Book Title: Yogadrushti Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 116
________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૧૩ અપ્રાણ સાધનને પ્રાપ્ત કરવાનું કાર્ય આ કાન્તાદૃષ્ટિમાં સરસ રીતે થાય છે. સાધન સાધનાંતરને લાવી ન આપે તો મળેલાં સાધન સિદ્ધિના કારણ ન બને-એ જ યાદ ન રાખીએ તો મળેલાં સાધન સાધન નહિ રહે. કાન્તાદૃષ્ટિની એ વિશેષતા છે કે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરી આત્મા સમ્મચારિત્રસ્વરૂપ સાધનને પ્રાપ્ત કરવા માટે પૂર્ણ પ્રયત્નશીલ હોય છે. ઘણાખરા સાધકો સાધનામાર્ગથી વિચલિત બન્યા હોય તો તેનું મુખ્ય કારણ એ છે કે-તેઓ પ્રાપ્ત થયેલાં સાધનનો ઉપયોગ કરી ન શક્યા અથવા તો તેમ કરવાનું તેઓએ આવશ્યક ન માન્યું. આવો પ્રમાદ કાન્તાદષ્ટિમાં થતો નથી. જે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી અંતર્મુહૂર્તમાં મોક્ષ મળી શકે છે-તેની પ્રાપ્તિ થયા પછી પણ જો અદ્ધપુદ્ગલપરાવર્તકાળ સંસારમાં રહેવું પડતું હોય તો તેની પાછળ આવા જ પ્રમાદાદિનું પરિબળ કામ કરે છે-એમ માનવું રહ્યું. સાધનના ઉપયોગમાં અપ્રમત્તતા એ એક સાધકની અદભુત સિદ્ધિ છે. આ સિદ્ધિ જ વસ્તુતઃ સાધકને સિદ્ધ બનાવતી હોય છે. વર્તમાનમાં કોણ જાણે ક્યાંથી આ સિદ્ધિ સાધકવર્ગમાંથી લુપ્ત બનતી જાય છે એ સમજાતું નથી. મળેલાં સાધનનો પૂર્ણપણે જ નહિ, હદ ઉપરાંત ઉપયોગ કરવાનું આ છઠ્ઠી દષ્ટિમાં બને છે. છઠ્ઠી દષ્ટિમાં ઉપર જણાવ્યા મુજબ આક્ષેપક જ્ઞાન હોવા છતાં અવિરતિના કારણે વિષયાદિમાં પ્રવૃત્તિ હોવાથી સિદ્ધિમાં વિઘ્ન નડશે અને તેથી સંસારનું કારણ તો રહેવાનું જ-આવી શંકાનું નિવારણ કરતાં સાતમી ગાથામાં ફરમાવ્યું છે કેએહવે શાને રે વિઘન-નિવારણે, ભોગ નહિ ભવહેત; નવિ ગુણ દોષ ન વિષયસ્વરૂપથી, મન ગુણ-અવગુણ-ખેત, ધનવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146