરણ બતાવે છે. આ નવચોકીના મોરામાં રહેલા વચલા બે સ્તમ્ભો પર ઉચ્ચાલકો સાથે મદલો અને લુમ્બિકાઓના સંયોજનથી ભારે ઉઠાવદાર લાગે છે (ચિત્ર ૮૩). (વિમલવસહીની ઉત્તરે આવેલા નાના સાદા દિગમ્બર મન્દિરનું વાસ્તુકલાની દષ્ટિએ મૂલ્ય કે મહત્ત્વ નથી.)
હા
( ૪ ) ખરતરવસહી
આ ભીમચૈત્યની દક્ષિણે જરા નીચાણમાં સલાટોનું કહેવાતું મંદિર, પણ વાસ્તવમાં કેશવંશના સંઘપતિ મંડલિકે કરાવેલ, ભગવાન પાર્શ્વનાથનો ભવ્ય ચતુર્મુખ પ્રાસાદ આવેલો છે (ચિત્ર ૮૭). ખરતરગચ્છીય જિનચન્દ્રસૂરિએ ઈ સ ૧૪૫૯માં એમાં પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરેલી. ગર્ભગૃહ બે મજલાયુકત છે અને સૌથી ઉપર સંવરણાનું છાદન છે. ભોંયતળિયે ગર્ભગૃહના મંડોવરને વાસ્તુશાસ્ત્રો અનુસાર પૂર્ણ અલંકારી બનાવ્યો છે. જંધામાં સપત્નીક દિક્પાલો અને સુરસુંદરીઓની મૂર્તિઓ આવી રહી છે. ઊર્ધ્વજંઘા પણ કોરેલી છે (ચિત્ર ૮૮). ગર્ભગૃહના પૂર્વ તથા પશ્ચિમ દ્વારો વિશેષ અલંકૃત કરેલાં છે, જે પૈકીનાં અંતરાલના સ્તમ્ભોમાં મદલોથી વેટન કરી શોભાયમાન કરેલા પૂર્વદ્વારનું દશ્ય ચિત્ર ૯૨માં રજૂ કર્યું છે. પશ્ચિમ તરફના અંતરાલના ભારોટ (ચિત્ર ૯૧) પર વિશેષ કોરણી કરી છે. પ્રત્યેક અંતરાલને મત્તવારણથી સંયોજિત કર્યું છે. મંદિરને ચારે દિશાઓમાં એક એક, પણ મજલાવિહીન મંડપ છે. મંદિરનો મુખ્ય પ્રવેશ પશ્ચિમ તરફ્નો ગણાતો હોઈ એ તરફનો મંડપ સ્તમ્ભોનાં પદો વધારી વિસ્તીર્ણ બનાવ્યો છે. આ મંડપના એક સ્તમ્ભના અપવાદ સિવાય આ મંદિરના તમામ સ્તમ્ભો સાદા છે. વલ્લીઓની ઊર્ધ્વપટ્ટિકાઓથી શોભાયમાન કરેલા આ સ્તમ્ભ(ચિત્ર ૯૦)ની અલંકારપ્રથા રાણકપુરનો ધરણવિહાર, વરકાણાનું પાર્શ્વનાથ ચૈત્ય અને મીરપુરના જિનાલયના મંડપના તેમ જ જેસલમેરના એ યુગનાં જિનમંદિરોના સ્તમ્ભોનાં સમાન્તર દષ્ટાંતોનું સ્મરણ કરાવે છે.
૧૫મી શતાબ્દીમાં રાજસ્થાનમાં આ પ્રકારના અલંકરણનો પ્રચાર થયો. ગુજરાતમાં શત્રુંજય પરના સવાસોમાના ૧૭મી સદીના ચતુર્મુખ પ્રાસાદના સ્તમ્ભો પર પણ આ પ્રથાનો પ્રભાવ દેખાઈ આવે છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
દેલવાડાનાં દેરાં
૩૫
આ મંડપોની રચના એવી છે કે, તેમાં નાના વિતાનોને બહુ અવકાશ નથી પણ ચારે મંડપોમાં મુખ્ય કોટક અલંકારપૂર્ણ છે. તેમાંયે પશ્ચિમ અને ઉત્તર તરફનાનું કામ વધારે સારું છે. પશ્ચિમ તરફના મંડપના આ કોટક (ચિત્ર ૮૯) પર લૂણવસહીના રંગમંડપના વિતાનનો પ્રભાવ સ્પષ્ટ રીતે જ જણાઈ આવે છે. (આખરે એ સ્મરણમાં રાખવું ઘટે કે, ૧૫મા સૈકાની વાસ્તુકલા ૧૨-૧૩મી સદીનાં શોભનતત્ત્વો ધરાવતી વાસ્તુકલાની બરોબરી ન જ કરી શકે.)
દેલવાડા છોડીને પાછા ફરતાં એનાં બે મુખ્ય જિનમંદિરોનાં સ્મરણો સ્વપ્નમાધુરી શાં ફરી ફરીને મનોભૂમિમાં ઘૂમ્યાં કરે છે. અહીં તહીં ઊભેલી શોભાયમાન ખજૂરીઓ પર દષ્ટિપાત કરતાં જતાં એક સત્ય હૈયા પર સદાને માટે કંડારાઈ જાય છે. ખરે જ, દેલવાડાનાં દેરાં એ કેવળ જૈન મંદિરો જ નથી; ધર્મતત્વ, કલા, અને વિત્તનો મંગલ સંયોગ સર્જનાર મારુ-ગુર્જર સંસ્કૃતિની ઉચ્ચ સંસ્કારિતાનાં એ ચિરંજીવ સ્મારકો છે.
