Book Title: Verno Vipak
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 110
________________ ખંડ ચોથો ૯૩ પાદરદેવીના મંદિર તરફ ચાલી નીકળી. નૈવેદ્યની સામગ્રી પોતાના હાથમાં જ લઈ, દાસીને દૂર ઊભી રાખી, નોકરોને ચોકી રાખવાનું કહ્યું. પોતે મંદિરના આંગણામાં દાખલ થઈ દેવીનાં દર્શન, પૂજન તો માત્ર બહાનું જ હતું. વસ્તુતઃ તે એક શ્રમણની શોધમાં જ અહીં આવી હતી. આજે સવારે એક મુનિને આહાર સામગ્રી વહોરાવ્યા પછી તેણીએ રાત્રિએ આ મુનિની સમીપે આવવાનો નિશ્ચય કરી રાખ્યો હતો. એ નિશ્ચયને લીધે જ તે બપોર પછી એટલી વિહ્વળ અને અસ્વસ્થ હતી. દેવીના મંદિરમાં પગ મૂકતાં જ એનું કાળજું પ્રથમ તો ફફડી ઊઠયું. યક્ષ ને યક્ષિણીઓના ભયંકર ચહેરા અને તેમની પ્રલયકારી લીલા તેની નજર આગળ ખડી થઈ ગઈ. છતાં ગમે તે જોખમ ખેડવાની તૈયારી સાથે આવેલી આ કુળકામિનીને અત્યારે કોઈ અટકાવી શકે એમ નહોતું. આટલામાં જ ક્યાંક હશે” એમ અસ્પષ્ટ સ્વરે બોલતી એ સ્ત્રી એકાકી મંદિરના આંગણામાં ઘૂમી રહી. એક સ્થળે એક શ્રમણ ધ્યાનમગ્ન મુદ્રાએ ઊભા હતા, નક્ષત્રોનો ક્ષીણ પ્રકાશ એમના ઉજ્જવળ વદન ઉપર રેલાતો હતો. કોઈ પણ ભાવિક કે શ્રદ્ધાળુ સ્ત્રી-પુરુષનું દિલ આવી ધ્યાનાવસ્થિત મુદ્રા જોતાં જ દ્રવીભૂત અને ગદ્ગદ્ બની જાય. પણ આ અંધારી રાત્રિના આવરણ નીચે અહીં સુધી આવેલી આ નારીના દિલમાં ભક્તિના સ્થાને ખુન્નસના ભાવો ઊભરાઈ નીકળ્યા. થોડીવાર સુધી તો એ એક બાજુ ઊભી રહી. આ મુનિના મુખની રેખાઓ વાંચતી હોય તેમ સામે જોઈ રહી. પોતાના મનને મજબૂત કરતી અસ્કુટપણે બોલી : “આ જ ધનદેવ ! સવાર પડે તે પહેલાં તેનું અસ્તિત્વ ફરીવાર મીટાવી દેવું જોઈએ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146