Book Title: Yogadrushti Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 127
________________ ૧૨૪ પ્રભાષ્ટિની સઝાય કઈ રીતે શક્ય છે તે જણાવતાં ફરમાવ્યું છે કે એહ દષ્ટિમાં નિર્મળબોધે, ધ્યાન સદા હોય સાચું; દૂષણરહિત નિરંતર જ્યોતિ, રતન તે દીપે જાચું રે, ભવિકાબાજ આ દષ્ટિમાં નિર્મળ બોધ હોવાથી વાસ્તવિક ધ્યાન સદાને માટે હોય છે. રત્નમાં કોઈ દોષ ન હોય તો રત્નની જ્યોતિ જેમ નિરંતર એકસરખી પ્રકાશે છે અને સુવર્ણનો મલ ક્ષય પામ્યો હોય તો જેમ સદાને માટે તે શુદ્ધ હોય છે તેમ નિર્મળબોધના પ્રભાવે આ દષ્ટિમાં જ્ઞાનસ્વરૂપ ધ્યાન નિરંતર હોય છે. નિર્મલ બોધ દ્વારા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ થવાથી તેના આવિર્ભાવ માટે આ દષ્ટિમાં મુમુક્ષુઓનું મન માત્ર મોક્ષમાં લાગ્યું હોય છે. આવા પ્રકારના મનનું કારણ માત્ર નિર્મળજ્ઞાન છે. એ નિર્મળજ્ઞાનની સ્થિરતાના કારણે મને પણ મોક્ષમાં સ્થિર બને છે; મળેલી સઘળીય સામગ્રીને મોક્ષનું કારણ બનાવવાનું સામર્થ્ય પણ આ નિર્મળ બોધમાંથી મળે છે અને તેથી ધ્યાનનો વિચ્છેદ, કોઈ પણ પ્રવૃત્તિથી થતો નથી. સંવરને સંવરસ્વરૂપેટકાવ્યા પછી પણ આશ્રવને સંવર બનાવતાં ન આવડે તો ધ્યાનનું અસ્તિત્વ નહિ રહે. શસ્ત્રનો ઉપયોગ કરી જાણવો-એ વિજય માટે પૂરતું નથી. અવસરે હાથમાં આવે તેનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવાની શક્તિ હોય તો વિજય નિશ્ચિત છે. આવું જ મોક્ષની સાધનાના વિષયમાં છે. ગમે તેવા વિષમસંયોગોને મોક્ષ પ્રત્યે અનુકૂળ બનાવવાનું કૌશલ્ય પ્રાપ્ત કર્યું હોય તો મુમુક્ષુને સિદ્ધિ નિશ્ચિત છે. એવી કુશલતા નિર્મળબોધસચરિત ધ્યાનને આધીન છે. આવું ધ્યાન સાતમી દષ્ટિમાં નિરંતર હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146