ચિત્રસૂચિ:૧. આબુ, દેલવાડા, વિમલવસહી, હસ્તિશાલા, પૂર્વદ્વાર પાસેના તોરણનો જમણી બાજુના સ્તભ અને
દ્વારપાલ. ૧૧મી સદી ઉત્તરાર્ધ. ૨. હસ્તિશાલાની એક કોલયુક્ત છત. ૩. વિમલવસહી, પૂર્વ તરફની પટ્ટશાલાના પ્રવેશ-સ્તમ્ભો અને છજા પરની હસ્લિમૂર્તિઓ. ઈ. સ. ૧૧૫૦. ૪. પૂર્વની પટ્ટશાલા અને રંગમંડપ વચ્ચેના સંધાનની ભાગની વચલી છતમાં વચ્ચેનો પકભાગ અને
આજુબાજુ ભરત-બાહુબલિ-યુદ્ધ તથા શમવસરણનો પ્રસંગ. ૫. પૂર્વની પટ્ટાલા અને રંગમંડપ વચ્ચેના સંધાન ભાગની ડાબી બાજુનો કમલોદ્ભવ જાતિનો ખૂબસૂરત
વિતાન. ૬. પૂર્વની પાલા અને મંત્રી પૃથ્વીપાલ કારિત રંગમંડપ વચ્ચેના સંધાન ભાગની જમણી બાજુના કમલોભવ
જાતિના વિતાનનું સમીપ દશ્ય. ૭. રંગમંડપમાંથી દેખાતું પૂર્વ તરફની પટ્ટશાલા અને પ્રવેશદ્વારનું દશ્ય. ૮. રંગમંડપ અને દક્ષિણ તરફની પટ્ટશાલાનું દશ્ય. ૯. રંગમંડપનો સભા-પદ્મ-મંદારક જાતિનો મહાવિતાન. ૧૦. પ્રસ્તુત મહાવિતાનનું તળિયેથી ઉપર જોતાં થતું દર્શન. ૧૧. મંત્રી પૃથ્વીપાલ નિમપિત છચોકીના સ્તબ્બો અને ઉત્તર તરફના દેવકુલિકા-બત્તકનું દશ્ય.
ઈસ્વી ૧૧૪૪.
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૬
દેલવાડાનાં દેરાં
૧૨. રંગમંડપ અને પશ્ચિમ તરફ ચોકીના સંધાન ભાગમાં ઉપરનો સભામંદારક જાતિનો વિતાન. ૧૩. રંગમંડપ અને ચોકીના સંધાન ભાગની જમણી તરફની મંદારક જાતિની છત. ૧૪. છચોકીનો વચલો પદ્મનાભ જાતિનો વિતાન. ૧૫. ચોકીમાં ડાબી બાજુની કલ્પવઠ્ઠીનું દશ્ય બતાવતી સમતલ છત. ૧૬. ચોકીમાં ગૂઢમંડપના પ્રવેશદ્વાર ઉપરની નાભિપદ્મમંદારક જાતિની છત. ૧૭. પૂર્વ તરફની પટ્ટશાલાની જમણી તરફની એક સભામંદારક જાતિની છત. ૧૮. પશાલાની સભામંદારક જાતિની એક બીજી છત. ૧૯. પૂર્વ પટ્ટાલાન સભા-પદ્મ-મંદારક જાતિનો વિતાન. ૨૦. રંગમંડપના દક્ષિણ પઠ્ઠશાલાના સંધાન ભાગની છતમાં સરસ્વતી પ્રતિમાઓ આજુબાજુ ઊભેલા સૂત્રધારો. ૨૧. રંગમંડપના દક્ષિણ પઠ્ઠશાલાના સંધાન ભાગની એક નાભિમંદારક જાતિની છત. ૨૨. દક્ષિણ પદૃશાલાની એક પઘમંદારક જાતિની છત. ૨૩. દક્ષિણ પદ્ધશાલાની પધમંદારક જાતિની એક અન્ય છત. ૨૪. પશ્ચિમ પઠ્ઠશાલાની દક્ષિણ તરફની કુલિકામાં વિમલ મંત્રીના સમયની અંબિકા દેવીની મૂર્તિ. પ્રાય:
ઈસ્વી ૧૦૩ર. ૨૫. પ્રસ્તુત કુલિકાની એક અન્ય અંબિકા પ્રતિમા. પ્રાય: ઈસ્વી ૧૦૩૨-૧૦0. ૨૬. ઉત્તર તરફની પટ્ટશાલાનું દશ્ય. ર૭. ઉત્તર તરફની પટ્ટશાલાની પદ્મક જાતિની છત. ૨૮. પ્રસ્તુત પઠ્ઠશાલાની એક પદ્ઘમંદારક જાતિની છત. ૨૯. પ્રસ્તુત પટ્ટશાલામાં ચાર દેવીયુક્ત બૃહ દર્શાવતી છત. ૩૦. પ્રસ્તુત પટ્ટશાલામાં છતની એક દેવી મૂર્તિ. ૩૧. પ્રસ્તુત પટ્ટાલામાં એક નાભિ-પદ્મ-મંદારક જાતિનો વિતાન. ૩૨. પ્રસ્તુત પટ્ટશાલાનો મંદારક જાતિનો વિતાન. ૩૩. પ્રસ્તુત પટ્ટશાલાનો સભામંદારક જાતિનો વિતાન. ૩૪. પ્રસ્તુત પટ્ટાલાનો નાભિપદ્મક જાતિનો વિતાન. ૩૫. પ્રસ્તુત પટ્ટાલાની ઉક્લિપ્ત પ્રકારની છત. ૩૬. રંગમંડપ અને ઉત્તર તરફની પટ્ટશાલાને જોડતા ભાગની નાભિમંદારક જાતિની છત. ૩૭. પૂર્વ તરફી પઠ્ઠશાલાની જમણી પાંખમાં સભા-નાભિ-મંદારક જાતિની છત. (પ્રાય: ઈસ્વી ૧૧૮૫).
