________________
દેલવાડાનાં દેરાં
ભાગ પ્રમાણમાં સાદો અને બિનઅસરકારક છે. એમાં અલંકારી સ્થાપત્યની ઝાકઝમક નથી. તે પછીથી થયેલા ગૂઢમંડપના આરસનાં ચોકીઆળાં અને વિશેષે છચોકીના સ્તબ્બો અને એનું સમસ્ત આયોજન ખરેખર ધણાં જ સુંદર છે. એ જ વસ્તુ એ રીતે વિમલના સમયમાં અને એ યુગમાં ઉચ્ચ કોટીની શૈલીમાં થતાં પૂરા અલંકાર સમેત બની હોત તો મોઢેરાના સૂર્યમંદિર સમી હજુ વિશેષ સુંદર થઈ શકત. અલબત્ત, ૧૨મી શતાબ્દીના મધ્ય ભાગમાં, મંત્રી પૃથ્વીપાલે, છચોકીની રચના બાદ, સુરતમાં જ બંધાવેલાં રંગમંડપ અને દેવકુલિકાઓ અલંકારપ્રચુર હોવા છતાં છચોકીની તુલનામાં એની કલાકક્ષા કંઈક અંશે ઊતરતી કોટીની છે. ૧રમી સદીમાં પશ્ચિમ ભારતના સ્થાપત્યનું અલંકરણ અવનતિને પંથે પડેલું એ હકીકત હવે સુવિદિત છે. એની પાસેથી ૧૧મી શતાબ્દીના પૂર્વાર્ધ જેવા કલાના આભિજાત્યની આશા રાખી ન શકાય. છતાં ત્યાંની છતોમાં ઘણું વૈવિધ્ય અને અનેક સુંદર સુંદર ભાતોનો વિકાસ જોવા મળે છે જ. બીજી બાજુ લૂણવસહી ૧૩મા શતકના દ્વિતીય ચરણમાં બંધાયેલી છે. ૧૩મા શતકમાં રૂપનિર્માણમાં ૧૨મી શતાબ્દીની અપેક્ષાએ કેટલોક સુધારો થયેલો. વિતાનવિધાનમાં અનવધિ બારીકાઈની સાથે કેટલીક નવીનતા સાથે નવતર પ્રયોગો પણ થયેલા એ વાત સ્મરણમાં રાખવી જોઈએ. નવા પ્રકારનાં સ્તમ્ભો અને તોરણોનો આવિષ્કાર પણ થયેલો. સમસ્ત કામ એક જ સમયનું હોઈ તેમાં એકરૂપતા અને એકવાકયતા જળવાયાં છે અને તેનું અંતરંગ ઘણું સપ્રમાણ છે. ૧૩મી સદીના હિસાબે તો આ મંદિરે ઘણું ઘણું આપ્યું છે. એવું જ, જરા ફરક સાથે, કલિંગ દેશમાં કોણાર્ક (પ્રાય: ઈસ્વી ૧૨૫૦) કે કર્ણાટ દેશમાં સોમનાથપુરમ (ઈસ્વી ૧૨૬૮) સિવાય એ યુગમાં ભારતમાં બીજે કયાં બન્યું છે ? અને ૧૫મા શતકની વાસ્તુપ્રથાના કેટલાયે તત્ત્વોનો પ્રારંભ આ મંદિરમાં જોઈ શકાય છે. - ટીકાકાર વિદ્વાનોનો બીજો વિરોધ છે આરસના ઉપયોગ પ્રતિ. વેળપાષાણમાં થઈ શકતી ઊર્જસ્વી રૂપક્રિયા આરસમાં એની શુભ્રતા અને લીસપને કારણે ન થઈ શકે એ વાતનો સ્વીકાર કરીએ તો પણ આરસ રૂપકામ માટે કલોચિત ઉપાદાન નથી જ એવા અભિપ્રાય સાથે સહમત થવું મુશ્કેલ છે. રૂપકામ ઉત્તમ કે નિકૃષ્ટ થવાનો આધાર માત્ર માધ્યમ પર અવલંબિત નથી; પ્રાદેશિક કલા પરંપરાનું નિજસ્વી સામર્થ્ય, કલાસર્જનનો કાળ, અને કલાકારની નિજી સૂઝ, પશ્યતા, અધ્યાસ, અને આવડત પર પણ રહેલો છે એ વાત ભૂલવી ન જોઈએ. નાંદિયાની મહાવીરની પ્રતિમા પાસે ઊભેલા, આઠમા શતકના પ્રારંભે સર્જાયેલા, ભાવવાહી લલિતભંગી વાહિકો આરસમાં કંડારેલા હોવા છતાં કેટલાં સુરેખ, સત્વશીલ, અને સુંદર છે! એને કલાકૃતિઓ ન હોવાનું કહેવાની ધૃષ્ટતા કોણ કરશે ? દેલવાડાનાં દેરાઓમાં એ પ્રકારનું રૂપકામ નથી તો સાથે સાથે એ મંદિરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org