Book Title: Yogadrushti Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 113
________________ ૧૧૦ કાન્તાદષ્ટિની સઝાય આસનની સ્થિરતાને પ્રાપ્ત કરી લીધી છે, પ્રાણવિક્ષેપનો પરિહાર કર્યો છે, ઈન્દ્રિયોના પ્રત્યાહાર દ્વારા કાયાને જુગામી-સરળ બનાવી છે અને શીતોષ્ણાદિ વંદ્વોનો પરાભવ કર્યો છે. તેથી અહીં ધારણા ખૂબ જ દઢ હોય છે. જ્ઞાનના વિષયની અભિરુચિ તીવ્ર થાય તો ધારણા દઢ બને છે. વિષયમાં એવી અભિરુચિ જ ન હોય તો મનની એકાગ્રતા સ્વરૂપ ધારણા ઉદ્ભવે નહિ. સૂક્ષ્મબોધાદિના કારણે કાન્તાદષ્ટિમાં તત્ત્વરુચિ ઘણી હોય છે. એથી ચિત્ત તત્ત્વમાં ખૂબ જ સ્થિરતા પામે છે. આથી જ ચિત્તમાં અન્ય-મિથ્યાત્વીઓના મૃતનો સંવાસ હોતો નથી. સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ હોવાથી અહીં નિસર્ગથી જ અતત્ત્વસ્વરૂપ અન્યથુતધર્મમાં યોગીઓનું ચિત્ત લીન બનતું નથી. રાત અને દિવસ તત્ત્વાતત્ત્વનો વિચાર કરવા છતાં તત્ત્વાતત્ત્વના વિવેકના કારણે અતત્ત્વ ઉપાદેય લાગતું નથી. આવી અવસ્થાને જ યોગની પરિભાષામાં અન્યમુદ્ નામના દોષનો અભાવ કહેવાય છે. યોગગ્રંથોમાં “અન્યમુદ્ નામના દોષના સ્વરૂપનું વર્ણન કરતાં જણાવ્યું છે કે-આપણે જે કાર્ય કરવાનું નિશ્ચિત કર્યું હોય તેનાથી ભિન્ન જે અનુષ્ઠાન(વિહિત કે અવિહિત) હોય તેમાં પ્રીતિ ઉત્પન્ન થવી-તેને અન્યમુદ્દોષ કહેવાય છે. એ ગ્રંથમાં એ વાતને સમજાવતાં દષ્ટાંતપૂર્વક જણાવ્યું છે કે-સામાન્ય રીતે ચૈત્યવંદન કે સ્વાધ્યાયાદિ કર્તવ્યોના અવસરે શ્રુતના અનુરાગથી ચૈત્યવંદનના અવસરે પણ ચૈત્યવંદનનો આદર ન કરવો એ અન્યમુદ્દોષનું કાર્ય છે. આ દોષના કારણે ઈષ્ટ અર્થ સ્વરૂપ યોગની સિદ્ધિ ઉપર અફારાની વર્ષા થવા જેવું બને છે. કહેવાનો આશય એ છે કે યોગની સાધનામાં તત્પર બનવાની ઈચ્છાવાળાએ શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા ઉપર ખૂબ જ આદરવાળા બનવું જોઈએ. તેઓશ્રીની પરમતારક આજ્ઞાના પાલનમાં જ ધર્મ છે અને યોગની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146