Page #42
--------------------------------------------------------------------------
________________
દેલવાડાનાં દેરાં
૩૮. પૂર્વ તરફની પટ્ટશાલાની જમણી પાંખની નાભિમંદારક જાતિની છત. (પ્રાય: ઈસ્વી ૧૧૮૫).
૩૯. દેલવાડા, મંત્રી તેજપાલકારિત લૂણવસહી, પશ્ચિમ પટ્ટશાલાનું ઈશાનખૂણામાંથી આંતરદર્શન. (પ્રાય: ઈસ્વી ૧૨૩૨)
૪૦. રંગમંડપ અને પટ્ટશાલા સંધાન ભાગનો પૂતળીઓયુકત પદ્મશિલારૂપ વિતાન.
૪૧. પશ્ચિમની પટ્ટશાલા અને રંગમંડપના સંધાનની એક પદ્મક છત.
૪૨. રંગમંડપનું પડખલાના સંમ્ભો વચ્ચેનું પશ્ચિમ તરફનું એક વક્રાકૃતિ આન્દોલતોરણ. ૪૩. રંગમંડપના સ્તમ્ભો વચ્ચેનું દક્ષિણ દિશાનું પડખલાનું આન્દોલતોરણ.
૪૪. રંગમંડપનું દક્ષિણ ભદ્ર તરફ્થી પટ્ટશાલામાંથી થતું દર્શન.
૪૫. રંગમંડપનો સભા-પદ્મ-મંદારક જાતિનો મહાવિતાન.
૪૬. પ્રસ્તુત મહાવિતાનોનું તળિયેથી થતું દર્શન.
૪૭. છચોકી અને તેના ડાબી બાજુના દેવકુલિકા-ખત્તક(ગોખલા)નું દૃશ્ય.
૪૮. છચોકીના મધ્યભાગ અને ગૂઢમંડપના દ્વારનું દર્શન.
૪૯. છચોકીનો જમણી તરફના દેવકુલિકા-ખત્તક.
૫૦. છચોકીના ડાબી બાજુના ગોખલાનું ભિત્તિ-સ્તમ્ભ અને દ્વારશાખા સમેતનું દર્શન.
૫૧. છચોકીની દક્ષિણ તરફની વેદીબંધાદિ રૂપી, કક્ષાસન સમેતની પીઠ.
પર. રંગમંડપ અને ચોકીના સંધાનનો મધ્યના પદની સભા-પદ્મ-મંદારક જાતની છત.
૫૩. છચોકીની વિકર્ણે વિદ્યાદેવીઓ યુકત સભામંદારક (નાભિ-કમલોદ્ભવ) જાતિની છત.
૫૪. છચોકીને જોડતો ઉત્તર તરફ્ની સભામંદારક જાતિનો વિતાન.
૫૫. છચોકીના મધ્યભાગનાં પગથિયાં ચડતાં આવતો વચલો પદ્મમંદારક જાતિનો રૂપસુંદર વિતાન.
૫૬. છચોકીની સભામંદારક પ્રકારની પડખલાની છત.
૫૭. છચોકીની સભા-પદ્મ-મંદારક પ્રકારની સૂક્ષ્મ કોરણીયુકત છત.
૫૮. છચોકીની સભા-પદ્મ-મંદારક જાતિની અત્યંત બારીક નકશીવાળી એક અન્ય છત.
૫૯. છચોકીથી ડાબી તરફ ગોખલા ઉપરની ઉત્ક્ષિપ્ત પ્રકારની છત.
૬૦. છચોકીના વચલા પદમાં દ્વાર ઉપરની ઉત્ક્ષિપ્ત-પદ્મક પ્રકારની છત.
૩૭
૬૧. રંગમંડપના દક્ષિણ તરફ્ની પટ્ટશાલા તરફ્ના સંધાન ભાગના છજ્જા પરંના હંસો.
૬૨. રંગમંડપના દક્ષિણ તરફ્ની પટ્ટશાલાના સંધાન ભાગનો એક પર્ણ–પુષ્પાદિ અલંકૃત વિતાન.
૬૩. રંગમંડપના દક્ષિણ તરફ્ની પટ્ટશાલાના સંધાન ભાગની દ્વારિકામાં કૃષ્ણ-જન્મનું રૂપક દર્શાવતી પદ્મ-સમતલ
Page #43
--------------------------------------------------------------------------
________________
૩.
