Book Title: Yogadrushti Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 132
________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૨૯ કહેવાનો આશય એ છે કે અનુષ્ઠાન પ્રત્યે પણ આ દષ્ટિમાં અભિપ્નડું-આડું ન હોવાથી અતિચારને અહીં સંભવ જ નથી. પ્રભાદિદષ્ટિઓમાં એનો સંભવ હતો. પરાદષ્ટિમાં તો અતિચારના કારણભૂત કષાય કે હાસ્યાદિ નોકષાયનો ઉદય ન હોવાથી કોઈ પણ પ્રવૃત્તિ અતિચારરહિત જ હોય છે. સંજવલનના ક્રોધ, માન, માયા અને લોભ તથા હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા તથા પુરુષવેદ વગેરેનો વિપાકોદય હોવા છતાં એ અતિચાર લગાડે એવો તીવ્ર હોતો નથી. આથી આ દષ્ટિમાં અતિચારરહિત પદ-અવસ્થાયુક્ત યોગી હોય છે. તેઓ કોઈ પણ દિવસ અતિચારી કહેવાતા નથી. યોગદષ્ટિસમુચ્ચયાદિ ગ્રંથોની અપેક્ષાએ આ ગાથામાં નિરતિચાર” પદના સ્થાને “નિરાચાર” પદ હોવું જોઈએ-એવું મને લાગે છે. ઉપર જણાવ્યા મુજબ આસંગ દોષના અભાવના કારણે પ્રવૃત્તિ માત્ર નામની જ હોય છે. એનાથી ક્ષય કરી શકાય એવા કર્મનો અભાવ હોવાથી યોગીને એ માટે કોઈ પ્રવૃત્તિ કરવાની રહેતી નથી. તેથી નિરાચાર-પદ આ દૃષ્ટિમાં હોવાથી આચારના અભાવે; યોગીઓને ક્યારે પણ ‘અતિચારી કહેવાનો પ્રસફ આવતો નથી. આ નિરાચાર-પદને જ સ્પષ્ટ કરતાં ગાથાના અંતિમ ભાગમાં ફરમાવ્યું છે કે “આરોહે આરૂઢ ગિરિને... ભાવાર્થ સ્પષ્ટ છે કે પર્વત ઉપર ચઢી ગયેલાને જેમ પર્વત ઉપર ચઢવાની આવશ્યકતા હોતી નથી તેમ જ અન્ય ગ્રંથોમાં જણાવ્યા મુજબ ભોજન કરી ચૂકેલા માણસને જેમ ભોજન કરવાની આવશ્યક્તા હોતી નથી, તેમ આઠમી પરાકૃષ્ટિમાં મુમુક્ષુ આત્માઓને કોઈ પ્રવૃત્તિ કરવાની આવશ્યક્તા હોતી નથી. પ્રવૃત્તિના કારણે થનારા કર્મક્ષયની તેમને સિદ્ધિ થયેલી હોય છે. અવશિષ્ટ કર્મોનો ક્ષય પ્રવૃત્તિથી શક્ય નથી, પરંતુ સામર્થ્યયોગથી સિદ્ધ બને છે. તેથી ગિરિ ઉપર આરૂઢ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146