SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ દેલવાડાનાં દેરાં સ્વપ્નસમી ભાસી છે. તો નોરોથ જેવા આજન્મ કલાપારખુને વિમલવસહીનો પેલો શ્રેષ્ઠ કમલોભવ વિતાન (ચિત્ર ૫) આરસકંડારના જગતભરના નમૂનાઓમાં મોખરે ઊભતો લાગ્યો છે. તત્ત્વવેત્તા હફસલીએ તાજમહલ કરતાં દેલવાડાનાં દેરાંની કોરણીમાં વિશેષ ચેતના અનુભવી છે. વાસ્તુગવેષક ભંડારકરે એના પર મનનીય લેખો લખ્યા છે. પંડિત અંબાલાલ પ્રેમચંદ શાહે એનું ટૂંકું પણ સરસ વર્ણન કર્યું છે. દા. ઉમાકાન્ત શાહે વિમલવસહીના ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો છે. ભારતીય કલા અને સ્થાપત્યના સર્વશ્રેષ્ઠ તજજ્ઞ અને ભાષ્યકાર દા સ્ટેલા કેસરિશે એનાં કેટલાંક ભાસ્કર્ષ શિલ્પોની કલા તરફ વિશ્વ સમસ્તનું ધ્યાન દોર્યું છે; ને ગુજરાતનાં બે ઇતિહાસવેત્તાઓ–રત્નમણિરાવ અને દુર્ગાશંકર શાસ્ત્રી–એ આ દેવાલયોને શ્રેષ્ઠ શબ્દકુસુમોની અંજલિઓ આપી છે. એક બાજુ આ અહોભાવ અને પ્રશંસા વ્યક્ત થયાં છે તો બીજી બાજુ આ અલંકૃત મંદિરોની કલા પર કેટલીક પ્રામાણિક ટકોર પણ થયેલી છે. સ્થાપત્યવિવેચક પસ બ્રાઉનને અહીંની કોતરણી ભરચક, વિગતપરસ્ત, અને અતિરેકની સીમાએ પહોંચેલી જણાય છે. એની પૂર્ણતાનો સ્વીકાર તો એમણે કર્યો છે, પણ એ પૂર્ણતાને ‘યંત્રવત્ કહી છે. આરસને એમણે કંડારકામની અભિવ્યકિત માટે પ્રતિકૂળ માધ્યમ માન્યું છે. દા. મોતીચન્દ્રના મતે પણ સંગેમરમરમાં રૂપનાં રેખા-પરિમાણ તેમ જ આકારની શુચિતા જળવાનાં નથી. ચીની કલાના વિશ્વમાન્ય વિદ્વાન વિલિયમ વિલેટસે આરસ, નાગદંત, અને પોસલીનને એક કક્ષાના વાહતૂકો ગણી, એ સૌમાં થતી કલાઅભિવ્યંજનાને પ્રાણ અને ઉમા વિનાની માની છે. દેલવાડાનાં આ મંદિરોની આંતરશોભા એમને સ્તબ્ધ કરી દે તેવી, પણ હૃદયસ્પર્શી નથી લાગતી. સારસીકુમાર સરસ્વતીને એનો અખૂટ અલંકારવૈભવ થાક ઉપજાવનાર લાગે છે. કુમારસ્વામી અને સ્ત્રીમર સરખા ભારતીય કલાના અજોડ અને તલાવગાહી વિશ્લેષક એવં લોકોત્તર શબ્દશિલ્પીઓ પણ આ દેવાલયોના તક્ષણકામને કલા કરતાં કારીગરીના વર્ગમાં મૂકવા પ્રેરાતા હોય તેમ લાગે છે. કુમારસ્વામીએ અહીં ‘મબલખતા એ જ સુંદરતા' એ સૂત્ર સિંહાસને બિરાજી રહેલું કહ્યું છે; ને ત્સીમરને તો અહીંના સ્તબ્બો અને ભારપટ્ટોનું સંવિધાન વછૂટી જઈ અંતે અલંકારનો સમૂહ જ શેષ રૂપે રહેતો ભાસ્યો છે. દા. હરિપ્રસાદ દેસાઈ અને અશોકકુમાર મજમુદારને દેલવાડા કરતાં મોઢેરાનું રૂપકામ ચઢિયાતું લાગ્યું છે. આ ટીકાઓનો સદ્ભાગ્યે ઉત્તર વાળી શકાય તેમ છે. કલા વિષેના ભારતીય અને પશ્ચિમી કે પશ્ચિમ તરફી દષ્ટિબિંદુની વિભિન્નતા તેમ જ અસમાન અને પ્રાચીન સાથે ઉત્તરકાલીન કલાસ્તરોને એક કાટલે જોખવાની પદ્ધતિ પણ પ્રસ્તુત આલોચનાઓ પાછળનું કારણ હોઈ શકે. વિમલવસહીની વાત કરીએ તો એનો અસલી (વિમલમંત્રીના સમયનો) અવશિષ્ટ રહેલો કાળા પથ્થરમાં બાંધેલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005244
Book TitleKaladham Delwada
Original Sutra AuthorN/A
AuthorShrutnidhi
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1997
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy