Book Title: Yoganishth Acharya Buddhisagarsuri Charitra
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 85
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧: જીવન ચરિત્ર ઉત્તરાધ્યયન તથા ધર્મકલ્પદ્રુમને વ્યાખ્યાનમાં ઉપદેશ કરી ધર્મ પ્રવૃત્તિ કરાવી. પાદરામાં ગુરૂદેવની અમૃતસમાન મેઘધાર રૂપ ઉપદેશ વાણીથી સંઘમાં અત્યંત આનંદ પ્રવર્તે અને શ્રોતાવર્ગમાં ગુરૂદેવના પ્રવચનથી આત્મજ્ઞાન તેમજ ધર્મ પ્રવૃત્તિને ઉદ્યોત થયે. પાદરામાં આ સાલનું ચોમાસું અપૂર્વ ઉલ્લાસ પૂર્વક થયું. ત્યાં પણ શ્રીમાન સંપતરાવ ગાયકવાડ વખતો વખત ગુરૂવાણીનો લાભ લેવા માટે આવવા લાગ્યા તેમજ બીજા અમલદારે વકીલે અને તત્વજ્ઞાનના અભ્યાસીઓ આવીને લાભ લેવા લાગ્યા. એમ ચેમાસાને કાળ પૂર્ણ થતાં ગુરૂદેવ વિહાર કરી બોરસદ, કાવીઠા, પેટલાદ, વસે, ખેડા, અમદાવાદ, પેથાપુર થઈ માણસા પધાર્યા. ત્યાં માસક૯પ કરી વિજાપુર સંઘના આગ્રહથી વિજાપુર પધાર્યા. અને પેથાપુરના સંઘના આગ્રહથી દ્ધિસાગરજીને પેથાપુરમાં જવા આજ્ઞા કરી. શ્રી પન્યાસજી અજીતસાગરજીને મહેસાણ સંઘના આગ્રહથી મહેસાણામાં માસું કરવાની આજ્ઞા આપી વિજાપુરમાં ગુરૂદેવ સાથે કીતિસાગરજી, વૃદ્ધિસાગરજી, જયસાગરજી વિગેરે સાધુ વર્ગ હતો. વિજાપુર સંઘને પ્રતિબંધ આપી આત્મજાગૃત્તિ ઉત્પન્ન કરી જેથી જેને ધર્મ પ્રવૃત્તિમાં જોડાયા શ્રી લલ્લુભાઈ ત્થા કાલીદાસ, ભીખાભાઈ, મોહનલાલ, નગીનદાસ, વાડીલાલ પિપટલાલ છગનલાલ, કાલીદાસ વિગેરે શ્રાવકેએ ધમનું અપૂર્વ રહસ્ય પ્રાપ્ત કર્યું એમ સંવત ૧૯૭૬નું માસું વિજાપુરના સંઘને બહુ જ આનંદ દાયક નિવડયું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119