SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ દેલવાડાનાં દેરાં કરેલી પાર્શ્વનાથની પ્રતિમાનું તોરણ દર્શનીય છે. દેવકુલિકા ૪૫ કવીન્દ્રબંધુ મંત્રી યશોવરે ઈ. સ. ૧૧૮૯માં જ કરાવેલી છે. એની અંદર નમિનાથની પ્રતિમાનું તોરણ પણ દર્શનીય છે. દેવકુલિકા ૪૭ અને ૫૪માં પણ પરિકર ફરતાં સરસ તોરણો કરેલાં છે. ભમતીની બીજી વાર પ્રદક્ષિણા તો સ્તબ્બો ઉપરનાં વિતાનોની રચના અને શોભા નીરખવા માટે કરવી જરૂરી બની રહે છે. એક એકથી ચઢે એવી ચાર ભાતો ધરાવતા આ વિતાનો મધ્યકાલીન કલાના અભ્યાસકોને વૈવિધ્યપૂર્ણ અને રોચક સામગ્રી પૂરી પાડે છે. ધાર્મિક-ઐતિહાસિક દષ્ટિથી અભ્યાસ કરનારને અહીંની છતો અને એના કેટલાક ભારપટ્ટો પર કોરેલાં જિન કલ્યાણકો, રૂપકો, અને અન્ય ભાવદર્શનો રસદાયી નીવડી શકે તેમ છે. પૂર્વ તરફની પટ્ટશાલાની ડાબી પાંખથી શરૂ કરતાં આગલી હરોળનો એક સભામંદારક પ્રકારનો વિતાન ધ્યાન ખેંચે તેવો છે (ચિત્ર ૧૭). અહીંની દાદરી ઉપરના ગજલાલુના જે બે થરો લીધા છે તેમાં નીચેનામાં બે પ્રકારના પુષ્પકોની છેડેના ભાગમાં ગોળાકાર હાર કાઢી છે, જ્યારે બાજુમાં અંતરે અંતરે ગગારાને બદલે મનુષ્યાકૃતિ નાગનાં રૂપ મૂકયાં છે, અને તે સૌના પૃષ્ઠ ભાગના સંયોજનથી ચક્રાકાર પાશ રચી દીધો છે. વચ્ચેના ભાગમાં પ્રભાવશાળી પંચકોલજ લમ્બન કંડારેલું છે, એક બીજી છત(ચિત્ર ૧૮)માં તો રંગમંડપની મુખ્ય છતની જેમ દાદરીની નીચે ગજપીઠ, પછી અશ્વથર, અને ત્યારબાદ નરથર લઈ વચ્ચે ત્રણ કોલવાળું સરસ લમ્બન કર્યું છે, જેમાં પદ્મકેસરને અંતે ચંપકનું કોમળ ફૂલ લગાવ્યું છે. એક ત્રીજી છતમાં ગરતાલમાં અષ્ટનાયિકાઓ કરી, પછીના થરમાં વચ્ચે છૂટાં છૂટાં ચંપક-પુષ્પ વેરી, છેવટે મધ્યભાગમાં આઠ લૂમાઓના પરિવારવાળી કિકોલજ પદ્મશિલા અને કેન્દ્રમાં ચંપકકુસુમથી તેને વિરામિત કર્યું છે (ચિત્ર ૧૯). હવે દક્ષિણ દિશાની ભમતીમાં પ્રવેશીએ. અહીં બે ચોકી જેટલો ભાગ વટાવતાં રંગમંડપ સાથેના સંધાનભાગની છતો દષ્ટિગોચર થાય છે. તેમાં બે છતો તેના નાભિક્ષેત્રમાં કંડારેલી પ્રતિમાઓને કારણે નોખી ભાત પાડે છે. એકમાં ચામરધારણીઓથી શોભતી, હાથીઓ દ્વારા અભિષિકત, પદ્માસના, ચન્દ્રાનના, મંગલમયી દેવી ઇન્દિરાની પ્રતિમા છે; તો બીજીમાં મૃતદેવતા સરસ્વતીની પ્રતિમા ઉતારેલી છે (ચિત્ર ૨૦). આમાં ધ્યાન ખેંચે તેવી બાબત તો છે શારદાની બે બાજુએ ઊભેલા સૂત્રધાર કેલા અને લોયણની અંજલિબદ્ધ આરાધક મૂર્તિઓ. (સ્વ) દા. ઉમાકાન્ત શાહના તર્ક મુજબ તેઓ વિમલવસહીના પૃથ્વીપાલે કરાવેલ ભાગોના પ્રધાન સૂત્રધારો હશે. (પાંચમી દેવકુલિકામાં પ્રતિષ્ઠિત જિન કુંથુનાથની પ્રતિમાના કારાપકોમાં ચાર શિલ્પીઓમાં આ બે સૂત્રધારોનાં નામો પણ છે.) દક્ષિણ તરફની ભમતીની કેટલીક સારી છતો હવેલઈએ. તેમાંની એક અખનાયિકા-યુકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005244
Book TitleKaladham Delwada
Original Sutra AuthorN/A
AuthorShrutnidhi
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1997
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy