SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨+ દેલવાડાનાં દેરાં અગ્નિકોણના સ્તબ્બો મોઢેરા પ્રકારના છે, પણ કંડારકક્ષા એ જાતની અંતિમ, અવનતિની દશા બતાવી રહે છે. જ્યારે નૈઋત્ય અને વાયવ્ય દિશાઓના ઝીણી ઝીણી હાંસોવાળા સ્તભોનું કંડાર-દારિદ્રય અહીંના અલંકાર-સંમેલનમાં વિરોધાભાસી લાગે છે. રંગમંડપનું દક્ષિણ ભદ્રમાંથી દેખાતું દશ્ય ચિત્ર ૪૪માં રજૂ કર્યું છે. મંડપમાં સ્તબ્બો વચ્ચે લગાવેલાં તોરણોમાં ત્રણ પ્રકાર નજરે પડે છે. દક્ષિણ દિશાના ભદ્રસ્તમ્ભોમાં ઉચ્ચાલકો વચ્ચે ગોઠવેલું ઈક્ષિકાતોરણ (ચિત્ર૪૪) તો મોઢેરા, અસોડાના શિવમંદિર, અને રુદ્રમહાલયની વંદનમાલિકાઓના સીધા પણ અવનતિ પામેલા વારસ જેવું છે. તિલક-મદલના સંયોજનથી કરેલાં તોરણો એનાં સંતુલિત પ્રમાણોને કારણે વિશેષ રમણીય દેખાય છે (ચિત્ર ૪૩). ત્રીજા, સર્પગતિએ ગૂંચળાં લેતાં તોરણનો ભંગ, એનું પ્રમાણ-સૌષ્ઠવ, અને રચનાનો વિન્યાસ તો અભૂતપૂર્વ કહેવાનું મન થાય (ચિત્ર ૪૨). આ પ્રકારના તોરણનો પ્રભાવ તો છેક ૧૭મી સદી સુધીનાં મંદિરો સુધી પડતો રહેલો. (આ જાતનું તોરણ મૂળ ઇલોરાના નવમી સદીના રાષ્ટ્રકૂટ લયનમંદિરોના, અને એ યુગની જૈન ધાતુમૂર્તિઓના તોરણ પ્રકારમાંથી વિકસ્યું છે.) પણ આ બધાં કરતાંયે જેવા જેવી રચના તો છે મંડપના વિશાળ કોટકની. કેવળ ભારતના જ નહીં, વિશ્વ સમસ્તના મહત્વના અલંકારશીલ વાસ્તુવિધાનમાં મોખરે રહેલા આ સભાપઘમંદારક જાતિના વિતાનની વચલી અઠાંશ અહીં ભૂમિતિની ચોકકસાઈ સહિત કરેલી છે. લગભગ ૧૨ ફીટ ઊંચાસ્તમ્ભો અને પ્રાય: ૧૯/ર ફીટ જેટલા વિસ્તારવાળો અને ઊંડાણભર્યા વિતાન વિમલવસહીનાં મહાવિતાનની તુલનામાં ઘણો જ સપ્રમાણ લાગે છે. એનાં ઉપાંગોના તમામ પારસ્પરિક માન-પ્રમાણ બરોબર જળવાયાં છે; અને એ રીતે વિમલવસહીના રંગમંડપની એ ક્ષતિ અહીં દૂર થઈ છે. વિતાનના સ્તરો પણ કંડારની ઝીણવટ બતાવવાની સાથે માનૌચિત્ય પણ સાચવી રહે છે (ચિત્ર ૪૫). સૌ પહેલાં અંતરપટ્ટમાં પ્રવચનમગ્ન જૈન મુનિઓની છૂટી છૂટી પ્રતિમાઓ બતાવી, તે પર ઝીણી પાંદડીવાળો કર્ણદદરિકાનો થર લીધો છે. એના ઉપર રૂપકંઠમાં વાજિંત્રો વગાડી રહેલા, આકાશચારી ગતિમાં ગૂંથાયેલા, ૧૬ વિદ્યાધરો પીઠ પરનાં આસનો પર અનુક્રમે ૧૬ વિદ્યાદેવીઓને ટેકવી રહ્યા છે. આ મહાવિદ્યાઓનો વિસ્તાર ઉપરાઉપરી ત્રણ ગજલાલુના થરો વચ્ચે વસેલો છે. તે પછી સમુદ્રતરંગ સમો, સૂક્ષ્મ કંડારણાયુકત, નવખંડ કોલનો થર લીધેલો છે. ત્યારબાદ નક્ષત્રમંડલની જેમ શોભતો ૨૪ લૂમાઓનો સમૂહ, ફરીને કોલ, અને છેલ્લે રત્નરાશિ શી ચમકતી, સપ્તકલજ લમ્બનરૂપી પધ્ધશિલા આવી રહેલાં છે (ચિત્ર ૪૫). બ્રહ્મપિંડનો સંકેત કરી રહેલી, જાણે કે સારાયે બ્રહ્માંડની ગતિનો લય એના પ્રલંબ પદ્ધકેસરના અંતિમ બિંદુમાં સમાવી લેતી હોય એવી આ પદ્ઘશિલાનું અપ્રતિમ રચનાકૌશલ કદાચ સૂત્રધાર શોભનદેવની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005244
Book TitleKaladham Delwada
Original Sutra AuthorN/A
AuthorShrutnidhi
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1997
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy