________________
દીપ્રાદષ્ટિ : અતત્ત્વાવણ ખારૂં' જલ-તત્ત્વતિ મધુર જલ
(૨૫૧)
· ચાર ગતિરૂપ જ્યાં મેાટા આવર્તા છે અને દુઃખરૂપ દાવાનલ જ્યાં પ્રજ્વલી રહ્યો છે, એવા આ ભવસાગરમાં પ્રાણીએ બિચારા નિર ંતર ભમી રહ્યા છે. એક રૂપ છેાડીને ખીજા ગ્રહણ કરતા આ યત્રવાહક જીવ, રગભૂમિ પર નાટકીઆની જેમ નિરંતર નવનવા વેષ ધારણ કરી, આ ભવમંડપમાં નાટક નાચી રહ્યો છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ ને ભાવ એમ પાંચ પ્રકારના પરાવર્ત્ત નાવડે આ સસાર દુઃખથી ઠાંસી ઠાંસીને ભરેલા છે. અનાદિ કાળથી ભ્રમણ કરતા આ જીવે ત્રસ-સ્થાવર ચેાનિએમાં સવની સાથે સવ” સંબધા પ્રાપ્ત કર્યાં છે. દેવલેાકમાં કે મનુષ્ય લેાકમાં, તિયાઁચમાં કે નરકમાં એવી એક પણ ચેાનિ નથી, એવું એક પણુ રૂપ નથી, એવા એક પણુ દેશ નથી, એવુ એક પણ કુલ નથી, એવું એક પણ દુ:ખ નથી, એવુ' એક પણ સુખ નથી, એવે એક પણ પર્યાય નથી કે જ્યાં નિર'તર ગમનાગમન કરી આ જીવ ખંડિત ન થયા હોય * *
• આ વિચિત્ર સ'સારમાં દેવ આક્રંદ કરતા નીચે પડે છે ને શ્વાન સ્વગે ચડે છે ! શ્રોત્રિય બ્રાહ્મણ કૂતરો અને છે, વા કૃમિ કે શ્વપાક ચાંડાલ ઇંદ્ર બને છે! રાજા કીડા થાય છે ને કીડા ઇંદ્ર અને છે! આમ કથી બલાત્કારે પ્રાણીના પરાવર્તન થાય છે! અરે ! આ વિષમ સંસારમાં માતા હોય તે મૃત્યુ પામીને પુત્રી અને છે! મ્હેન હેાય તે સ્ત્રી થાય છે! તે સ્ત્રી વળી પુત્રી તરીકે અવતરે છે! પિતા હાય તે પુત્રરૂપે જન્મે છે! તે પુત્ર વળી મરીને પૌત્ર પણ બને છે!' આમ આ સસાર ખરેખર ! સાવ અસાર છે. આવા અનિત્ય, અશરણ, દુ:ખમય, વિચિત્ર ને વિષમ સંસારને ધિક્કાર હા! ધિક્કાર હા !
ઇત્યાદિ પ્રકારે આ વિવેકી વૈરાગ્યવંત પુરુષ ભાવે છે. એટલે તેને સમસ્ત સ*સાર સબધ ખારેા લાગે એમાં શુ' નવાઇ? અને તેથી ઉભગીને, વિરક્ત થઇ, તે આ સસારસમુદ્રના ખારા પાણીના ત્યાગ કરવાને પ્રવર્તે એમાં શુ' આશ્ચય ?
વળી જે અતત્ત્વશ્રવણ છે તે પણ ખારા પાણી સમાન છે. અનાદિ કાળથી આ જીવે અતત્ત્વશ્રવણુરૂપ ખારૂ પાણી પીધા કર્યુ છે, તેથી જ તેના અંતરમાં સયેાગનુ ખીજ રાપાટુ' નથી, કારણ કે મિથ્યાત્વવાસનાથી વાસિત એવુ' અતત્ત્વ અતત્ત્વશ્રવણ- જ્યાં સુધી જીવ સાંભળ્યા કરે, ત્યાંસુધી જીવને સત્સ`સ્કાર ઊગે જ કેમ ? ખારૂં જલ આ જીવે શ્રવણુ કરવામાં તે કાંઇ બાકી રાખ્યું નથી, પણ તે તા તેણે
*"चतुर्गतिमहावते दुःखवाडवदीपिते । भ्रमन्ति भविनोऽजस्रं वराका जन्मसागरे ॥ रूपाण्येकानि गृह्णाति त्यजत्यन्यानि सन्ततम् । यथा रङ्गेऽत्र शैलूषस्तथायं यन्त्रवाहकः ॥ सर्वैः सर्वेऽपि संम्बन्धा संप्राप्ता देहधारिभिः । अनादिकाल संभ्रान्तै सस्थावरयोनिषु ॥ भूपः कृमिभवत्यत्र कृमिवामरनायकः । शरीरी परिवर्तेत कर्मणा वञ्चितो बलात् ॥ माता पुत्री स्वसा भार्या सैव संपद्यतेऽङ्गजा । पिता पुत्रः पुनः सोऽपि लभते पौत्रिक पदं ॥" —શ્રી શુભચંદ્રાચાર્ય કૃત શ્રી જ્ઞાનાવ.