જાતિની છત.
૬૪. રંગમંડપના ઉત્તરી પટ્ટશાલાના સંધાન ભાગના મધ્યપદની મંદારક પ્રકારની છત.
૬૫. ગૂઢમંડપના દક્ષિણ-પ્રવેશદ્વારનું ચોકીઆળું.
૬૬. છચોકીના વેદીબંધની નકશી.
૬૭. પશ્ચિમની પશાલાની ઉત્તર પાંખની યક્ષી અપ્રતિચક્રાની પ્રતિમાવાળી છત. ૬૮. પશ્ચિમ પદ્મશાલાની ઉત્તરી પાંખની વહીમંડલોમાં કિન્નરયુગલો દર્શાવતી છત. ૬૯. પશ્ચિમ પદ્મશાલાના અંતભાગના નાભિચ્છંદ વિતાનના વિકર્ણના કિન્નરયુગ્મો. ૭૦. પશ્ચિમ પશાલાના ઉત્તરી ભાગની એક ઉત્ક્ષિપ્ત પ્રકારની સપદ્મક છત.
૭૧. ઉત્તરની પદ્મશાલાનો એક ઉત્ક્ષિપ્ત પ્રકારનો વિતાન.
૭૨. હસ્તિશાલાના મોરાની ૧૬ ખંડની એક જાળી.
૭૩. હસ્તિશાલાના મોરાની ૧૬ ખંડની એક અન્ય જાળી.
૭૪. હસ્તિશાલામાં હાથીઓની પંક્તિ.
૫. હસ્તિશાલાના મધ્યભાગમાં ‘કલ્યાણત્રય'ની પ્રતીક રચના.
૭૬. દક્ષિણ તરફ્ની પટ્ટશાલાનું દૃશ્ય.
૭૭. દક્ષિણ પક્ષાલાનો એક મંદારક પ્રકારનો વિતાન.
૮. પશ્ચિમ પશાલાની દક્ષિણ પાંખનો એક પદ્મક જાતિનો વિતાન.
૭૯. દક્ષિણ પટ્ટશાલાની ચાર યક્ષીઓવાળી એક સમતલ છત.
૮૦. પશ્ચિમ પટ્ટશાલાની દક્ષિણ પાંખનો એક મંદારક પ્રકારનો વિતાન.
૮૧. પશ્ચિમ પદ્મશાલાની નવખંડી છત.
૮૨. પશ્ચિમ પટ્ટશાલાની દક્ષિણી પાંખનો એક ઉત્ક્ષિપ્ત-મંદારક જાતિનો અનન્ય વિતાન.
૮૩. આબૂ દેલવાડા. સાધુ ભીમસિંહ કારિત જિનાલય (પિત્તલહર)ની નવચોકી. પ્રાય: ઈ સ૰ ૧૩૨૫-૧૭૩૫.
૮૪. પ્રસ્તુત નવચોકીના ઉત્તર તરફ્ના પડખાનું દર્શન.
૮૫. નવચોકી અંતર્ગત સ્તમ્ભો.
૮૬. ઉત્તર તરફ્ની એક દેવકુલિકાની દ્વારશાખા.
૮૭. દેલવાડા, સાધુ મંડલિક નિર્માપિત ચતુર્મુખ ખરતરવસહી. ઈ. સ૦ ૧૪૫૯.
૮૮. ખરતરવસહીના ચતુર્મુખ ગર્ભગૃહના મંડોવર અને વાયવ્ય કોણથી થતું ઓકીઆળાનું દર્શન.
૮૯. ખરતરવસહીના ઉત્તર તરફ્ના રંગમંડપનો સભા-પદ્મ-મંદારક વિતાન.
દેલવાડાનાં દેરાં
Page #44
--------------------------------------------------------------------------
________________
દેલવાડાનાં દેરાં
૯૦. પશ્ચિમ તરફ્ના રંગમંડપનો એક કારીગરી-યુકત સ્તમ્ભ.
૯૧. ચતુર્મુખ ગર્ભગૃહના પશ્ચિમ તરફના અન્તરાલ ઉપરના ભારોટના તળિયાનું કંડારકામ. ૯૨. ચતુર્મુખ ગર્ભગૃહનું પૂર્વ તરફનું પ્રવેશદ્વાર.
૩૯
Page #45
--------------------------------------------------------------------------
________________
Page #46
--------------------------------------------------------------------------
________________
૧. આબુ, દેલવાડા, વિમલવસહી, હસ્તિશાલા, પૂર્વદ્વાર પાસેના તોરણનો જમણી બાજુના ખમ્મુ અને દ્વારપાલ. ૧૧મી સદી ઉત્તરાર્ધ.
૨. હસ્તિશાલાની એક કોલયુકત છત.
Education International
Page #47
--------------------------------------------------------------------------
________________
૩. વિમલવસહી, પૂર્વ તરફની પટ્ટશાલાના પ્રવેશ-સ્તમ્ભો અને છજા પરની હસ્તિમૂર્તિઓ. ઈ. સ. ૧૧૫૦.
૪. પૂર્વની પટ્ટશાલી અને રંગમંડપ વચ્ચેના સંધાનની ભાગની વચલી છતમાં વચ્ચેનો પકભાગ અને આજુબાજુ
ભરત-બાહુબલિ-યુદ્ધ તથા શમવસરણનો પ્રસંગ.
