________________
દીપ્રાદષ્ટિ : જરા-રેગ-શાક આદિ દુઃખ
(૩૦૫)
પછી માનવાનું શું ગજું? જન્મરૂપ તાડવૃક્ષમાંથી નીચે ભ્રષ્ટ થયેલા જંતુરૂપ ફળેા મૃત્યુરૂપ ભૂમિભાગે પહોંચતાં પહેલાં વચ્ચમાં કેટલીક વાર રહેશે ? તાડના ઝાડમાંથી છૂટા પડેલા ફળને ભૂમિ પર પહોંચતાં વાર લાગતી નથી, તેમ જન્મમાંથી જીવને મૃત્યુ પામતાં વાર લાગતી નથી.
“ નગુણી કાયા તેરા કયા ગુણ ગાવું? મહેલ રચ્યા તિમે રહેન ન પાવું;
જા મુખ
ચાવત પાનકી ખીરી, તા મુખ તેરે સંગત કીરી.”—સત કબીરજી
આમ જન્મ મૃત્યુ પપરા-શૃંખલા ચાલ્યા જ કરે છે. જન્મ પછી મરણુ, ને મરણ પછી જન્મ,—એમ અનંત અનુબંધ–પરંપરા ચાલ્યા જ કરે છે. અને તેથી આ જીવ અરઘટ્ટઘટી ન્યાયે, કૂવાના રેંટ જેવી આ સંસારની રખડપટ્ટીમાં, અનંત દુઃખપરંપરા અનુભવ્યા કરે છે. વળી પ્રત્યેક જન્મમાં પણ બીજા શા શા મુખ્ય દુઃખ ભાગવવા પડે છે, તેને પણ અહીં નિર્દેશ કર્યાં છે. તે આ પ્રમાણે—
જ્યારે જરા—ઘડપણ આવે છે ત્યારે પણ આ જીવના હાલહવાલ થવામાં કાંઈ ખાકી રહેતી નથી. જ્યારે પાંચ ઇંદ્રિયાની શક્તિ શિથિલ−ઢીલી થઇ જાય છે, વિકલ–પાંગળી બની જાય છે, ઊઠવાની શક્તિ અંગમાં રહેતી નથી, હાથમાં લાકડીને ટેકે ચાલવુ પડે છે, કેડ વાંકી વળી જાય છે, શરીરમાં કરચોલી પડે છે, વળીઆ-પળીઆ આવે છે, અને જ્યારે પરાધીન-પરવશ થઈને રહેવુ પડે છે, બીજાના મેણાટોણા સહન કરવા પડે છે, ને આ ડાકરા ‘ મરતા નથી ને માંચા મૂકતા નથી' એવા કડવા વચન સાંભળવા પડે છે,-એવી વૃદ્ધાવસ્થા પણ કાંઈ ઓછી દુ: ખદાયક નથી. વળી આ વૃદ્ધાવસ્થામાં+ બીજાઓના તિરસ્કાર વેણુ જાણે સાંભળવાને ઈચ્છતા ન હેાય એમ કાન મ્હેરા થઈ જાય છે ! પેાતાની દૃષ્ય લાચાર દશા દેખવાને જાણે અસમ હાય એમ આંખ અધપણાને પામે છે ! સામે આવેલા ચમરાજની ભીતિથી જાણે કાયા પણ ખૂબ કંપે છે ! તાપણુ જરાથી ખખડી ગયેલ આ પ્રદીપ્ત ભવનમાં પણ અહો ! આ જીવ નિષ્કપ રહે છે !' સત્ કવીશ્વર શ્રીમદ્ રાજચ`દ્રજીએ મેાક્ષમાળામાં સ્વભાવાક્તિથી તાદૃશ્ય વર્ષોંન કર્યું" છે કે :~
ઘડપણનું
દુઃખ
“ કરચોલી પડી દાઢી ડાચા તળેા ડાટ વળ્યો, કાળી કેશપટી વિષે શ્વેતતા છવાઈ ગઈ; સુંઘવુ' સાંભળવુ' ને દેખવુ' તે માંડી વળ્યુ', વળી દંત વિલે તે ખરી કે ખવાઇ ગઇ;
+ अश्रोत्रीव तिरस्कृता परतिरस्कारश्रुतीनां श्रुतिः
चक्षुर्वीक्षितुमक्षमं तव दशां दूष्यामिवान्ध्यं गतम् । भीत्येवाभिमुखान्तकादतित्तरां कायोऽप्ययं कम्पते,
નિવૃત્રનો પ્રતીપ્સમનેઽવ્યારે નાગનરે ।।” —શ્રી આત્માનુશાસન