Book Title: Yogadrushti Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 106
________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૦૩ વાસિત હોય છે. આનું મુખ્ય કારણ એ છે કે એ ચિત્ત વિષયોમાં લીન નથી. અન્યત્ર આ ચિત્તનું વર્ણન કરતી વખતે વિષયેષ્યવેતા.’ આ પ્રમાણે પણ જણાવ્યું છે. વિષયમાં ચિત્ત લીન બને તો યોગમાર્ગ પ્રત્યેની ધીરતા અને પ્રભાવવત્તા સર્વથા નાશ પામે અને તેથી સક્લિન્ટ બનેલું ચિત્ત મૈથ્યાદિભાવોથી વાસિત ન બને એ સમજી શકાય છે. આવી રીતે પ્રાપ્ત થયેલી યોગની સ્થિરતામાં યોગીઓને યોગની સાધનામાં પ્રાયઃ વિપ્ન તો નડતાં નથી, યોગના સાધનભૂત ઈષ્ટવસ્તુઓનો લાભ પણ ખૂબ જ સરળતાથી થાય છે-આ વાત લાભ ઈટનો રે બંધ-અધૂગતા” આ પદથી જણાવી છે. આ સંસારમાં યોગીજનોને યોગ અને યોગનાં સાધનથી અતિરિક્ત કોઈ જ ઈષ્ટ નથી. વહેલામાં વહેલી તકે આ સંસારથી મુક્ત બનવાની ઈચ્છાવાળા પુણ્યાત્માઓને વિષયાદિની ભયંકરતા સારી રીતે સમજાયેલી હોવાથી વિષયોને ઈષ્ટ માનવાની અહીં કોઈ વાત જ નથી. પાંચ દષ્ટિઓના અપ્રતિમ સામર્થ્યથી અને મિથ્યાત્વના નિર્મળ ક્ષયોપશમથી યોગના સાધનભૂત ઈષ્ટની પ્રાપ્તિમાં પ્રાયઃ કોઈ જ અવરોધ નથી. હર્ષ-વિષાદ, રતિ-અરતિ; સુખ-દુઃખ, લાભ-અલાભ, શીત-ઉષ્ણ કે માન-અપમાનાદિ સ્વરૂપ કંદોના પ્રસંગે પણ યોગીઓ એવા ઢંઢોથી પરાભવ પામતા નથી. પાપના યોગે આવેલાં સર્વ દુઃખોને સહી લેવાની પૂર્ણ તૈયારી હોવાથી અને આ લોકમાં પુણ્યના યોગે પ્રાપ્ત થનારા કોઈ વિષયમાં આસક્તિ નહિ હોવાથી સાધકની સાધનાનો વિચ્છેદ થતો નથી. આથી જ આવા યોગીઓ સર્વજનોને પ્રિય થઈ પડે છે. કોઈ વાર ભૂતકાળના કોઈ પાપના યોગે આવા પણ યોગીઓ તે તે જનોને પ્રિય ન બને-એ બનવાજોગ છે. પરંતુ એમાં લોકોનું અજ્ઞાન કારણ હોય છે; જનપ્રિય બનવાની યોગ્યતાનો અભાવ યોગીમાં હોય છે-એવું નથી હોતું. આથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146