Page #48
--------------------------------------------------------------------------
________________
ZNAM
O
19MYM
UROWATAP
RECENT VO2
Jarducation International
Page #49
--------------------------------------------------------------------------
________________
Page #50
--------------------------------------------------------------------------
________________
૬. પૂર્વની પટ્ટશાલા અને મંત્રી પૃથ્વીપાલ કારિત રંગમંડપ વચ્ચેના સંધાન ભાગની જમણી બાજુના કમલોદ્ભવ
જાતિના વિતાનનું સમીપ દશ્ય.
પ. પૂર્વની પટ્ટશાલા અને રંગમંડપ વચ્ચેના સંધાન ભાગની ડાબી બાજુનો કમલોભવ જાતિનો ખૂબસૂરત વિતાન.
Page #51
--------------------------------------------------------------------------
________________
હતો કે
એ
TET
IS Tો
'C'E
Jain EducatiG. રિંગમંડપમાંથી દેખાતું પૂર્વ તરફની પટ્ટશાલી અને પ્રવેશદ્વારનું દશ્ય.nly,
Page #52
--------------------------------------------------------------------------
________________
-
= = + +
િિ®િ© ©િ©છે. ઈ©િ
ധാനനയാത്തയും
રમ
DIET
૮. રંગમંડપ અને દક્ષિણ તરફની પટ્ટશાલાનું દશ્ય.
an Education International
Page #53
--------------------------------------------------------------------------
________________
૧૦. પ્રસ્તુત મહાવિતાનનું તળિયેથી ઉપર જોતાં થતું દર્શન.
જ સાકાર :
૧ કાન કરી મિક કે મારા '
5 કાકી ને
'
'
.'
ક
ર
.
! =
૯. રંગમંડપનો સભા-પદ્મ-મંદારક જાતિનો મહાવિતાન.
Page #54
--------------------------------------------------------------------------
________________
REIT
BLADE
NA
232
32
Page #55
--------------------------------------------------------------------------
________________
WWWWWWWWWWWWW
કti
.: ર કરી
-
D[SWOOD UTOX®(DDO
** ૧ani,JEP TRYTHMIR MIK
( i
iiiiiiiillia
કે કેમ
6
T
પડે
છે,
૧૧. મંત્રી પૃથ્વીપાલ નિમપિત છચોકીના સ્તબ્બો અને ઉત્તર તરફના દેવકુલિકા-ખત્તકનું દશ્ય. Jain Education Internaઈસ્વી ૧૧૪૪.
Page #56
--------------------------------------------------------------------------
________________
પ
.
.
.
૧૨. રંગમંડપ અને પશ્ચિમ તરફ છચોકીના સંધાન ભાગમાં ઉપરનો સભામંદારક જાતિનો વિતાન.
Page #57
--------------------------------------------------------------------------
________________
*
૧૩. રંગમંડપ અને ચોકીના સંધાન ભાગની જમણી તરફની મંદારક જાતિની છત.
Page #58
--------------------------------------------------------------------------
________________
Mી જ ને
' " ૧
*
) GS 2
*
દર
૧૪. છચોકીનો વચલો પદ્મનાભ જાતિનો વિતાન.
Page #59
--------------------------------------------------------------------------
________________
ર
..
૧૫. છચોકીમાં ડાબી બાજુની કલ્પવલ્લીનું દશ્ય બતાવતી સમતલ છત.
Page #60
--------------------------------------------------------------------------
________________
S.Nis
(NCC(CTS
hklLSMNBhakti
છે કે જે જ છે
HIRANIP
NEW WIN Hજ તરી શકે
I
૧૬. છચોકીમાં ગૂઢમંડપના પ્રવેશદ્વાર ઉપરની નાભિપદ્મમંદારક જાતિની છત.
Page #61
--------------------------------------------------------------------------
________________
દિલ
ન
૧૭. પૂર્વ તરફની પટ્ટશાલાની જમણી તરફની એક સભામંદારક જાતિની છત.
Page #62
--------------------------------------------------------------------------
________________
૧૮. પટ્ટશાલાની સભામંદારક જાતિની એક બીજી છત.
તે સ
h
ה
58
Page #63
--------------------------------------------------------------------------
________________
Jain Education Internal
૧૯. પૂર્વ પટ્ટશાલાનો સભા-પા-મંદારક જાતિનો વિત
Page #64
--------------------------------------------------------------------------
________________
૨૧. રંગમંડપના દક્ષિણ પટ્ટશાલાના સંધાન ભાગની એક નાભિમંદારક જાતિની છત.
, રંગમંડપના દક્ષિણ પટ્ટશાલાના સંધાન ભાગની છતમાં સરસ્વતી પ્રતિમાઓ આજુબાજુ ઊભેલા સૂત્રધારો.
Page #65
--------------------------------------------------------------------------
________________
૨૨. દક્ષિણ પટ્ટશાલાની એક પદ્મમંદારક જાતિની છત.
For Private & Personal use only
Page #66
--------------------------------------------------------------------------
________________
૨૩. દક્ષિણ પટ્ટશાલાની પદ્મમંદારક જાતિની એક અન્ય છત.
