Book Title: Yogadrushti Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 40
________________ યોગદષ્ટિ-એક પરિશીલન ३७ યોગપ્રવૃત્તિમાં તેને ત્રાસ થાય છે. અર્થાત્ તે તે યોગની જેમતેમ કરાતી પ્રવૃત્તિથી પોતાની જાતને તે વિરાધક માને છે. આ વાત ત્રાસ ધરે ભવભય થકી’ આ પદથી ગ્રંથકાશ્રીએ જણાવી છે. યોગદષ્ટિસમુચ્ચયમાં આ જ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે બીજી દષ્ટિમાં ભવનો અત્યંત ભય હોતો નથી. કારણ કે તે આત્માઓ અનુચિત પ્રવૃત્તિને આચરતા નથી. તેથી સંસારમાં ભટકવાનો ભય ટળી જાય છે. બંને વાતનો સાર એક જ છે. અહીં કારણસ્વરૂપ ભવના ભયનું નિરૂપણ છે અને ત્યાં કાર્યસ્વરૂપ ભવના ભયનું નિરૂપણ છે. આ રીતે બીજી દષ્ટિમાં ભવનો ભય પેદા થવાથી પુણ્યના યોગે ગમે તેવા પણ સુખમય જણાતા સંસારને મુમુક્ષુ દુઃખની ખાણ માને છે. પાપના યોગે આવતું દુઃખ તો દુઃખ છે જ. પરંતુ બધાય પાપના મૂળમાં પડેલું સંસારનું સુખ પણ દુઃખ છે. આ વાત આ દષ્ટિમાં સમજાય છે. અનંતજ્ઞાનીઓએ વર્ણવેલા સંસારના સ્વરૂપને વાસ્તવિક રીતે સમજવાનું આ દષ્ટિમાં બને છે. સંસાર દુઃખની ખાણ છે-એ બોલવું અને માનવું એ બેમાં ઘણો ફરક છે. અનંતજ્ઞાનીઓની વાત ઉપર વિશ્વાસ બેસવો-એ સહેલું નથી. એ માટે કર્મની લઘુતા અપેક્ષિત છે. આવી લઘુર્મિતા બીજી દષ્ટિમાં પ્રાપ્ત થતી હોય છે. આવા વખતે જ્યારે યોગીજનો અનંતજ્ઞાનીઓની વાત સમજાવે ત્યારે કોઈ વાર પોતાની અલ્પ સમજણશક્તિ વગેરે કોઈ પણ કારણે એ વાત ના પણ સમજાય તોપણ અનંતજ્ઞાનીઓના વચન ઉપરનો વિશ્વાસ કોઈ પણ રીતે નષ્ટ થતો નથી. આ વસ્તુ સમજાવતાં ગ્રંથકાશ્રી ફરમાવે છે કેશાસ્ત્ર ઘણાં મતિ થોડલી મનો શિષ્ટ કહે તે પ્રમાણ પામના સુયશ લહે એ ભાવથી મનમા ન કરે જૂઠ ડફાગ મનવાપા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146