Book Title: Yogadrushti Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 108
________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૦૫ વિદ્યમાનતામાં પણ રાગ-દ્વેષ વિનાની અવસ્થા અને વિષયના અભાવમાં પણ રાગદ્વેષ-સહિત અવસ્થા : આ બંન્નેમાં ઘણું અંતર છે. આવું જ અંતર સમતા અને સમતાના આભાસમાં છે. યોગીજનોની સમતા દોષનો ક્ષય અને પરમતૃમિ-આ બેમાંથી ઉદ્ભવેલી છે. સુખમાં કે દુઃખમાં, ભવમાં કે મોક્ષમાં અને જીવન કે મરણ વગેરેમાં જે ઔદાસીન્ય આવે છે તે ઔદાસીન્યનું બીજ આ સમતા છે. આવી સમતા આવ્યા પછી યોગીજનો સર્વથા વ્યવહારશૂન્ય બનતા નથી. પરંતુ સર્વત્ર ઔચિત્યનું સેવન કરતા હોય છે. આપણી ઈચ્છા મુજબ ન થાય એટલે સંસારમાં કોઈ જ સાર જણાતો નથી. એથી તદ્દન નિષ્ક્રિય થઈને, ‘આપણને શી પંચાત ?'.... વગેરે કહીને આપણે ઉદાસીન બની જતા હોઈએ છીએ. એવી ઉદાસીનતા યોગીજનોમાં હોતી નથી-આ વાતને જણાવનારું “ઉચિત-સંયોગ” આ પદ . પ્રવૃત્તિ સર્વત્ર દેખાય અને નિર્લેપતા કોઈ સ્થાને ન હણાય આને ઔચિત્યસેવન કહેવાય છે. નિષ્પન્નયોગીઓની આ એક મોટી વિશેષતા છે. શક્તિ મુજબ જીવનમાં ઔચિત્યનું સેવન ન હોય તો યોગની સિદ્ધિ તો દૂર રહો પરંતુ યોગની યોગ્યતા પણ પ્રાપ્ત થાય નહિ-આ વાત ભૂલવી ન જોઈએ. આ રીતે ઉપર જણાવેલા અનેકાનેક ગુણોની પ્રાપ્તિના કારણે અને દોષોની હાનિના કારણે યોગીઓને યોગસિદ્ધિના પ્રભાવે વિવિધ સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. યોગીઓના સાન્નિધ્યમાં જન્મજાતવૈરવાળા પ્રાણીઓના પણ વૈરનો સામાન્યથી નાશ થાય છે. યોગીઓ પોતે તો વૈર વિનાના હોય જ છે, પરંતુ તેમના પરિચયમાં આવનારા પણ વૈરરહિત બને છે. ગમે તેવા હિંસા, અસત્ય, ચૌર્ય કે અનાચારાદિ પાપ કરવાના સ્વભાવવાળા જીવો પણ યોગીઓના સાન્નિધ્યમાં તેવા પ્રકારનાં પાપ કરવા માટે સમર્થ બનતા નથી. આ યોગસિદ્ધિનો પ્રભાવ અહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146