Jain Education international
Ten
|
S
'
8
|
Page #67
--------------------------------------------------------------------------
________________
elibrary.org
De
૨૪. પશ્ચિમ પશાલાની દક્ષિણ તરફ્ની કુલિકામાં વિમલ મંત્રીના સમયની અંબિકા દેવીની મૂર્તિ. પ્રાય:
Page #68
--------------------------------------------------------------------------
________________
inelibrary.org
૨૫. પ્રસ્તુત કુલિકાની એક અન્ય અંબિકા પ્રતિમા. પ્રાય: ઈસ્વી ૧૦૩૨-૧૦૦,
Page #69
--------------------------------------------------------------------------
________________
NAKAKUUTUR
NAMMMMMMMMMMM
Oerole, e@@@@
WWW WALES
Page #70
--------------------------------------------------------------------------
________________
છે. ઉત્તર તરફની પટ્ટશાલાની પદ્મક જાતિની
છત.
: ૮. પ્રસ્તુત પટ્ટશાલાની એક પધમંદારક
જાતિની છત.
Education International
For Private & Personal use only
Page #71
--------------------------------------------------------------------------
________________
૨૯. પ્રસ્તુત પદ્મશાલામાં ચાર દેવીયુકત વ્યૂહ દર્શાવતી છત
2000
Page #72
--------------------------------------------------------------------------
________________
૩૦. પ્રસ્તુત પટ્ટશાલામાં છતની એક દેવી મૂર્તિ.
Page #73
--------------------------------------------------------------------------
________________
wyw.jainelibrary.org
૩૧. પ્રસ્તુત પઠ્ઠશાલામાં એક નાભિ-પા-મંદારક જાતિનો વિતાન.
Page #74
--------------------------------------------------------------------------
________________
''
K
૩૨. પ્રસ્તુત પઠ્ઠશાલાનો મંદારક જાતિનો વિતાન.
Page #75
--------------------------------------------------------------------------
________________
الي الشي الشمع ان میں کو
૩૩. પ્રસ્તુત પટ્ટશાલાનો સભામંદારક જાતિનો વિતાન.
LARS
Page #76
--------------------------------------------------------------------------
________________
૩૪. પ્રસ્તુત પટ્ટશાલાનો નાભિપદ્મક જાતિનો વિતાન.
Page #77
--------------------------------------------------------------------------
________________
૩૫. પ્રસ્તુત પટ્ટશાલાની ઉક્લિપ્ત પ્રકારની છત.
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્રતાપ ની ] [ TO THIS IS ON FACી 25) મો .) જો છે કે દર
૩૬. રંગમંડપ અને ઉત્તર તરફની પટ્ટશાલાને જોડતા ભાગની નાભિમંદારક જાતિની છત.
Page #79
--------------------------------------------------------------------------
________________
|
'S
ન જ હતી .
(
.
"
k
1
iii
"
a
ક
લિ -
૩૭. પૂર્વ તરફની પટ્ટશાલાની જમણી પાંખમાં સભા-નાભિ-મંદારક જાતિની છત. (પ્રાય: ઈસ્વી ૧૧૮૫).
Page #80
--------------------------------------------------------------------------
________________
happ
૩૮. પૂર્વ તરફની પશાલાની જમણી પાંખની નાભિમંદારક જાતિની છત. (પ્રાય: ઈસ્વી ૧૧૮૫).
Page #81
--------------------------------------------------------------------------
________________
( if I WANT !
#
#
જી
MA
*
+ 2
(
2970
S
૩૯. દેલવાડા, મંત્રી તેજપાલકારિત લૂણવસહી, પશ્ચિમ પટ્ટાલાનું ઈશાન ખૂણામાંથી આંતરદર્શન. (પ્રાય:
ઈસ્વી ૧૨૩૨)
Page #82
--------------------------------------------------------------------------
________________
1
dushna5)A
૪૦. રંગમંડપ અને પદ્મશાલા સંધાન ભાગનો પૂતળીઓયુક્ત પદ્મશિલારૂપ વિતાન
Page #83
--------------------------------------------------------------------------
________________
૪૧. પશ્ચિમની પટ્ટશાલા અને રંગમંડપના સંધાનની એક પદ્મક છત.
Page #84
--------------------------------------------------------------------------
________________
I.CO
1301
૪૨. રંગમંડપનું પડખલાના સંમ્બો વચ્ચેનું પશ્ચિમ તરફનું એક વક્રાકૃતિ આન્દોલતોરણ,
*
-
www
EXOT
158
ev
Page #85
--------------------------------------------------------------------------
________________
INITIALITI
TIPS
: 51: રામ
૪૩. રંગમંડપના સ્તબ્બો વચ્ચેનું દક્ષિણ દિશાનું પડખલાનું આન્દોલતોરણ.
Page #86
--------------------------------------------------------------------------
________________
|
|
|
|
||
||
31WW IA(MIYANA TIMBAT
|
|
|
|
|
||
|
|
||
|
|
|
||
||
||
|
|
|
|
|
T
BALET IT I
LAUZ S
*
૪૪. રંગમંડપનું દક્ષિણ ભદ્ર તરફથી પટ્ટશાલામાંથી થતું દર્શન. Janr caucation International
Page #87
--------------------------------------------------------------------------
________________
HANDGESTAMENTO
૪૫. રંગમંડપનો સભા- પદ્મ-મંદારક જાતિનો મહાવિતાન.
Page #88
--------------------------------------------------------------------------
________________
૪૬. પ્રસ્તુત મહાવિતાનોનું તળિયેથી થતું દર્શન.
