SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ દેલવાડાનાં દેરાં પર આંદોલ' પ્રકારનું તોરણ પણ લગાવેલું છે (ચિત્ર ૭). પટ્ટાલાનાં બે પગથિયાં પરથી નીચે ઊતરતાં રંગમંડપ એવં પઠ્ઠશાલાના પૂર્વના સંધાનભાગમાં આવી ઊભાં રહી જઈએ છીએ. પાછળ પૂર્વ તરફ નજર કરતાં પઠ્ઠશાલાના પ્રવેશદ્વારના મોરાની છાજલી પરના મદલના મુખભાગે કરેલી હાથીઓની મંડપ તરફ મોરો માંડી ઊભેલી, ચક્ષુપ્રિય આકૃતિઓ જોવા મળે છે (ચિત્ર ૩). હાથીઓ વચ્ચે પાટડાઓના દર્શનભાગમાં વિવિધ રૂપકો કોરેલાં છે. અહીં ઉપર છતોવાળા ભાગ તરફ જોઈએ તો તેમાં વચ્ચે લંબચોરસ છતમાં વચ્ચે ચારેક પ્રકારની ઘાટિલી લૂમાઓથી સર્જાતો ત્રિકોણાકૃતિક પદ્મક જાતિનો મધ્યભાગ, તેને ફરતી રૂપકર્મયુક્ત રૂપકપટ્ટી, અને જમણી ડાબી બાજુએ ચક્રી ભરત અને તેમના બંધુ બાહુબલિ વચ્ચેના યુદ્ધના પ્રસંગનો ભાવ કંડારેલો જોવા મળે છે; પણ ખરી શોભા તો આ વચલી છતની આજુબાજુના પ્રાય: એકસરખા ચોરસ વિતાનોમાં ઠાંસવામાં આવી છે. આ કમલોદ્ભવ જાતિની અતિ સુંદર છતો(ચિત્ર ૫, ૬)માં વચ્ચેના મંદારક (લંબન) ભાગને ફરતી અષ્ટ લૂમાઓ રચી, એ સારુંયે તારકાકૃતિનું ઝૂમખું ખૂબ ઊંડાણમાંથી ઊર્ધ્વગતિત કર્યું છે. એની ભાતની લાવણ્યક્ષમતા તેમ જ કંડારનું સામર્થ્ય વિતાન વિધાનમાં ૧રમા શતકની સિદ્ધિની પરાકાષ્ઠા બતાવી રહે છે. આની તોલે આવી શકે એવી છત ભારતના કોઈ મંદિરમાં નથી. મંડપના પ્રવેશમાં જ ગોઠવેલી આ બેનમૂન છતની જોડીમાં કેટલું સ્થાનૌચિત્ય જળવાયું છે ! એકના વિકર્ણ ભાગમાં વેલોના મોટાં ગૂંચળા અંતર્ગત કિન્નરો, પક્ષીઓ આદિના યુગલો કંડાર્યા છે, તો બીજીમાં એ જ સ્થળે નાગપાશની કોરણી કાઢી છે. એ બન્ને વિતાનોના ભારપટ્ટોને તળિયે પ્રભાવશાળી કલ્પવઠ્ઠીઓ કોરી છે (ચિત્ર ૫). પણ વિમલવસહીની આગાઢ ભવ્યતા તો એના રંગમંડપને કારણે છે એમ સ્પષ્ટપણે જોઈ શકાય છે. એના ૧૨ સ્તબ્બો મોઢેરાના રંગમંડપની જાતિના છે, પરંતુ તેના જેટલા સરસ નથી. જો કે આયોજનકારે અહીં કેટલીક ખૂબીઓ જરૂર દાખલ કરી છે; વિગતો તપાસીએ તો તેમાં કુલ છ પેટા પ્રકારની જેડીઓ કરવામાં આવી હોય તેમ જણાય છે. આ રંગમંડપ “ઈન્દ્રમંડપ' પ્રકારનો જણાય છે, કેમ કે, તેમાં જંઘાઓમાં મુખ્ય મુખ્ય સ્થાને ઇન્દ્રોનાં રૂપો કાઢેલાં છે. અલબત્ત, આખરે એ રંગમંડપ હોવાથી અહીં નૃત્યમગ્ન અને વારિત્રધારી ગંધ પણ ઉચિત રીતે જ સ્થાન લે છે. કોઈ કોઈ સ્તભમાં ઉપરની ભૂમ્બિઓ પર સુરસુંદરીઓ નજરે પડે છે. એક જગ્યાએ નૂપુર ધારણ કરી રહેલી અપ્સરાનું રૂપ કંડારેલું છે : એના નૂપુરનો સિંજારવ હમણાં જ સંભળાશે એવી સજીવ ગતિ શિલ્પીએ એમાં રેડી છે. આ સ્તબ્બો વચ્ચેના ગાળામાં તિલક અને મદલના સંયોજનથી આકારિત કરેલાં તોરણો ગોઠવેલાં છે. જો કે તેનાં ઘાટ અને પ્રમાણ દશમા શતકના અંતભાગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005244
Book TitleKaladham Delwada
Original Sutra AuthorN/A
AuthorShrutnidhi
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1997
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy