Book Title: Yogadrushti Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 118
________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૧૫ પરિણામપૂર્વકની છે માટે છે. આ વસ્તુને નિરંતર યાદ રાખી સાધનામાર્ગે પ્રયાણ કરવું જોઈએ. આથી સમજી શકાશે કે મન વગરની માત્ર વિષયની પ્રવૃત્તિ કે નિવૃત્તિ દોષ કે ગુણનું કારણ નથી. પરંતુ વિષયમાં આસક્ત કે અનાસક્ત મન જ ખરેખર અવગુણ કે ગુણનું કારણ છે. તેથી જ કાન્તાદૃષ્ટિમાં યોગી અવિરતિયુક્ત હોવા છતાં સંસારની ગમે તેવી અનુકૂળતામાં કે પ્રતિકૂળતામાં રતિ કે અરતિ પામ્યા વિના યોગમાર્ગે નિરંતર પ્રયાણ કરે છે. એ પ્રસ્થાનમાં કોઈ જ વિઘ્ન નડતું નથી-આ વાત આઠમી ગાથાથી દષ્ટાંતપૂર્વક જણાવાઈ છેમાયાપાણી રે જાણી તેહને, લંબી જાય અડોલ, સાચું જાણી રે તે બીતો રહે, ન ચળે ડામાડોળ, ધનગાટા - ગ્રીષ્મઋતુના મધ્યાહે વૃક્ષની છાયામાં જણાતા પાણીને જેઓ પાણીનો આભાસ સમજે છે અને એ પાણી સાચું પાણી નથી એમ માને છે; તેઓ એ પાણીના આભાસમાંથી, કોઈ પણ જાતની મનમાં શંકા લાવ્યા વિના બિન્ધાસ્તપણે નીકળીને આગળ જતા રહે છે. જ્યારે એ પાણીના આભાસને જેઓ વાસ્તવિક પાણી માને છે તેઓ જ્યાં છે ત્યાં જ પાણીના ડરથી ઊભા રહે છે અને જવું ન જવું-એવી ચંચળ અવસ્થાના કારણે ત્યાંથી ખસતા નથી, બસ ! આ રીતે જ સંસારમાં પુણ્યયોગે પ્રાપ્ત થનારાં સુખો ખરેખર જ સુખાભાસસ્વરૂપ હોવા છતાં એને સાચાં સુખ માનનારા જીવો એની લાલચમાંને લાલચમાં સંસારમાંથી ખસતા જ નથી. પરંતુ જેઓ એવાં સુખોને સુખાભાસ માને છે તેઓ કોઈ પણ રીતે એની લાલચમાં ફસાતા નથી અને એની તરફ જોયા પણ વિના સંસારમાંથી પ્રયાણ કરી જાય છે-આ વસ્તુને જ સ્પષ્ટ કરતાં જણાવે છે કે Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146