丸子
LALA
Page #89
--------------------------------------------------------------------------
________________
de
RE
DIE DOLLAR
PWN MO S SONORODODENICA 100X100 0 .0
HALLDORAS TODOS LOS ON
PETER
STATT
BANESTATI
esidans
SG 184CPL
R
www.jainelibong
Page #90
--------------------------------------------------------------------------
________________
Education International
21000
DOCO
40 toda
CELLERY
Page #91
--------------------------------------------------------------------------
________________
TITLE
T
૪૯. ચોકીનો જમણી તરફના દેવકુલિકા-ખત્તક.
Page #92
--------------------------------------------------------------------------
________________
\\\\\\\\ા 1158ા {\ Kાળા -kl kill livil SIMILASS
Pછે
૫૦, છચોકીના ડાબી બાજુના ગોખલાનું ભિત્તિ-સ્તમ્ભ અને દ્વારા સમેતનું દર્શન.
Page #93
--------------------------------------------------------------------------
________________
aling
--
birccccccccccce
પ૧. છચોકીની દક્ષિણ તરફની વેદીબંધાદિ રૂપી, કક્ષાસન સમેતની પીઠ.
www.WORKS
Page #94
--------------------------------------------------------------------------
________________
૧૨. રંગમંડપ અને ચોકીના સંધાનનો મધ્યના પદની સભા-પદ્ય-મંદારક જાતની છત.
Page #95
--------------------------------------------------------------------------
________________
swલ છે ૧૨. ,
-
"PR"$'yR757૬° TAT * TY TIRTAT TT TT TTART 2
ના ર ત ર ર ર ર ર ર ર 38, S . ,
૫૩. છચોકીની વિકણે વિદ્યાદેવી યુકત સભામંદારક (નાભિ-કમલોભવ) જાતિની છત.
Page #96
--------------------------------------------------------------------------
________________
T
T
=======
૫૪. ચોકીને જોડતો ઉત્તર તરફની સભામંદારક જાતિનો વિતાન.
Page #97
--------------------------------------------------------------------------
________________
KELTINIU III
II/Illuuuuu
Initiviiiiiiiiiiii
૫૫. છચોકીના મધ્યભાગનાં પગથિયાં ચડતાં આવતો વચલો પદ્મમંદારક જાતિનો રૂપસુંદર વિતાન.
Page #98
--------------------------------------------------------------------------
________________
૫૬, ચોકીની સભામંદારક પ્રકારની પડખલાની છત.
Page #99
--------------------------------------------------------------------------
________________
પ૭. છચોકીની સભા-પદ્મ-મંદારક પ્રકારની સૂક્ષ્મ કોરણીયુક્ત છત.
1000
Page #100
--------------------------------------------------------------------------
________________
ITI IT
૫૮, છચોકીની સભા-પદ્મ-મંદારક જાતિની અત્યંત બારીક નકશીવાળી એક અન્ય છત,
Page #101
--------------------------------------------------------------------------
________________
૫૯. છચોકીથી ડાબી તરફ ગોખલા ઉપરની ઉક્ષિપ્ત પ્રકારની છત.
Page #102
--------------------------------------------------------------------------
________________
૬૦. છચોકીના વચલા પદમાં દ્વાર ઉપરની ઉષપ્ત પદ્મક પ્રકારની છત.
Page #103
--------------------------------------------------------------------------
________________
TION
૬૧. રંગમંડપના દક્ષિણ તરફની પટ્ટશાલા તરફના સંધાન ભાગના છજ્જા પરના હંસો.
Page #104
--------------------------------------------------------------------------
________________
૬૨. રંગમંડપના દક્ષિણ તરફની પટ્ટશાલાના સંધાન ભાગનો એક પર્ણ-પુષ્પાદિ અલંકૃત વિતાન.
Page #105
--------------------------------------------------------------------------
________________
૬૩. રંગમંડપના દક્ષિણ તરફની પટ્ટશાલાના સંધાન ભાગની દ્વારિકામાં કૃષ્ણ-જન્મનું રૂપક દર્શાવતી પદ્મ-સમતલ
જાતિની છત.
Page #106
--------------------------------------------------------------------------
________________
૬૪. રંગમંડપના ઉત્તરી પટ્ટશાલાના સંધાન ભાગના મધ્યપદની મંદારક પ્રકારની છત.
Page #107
--------------------------------------------------------------------------
________________
LANCAS
૬પ. ગૂઢમંડપના દક્ષિણ-પ્રવેશદ્વારનું ચોકીઆળું.
772
Page #108
--------------------------------------------------------------------------
________________
૮૬. છચોકીના વેદીબંધની નકશી.
Page #109
--------------------------------------------------------------------------
________________
૬૭. પશ્ચિમની પટ્ટશાલાની ઉત્તર પાંખની યક્ષી અપ્રતિચક્રાની પ્રતિમાવાળી છત.
Page #110
--------------------------------------------------------------------------
________________
૬૮. પશ્ચિમ પટ્ટશાલાની ઉત્તરી પાંખની વલીમંડલોમાં
દર્શાવતી છત.
Page #111
--------------------------------------------------------------------------
________________
૬૯. પશ્ચિમ પટ્ટશાલાના અંતભાગના નાભિછંદ વિતાનના
વિકર્ણના કિન્નરયુગ્યો.
Page #112
--------------------------------------------------------------------------
________________
==
==
છે. પશ્ચિમ પટ્ટશાલીના ઉત્તરી ભાગની એક ઉક્લિપ્ત પ્રકારની સપદ્મક છત.
Page #113
--------------------------------------------------------------------------
________________
૧. ઉત્તરની પાલાનો એક ઉન્મિપ્ત પ્રકારનો વિજ્ઞાન.
Page #114
--------------------------------------------------------------------------
________________
====s FEEEE=
======= ======= !
૭૨. હસ્તિશાલાના મોરાની ૧૬ ખંડની એક
જાળી.
કયERE
ક
'03. હસ્તિશાલાના મોરાની ૧૬ ખંડની એક અન્ય જાળી.
ducation International
For
Bara
org
Page #115
--------------------------------------------------------------------------
________________
૭૪. હસ્તિશાલામાં હાથીઓની પંકિત.
Page #116
--------------------------------------------------------------------------
________________
Den 20 0000 000000
Dj Overeloooožexeevoorrek
Da vi
stelle elameu
Hi '
S
1424'-
dls RATE. & Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
YO
trataDEL
C0000
૭૬. દક્ષિણ તરફની પાલાનું દશ્ય.
1000000
JONOTONO 000
AFT
Page #118
--------------------------------------------------------------------------
________________
( ( ( ( ( ( ( ( ( ( ((( ))) ) ) ) ) ) ) ) ) )
การใช้งาน
( ( ((( 5 ),,7,2, ZAVIRUMAATANANARID
( (
2 2 2
2 2 ในคร) ในงาน
( ( ( ( ( ( ( ( (55) ) ) ) ) ) ) ) )
૭૭. દક્ષિણ પટ્ટશાલાનો એક મંદારક પ્રકારનો વિતાન.
But แแแแแแแแแรง 222 2223)
( ( ( ( ( ( ( (
- -
- - 1 ) ) )
Page #119
--------------------------------------------------------------------------
________________
કo
૭૮, પશ્ચિમ પટ્ટશાલાની દક્ષિણ પાંખનો એક પાક જાતિનો વિતાન.
Tiyu
પાંખનો એક પડ
, '
1
t
i[T[VI
I
/
૭૯. દક્ષિણ પટ્ટશાલાની ચાર છે યક્ષીઓવાળી એક સમતલ છત..
Jain Edi Muation International
For Private & Personal use only
Page #120
--------------------------------------------------------------------------
________________
૮૧. પશ્ચિમ પટ્ટશાલાની નવખંડી છત.
Education International
૮. પશ્ચિમ પાલાની દક્ષિણ પાંખનો એક
મંદારક પ્રકારનો વિતાન
ミスミス ニュ
Foptivate & Personal
ネス
www.jaigelbrary
Page #121
--------------------------------------------------------------------------
________________
૮૩. આંબૂ દેલવાડા. સાધુ ભીમસિંહ કારિત જિનાલય (પિત્તલહર)ની નવચોકી. પ્રાય: ઈ. સ. ૧૩૨૫-૧૩૫/
૮૨. પશ્ચિમ પટ્ટશાલાની દક્ષિણી પાંખનો એક ઉક્લિપ્ત-મંદારક જાતિનો અનન્ય વિતાન.
૮૪. પ્રસ્તુત નવચોકીના ઉત્તર તરફના પડખાનું દર્શન.
Page #122
--------------------------------------------------------------------------
________________
34.
Education International
Page #123
--------------------------------------------------------------------------
________________
VOTE
www
wild
VVY
૮૫ નવચોકી અંતર્ગત સ્તમ્ભો.
Page #124
--------------------------------------------------------------------------
________________
૮૫. નવચાકી અતગત સ્તંભો.
unin Education International
OKEZOOK
Mafcars
SUD
Page #125
--------------------------------------------------------------------------
________________
૮૭. દેલવાડા, સાધુ મંડલિક નિર્માપિત ચતુર્મુખ બરતરવસહી. ઈ. સ. ૧૪૫૯.
૮૮. ખરતરવસહીના ચતુર્મુખ ગર્ભગૃહના મંડોવર અને વાયવ્ય કોણથી થતું ઓકીઆળાનું દર્શન
Page #126
--------------------------------------------------------------------------
________________
ર્શન.
STR
7Jin Education International
71
KKKKKKKK
M
CCA GM36
K
Page #127
--------------------------------------------------------------------------
________________
૯૦. પશ્ચિમ તરફ્તા રંગમંડપનો એક કારીગરી-યુકત સ્તબ્ધ.
૮૯. ખરતરવસહીના ઉત્તર તરફના રંગમંડપનો સભા-પદ્મ-મંદારક વિતાન.
Page #128
--------------------------------------------------------------------------
________________
SUSTA
ANAAN
TAIWAN
1/1/1/11
Www
Jan Education International
Page #129
--------------------------------------------------------------------------
________________
WD Cabi
SJS. SED)
૯૧. ચતુર્મુખ ગર્ભગૃહના પશ્ચિમ તરફના - અન્તરાલ ઉપરના ભારોટના તળિયાનું
કંડારકામ.
S
.
=
RR
=
=
==
= = = = = દરર રર :- 9
-
૯૨. ચતુર્મુખ ગર્ભગૃહનું પૂર્વ તરફનું પ્રવેશદ્વારે.
Jain E
Page #130
--------------------------------------------------------------------------
________________